Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી
Per Page :

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૪

દોહા :- ત્યારે મુકત કહે સુણ્ય મુમુક્ષુ, તમે પૂછ્યું જે જે પ્રશ્ન ।। તેનો ઉત્તર અમે આપિયે, તમે સાંભળજયો દઈ મન ।। ૧ ।। પૂર્વે ઉત્તરમાંહિ પ્રીછવ્યો, હરિ હરિજનનો સંબંધ ।। તેહ વિના કોઈ જીવના, વળી છૂટે નહિ ભવબંધ ।। ૨ ।। જે જે જીવ તર્યા જકતમાં, તેનો કરો વિચારી વિવેક ।। હરિ હરિજન વણ મળ્યે, કોઈ ઉદ્ધરિયા નહિ એક ।। ૩ ।। અંતરમાં અવરાઈ રહ્યું, ઉપદેષ્ટાને અજ્ઞાન ।। તે સામાને શું સમજાવશે, વળી નક્કી વાત નિદાન ।। ૪ ।। ચોપાઈ :- માટે જેને મળ્યા મહારાજ રે, એવા સંતથી સરે છે કાજ રે ।। હરિ સાથે હોય હળ્યા મળ્યા રે, પ્રભુ પ્રગટ પામી તાપ ટળ્યા રે ।। ૫ ।। રહી નહિ ઉધારાની વાત રે, પામ્યા સાચા સાધુ સાક્ષાત રે ।। અટકળ અકળ ન રહ્યું રે, જથાર્થ જે છે તે થયું રે ।। ૬ ।। એવા સંતનો જે સમાગમ રે, તે તો ટાળવા દુઃખ વિષમ રે ।। જેની સંશય રહિત વાત સાચી રે, પૂરણ પ્રાપતિમાં નથી કાચી રે ।। ૭ ।। એની બોલી છે રોકડી રૂડી રે, નથી વારતા એની નમૂડી રે ।। ખાતે ચોપડે નથી ખોળવી રે, જયારે જોઈએ ત્યારે નિત્ય નવી રે ।। ૮ ।। વણ દીઠી નથી વખાણતા રે, કહે છે નજરો નજરની જાણતા રે ।। પ્રભુ પાસળના […] read more
0 Views : 307

કલ્યાણનિર્ણય નિર્ણય:- પ

દોહા :- મુમુક્ષુ સુજાણ જેહ, તેહ કહે છે જોડી પાણ ।। સર્વે સરખું સમજતાં, તેહની આજ પડી ઓળખાણ ।। ૧ ।। પણ એક ભકત આ જકતમાં, તે ભકતના પણ ભગત ।। તેનું કલ્યાણ કેમ છે, કહું પાડો તેહની વિગત ।। ૨ ।। જૂજવી રીતે આ જકતમાં, થયા ભકત તે બહુ ભાત ।। તેના શિષ્ય સંસારમાં, નથી માનતા કેની વાત ।। ૩ ।। પ્રભુ થકી પરાપરું ખરું, સમજે છે પોતાનું સિદ્ધાંત ।। માયિક કહી અવતારને, બહુ જીવને ભરાવી ભ્રાંત ।। ૪ ।। ચોપાઈ :- સતશાસ્ત્રને પણ ન માને રે, કહે પોથાં થોથાં લખ્યાં પાને રે ।। સર્વે શાસ્ત્રમાંહિ શું છે સાર રે, નવરે નવરે કર્યો નિરધાર રે ।। ૫ ।। બાંધ્યા વર્ણાશ્રમ ચાર ચાર રે, વળી એ વિના વર્ણ અઢાર રે ।। તેના મર્ણ પરણની વિધિ રે, બહુ નોખી નોખી બાંધી દીધી રે ।। ૬ ।। એમાં સમજો સઈ થઈ ખાટ રે, જીવ ભ્રમાવી ભુલાવી વાટ રે ।। એમાં આત્માનું શું સયુર્ં રે, સર્વે પંડનું કૂટણું કયુર્ં રે ।। ૭ ।। જોજયો વ્યાસ વાલ્મિકની બુદ્ધિ રે, કોઈ વાત કરી નહિ સુધી રે ।। પારાશર ને શંખ લિખિત રે, ઋષિમુનિ ન સમજ્યા રીત રે ।। ૮ ।। પાપ પુણ્ય પુરાણે પ્રમાણી રે, બાંધ્યા બહુ જીવને તેમાં તાણી રે ।। ગૂંથી ગયા છે […] read more
0 Views : 257

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૬

દોહા :- મુકત કહે સુણો શુભમતિ, સત્ય વાત સમજીએ સાર ।। કૃતઘ્નીના એ કામ છે, જે નંદે આગમ અવતાર ।। ૧ ।। સતશાસ્ત્ર સુખદાયી છે, સમજાવે તે સત્ય અસત્ય ।। તેને મિથ્યા કરી માનવું, એ જ આવી જાણવી કુમત્ય ।। ૨ ।। શાસ્ત્ર કહે તે સત્ય છે, નથી અસત્ય તે અણુભાર ।। નિશ્ચય પડશે નરકમાં, એની નિંદાના કરનાર ।। ૩ ।। શાસ્ત્ર જે જે સૂચવે, તે કૂડું ન પડે કાંઈ ।। ગ્રહણ પાંખે છે અસમાનમાં, તેહ સહુ દેખે છે આંઈ ।। ૪ ।। ચોપાઈ :- શાસ્ત્ર જણાવે સાર અસાર રે, શાસ્ત્રે કર્યો સહુ નિરધાર રે ।। સતશાસ્ત્ર કહે છે સુરસુખ રે, તેહ પામ્યાં સારુ કરે મખ રે ।। ૫ ।। શાસ્ત્ર કહે છે કૈલાસની વાત રે, સત્યલોકે સુખ કહે સાક્ષાત રે ।। શાસ્ત્ર કહે છે વૈકુંઠ વખાણી રે, તેને પામવા ઇચ્છે છે પ્રાણી રે ।। ૬ ।। શાસ્ત્ર કહે છે ગોલોકમાં ગુણ રે, શાસ્ત્ર વિના સમજાવે કુણ રે ।। શાસ્ત્ર કહે છે અક્ષરધામ રે, તે સુણી સહુ કરે છે હામ રે ।। ૭ ।। શાસ્ત્ર કહે છે શ્રીહરિનું સુખ રે, જે પામતાં રહે નહિ દુઃખ રે ।। લોક અલોકમાં જે અગમ રે, તેની ગ્રંથ પડાવે છે ગમ રે ।। ૮ ।। શાસ્ત્ર કહે છે સર્વેના સ્થાન રે, જને દીઠાં ન […] read more
0 Views : 276

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૭

દોહા :- ધન્ય ધન્ય મુકત શિરોમણિ, ભૂલ્ય ભ્રાંતિના ભાંગનાર ।। અજ્ઞાન તમ ટાળવા, સૂરજ સમ નિરધાર ।। ૧ ।। ઘણા દિવસનું ઘરમાં, સંશયનું રહ્યું’તું શૂળ ।। તેહ તરત તમે ટાળિયું, મહા મોટા મોહનું મૂળ ।। ૨ ।। વળી પૂછું છું પ્રીત શું, તમે કહેજયો કૃપાનિધાન ।। અનેક જીવ ઉદ્ધારવા, આવે ભૂમિ પર ભગવાન ।। ૩ ।। કલ્યાણ કરી કોટિ કોટિનાં, પાછા પધારે પોતાને ધામ ।। કેડ્યે રહે તેના કુળના, તેથી સરે કે ન સરે કામ ।। ૪ ।। ચોપાઈ :- પ્રભુ હોય પ્રગટ પ્રમાણ રે, ત્યારે કરે બહુના કલ્યાણ રે ।। જયાં જયાં હરિ ધરે અવતાર રે, કહું સાંભળજયો કરી પ્યાર રે ।। ૫ ।। ખગ મૃગ જળચર માંય રે, ધરે નર દેહ આપ ઇચ્છાય રે ।। વિપ્ર નૃપ જાણો જોગીમાંય રે, થાય પ્રભુજી પ્રગટ ત્યાંય રે ।। ૬ ।। તેના વંશના રહે છે વાંસે રે, ભલા ગુણના ભરેલ ભાસે રે ।। દઢ હોય ધર્મ નીમ માંઈ રે, અયોગ્ય આચરણ ન કરે કાંઈ રે ।। ૭ ।। રૂડી રીતને પાળે પળાવે રે, સંશય શોકના ખાતા વળાવે રે ।। રહે પ્રભુની મરજી પ્રમાણ રે, મેલી મન મમતાની તાણ રે ।। ૮ ।। આપ સ્વારથ સારવા સારુ રે, કદી કરે નહિ મારું તારું રે ।। કામ ક્રોધ વળી લોભ લહી રે, મોહ […] read more
0 Views : 287

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૮

દોહા :- મુકત વચન એવાં સાંભળી, વળી બોલિયા કરી હેત ।। શુદ્ધ મુમુક્ષુ સાંભળ્યે, કહું સર્વે વિગતિ સમેત ।। ૧ ।। પ્રથમ કહું હું પ્રીછવી, પ્રભુ પ્રગટના અવતાર ।। પછી કહું તેના કુળનું, નિશ્ચય કરી નિરધાર ।। ૨ ।। એકે અનેક પ્રકારનાં, સરે નહિ સેવકના કાજ ।। તે સારુ તન જૂજવાં, ધરણિયે ધરે છે મહારાજ ।। ૩ ।। વારિ વસુધા વ્યોમમાં, દુષ્ટે દુઃખી કર્યા હોય દાસ ।। આરતવાનને અરથે, આપે આવે છે અવિનાશ ।। ૪ ।। ચોપાઈ :- એક અવતાર એકને કાજ રે, મહેર કરી લિયે છે મહારાજ રે ।। તેના સર્વે સંકટ ટાળે છે રે, પ્રીતે પૂરણ લાડ પાળે છે રે ।। ૫ ।। હેતે હળીમળી તેહ સાથ રે, નૌતમ સુખ આપે તેને નાથ રે ।। તે તો થાય છે પૂરણ કામ રે, વળી પામે છે પ્રભુનું ધામ રે ।। ૬ ।। એહ વિના હોય હરિદાસ રે, તેનો કષ્ટ કરવો હોય નાશ રે ।। ત્યારે એ તને જતન ન થાય રે, એમ સમજવું મનમાંય રે ।। ૭ ।। જળવાસી કરે કામ જળનું રે, સ્થળવાસી કરે કામ સ્થળનું રે ।। માટે નોખાં નોખાં તન ધરી રે, કામ કરે છે જનનું હરિ રે ।। ૮ ।। જયારે ધરે છે જૂજવા ગાત રે, ત્યારે હોય જૂજવી રીતભાત રે ।। પછી જેવી રીત […] read more
0 Views : 267

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૯

દોહા :- મહામુકત કહે મુમુક્ષુ તને, વણ પૂછ્યે કહું છું વાત ।। કલ્યાણકારીના કુળની, તું સાંભળી લે સાક્ષાત ।। ૧ ।। અલૌકિકપણું નહિ આપમાં, લોકમાં વધારવા લાજ ।। આટાટોપ એહ કારણે, સહુ રાખી રહ્યા ગુરુરાજ ।। ૨ ।। જેણે કરી જાયે નહિ, રહે ગુરુપણું ઘરમાંહિ ।। એવી રીતને અનુસરી, બહુ ઠગ કરે છે ઠગાઈ ।। ૩ ।। જેમ ઉદ્યમ વર્ણ અઢારમાં, સહુ કરે થઈ સાવધાન ।। તેમ ઉદ્યમ ગુરુએ આદર્યો, મન કર્મ વચને નિદાન ।। ૪ ।। ચોપાઈ :- ગુરુવેષ ભજાવવા કાજ રે, રાખે શોભતો સર્વે સમાજ રે ।। સારાં વસ્ત્ર ઘરેણાં વાહન રે, કહું તેની રીત સુણો જન રે ।। ૫ ।। પો’ળા પનાળાં કૈક સુંવાળા રે, બહુ બુટ્ટા ને રંગે રૂપાળાં રે ।। ઝીણાં પોતાં છાપેલ છેડાળાં રે, વાસેલ અત્તરે પાનડિયાળાં રે ।। ૬ ।। એવાં વસ્ત્ર અંગોઅંગ પે’રી રે, ગુરુપણું લડાવે છે લે’રી રે ।। વળી પે’રી ઘરેણાં જો ઘણાં રે, જડેલ હીરા મોતી હેમતણાં રે ।। ૭ ।। વેઢ વીંટી કડા બાંયે બાજુ રે, રૂડા ઘાટવાળાં ઘણાં કાજુ રે ।। બેસી ગજ બાજ સુખપાલે રે, ખોળે લાલ લઈ ગુરુ મા’લે રે ।। ૮ ।। વળી સુંદર મંદિર રહેવા રે, કાચ ઢાળેલ હાંડિયે દીવા રે ।। ખાવા પીવા મળે ખૂબ ખાસુ રે, જેવું ચઉ ચરણને ચોમાસું રે […] read more
0 Views : 255

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૧૦

દોહા :- શ્રીહરિ કહે ધર્મ સાંભળો, ગુરુ ન હોય ઘેરોઘેર ।। ગુરુ તો એક ગોવિંદ છે, બીજી માયા બની બહુપેર ।। ૧ ।। કલ્યાણકારી કલ્યાણ કરી, સારી જાયે અનેકના અર્થ ।। પછવાડે પ્રપંચ રચી, અતિ અજા કરે છે અનર્થ ।। ૨ ।। જેમ નર્તકી નૃત્ય કરી, હરિ લિયે હેવાનનું ધન ।। વેશ લઈ વિધવિધના, કરે પામરને પ્રસન્ન ।। ૩ ।। તેમ માયાયે મનગમતા, વળી લીધા વિશ્વમાંય વેશ ।। એવા ગુરુ શિષ્યની, તમે બીક મ રાખજયો લેશ ।। ૪ ।। ચોપાઈ :- ગુરુ કહ્યે શું થઈ ગયા ગુરુ રે, સુણો ધર્મ તેની વાત કરું રે ।। ગુરુ આ જગમાંય છે ઘણાં રે, તે તો કોળિયા સહુ કાળતણા રે ।। ૫ ।। જે ગુરુથી જમદંડ જાય રે, તે સાંભળો તમે ધર્મરાય રે ।। તે તો હોય પોતે ભગવાન રે, આપે આશ્રિતને અભયદાન રે ।। ૬ ।। સર્વે ધામતણા હોય ધામી રે, વળી અકળ અંતરજામી રે ।। જાણે સહુના મનની વાત રે, જેમ હોય તેમ સાક્ષાત રે ।। ૭ ।। અણુ ચોરી એ આગે ન ચાલે રે, ઊપજતાં ઉત્થાનને ઝાલે રે ।। એથી ન હોય અજાણ્યું જો કાંઈ રે, વળી જકતગુરુ એ કહેવાય રે ।। ૮ ।। હોય પ્રાણનાડી એને હાથ રે, સર્વેશ્વર એ સર્વેના નાથ રે ।। ખેંચે પ્રાણનાડી તો ખેંચાય રે, […] read more
0 Views : 263

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૧૧

દોહા :- મુમુક્ષુ કહે મુકતને, જયારે જમ એ પર કરે રોષ ।। ત્યારે માયાગુરુને મર મારતા, પણ શિષ્યનો શિયો દોષ ।। ૧ ।। કલ્યાણ કરવા કારણે, આવ્યો એવા ગુરુની પાસ ।। તન મન ધન દઈ તેહને, થયા દિલ સાચે એના દાસ ।। ૨ ।। ઓળખી ન શકયા અસત ગુરુ, સમજયા વિના થયા શિષ્ય ।। અજાણ્યા ઉપર એવડી, રાખી ન ઘટે ધર્મને રીસ ।। ૩ ।। એમ કહ્યું કર જોડીને, તમે સાંભળો મારા શ્યામ ।। એ સંશય મારો સમાવિયે, સનેહી સુખના ધામ ।। ૪ ।। ચોપાઈ :- એવું સાંભળી મુકત મહાજન રે, પછી બોલિયા પરમ પાવન રે ।। કહે સાંભળ્ય તું જિજ્ઞાસુ રે, ખરું પ્રશ્ન તેં પૂછિયું ખાસું રે ।। ૫ ।। એનો ઉત્તર આપિયે અમે રે, સાવધાન થઈ સુણો તમે રે ।। હોય જૂઠું સાચું બેઉ જોડ્યે રે, રાત દિવસ બે તડોવડ્યે રે ।। ૬ ।। હોય બક તિયાં હંસ હોય રે, જયાં કાગ ત્યાં કોયલ શું નો’ય રે ।। હોય ચોર તિયાં શાહુકાર રે, હોય રવિ ત્યાં રાકેશ ત્યાર રે ।। ૭ ।। હોય પાપી ત્યાં પુણ્યવાન રે, હોય મૃત્યુ ત્યાં અમૃતપાન રે ।। હોય સાચું ત્યાં ખોટું ખરું રે, તેનું કહેતાં કહેતાં નાવે સરું રે ।। ૮ ।। તેમ સત્ય અસત્ય ગુરુ છે રે, તે પણ ખોટું મા […] read more
0 Views : 194
Powered By Indic IME