Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી
Per Page :

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૮પ

ચોપાઇ- અલબેલોજી આનંદકારી, આવ્યા ગઢડે દેવ મુરારી । સર્વે દાસને દર્શન દીધાં, જનનાં મન મગન કીધાં ।।૧।। બેઠા વાલ્યમ આસન વાળી, જન સહુ રહ્યા સામું ભાળી । જેમ ચંદને જુવે ચકોર, જેમ મેઘને જુવે છે મોર ।।૨।। એમ સર્વે રહ્યા સામું જોઇ, મીટે મટકું ન ભરે કોઇ । પછી બોલિયા પ્રાણજીવન, તમે છો સુખિયા સહુ જન ।।૩।। પછી બોલિયા જન જોડી હાથ, તમને નિર્ખિ સુખી છીએ નાથ । પછી સુંદર ભોજન કરી, જન હેતે જમ્યા તિયાં હરિ ।।૪।। અતિ હેતે બોલે વાલો વળી, સર્વે રાજી થાય તે સાંભળી । દેશદેશના દાસ સંભારી, વખાણે તેને દેવ મુરારી ।।૫।। બીજી બહુ બહુ કરે વાત, સુણી જન થાય રળિયાત । એમ કરતાં માસ દોય થયા, દિન દશ તે ઉપર ગયા ।।૬।। ત્યારે બોલિયા જીવનપ્રાણ, સુણો સંત સર્વે સુજાણ । હતી અસુરની જે ઉપાધિ, તે આ સમે સમી ગઇ બાધી ।।૭।। થયું રાજય હવે ન્યાયવાળું, સર્વે ગરીબ રાંકને સુખાળું । હવે જોર જુલમ ન થાય, તમ જેવા સાધુ ન પીડાય ।।૮।। માટે રાખો પ્રથમની રીત, અતિ સુંદર પરમ પુનિત । એમ કહ્યું જનને મહારાજે, તેવી રીત્ય રાખી મુનિરાજે ।।૯।। પછી આવ્યો છે ફાગણ માસ, હોળી રમવા થયા હુલાસ । ભાલ મધ્યે ગામ મછિયાવ્ય, વસે ભક્ત તેને અતિ ભાવ ।।૧૦।। તેણે હરિને તેડાવ્યા હેતે, તિયાં […] read more
0 Views : 140

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૮૬

સામેરી- પછી સંતને આપી આગન્યા, જાઓ ફરવા સહુ મળી । જયારે અમે તેડાવિયે, આવજયો તમે વળી ।।૧।। અણતેડ્યે નવ આવવું, વળી લોપી અમારૂં વચન । હેત હોય તો હરિની મૂરતિ, ન વિસારવી નિશદન ।।૨।। આગન્યા વિના જે આવવું, તેમાં રાજી અમે નહિ રતિ । વચન પ્રમાણે જે વરતે, તે ઉપરે પ્રસન્ન અતિ ।।૩।। શશિ સૂરજ શેષ સિંધુ, સવેર્રહે અમારા વચનમાં । વારિ વસુધા વહનિ, મરૂત ડરે વળી મનમાં ।।૪।। ભવ બ્રહ્મા ભુલે નહિ, ડરે વચનથી દિગપાળ । સુરાસુર ઇંદ્ર અંબા, કંપે વચનથી કાળ ।।૫।। તેહ સર્વે એમ જાણે જે, વડા થયા વચનથી । એવાં વચન આજનાં, તમે જાણ્યાં છે કે જાણ્યાં નથી ।।૬।। એવાં વચન જો જાણો અમારાં, તો પાળો સહુ સુજાણ । એવું ન મનાય અંતરે, તો કેમ માન્યું છે કલ્યાણ ।।૭।। માટે સહુ સુજાણ છો, વળી સાંભળી છે બહુ વારતા । છોટાં મોટાં વચન અમારાં, તેને રખે વિસારતા ।।૮।। એટલી વાત કરી હરિ, પછી શીખ દીધી સંતને । મળી વળી મસ્તાન કરી, મોકલ્યા ગુણવંતને ।।૯।। નાથ નિરખિ હૈયે હરખી, લખી લીધા અંતરે । સુખ લઇ મગન થઇ, ચાલ્યા દેશોદેશાંતરે ।।૧૦।। જીયાં જીયાં આપી આગન્યા, તિયાં તિયાં સંત સહુ ગયા । હેત જોઇ હરિજનનાં, ગીરધરજી ગઢડે રહ્યા ।।૧૧।। નાથ કહે સહુ સાથને, આજ સંત છે જે આપણા । સરવે […] read more
0 Views : 123

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૮૭

પૂર્વછાયો- કહું લીળા વળી લાલની, જે કરી હરિ અવિનાશ । સંત સમીપે રાખિયા, રાજી થઇ ષટમાસ ।।૧।। તેહમાંહિ જેજે કર્યું, તે કહું સાંભળજયો જન । ચરિત્ર સુણતાં શ્યામનાં, વળી થાય પરમ પાવન ।।૨।। ચોપાઇ- ઘણું રહ્યા છે ગઢડામાંઇ, કરી હુતાશની વળી ત્યાંઇ । ઉષ્ણઋતુ વીતિ એહ ઠામ, બહુ રાજી છે સુંદરશ્યામ ।।૩।। પછી આવિયું ચાતુરમાસું, દુષ્ટે દુષ્ટપણું પરકાશું । પછી ત્યાંથી ચાલિયા મોરાર, આવ્યા સારંગપુર મોઝાર ।।૪।। સાથે હતું સંતનું મંડળ, મહામુક્ત અંતરે અમળ । તે સહિત સારંગપુર આવ્યા, ઘણું જન તણે મન ભાવ્યા ।।૫।। ભક્ત ભાવિક જીવો ખાચર, હરિ ઉતરિયા તેને ઘેર । સુંદર ભોજન કરી રસાળ, જમ્યા નાથ જમાડ્યા મરાળ ।।૬।। વળતો આવ્યો અષ્ટમીનો દન, સવેર્વ્રત રહ્યા મુનિજન । પછી પોતે પધારિયા બાર, આવ્યાં દર્શને બહુ નરનાર ।।૭।। સુંદર ગાડલે પલંગ ઢાળી, તે ઉપર બેઠા વનમાળી । કરે ઉત્તર પ્રશ્ન ત્યાં અતિ, શ્વેત વસ્ત્રે શોભે છે મૂરતિ ।।૮।। દિયે દર્શન પ્રસન્ન ઘણું, નિર્ખિ હષેર્મન જનતણું । એમ અષ્ટમી ઉત્સવ કીધો, જને લાવ અલૌકિક લીધો ।।૯।। જને રાખ્યાતાં નિયમ જુજવાં, ઉપવાસ અલુણાં જમવાં । તેને પ્રભુજીએ કહ્યું કથી, તમે વાલા છો મને આજથી ।।૧૦।। પછી પરમહંસને કાજે, કરી રસોઇ સુંદર સાજે । પોતે પીરશ્યું પંગત્યમાંઇ, કરી વાત તે હેતની ત્યાંઇ ।।૧૧।। સવેર્સંતે એ વાત સાંભળી, ગયા ફરવા બાંધી મંડળી […] read more
0 Views : 138

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૮૮

પૂર્વછાયો- એટલી લીળા ત્યાં કરી, પછી પધાર્યા સુંદર શ્યામ । ફુલદોલઉત્સવઉપરે,ચાલ્યાપંચાળેગામ ।।૧।। સંત સહુને જણાવિયું, ધીરેધીરે આવજયો ત્યાંય । એમ કહી રથ ઉપર બેસી, પધાર્યા સોરઠમાંય ।।૨।। ચોપાઇ- આવે વાટમાંહિ પુર ગામ, સુભાગી નર નિરખે શ્યામ । પ્રથમ પિપરડી ગામે આવ્યા, ભક્ત ભાણજીને મન ભાવ્યા ।।૩।। રૂડી કરાવી તર્ત રસોઇ, જમ્યા હરિ ભાવ તેનો જોઇ । પછી જમાડિયા મુનિજન, ઘૃત પીરશું પોતે જીવન ।।૪।। એમ રાજી કરી નિજદાસ, પછી ત્યાંથી ચાલ્યા અવિનાશ । આવ્યા હાથસણિ રહ્યા રાત, ત્યાંથી પ્રભુ ચાલ્યા પરભાત ।।૫।। આવ્યા જસદણમાં જીવન, દીધું પુરપતિને દર્શન । રહી મુહૂર્ત એક મુરારી, પછી તર્ત કરી અસવારી ।।૬।। આવી અરણ્યે નદી નિર્મળી, બેસી જમ્યા ત્યાં સુખડીગળી । ત્યાંથી આવ્યા છે બંધીયે ગામ, સુખસાગર સુંદરશ્યામ ।।૭।। રહ્યા રાત્ય ત્યાં દોય દયાળ, પછી ત્યાંથી ચાલ્યા તતકાળ । આવ્યા ગોંડળમાંહિ ગોવિંદ, સંગે હરિજનનું છે વૃંદ ।।૮।। આવી ઉતરીયા ઉપવન, તિયાં જમ્યા હરિ હરિજન । સાત ભાત્યની હતી સુખડી, શાક વૃંતાક ખીચડી રૂડી ।।૯।। પોતે પીરસી જમાડ્યા જન, એમ સહુને કર્યા પ્રસન્ન । પછી ત્યાંથી ચાલ્યા અલબેલ, કરી અસવારી ન કરી વેલ ।।૧૦।। ડયા ગામમાં આવ્યા દયાળ, પોતાકારણે કરાવ્યો થાળ । આપ્યા મુનિને મોદક હાથ, બહુ લીળા કરી ઇયાં નાથ ।।૧૧।। રહી રાત્ય ચાલ્યા ભગવાન, દેતા જનને દર્શન દાન । આવી સીમમાં સરિતા સારી, […] read more
0 Views : 133

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૮૯

પૂર્વછાયો- એટલી લીળા ત્યાં કરી, પછી પધાર્યા પાંચાળ । અનંત જીવ ઉધ્ધારવા, ફરે દેશોદેશ દયાળ ।।૧।। ચોપાઇ- પછી ત્યાંથી ચાલ્યા સુખકારી, આવ્યા માણાવદર મુરારી । રહી રાત્ય ને કર્યાં ભોજન, પછી ત્યાંથી પધાર્યા જીવન ।।૨।। કરીગામગણોદેવિશ્રામ,આવ્યાજાળિયેસુંદરશ્યામ। તિયાં જમિયા સંતે સહિત, જને જમાડિયા કરી પ્રીત ।।૩।। પછી ત્યાંથી ચાલ્યા અવિનાશી, શોભે સુંદર રાત્ય ઉજાશી । કર્યો વાટમાં કાંઈક ઢાળ, આવ્યા દૂધિવદર દયાળ ।।૪।। સુંદર શીરાની કરી રસોઈ, જમ્યા જન સંઘે હતા સોઇ । પછી સુંદર સાંઝની વેળે, ચાલ્યા નાથ સંઘ લઇ ભેળે ।।૫।। ચાલતાં વીતિયા ચારે જામ, આવ્યા બંધિયે સુંદરશ્યામ । રહ્યા રજની આનંદે અતિ, આવ્યા પીપળિયે પ્રાણપતિ ।।૬।। હરિભક્તે જમાડ્યા ત્યાં હેતે, સર્વે મુનિને સંઘ સમેતે । ત્યાંથી ચાલિયા સુંદર શ્યામ, કર્યો રાયપુરે વિશરામ ।।૭।। ત્યાંથી આવિયા ગામ વાંકિયે, એમ ગામો ગામ દર્શન દિયે । ત્યાંથી આવિયા ગઢડામાંય, દિન ત્રણ રહ્યા પોતે ત્યાંય ।।૮।। પછી ત્યાંથી ચાલિયા દયાળ, આવ્યા કારિયાણીયે કૃપાળ । પછી નાથે કહી એમ વાત, સંતે તમે જાઓ ગુજરાત ।।૯।। સારી મૂરતિઓ સુખદાઇ, પધરાવશું વરતાલમાંઇ । તેને અર્થે કરાવો મંદિર, સારૂં સરસ સહુથી સુંદર ।।૧૦।। તેની રીત્ય સમઝાવી કઇ, જાઓ આદરો ત્યાં તમે જઇ । આપી આગન્યા સંત સધાવ્યા, પોતે ગામ ગઢડામાં આવ્યા ।।૧૧।। ત્યાંથી પધાર્યા કચ્છ ભુજ ભણી, કરવા પ્રતિષ્ઠા નરવીરતણી । દિધાં સહુ દાસને દરશન, પ્રભુ […] read more
0 Views : 142

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૯૦

પૂર્વછાયો- ચાલ્યા પછી ગઢડા થકી, સંઘ લઇને સુંદર શ્યામ । ભક્ત ભાવિક બોટાદમાં, રહ્યા રાત્ય એક એહ ઠામ ।।૧।। ચોપાઇ- પછી ત્યાંથી ચાલ્યા સંઘસાથ, આવ્યા સુંદરીયાણે શ્રીનાથ । જમી જન જીવન સધાવ્યા, જઇ વાગડ અણિયાળિ આવ્યા ।।૨।। રહે જસકે રોજકે જન, દીધાં દયાળે તેને દર્શન । પછી રહ્યા કમિયાળે નાથ, જાણી જખમ જનનો હાથ ।।૩।। જમી બોરુ રહ્યા ગળિયાણે, આવ્યા વરતાલમાં સંધ્યા ટાણે । દીધાં દાસને દર્શન દાન, નિરખ્યા જને ભાવે ભગવાન ।।૪।। પછી જન બોલ્યા જોડી હાથ, ભલે આવ્યા અનાથના નાથ । બહુ દિનના હતા પિયાસી, દીધાં દર્શન આજ અવિનાશી ।।૫।। એમ કહી બેઠા સન્મુખ, નાથ નિરખી નિગમ્યાં દુઃખ । જને રસોઇ કરાવી ભલી, જમ્યા તેમાંથી નાથ રોટલી ।।૬।। પાસે હતા મુનિ બે મરાળ, આપ્યો અલબેલે તેને થાળ । પછી પોઢિયા પ્રાણજીવન, જાગ્યા બ્રાહ્મમુહૂર્તે ભગવન ।।૭।। કરી દાતણ ને સ્નાન કીધાં, પછી દાસને દર્શન દીધાં । પછી શ્રીનારાયણની મૂર્તિ, જોઇ વખાણી છે વળી અતિ ।।૮।। પછી વડોદરા થકી જન, આવ્યા હતા કરવા દર્શન । તેના સંઘમાં જઇને શ્યામ, દઇ દર્શન ને પુરી હામ ।।૯।। પછી જને કરાવ્યાતા થાળ, જમ્યા દયા કરીને દયાળ । પછી શાલ દુશાલ અંગરખી, હાથે પહેરાવ્યાં હરિને હરખી ।।૧૦।। ધૂપ દીપ ઉતારી આરતિ, પછી કરજોડી કરી વિનતિ । ભલે પ્રકટ્યા પ્રાણઆધાર, અમ જેવાનો કરવા ઉધાર ।।૧૧।। […] read more
0 Views : 192

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૯૧

પૂર્વછાયો- અયોધ્યાવાસી આવિયાં, હરિપ્રસાદનો પરિવાર । સંબંધી શ્રીમહારાજનાં, સતસંગનો શણગાર ।।૧।। ચોપાઇ- થયાં રાજી અયોધ્યાનાં વાસી, નયણે નિરખ્યા શ્યામ સુખરાશી । પછી સંગે તેડી તેને શ્યામ, આવ્યા પ્રભુજી ગઢડે ગામ ।।૨।। તેને આપ્યાં ઉતરવા ઘર, ઘણું ઘટિત સારાં સુંદર । પછી કરી છે રૂડી રસોઇ, જમ્યા માવ ભાવ તેનો જોઇ ।।૩।। પછી જમ્યા છે અયોધ્યાવાસી, વળતી વાલ્યમે વાત પ્રકાશી । પુછ્યાં દેશ નગર ને ગામ, પુછ્યાં સર્વે ઠેકાણાં ને ઠામ ।।૪।। પુછ્યાં વન વાડી વૃક્ષ વટ, પુછ્યાં નદી તળાવ ને તટ । પુછ્યાં શહેર બજારો ને ઘર, પુછ્યાં ત્યાગી ગૃહી નારી નર ।।૫।। પુછ્યાં હરિમંદિર ધર્મશાળા, પુછ્યા તીરથ ઘાટ સઘળા । તેનાં આપીઆપીને એંધાણ, કર્યાં સર્વે સ્થળનાં વખાણ ।।૬।। પછી કહ્યું વાસી અયોધ્યાને, કાંઇક દીઠા સાંભળ્યા છે કાને । સર્વે યથારથ નવ જાણું, એમ કહીને જોડી છે પાણું ।।૭।। પછી બોલ્યા આપે અવિનાશી, તમે સાંભળો અયોધ્યાવાસી । જેજે સ્થળનાં લીધાં છે નામ, તેમાં ફરતા અમે આઠું જામ ।।૮।। રહેતા રમતા ઘટે તેનું જમતા, હતા નાના સહુને ગમતા । પડી ટેવ તેણે બહુ ફરતા, મોટીમોટી નદીયો ઉતરતા ।।૯।। રહેતા થોડું અમે ઘરમાંય, આજ ઇયાં કાલ વળી ક્યાંય । હતું હેત હરિકથામાંઇ, બીજી વાત ન ગમતી કાંઇ ।।૧૦।। ગમતા ભક્તિવાન ત્યાગી જ્ઞાની, ભૂંડા લાગતા દેહાભિમાની । હતો સ્વભાવ ચટકીદાર, કઠણ વચન ન […] read more
0 Views : 130

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૯ર

પૂર્વછાયો- ત્યાર પછી એક સમે, બેઠા સભામાંહિ શ્યામ । દિયે દર્શન દાસને, હરિજનની પુરે હામ ।।૧।। મિઠી મિટે માવજી, જયારે જોયા સર્વે જન । દોષે રહિત દાસ દેખી, પોતે થયા પ્રસન્ન ।।૨।। પછી પ્રભુજી બોલિયા, તમે સાંભળજયો સહુ જન । આપણે સહુ ઉધ્ધવના, તેને કરવું તીર્થ અટન ।।૩।। મુનિ સંન્યાસી ત્યાગી ગૃહી, સુણો અવધ્યવાસી આપ । જાઓ શ્રીદ્વારામતિ, નાહી લહી આવો સહુ છાપ ।।૪।। ચોપાઇ- મળે તીર્થે મોટા મુનિજન, થાય રામકૃષ્ણનાં દર્શન । મારકંડેય ધૌમ્ય લોમશ, ધર્માદિ કરે તીર્થ અવશ ।।૫।। સર્વે તીર્થ છે સુખરૂપ, તેમાં પણ દ્વારિકા અનૂપ । તમે અવધ્યવાસી રહો દૂર, માટે જાવું તમારે જરૂર ।।૬।। જેદિ થયો જાદવનો નાશ, પરસ્પર લડી પરભાસ । તેદિ સમુદ્રે જળ હિલોળી, કૃષ્ણભુવન વિના પુરી બોળી ।।૭।। કુળ સંહારી શ્રીકૃષ્ણ પોતે, રહ્યા નિજઘેર નાથ ગુપતે । માટે મોટું તીર્થ દ્વારામતિ, જીયાં અખંડ રહે યદુપતિ ।।૮।। માટે ગૃહી ત્યાગીને ત્યાં જાવું, વિધિ સહિત ગોમતીમાં ન્હાવું । યથાયોગ્ય દાન તિયાં દેવું, સત્યપુરૂષ પૂજી ફળ લેવું ।।૯।। એમ સર્વેને આગન્યા કીધી, નિજદાસને શિક્ષા એ દિધી । પછી કૌશલવાસીને કહ્યું, નિશ્ચે તમારે જાવાનું થયું ।।૧૦।। મનછારામ નંદરામ દોય, જાઓ ગોપાળ સુફળ સોય । પ્રથમ પહેલા શ્રીરામપ્રતાપ, તે પણ ગયાતા દ્વારકાં આપ ।।૧૧।। ઉધ્ધવસંપ્રદાયની એ રીત, જાવું દ્વારકાં થાવું પુનિત । નાહિ ગોમતી વિપ્રજમાડો, પિંડ દઇ […] read more
0 Views : 141
Powered By Indic IME