Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી
Per Page :

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧રપ

પૂર્વછાયો- કહું જન કાનમનાં, વળી વિચારી મન । ભાગ્ય મોટાં એ ભક્તનાં, જેને મળ્યા જગજીવન ।।૧।। જપ તપ જોગે કરી, વળી નાવે ધ્યાને નાથ । તેહ હરિ નયણાં ભરી, નિરખી થયાં સનાથ ।।૨।। પળે પળે થાય પરચા, વળી આવે અંત્યે અવિનાશ । સરવે જન તે જાણતાં, થાય બ્રહ્મનગરે નિવાસ ।।૩।। એવી કૃપા છે આજની, કરી તે કૃપાને ધામ । તેને જે જન અનુસર્યા, હવે લખું તેહનાં નામ ।।૪।। ચોપાઇ- દ્વિજ ભક્ત એક કાશીરામ, કણબી ભક્ત નાગરદાસ નામ । ભક્ત જીજીભાઇ ભગવાન, શેખ માવજી ભીખો નિદાન ।।૫।। એહઆદિ હરિજન જેહ, વસે ગામ દોરામાંહી તેહ । દ્વિજ ભક્ત એક નરસઇ, ભજે હરિ વલણમાં રઇ ।।૬।। કણબી હરિજન છે જીભાઇ, પુરૂષોત્તમને સાચી સગાઇ । માળી ભક્ત ભૂધરદાસ જાણો, કૃષ્ણદાસ ભક્ત પરમાણો ।।૭।। ક્ષત્રિ ભક્ત કહીએ દાદોભાઇ, એહ જન માંગરોળમાંઇ । કણબી ભક્ત નરોત્તમલાલ, બાપુ રાયજી ને ખુશિયાલ ।।૮।। ધનો ઉધ્ધવ ને ધર્મદાસ, એહ આદિનો કરેણે વાસ । દ્વિજ ભક્ત પુરૂષોત્તમ ધન, માહેશ્વર જાગેશ્વર જન ।।૯।। એહાદિ જન વસે ચોરંદે, મુખે સ્વામિનારાયણ વંદે । કણબી ભક્ત પુરૂષોત્તમ નામ, સારા જન સાદરણે ગામ ।।૧૦।। દ્વિજ ભક્ત અંબારામ ભલો, રહે ગામ ગંધારે એકલો । કણબી ભક્ત છે ભગતિભાઇ, અવિચળદાસની ભલાઇ ।।૧૧।। ભક્ત ગણેશ દુભાઇ નામ, દ્વિજ ભક્ત છે તુલજારામ । એહઆદિ બીજા બહુ જન, વસે વેમારડીમાં […] read more
0 Views : 106

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧ર૬

પૂર્વછાયો- નકી ભક્ત નિમાડના, જેનાં અતિ આકરાં અંગ । કરડાં કઠણ વચન, જેને શિશસાટે સતસંગ ।।૧।। બીજાં બહુ દુભાખરાં, જેનો એજ બોલવા ઢાળ । પછી કરે વારતા, જયારે પહેલી આપે ગાળ ।।૨।। સમજાવ્યા સમજે નહિ, અતિ જડમતિ અડબંગ । એવા દેશમાં અવતરી, જેણે કર્યો સાચો સતસંગ ।।૩।। એવા જન પાવનનાં, કહો કેમ ન લખીએ નામ । લખવા લાલચ્ય મુજને, જેને મળ્યા સુંદર શ્યામ ।।૪।। ચોપાઇ- જન જીવણ ભક્ત વણિક, કણબી ભક્ત ખુશાલ છે એક । એહાદિ ભક્તિ પ્રભુની કરે, રહી ગામ ચોલીમહેશ્વરે ।।૫।। ભક્ત કાછિયા દેવજી નામ, નારાયણ મીઠો ગંગારામ । બાઇ જીવી માનુ ને જસોદા, ભજે હરિ રહે મન મુદા ।।૬।। કણબી ફશુર્ ને ખુશાલ ભાઇ, બાઇ ગંગા ને ખુશાલીબાઇ । એહાદિ ભક્ત રહે ઝાંખરોડે, ભજે પ્રભુજીને ભાવ રૂડે ।।૭।। દ્વિજ ભક્ત હરિને કેશવ, ખત્રી ઉધ્ધવ સોમો માધવ । હરિજન વિરૂબા જસોદા, વસે વાલીપર મનમુદા ।।૮।। ક્ષત્રિ ભક્ત ધનોબા અમરી, રહે ગામ કુકશી ભજે હરિ । કણબી ગોપાળ ને ભીખોભાઇ, નાગર પાનબાઇ હરબાઇ ।।૯।। એહ આદિ હરિજન જેહ, વસે ગામ સુંદરેલે તેહ । કણબી ભક્ત નારાયણ દયાળ, નાનજી લખમણ ને લાલ ।।૧૦।। મકુ માધો ભીલો દેવો હિરો, સુરજી ખીમો ભક્ત સુધીરો । નારાયણ આદિ બહુ ભાઇ, સુંદર રતન ને ગંગાબાઇ ।।૧૧।। ક્ષત્રિભક્ત છે માધવ નામ, એહાદિ જન રહે ખલગામ […] read more
0 Views : 112

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧ર૭

પૂર્વછાયો- કહું જન બુદેલખંડી, સમજયા સાચી વાત । પરોક્ષપણે જે પ્રિછતા, તે જાણ્યા હરિ સાક્ષાત ।।૧।। તેણે આનંદ આવિયો, વળી ભાવિયો સતસંગ । દર્શન કરી દયાળનાં, ચડી ગયો ચિત્તમાં રંગ ।।૨।। રૂડે ભાવે રસોઇ કરાવી, હરિજને જમાડ્યા નાથ । અત્તર ચંદન હરિને અંગે, હરિજને ચરચ્યું હાથ ।।૩।। પ્રેમેશું પૂજા કરી, વળી પહેરાવ્યો પોષાગ । ધુપ દીપ ને આરતી, કર્યાં દંડવત અષ્ટાંગ ।।૪।। અલભ્ય લાભ લઇ કરી, થયા પૂરણકામ । એવા જન અનઘનાં, હવે કહું સાંભળો નામ ।।૫।। ચોપાઇ- દ્વિજ ભક્ત છે ભાઇ વખત, જાનકી શ્રીરામ ને શ્રીપત । નથુ હઠીરામ છોટારામ, આશારામ દ્રુવારામ નામ ।।૬।। માંડણ મુળચંદ મરાખન, ગણેશ પરમેસરી જન । રામદાસ ને કૃષ્ણ ઝુલારી, ભોલારામ દોલતિયા દુલારી ।।૭।। વિહારીલાલ ને બંસીધર, મદનસિંઘ દો મોતી સુંદર । રાજારામ ને દો રતિનામ, કનહિરામ કહીએ દો નામ ।।૮।। ખુમાનરામ નવનસિંગ, કેશરી રામતુલસી અનઘ । ઠાકુરદાસ દોય તુરત્યરામ, ગોવિંદદાસ ને ગુમાન નામ ।।૯।। બાજી રાઓ ને ધરમપાળ, પેજા રામાદિ દ્વિજ દયાળ । એહ આદિ છે ભક્ત ભાઇ, હરિજન છે ઠકુરૂ બાઇ ।।૧૦।। હવે કહું જાટ હરિજન, પ્રભુ ભજી જે થયા પાવન । દિલિપસિંઘ માધોસિંઘ નામ, પારસિંઘ ને લાલજીરામ ।।૧૧।। ગિરધારી ગંગારામ કહીએ, સુખરામ સોનેસિંઘ લહીએ । બહોરનસિંઘ આદિ ભાઇ, ખરા ભક્ત એ ક્ષત્રિયમાંઇ ।।૧૨।। હરિજન બાઇ બા વખતિ, ઉમેદિબાની અચળમતિ । એહ […] read more
0 Views : 117

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧ર૮

પૂર્વછાયો- દેશદેશના દાસનાં, લખિયાં ગામ ને નામ । હવે લખવા પરચા, મારા હૈયામાં ઘણી હામ ।।૧।। પ્રભુ તિયાં પ્રભુતાઇની, આશ્ચર્ય ન મળે કાંઇ । પૂરણકામ પુરૂષોત્તમ, સરવે સામર્થી જે માંઇ ।।૨।। તેહ પ્રભુજી પ્રકટી, કર્યાં બહુ બહુ કાજ । લૌકિકમાં અલૌકિક લીળા, દેખાડી મહારાજ ।।૩।। સમૈયા સદાવ્રત માંહિ, અખૂટ રહ્યાં જે અન્ન । મહારૂદ્ર અતિરૂદ્ર આપે, કર્યા વિષ્ણુજગન ।।૪।। તેહમાંહિ તલભારની, વળી નાવી ખરચતાં ખોટ્ય । વિના નાણે જગ જાણે, વિપ્ર જમાડ્યા કોટ્ય ।।૫।। ચોપાઇ- તેહ વિના જે પરચા અન્ય, કહું સાંભળજયો સહુ જન । પ્રથમ પર્વતભાઇની વાત, કહું વર્ણવી તેહ વિખ્યાત ।।૬।। કણબી કુળમાં કારણરૂપ, અતિ ઉત્તમ ભક્ત અનુપ । સ્વામી રામાનંદજીને મળી, જેની દેહદશા તેહ ટળી ।।૭।। પછી સ્વામી સહજાનંદ જેહ, પૂરણબ્રહ્મ પ્રકટ્યા તેહ । તે પ્રભુ પ્રકટની મૂરતિ, તેથી ન રહેતી વેગળી વૃત્તિ ।।૮।। તોય ઉપજયો એમ વિચાર, કેવો હશે નૃસિંહ અવતાર । હતું અંતર એ વિચાર સમેત, ગયા કૃષિ કરવાને ખેત ।।૯।। રાખી વૃત્તિ પ્રભુમાં એકતાર, સ્વામી સહજાનંદ મોઝાર । જોઇ મહારાજશ્રીની મૂરતિ, સુખસાગર સુંદર અતિ ।।૧૦।। પછી જોયું તેને આસપાસ, દિઠો અતિ અતિ પરકાશ । તેમાં ચોવિશ જે અવતાર, દીઠા જુજવા રૂપ આકાર ।।૧૧।। મત્સ્ય કચ્છ વારાહ નૃસિંઘ, વામન પરશુરામ અનઘ । રામ કૃષ્ણ બુધ્ધ ને કલંકી, પુરૂષઅવતાર અલૌકી ।।૧૨।। સુયજ્ઞપુરૂષ જે અનુપ, કપિલ દત્તાત્રેયસ્વરૂપ […] read more
0 Views : 94

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧ર૯

પૂર્વછાયો- વળી પરચા વર્ણવી, કહું અલૌકિક એહ । સાંભળજયો સહુ શ્રવણે, કરી અધિક સનેહ ।।૧।। મોટા સંત મહારાજના, છે શિરોમણી સંતદાસ । ફરે એકલા ઉત્તરે, જેને નહિ જન મન ત્રાસ ।।૨।। માની વચન મહારાજનું, ધાર્યું અંતરે અનૂપ । તે દિના તનભાન ભૂલી, થયા તેહ તદરૂપ ।।૩।। તેની વારતા સાંભળો, લખું છું લવલેશ । જે દેહછતે સિધ્ધદશા પામી, ફરે છે ઉત્તર દેશ ।।૪।। ચોપાઇ- ધન્ય ધન્ય સાધુ સંતદાસ, જેને નહિ આ તન અધ્યાસ । પિંડ છતાં પામી સિધ્ધગતિ, ફરે લોક પરલોકે સુમતિ ।।૫।। તેને કૃપા કરી કહે કૃપાળુ, દેખી આવો દલુજી દયાળુ । તિયાં જાવું તું અવશ્ય અમારે, સરશે અર્થ તે ગયે તમારે ।।૬।। કહેજયો આંહિની સરવે વાત, સુણી દલુ થાશે રળિયાત । બીજા મુક્ત તિયાં ષટ દશ, એક બાઇ સુંદર સુજશ ।।૭।। તેને કહેજયો આશિર વચન, જાઓ વેગેશું વેલેરા જન । સુણી વચન ચાલ્યા સંતદાસ, દૂરદેશમાં દલુજી પાસ ।।૮।। અતિ અગમ વિકટ વાટ, ઘણું નદીના ઓઘટ ઘાટ । નરતને તિયાં ન જવાય, વાટે મનુષ્ય મનુષ્યને ખાય ।।૯।। તિયાં ચાલ્યા સંતદાસ જન, માની મહાપ્રભુનું વચન । કરી ઇચ્છા ને મિંચિ છે આંખ્યો, ઉડ્યું પંડ આવી જાણે પાંખો ।।૧૦।। પળ એકમાંહિ તિયાં પહોતા, દિઠા દલુજીને મુક્તે સોતા । ઉઠી આવ્યા સામા સંતદાસ, હેતે મળીને બેસાર્યા પાસ ।।૧૧।। કરી પૂજા મળી વળી જન, […] read more
0 Views : 107

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૩૦

પૂર્વછાયો- દિયે પરચા દાસને, દિનબંધુ દીનદયાળ । જોઇ સામર્થી શ્યામની, મન મગન રહે મરાળ ।।૧।। જણજણ પ્રત્યે જુજવા, આપી પરચા અપાર । તેણે ખુમારી તનમાં, મન મસ્ત રહે નરનાર ।।૨।। વળી કહું એક વારતા, વિધવિધ કરી વખાણ । સાંભળજયો સહુ શ્રવણે, સત્યવાદી જન સુજાણ ।।૩।। મોટા સંત મહારાજના, વંદુ હું વ્યાપકાનંદ । તેની ર્કીિત સુણતાં, આવે ઉરમાં આનંદ ।।૪।। ચોપાઇ- ધન્ય સંત તે વ્યાપકાનંદ, જન સુખદાયી જગવૃંદ । ત્રિશ સંતગુણે તેતો શોભે, કામ ક્રોધ લોભમાં ન ક્ષોભે ।।૫।। અષ્ટ સિધ્ધિ નવ નિધિ મળે, તેને દેખીને ચિત્ત ન ચળે । એવા સંત શિરોમણી સારા, ધ્યાનવાન પ્રભુજીને પ્યારા ।।૬।। થઇ જે દિની સહજ સમાધ્ય, દીઠી સામર્થી હરિની અગાધ્ય । સર્વે લોક ધામ ધામધણી, જાણી સામર્થી મહારાજ તણી ।।૭।। સર્વે કારણના જે કારણ, દેખે હરિને કરી ધારણ । આપે વર્તે પંડે અંડપાર, નહિ દેહદશા તે લગાર ।।૮।। અણઇચ્છાએ ઉતર્યા ઝાડી, આવ્યો આગળ દેશ અનાડી । તિયાં આવ્યું શહેર એક જાણો, તેનો રાજા મલેચ્છ પ્રમાણો ।।૯।। તેનો દિવાન વણિક જન, કર્યું રાજકાજ બહુ દન । એક દિન આવ્યો વાંકમાંઇ, કર્યો બંધિવાન રાયે ત્યાંઇ ।।૧૦।। બહુ દિન બંધિખાને રહ્યો, ત્યાર પછી દંડ તેનો થયો । ઠેરાવિયા રૂપિયા કરોડી, લઇ જામીન ને મૂક્યો છોડી ।।૧૧।। માસ એકનો કર્યો ઠેરાવો, ભરે રૂપિયા તો નહિ દાવો । નહીં […] read more
0 Views : 111

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૩૧

પૂર્વછાયો- એક અનુપમ વારતા, સુણજયો સુંદર સાર । મુક્તાનંદ મહારાજની, હું કહું કરી વિસ્તાર ।।૧।। મુક્તાનંદ માહંતને, મળ્યા શ્રીમહારાજ । તોય ઉંડી અંતરે, દલમાંઇ રહેતી દાઝ ।।૨।। કરે કથા બહુ વારતા, અંતરે વિન ઉછરંગ । સંકોચ રહે શરીરમાં, નહિ અંગમાંહિ ઉમંગ ।।૩।। તેનો તે સંશય કાપવા, આપવા અતિ આનંદ । વાળી વરતી અંતરે, દેખાડ્યા શ્રીરામાનંદ ।।૪।। ચોપાઇ- મુક્તાનંદ સંત શિરોમણી, મુખે શું કહીએ મોટ્યપ ઘણી । કરે વાત પ્રભુની વિસ્તારી, સુણી સુખી થાય નરનારી ।।૫।। એક દિન કરી બહુ વાત, સુણિ સંત થયા રળિયાત । પછી બેઠા આસન પર આવી, દૃષ્ટિ અંતરમાંહિ ઠેરાવી ।।૬।। ત્યાંતો દિઠા સ્વામી રામાનંદ, નિર્ખિ આવ્યો અંતરે આનંદ । મુક્તાનંદ કહે ધન્ય ધન્ય, દયાસિંધુ દીધાં દર્શન ।।૭।। કરે સ્તવન મન મોદ ભારી, દેખી સુંદર મૂરતિ સારી । અતિ પ્રસન્ન વદન અનુપ, સુખ મૂરતિ સુંદરરૂપ ।।૮।। હેતે હસી હસી જુવે સામું, પૂરે નિજસેવકની હામું । વળી કરે વાલપની વાત, સુણો મુક્તાનંદજી વિખ્યાત ।।૯।। સારૂં સમજયા સંત સુજાણ, માન્યા પ્રભુ પ્રકટ પ્રમાણ । સ્વામી સહજાનંદ સુખરૂપ, એજ ઇષ્ટ અમારા અનુપ ।।૧૦।। સારૂં થયું જે માન્યું સુજાણ, નહિ તો બહુ વિધ્યે થાત હેરાણ । સુણી મુક્તાનંદજીએ વાત, તેણે થયા અતિ રળિયાત ।।૧૧।। પછી ચાલે બેસે જાગે સુવે, સ્વામી સહજાનંદજીને જુવે । જયારે કરે અંતર વરતી, દેખે સુખસાગર મૂરતિ ।।૧૨।। […] read more
0 Views : 108

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૩ર

પૂર્વછાયો- સુણો નર વળી શ્રવણે, એક અનુપ આખ્યાન । આવે ખુમારી અંતરે, સહુ સાંભળજયો સાવધાન ।।૧।। મોટા હરિજન હરિના, જેનાં તપ પરાયણ તન । ત્યાગ વૈરાગ્યની મૂરતિ, અતિ નિયમમાં જેનાં મન ।।૨।। જે દિના મહારાજ મળિયા, ટળિયા તે દિના વિકાર । અંતરમાં અણગમતો, થયો સરવે સંસાર ।।૩।। માત તાત કુળ કુટુંબનો, જેણે કર્યો અતિશે અભાવ । ભજયા શ્રીભગવાનને, તજી અન્ય ઉછાવ ।।૪।। ચોપાઇ- ધન્ય જીવુબાઇ હરિજન, રૂડાં રાજબાઇ છે પાવન । મળ્યા જે દિના જીવનપ્રાણ, સ્વામી સહજાનંદ સુખખાણ ।।૫।। તે દિનાં તન સુખને તજી, ભાવે લીધા ભગવાન ભજી । હરિ ભજતામાં જે જે હવું, તેની વાત વિગતે વર્ણવું ।।૬।। જીવુબાઇ હરિજન હવા, માંડી હરિ મૂરતિ પૂજવા । તેને તાત કહે સુણો બાઇ, આ શું લીધું બાળાપણમાંઇ ।।૭।। જયારે મોટાં થાઓ બાઇ તમે, કરજયો પૂજા રાજી છીએ અમે । ત્યારે જીવુબાઇ કહે તાત, એવી અમને ન કહેવી વાત ।।૮।। નહીં આ તનનો વિશવાસ, અચાનક થઇ જાય નાશ । વૃધ્ધપણાને વાયદે રહેવું, અમને નથી મનાતું એવું ।।૯।। માટે એ વાત તો ન કહેવી, આ મૂરતિ નથી મૂક્યા જેવી । ત્યારે તાતે તે કર્યો વિચાર, એવો શું હશે ચમતકાર ।।૧૦।। જયારે દેખું અલૌકિક કાંઇ, ત્યારે મનાય અંતરમાંઇ । એમ કરતાં વિત્યા કાંઇ દન, પરચો પામવા ઇચ્છ્યા છે મન ।।૧૧।। પડી સાંજ ને કરી […] read more
0 Views : 103
Powered By Indic IME