Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી
Per Page :

સ્નેહગીતા કડવું:- ૦૮

જેને અંગે રંગ ચડિયો સ્નેહનોજી, પ્રીતે જો પ્રીતમશું પ્રાણ મળ્યો જેહનોજી । અંતરે અભાવ ન થાય તેને તેહનોજી, જો પ્રીત રીતે પાત થાય આદેહનોજી ।।૧।। ઢાળ – દેહતણેદુઃખે કરીને,દલગીર ન થાયેદલમાં ।દરદદુઃખેદોષ હરિનો, પરઠે નહિ કોઈ પલમાં ।।૨।। ગુણ ગ્રે’વા વળી ગોપિકાના, જેને અભાવ કોઈ આવ્યો નહિ । સર્વે અંગે સુખકારી, શ્યામળાને સમઝી સહિ ।।૩।। જેનાં પય પિધાં મહી લીધાં, વળી ફોડી ગોરસની ગોળીયો । વાટે ઘાટે ઘેરી ઘરમાં, જેને લાજ તજાવી રંગે રોળીયો ।।૪।। વેણ વજાડિ વ્રેહ જગાડી, વળી વનમાં તેડી વનિતા ।  તરત તિયાં તિરસ્કાર કીધો, તોય ન આવી અંતરે અસમતા ।।૫।। કોઈ વાતે કૃષ્ણ સાથે, અવગુણ ન આવ્યો અંતરે । દિન દિન પ્રત્યે પ્રેમ પ્રગટ્યો, નિત્ય નિત્ય નવો નિરંતરે ।।૬।। રાસ રચિ ખેલ મચિ, વળી વિછોઇ ગયા વનમાં ।  રોઇ રોઇ ખોઇ રજની, તોય ક્ષોભ ન પામી મનમાં ।।૭।। નાથ નાથ મુખ ગાથ ગાતાં, વળી વિયોગે વિલખે ઘણી ।  તોયે હરિનોદોષ ન પરઠે, એવી રીત જો પ્રીત તણી ।।૮।। પ્રીતને મગે પગ પરઠી, વળી પાછી ન ભરી જેને પેનિયો । શિશ સાટે ચાલી વાટે, ખરી પ્રીત પૂરણ તેનીયો ।।૯।। લાગી લગન થઈ મગન, વળી તગન કર્યાં તન સુખજી ।  નિષ્કુલાનંદ સ્નેહી સમતોલ, કહે કવિ જન કોણ મુખજી ।।૧૦।। કડવું ।।૮।। read more
0 Views : 249

સ્નેહગીતા પદ:- ૦ર

રાગ: મારૂ – સ્નેહને રે સમાન, ના’વે કોઈ સ્નેહને રે સમાન। રાગી ત્યાગી ને તપસ્વીરે, વળી ધરે વન જઈ ધ્યાન; ના’વે. ।।૧।। જોગ જગન બહુ જજતાંરે, તજતાં તેનું મને માન । તજી ઘરવાસ ઊદાસ ફરે કોય, કરે તીરથ વ્રતદાન; ના’વે. ।।૨।। માળા તિલક ધરે ફરે ફકત, નખ શિખા વધારી નિદાન ।  કરે અટન રટન નિરંતર, વળી કરે ગંગાજળ પાન; ના’વે. ।।૩।। સ્નેહ નહિ જેને નાથશુંરે, શું થયું કરતાં રે જ્ઞાન ।  નિષ્કુલાનંદ સ્નેહી જનને, વશ સદા ભગવાન; ના’વે. ।।૪।। પદ ।।૨।। read more
0 Views : 215

સ્નેહગીતા કડવું:- ૦૯

સ્નેહ સાંકળે પલાંણી છે પ્રમદાજી, તેહને અંતરે નહિ કોઈ આપદાજી । સ્નેહે શ્યામળીયા સંગે ડોલી સદાજી, હળી મળી હરિશું રહી અતિ મન મુદાજી ।।૧।। ઢાળ – મુદા સદાયે મનમાંયે, જાયે અહરનિશ એણીપરે । રંગ રાતી મન માતી, ગાતી ગોવિંદ ગુણ ઘરે ઘરે ।।૨।। વળી વન વાટે ઘરે ઘાટે, દિયેદયાળુદરશનદાન । નાથ નિરખી હૈયે હરખી, વળી રહે મને ગુલતાન ।।૩।। હરતાં ફરતાં કામ કરતાં, હરિ અચાનક આવી મળે । મગન રે’તાં સુખ લેતાં, એમ પ્રેમ આનંદમાં દિન પળે ।।૪।। હસતાં રમતાં જોડે જમતાં, વળી વીતે ઘડી ઘણું સુખની ।  પળે પળે પ્રેમ પ્રગટે, જોતાં શોભા શ્રીહરિ મુખની ।।૫।। હાસ વિલાસ હરિની સાથે, વળી કે’વું સુણવું તે કાનને । તાળી વળી લેવી તેહશું, ત્રોડવું હરિશું તાનને ।।૬।। રાત દિવસ વીતે રંગે, વળીઅંગે આનંદ અતિ ઘણું ।  સંસાર સુખની ભૂખ ભાગી, જોતાં મુખ જીવનતણું ।।૭।। વિયોગની વળી વાતને, કોયે સ્વપ્ને પણ સમઝે નહિ ।  એહ રીતે પ્રીત વાધી, સ્નેહની અતિશે સહિ ।।૮।। પ્રીતની રીતને પરખવા, એક સમયને વિષે શ્રીહરિ ।  મથુરાં જાવાનું મન કીઘું, ઈચ્છા એવી ઊરમાં ધરી ।।૯।। ઘણા દિવસ ગોપી સંગે, રંગે રમિયા રસબસશું ।  નિષ્કુલાનંદ સ્નેહ જોવા, વા’લો કે’ વેગળા વસશું ।।૧૦।। કડવું ।।૯।। read more
0 Views : 151

સ્નેહગીતા કડવું:- ૧૦

વેગળા ગયા વિના પ્રીત ન પ્રિછાયજી, વા’લ્યમે વિચાર્યું એવું મનમાંયજી । અલબેલે માંડ્યો પછી એહ ઊપાયજી, અક્રુર આવિયા તેહ સમે ત્યાંયજી ।।૧।। ઢાળ – તેહ સમે અક્રુર આવ્યા, અને રથ લઈ રૂડા રૂપને । રામ કૃષ્ણને તેડવાને, મોકલ્યો કંસાસુર ભૂપને ।।૨।। આવીને છોડયો આંગણે, નંદરાયને નિરધાર । ગોપી વળી ટોળે મળી, વળી કરેછે વિચાર ।।૩।। આ દિન મોર્યે આવો કોઈ, નંદ ભવને નથી જો આવિયો । બાઈ ગામ નામ પુછો એહનું, આ શે અર્થે રથ લાવિયો ।।૪।। બાઈ સગો નહિ એ શત્રુ છે કોઈ, નંદ યશોદા ગોપને ।  નિશ્ચે કાંઈક નવું નિપજશે, તમેદેખજોદૈવના કોપને ।।૫।। જાવો બાઈ જુવો જૈને, સુણજો વળી એની વાતડી । વા’લો થઈ કોઈ વૈરિ વસે, આવ્યો એ કરવા ઘાતડી ।।૬।। કોરે તેડી બાઈ કૃષ્ણને, વળી વાત કરો વાલપવડે ।  હેતદેખાડી રાખો સંતાડી, જે નજરે એને નવ પડે ।।૭।। વ્રજજનનું જીવન જેહી, તેની જતન ઝાઝી કિજીયે ।  વિઘન માંયથી વા’લી વસ્તુ, બાઈ બચાવિને લીજીયે ।।૮।। એમ આકુળ વ્યાકુળ થાય અબળા, માંહોમાંહિ મનસુબો કરે ।  આતો આવ્યો કાળરૂપે કોય, રખે પ્રાણ બાઈ આપણા હરે ।।૯।। પછી ગોપીયે તેની ગમ્ય કાઢી, બાઈ અક્રુર એનું નામ છે ।  નિષ્કુલાનંદના નાથ સાથે, કાંઈક એને કામ છે ।।૧૦।। કડવું ।।૧૦।। read more
0 Views : 170

સ્નેહગીતા કડવું:- ૧૧

આવ્યો અક્રુર એ ખબર પામી ખરીજી, કાંઈક કપટ ભતરે આવ્યો  ભરીજી । કોરે જઈ કૃષ્ણને કાંઈક વાત કરીજી, તેહ નથી કે’તા હૈયાનું આપણને હરિજી ।।૧।। ઢાળ – હરિ હલધર હૈયા કેરી, વળી વાત નથી વરતાવતા । પણ અક્રુર સાથે એકાંત કીધી, તેહની થાય ચિત્તમાં ચિંતા ।।૨।। કોણ જાણે બાઈ કેમ કરશે, કળ પડતી નથી કાંય । પુછો જઈ પ્રાણ-જીવનને, શું છે એના બાઈ મનમાંય ।।૩।। એમ કરતાં અક્રુરના, મનનો તે મર્મ જાણિયો । શ્રીકૃષ્ણજીને તેડવાને, એણે રથ આંઈ આણિયો ।।૪।। એવું સુણીને અબળા, અતિ અકળાણી અંતરે ઘણી ।  જેમ પ્રાણ રહિત વત પુતળાં, એવી ગત્ય થઈ ગોપીતણી ।।૫।। લડથડે કોઈ પડે પૃથ્વી, એમ શુદ્ધ ન રહી શરીરની । શ્યામ સધાવ્યાનું શ્રવણે સુણતાં, નક નયણે ચાલી નીરની ।।૬।। વલવલી ટોળે મળી, વળી વનિતા કહે કેમ કરશું ।  જીવન જાતાં અંતરે આપણે, ધીરજ કઈ પેરે ધરશું ।।૭।। આવ્યો અક્રુર કાળરૂપે, હમણાં પ્રાણ લઈને હાલશે । પછી સ્નેહનું જે સુખ સજની, તે સમે સમે ઘણુ સાલશે ।।૮।। ગયું ધનજોબન દિન જે, તે પાછું નથી કોઈ પામતાં ।  એમ આપણે થાશે અબળા, હરિ હીરો વામતાં ।।૯।। નિરધન થાશું નાથ જાતાં, પછી ઓશિયાળાં રે’શું અંગે ।  નિષ્કુલાનંદના નાથ સાથે, હવે કયાં થકી રમશું રંગે ।।૧૦।। કડવું ।।૧૧।। read more
0 Views : 168

સ્નેહગીતા કડવું:- ૧ર

અહો કષ્ટ અચાનક આવિયોજી, જયારે હરિવરને કંસે બોલાવિયોજી । મથુરાંની નારીનોદાવો બાઈ ફાવિયોજી, આપણે તો લેખ એવો જો લખાવિયોજી ।।૧।। ઢાળ – લેખ લખતાં ભૂલ્યો તું બ્રહ્મા, અને અકલ ગઈ તારી ઊચળી । જોડ્ય જોડિ નાખેછે ત્રોડી, તારી અસત મત્ય એવી વળી ।।૨।। વિવેક હોય જો વિધિ તુંમાં, તો એવું ન કરે કોઈ દિને । જોગ મેળીદેછે ઊબેલિ, તેની મે’ર નથી તારે મને ।।૩।। મન ગમતું સુખ મેળવીને, વળી વિછોહ પાડછ વળતો । માટે મૂરખ મોહોટો ભાઈ, નથી કોઈ તુંજ ટળતો ।।૪।। જેમ કલ્પાંકરે કાંઈ કરિયાં, ઘણાંઘણાં રચે ઘર ઘોલિયાં ।  રમતાં રમતાં રોષ ઊપનો, તારે ભાંગતાં તે કાંયે ભુલિયાં ।।૫।। તેહ માટે તુંને બ્રહ્મા ભાઈ, ઊપમા તે એહની આપિયે । હરિવર ત આપ્યો અમને, તો અસન પેઠે ન ઊથાપિયે ।।૬।। હાસ અમારી હૈયાં કેરી, નથી પુરી કરી નાથને । વાલાથી કેમ કરેછે વેગળાં, એવો વેરી થયો શું વ્રજસાથને ।।૭।। નયણે નિરખતાં નાથને, જેહ મટકે કરી પાંપણ મળે ।  તેહજ બ્રહ્મા ભૂલ્ય તારી, કાંરે ભાઈ તું નવ કળે ।।૮।। એટલી ખોટ તે ખરખરે, તો વેગળે મન કેમ વાળીયે ।  તેહ માટે ભાઈ કહ્યું તુંજને,દયાદલથી નવ ટાળીયે ।।૯।। કૃષ્ણ વિના કેમ કરીને, વળી વિકટ ઘડી વામશે ।  નિષ્કુલાનંદનો નાથ ચાલતાં, પ્રાણ પ્રીતેદુઃખ પામશે ।।૧૦।। કડવું ।।૧૨।। read more
0 Views : 154

સ્નેહગીતા પદ:- ૦૩

રાગ: મેવાડો – મથુરાં મ જાશો રે પ્રિતમ પાતળારે, નાખિ અમને નોધારાં મારા નાથ ।  જરૂરને જાવું રે હોય તિયાં તમનેરે, તો લેજો શ્યામળા અમનેરે સાથ; મથુરાં૦ ।।૧।। પ્રીત કરીને રે પિયુજી મા પરહરોરે, રાખો પ્રિતમ અમનેરે પાસ । અળગાંને રે’તાંરે અધીર અતિ અમનેરે, વણ દિઠે રહે અંતર ઊદાસ; મથુરાં૦ ।।૨।। જેમ મણિ વિના ફણિરે અણ દિઠે આંધળોરે, વળી કોઈ લિયે લોભિનું ધન ।  વણ મૃત્યુએ મૃત્યુ તેને માનવુંરે, જેનુ કાંઈ જાતું રહ્યું છે જીવન; મથુરાં૦ ।।૩।। જળવાસી જીવરે જવાળામાં જીવે નહિરે, અમારે છે તમ વિના હરિ તેમ ।  નિષ્કુલાનંદનારે સ્વામીજી સુજાણ છોરે, અજાણ જે હોય તેને કે’વું એમ; મથુરાં૦ ।।૪।। પદ ।।૩।। read more
0 Views : 167

સ્નેહગીતા કડવું:- ૧૩

પિયુ પરિયાણિયા મથુરાં જાવા માવજી, રથે બેઠા રસિયો અંતરે છે ઊછાવજી । આપણ ઊપરથી ઊતરિયો ભાવજી, પિયુ વિના પ્રમદા લેશું કેશું લાવજી ।।૧।। ઢાળ – લાવો લેતાં લાડિલાશું, ઘણું આનંદે ઘડી નિગમતાં । દિન જાતા વદન જોતાં, વળી રજની જાતી એશું રમતાં ।।૨।। એહ સુખ બાઈ કયાંથી સાંપડે, અક્રુર મૂલે આવિયો । પ્રાણ લેવા પાપિયો, આ રથ જોને લાવિયો ।।૩।। જાદવકુળના વૃદ્ધ વે’લા, આને મોર્યે બહુ મરી ગયા । આપણે ભાગ્યે અક્રુર જેવા, વેરી કેમ વાંસે રહ્યા ।।૪।। બાઈ ઘણા દિવસનો જે હોય ઘરડો, તેને મે’ર ન હોય મનમાં ।  નિર્દય હોયદગ્ધ દિલનો, બાઈ ત્રાસ ન હોય તેના તનમાં ।।૫।। હમણાં રથને હાંકશે, બાઈ ધાઈને આડાં ફરજો । આ જો લુંટી જાયે અમને, એમ પ્રગટ પોકારજો ।।૬।। માત તાત સુત સંબંધીની, વળી લોકની લાજ મ લાવજો ।  મરજાદા મુકી રથને રોકી, વળી વા’લાને વાળી લાવજો ।।૭।। જેહ લાજમાં બાઈ કાજ બગડે, તે લાજને શું કીજીયે ।  પ્રિતમ રે’તાં જો પત્ય જાયે, તો જોકશું જાવાદીજીયે ।।૮।। પ્રેમને બાઈ નેમ ન હોય, જેના પ્રાણ પ્રીતમશું મળ્યા ।  લોકલાજ વેદવિધિ કર્મ, તેતો તેને કરવાં ટળ્યાં ।।૯।। એટલા માટે આપણે, રાખો રસિયાનો રથ રોકીને ।  નિષ્કુલાનંદનો નાથ સજની, કેમ જાશે વિલખતાં મુકીને ।।૧૦।। કડવું ।।૧૩।। read more
0 Views : 165
Powered By Indic IME