Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી
Per Page :

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧પ૭

પૂર્વછાયો – વળી કાનમદેશ આમોદમાં, દ્વિજ ભટ્ટ દીનાનાથ । સંશયવત સતસંગમાં, હતો અણસમજે અનાથ ।।૧।। એવા સમામાં આવિયો, વિમુખ અતિ મતિમંદ । અભાગ્ય જોગે આવી મળ્યો, જે ર્નિિવકલ્પાનંદ ।।૨।। તેણે ભટ્ટ ભરમાવિયો, આવિયો તેણે અભાવ । પૂરણ સંશય પાડિયો, તે વિમુખે ભજવ્યો ભાવ ।।૩।। મેલ્યું શરણ મહારાજનું, ત્યારે ભૂતે વરત્યો લાગ । આવી લાગ્યાં અપત્યને, જયારે કર્યો સતસંગ ત્યાગ ।।૪।। ચોપાઇ- સ્તોત્ર અષ્ટક વળી આરતી, તેણે કરીતી હરિની વિનતિ । માટે ભૂતનું તૂત ત્યાં નોય, વળગે હરિ વિમુખ જે હોય ।।૫।। માટે એની સુતા જે વિમુખ, વળગ્યું ભૂત તેને દિયે દુઃખ । જાય ઘરમાંથી ચીજ ઉપાડી, નાખે પહેર્યાનાં લુગડાં ફાડી ।।૬।। રાંધી રસોઇ કરે તૈયાર, આવી વિષ્ટા નાખે તે મોઝાર । ગોળ ઘૃત જળ દુધ દહિ, તેમાં નાખે નરક ભૂત લઇ ।।૭।। એમ આપે દુઃખ ભૂત આવી, નાખી જમુનાને અકળાવી । તેને કાઢવાને બહુ કર્યું, તોય ભૂત કેણે ન નિસર્યું ।।૮।। પછી ભટ્ટ ઘટે પામી ત્રાસ, આવ્યા સુતા તેડી પ્રભુ પાસ । શિશ નમાવી હરિચરણે, કહે નાથ આવિયો હું શરણે ।।૯।। મારી સુતા આ જમુના જેહ, આજ થકી તમારી છે તેહ । એને ભવિષ્યે વળગ્યું ભૂત, તેનું તન મનમાં છે તૂત ।।૧૦।। તેણે કરી બેહાલ બીચારી, માટે આવી એ શરણ તમારી । ધારી નિયમ કરશે ભજન, તે સામું તમે જોજયો […] read more
0 Views : 121

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧પ૮

પૂર્વછાયો- વળી પાંચાળ દેશમાં, કાજુ કારીયાણી ગામ । અનંત લીળા ત્યાં કરી, હરિએ કર્યું નિજધામ ।।૧।। તેહ ગામમાં જે વસે, નરનારી આદિજન । ભાવાભાવે ભગવાનનાં, સહુને થયાં દર્શન ।।૨।। સમજુ થયાં સતસંગી, અણસમજુ રહ્યાં એમ । પાપી નરે પરમોદિયાં, તે કુસંગ તજશે કેમ ।।૩।। પણ દર્શન જેને દયાળનું, તે નિષ્ફળ નવ જાય । અંતસમે અવશ્ય આવી, શ્રીહરિ કરે છે સહાય ।।૪।। ચોપાઇ- તેની વાત સાંભળજયો સહુ, થયું જેમ તેમ હવે કહું । એક કાઠી કુસંગી અપાર, નામ માણશિયો નિરધાર ।।૫।। તેતો સાજો શરીરમાં સુખી, લવલેશ દેહ નહિ દુઃખી । સહજ સ્વભાવે બેઠો તો બાર, આવ્યા જમ લેવા તેને ચાર ।।૬।। અતિકાળા ને કરૂર વાણી, જેને જોઇ જીવે નહિ પ્રાણી । બહુ ભૂખ્યા ભૂંડા ભયંકર, હાથે પાશ પર્સુ હથિયાર ।।૭।। બેઠા બે જણા લોહને ગાડે, બીજા બે જણા બેઠા છે પાડે । પછી ગાડે પાડેથી ઉતરી, લીધો કાઠિને કબજે કરી ।।૮।। દઇ માર ને મોર લૈ કિધો, જમે એમનો એમજ લીધો । મારે બહુ પાડે બુમરાણ, તોય મેલે નહિ જમરાણ ।।૯।। કહે કુસંગી કેમ તું રહ્યો, તજી સ્વામી અમારો શું થયો । જો તું પડ્યો અમારેજ પાને, તો તું સુખ ઇચ્છે હવે શાને ।।૧૦।। બોલ્યો માણશિયો તેહ વારે, છે સ્વામીજીનું દર્શન મારે । બીજાું તો મેં કાંઇ નવ કર્યું, કર્યું તેમાંતો […] read more
0 Views : 159

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧પ૯

પૂર્વછાયો- ધન્યધન્ય જન એ સર્વને, જેને મળ્યા શ્રીમહારાજ । દેહ છતાં દુઃખિયા નહિ, તન છુટ્યે નોય અકાજ ।।૧।। જાણ્યે અજાણ્યે જોડિયા, જેણે હરિ આગળ હાથ । માહાત્મ્ય તેનું હું શું કહું, તે ન હોય કેદિ અનાથ ।।૨।। દરશ સ્પરશ પૂજા કરી, ધારી નિયમ જે નરનાર । વાસી તે સ્વર્ગ વૈકુંઠના, શ્વેતદ્વીપ ગોલોક રહેનાર ।।૩।। ધર્મ નિયમમાં દૃઢ ઘણા, એકાંતિક જન જેહ । તેની પ્રાપ્તિ વર્ણવી, કહું સાંભળજયો સહુ તેહ ।।૪।। ચોપાઇ- એવા સતસંગી નરનારી રે, અતિદૃઢ ધર્મ નિમધારી રે । તેને આવશે અંત્યે મહારાજ રે, પોત્યે આવે છે તેડવા કાજ રે ।।૫।। તન તજી તે મૂર્તિને સંગે રે, જાય જન થઇ શુદ્ધ અંગે રે । શ્રીગોલોક ગુણાતીત જેહ રે, માયાતમ પાર ધામ તેહ રે ।।૬।। અચળ અનાદિ દિવ્ય કહેવાય રે, શ્રીરાધાકૃષ્ણ રહે તેહમાંય રે । અતિ અનુપમ ધામ એહ રે, પામે ઉદ્ધવાશ્રિત જન જેહ રે ।।૭।। એ ધામથી પાછું ન અવાય રે, આવે તે શ્રીકૃષ્ણની ઇચ્છાય રે । જીયાં વિરજા નદી ખાઇરૂપ રે, જેના બેઉ કાંઠા છે અનુપ રે ।।૮।। તેમાં મણિતણી ખાણો ઘણી રે, પદ્મરાગ સ્ફાટિક નીલમણિ રે । મણિમય પગથિયાં શોભે રે, તિયાં તરૂ વેલ્યે મન લોભે રે ।।૯।। બહુ ઘાટ બાંધ્યા છે સુવર્ણે રે, ઝગે નંગ જાુવે જાણુ નેણે રે । તિયાં ગોપ ગોપી કરે સ્નાન રે, […] read more
0 Views : 162

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૬૦

પૂર્વછાયો- અધિકારી એહ ધામનાં, હરિ કર્યાં બહુ નરનાર । કરી અલૌકિક એટલું, પછી મનમાં કર્યો વિચાર ।।૧।। જેહ કારણ હું આવિયો, તે થયું સરવે કાજ । કેડ્યે કરવા નવ રહ્યું, એમ મને વિચાર્યું મહારાજ ।।૨।। જીવ જાણે સહુ જક્તમાં, એમ પ્રૌઢ વધ્યો પ્રતાપ । સૂર્ય સમ શોભી રહ્યો, સત્સંગ સુંદર આપ ।।૩।। વર્ણાશ્રમ હરિ આશરે, જે આવિયાં નરનાર । તેને ભૂલ્યે પણ ભાસે નહિ, જે જાશું જમને દ્વાર ।।૪।। ચોપાઇ- એવો પ્રતાપ પ્રભુજી તણો રે, છાયો દેશ પ્રદેશમાં ઘણો રે । ગામોગામ શહેરપુરે સોય રે, સહજાનંદ સમ નહિ કોય રે ।।૫।। ચ્યારે કોરે શહેરને માંઇ રે, રહ્યો પ્રતાપ પૂરણ છાઇ રે । ત્યારે એમ વિચાર્યું મહારાજ રે, કર્યું સરવે પૂરણ કાજરે ।।૬।। જેહ અર્થે છે આ અવતાર રે, ધરી કર્યું તે સર્વે આ વાર રે । એમ વિચાર્યું મહારાજે મન રે, કર્યું શું શું તે કહુંછું જન રે ।।૭।। કળિબળને પામી અધર્મી રે, થયા અસુર ગુરુ આશ્રમી રે । બીજા ભૂપરૂપે જે રહ્યાતા રે, કરતા પાપ આપ ન બીયાતા રે ।।૮।। તેતો પ્રભુ પોતાને પ્રતાપે રે, પાપી પાછા પડ્યા આપ પાપે રે । વળી કામ ક્રોધ લોભ મોહ રે, માન ઇરષા સ્વાદ સમોહ રે ।।૯।। એહાદિ અધર્મ પરિવાર રે, હતો જીવના હૃદય મોઝાર રે । તેતો નિજ પ્રતાપને બળે રે, […] read more
0 Views : 181

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૬૧

આપી એ નામે એકસો ને સાઠ્યમું પ્રકરણમ્ ।।૧૬૦।। પૂર્વછાયો- શુભમતિ સહુ સાંભળો, કહું ત્યાર પછીની વાત । પૃથ્વીના તળ ઉપરે, થવા લાગ્યા મોટા ઉતપાત ।।૧।। ચાલ્યા પ્રચંડ પવન અતિ, ગતિ ઘોર કઠોર ઘણી થઇ । ઝાડ પાડ બહુ પડિયાં, કોટ મંદિર ઘર કોઠા કઇ ।।૨।। અતિ અચાનક અગનિ, વળી વુઠિ વેગે વ્યોમમાં । વન ભુવન કૈક ગામ પુર, બહુબહુ બાળ્યાં ભોમમાં ।।૩।। પડ્યા પથર પૃથ્વી ઉપરે, અતિ ઘણા આકાશથી । નારી નર ડર પામિયાં, કહે નહિ ઉગરિયે નાશથી ।।૪।। ચોપાઇ- થાય કઠણ કડાકા વ્યોમ રે, પડે તિખી તડિતો તે ભોમ રે । ત્રુટાં તામસ દેવનાં ધામરે, હતાં દેરાં ડુંગર ને ગામરે ।।૫।। એવો થયો છે ઉલકાપાત રે, શું કહીએ એ સમાની વાત રે । વુઠાં નીર રૂધિરની ધારે રે, જોઇ ભય પામ્યાં સહુ તારે રે ।।૬।। ગયાં સાધુનાં મન ડોળાઇ રે, થયો ઉદ્વેગ તે ઉરમાંઇ રે । ઉષ્ણ ઋતુના સૂર્યની કાંતિ રે, થઇ નિસ્તેજ પામી અશાંતિ રે ।।૭।। હરિભક્ત પુરૂષનાં અંગ રે, ફરક્યાં ડાબાં તે પણ કુઢંગ રે । વળી બાઇ જેને સતસંગ રે, તેનાં ફરક્યાં જમણાં અંગ રે ।।૮।। વળી સ્વપનાં લાધાં છે જેહ રે, અતિ અપશુકન માન્યાં તેહ રે । જાણું ધર્મ ભક્તિની મૂરતિ રે, શોકે રૂદન કરે છે અતિ રે ।।૯।। રાધાકૃષ્ણની પ્રતિમા સોય રે, દ્રગ વિના […] read more
0 Views : 135

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૬ર

પૂર્વછાયો- સુણો સહુ હું શું કહું, વરણવી વારમવાર । નથી દિઠો નથી સાંભળ્યો, આ જેવો બીજો અવતાર ।।૧।। અતિ સામર્થી વાવરી, હરિ ધરી મનુષ્યનું દેહ । આ દિન મોરે આગમે, નથી સુણી શ્રવણે તેહ ।।૨।। અતિ અલૌકિક વારતા, લાવી દેખાડી લોકમાંઇ । એવું આશ્ચર્ય જોઇ જન, મગન રહે મનમાંઇ ।।૩।। કરી કાજ મહારાજ મોટાં, ગયા પોત્યે ગોલોક । જન દર્શન વિના દુઃખિયાં, રહ્યાં સંભારી કરતાં શોક ।।૪।। ચોપાઇ- સમે સમે સંભારતાં સુખ, પળે પળે પ્રકટે છે દુઃખ । ક્યારે સાંભરે બેઠા પલંગે, ર્ચિચ ચંદન સુંદર અંગે ।।૫।। કંઠે હાર કપૂરના ઘણા, બાજાુ કુંડળ કપૂરતણા । ક્યારે સાંભરે પુષ્પની માળે, પુષ્પના તોરા ધર્યા દયાળે ।।૬।। ક્યારે સાંભરે જરકશી જામે, બાંધી પાઘ જરકશી શ્યામે । ક્યારે સાંભરે મુગટ ધરેલ, રૂડે હિંડોળે બેઠા રંગરેલ ।।૭।। ક્યારે સાંભરે નાખતા ગુલાલ, રંગે રમતા કરતા ખ્યાલ । ક્યારે પીચકારી લઇ હાથે, રંગ નાખતા સખાને માથે ।।૮।। ક્યારે અશ્વપર અસવાર, એમ સાંભરે પ્રાણઆધાર । ક્યારે સાંભરે નદીમાં ન્હાતા, તાળી પાડી સખા સંગે ગાતા ।।૯।। ક્યારે નીર ઉછાળતા હાથે, રંગે રમતા સખાને સાથે । ક્યારેક સાંભરે જમતા થાળ, દેતા પ્રસાદી દાસને દયાળ ।।૧૦।। ક્યારેક સાંભરે પંગત્યે ફરતા, દઇ દર્શન ને મન હરતા । મુખમાંહિ જલેબીયો આપી, જમાડે ચરણ મસ્તકે છાપી ।।૧૧।। ક્યારેક સાંભરે જનને મળતા, આપે છાતીમાં ચરણ […] read more
0 Views : 129

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૬૩

પૂર્વછાયો- ભક્તચિંતામણિ ગ્રંથનાં, પ્રકરણ એકસો ચોસઠ । વિભાગે તે વર્ણવું, સુંદર સારી પેઠ્ય ।।૧।। પ્રથમ મંગળાચર્ણ પ્રકર્ણ, બીજું કવિસ્તવન । ત્રીજે મહાત્મ્ય ગ્રંથનું, ચોથે હેમાદ્રિ વર્ણન ।।૨।। પાંચમે મુનિનાં નામ કહ્યાં, છઠે ઋષિસ્તુતિ આપ । સાતમે  શાપ  દુર્વાસાનો,  આઠમે  તેનો  પરિતાપ  ।।૩।। નવમે ઉદ્ભવ અસુરનો, દશમે ધરમ અવતાર । અગ્યારે વિવાહ ભક્તિધર્મનો, બારે રામાનંદ મળ્યા ઉદાર ।।૪।। તેરે ત્યાંથી ઘેર આવિયા, ચૌદે ધર્મ મુનિને મળ્યા હરિ । પનરે ધર્મ અશ્વત્થામાએ શાપ્યા, સોળે પ્રભુ પ્રકટ્યા દયા કરી ।।૫।। સત્તરે કૃત્યાઓનું વિઘન કહ્યું, અઢારે હરિચરિત્ર ચવ્યું । ઓગણિશે અસુરવિઘન ટાળ્યું, વિશે અવધ્ય ધામ વર્ણવ્યું ।।૬।। એકવિશે હરિ બાળલીળા, બાવિશે જનોઇનો જાગ । ત્રેવિશે ચરિત્ર પવિત્ર છે, ચોવિશે માતા તનત્યાગ ।।૭।। પંચવિશે ધર્મે ધ્યાને કરી, છવિશે તજીયું તન । સત્યાવિશે ચાલ્યા હરિ ઘેરથી, અઠ્યાવિશે અવનિ અટન ।।૮।। ચોપાઇ- ઓગણ ત્રિશે કર્યું તપ આપ રે, ત્રિશે ગોપાળયોગી મેળાપ રે । એકત્રિશે લૈ પ્રકર્ણ ચાર રે, ફર્યા ર્વિણ તે વન મોઝાર રે ।।૯।। પાંતરિશે તીર્થમાં ભમ્યા રે, છત્રિશે ઉદ્ધવ જનમ્યા રે । સાડત્રિશે આડત્રિશે વાત રે, કહી રામાનંદની વિખ્યાત રે ।।૧૦।। ઓગણચાલિસમાં ઘનશ્યામ રે, આવ્યા સતસંગમાં સુખધામ રે । ચાળિશે સ્વામીનું ધ્યાન કરી રે, કહિ મૂર્તિ રૂડી રસભરી રે ।।૧૧।। એકતાળિશે મુક્તાનંદે પત્ર રે, લખ્યો સ્વામી ઉપર સુંદર રે । બેતાળિશે પત્રી નીલકંઠે રે, લખી […] read more
0 Views : 1322

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૬૪

પૂર્વછાયો : ભક્તચિંતામણિ ગ્રંથ કહ્યો, સત્સંગીને સુખરૂપ । જેમાં ચરિત્ર પ્રકટનાં, અતિ પરમ પાવન અનુપ ।।૧।। બીજા ગ્રંથ તો બહુ જ છે, સંસ્કૃત પ્રાકૃત સોય । પણ પ્રકટ ઉપાસી જનને, આ જેવો નથી બીજો કોય ।।૨।। જેમાં ચરિત્ર મહારાજનાં, વળી વર્ણવ્યાં વારમવાર । વણ સંભારે સાંભરે, હરિમૂર્તિ હૈયા મોઝાર ।।૩।। હરિ ને હરિજનના, આ ગ્રંથમાં ગુણ અપાર । શુદ્ધ ભાવે જે સાંભળે, તે ઉતરે ભવપાર ।।૪।। ચોપાઇ : એવો ગ્રંથ અનુપમ અતિ રે, જેમાં પ્રકટ પ્રભુની પ્રાપતિ રે । પ્રકટ કલ્યાણ પ્રકટ ભજન રે, પ્રકટ આજ્ઞા પ્રકટ દર્શન રે ।।૫।। પ્રકટ વાતો પ્રકટ વ્રતમાન રે, પ્રકટ ભક્ત પ્રકટ ભગવાન રે । નથી ઉધારાની એકે વાત રે, જેજે જોઇએ તેતે સાક્ષાત રે ।।૬।। બીજા કહે મુવા પછી મોક્ષ રે, વળી પ્રભુ બતાવે છે પ્રોક્ષ રે । કોઇ કહે છે કર્મે કલ્યાણ રે, એવા પણ બહુ છે અજાણ રે ।।૭।। કોઇ કહે પ્રભુ નિરાકાર રે, એવા પણ અજાણ અપાર રે । કોઇ કહે છે વૈદિક કર્મે રે, કલ્યાણ છે જાણો એક બ્રહ્મે રે ।।૮।। કોઇ કહે છે દેવી ને દેવ રે, કોઇ કહે મોક્ષદા મહાદેવ રે । એતો સર્વે વારતા છે સારી રે, પણ જનને જોવું વિચારી રે ।।૯।। જયારે એમજ અર્થ જો સરે રે, ત્યારે હરિ તન શિદ ધરે રે । […] read more
0 Views : 1449
Powered By Indic IME