Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી
Per Page :

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૬૧

ચોપાઇ- પછી પધાર્યા દેશ પંચાળ રે, જીયાં વસે છે દાસ દયાળ રે । સર્વે સંસારનાં સુખ ત્યાગી રે, એક પ્રભુપદ અનુરાગી રે ।।૧।। પંચ વિષયથી પ્રીત ઉતારી રે, પંચવ્રત પ્રેમે રહ્યા ધારી રે । દીધાં દેહ તણાં સુખ નાખી રે, રહ્યાં અંતરે પ્રભુને રાખી રે ।।૨।। એવા જન જક્તથી ઉદાસી રે, તિયાં આવ્યા આપે અવિનાશી રે । જોઇ જનના હૈયાનું હેત રે, આવ્યા પ્રભુજી સખા સમેત રે ।।૩।। તેને દીધાં છે દર્શન દાન રે, બહુ ભાવે કરી ભગવાન રે । અંધ અપંગ બૂઢા ને બાળ રે, અસમર્થ અબળા લાજાળ રે ।।૪।। તેને દયા કરી હરિ આપરે, દીધાં દર્શન ટાળિયા તાપ રે । પછી જને પૂછ્યા સમાચાર રે, કહ્યા હરિએ કરી વિસ્તાર રે ।।૫।। જે જે પૂછતા ગયા છે જન રે, તે તે કહેતા ગયા છે જીવન રે । પછી પુછી જગનની વાત રે, કહી રાજી થઇ રળીયાત રે ।।૬।। જેને નોતું અવાણું જગને રે, તે પણ મગન થયા સુણી મને રે । કહે ધન્ય ધન્ય મહારાજ રે, એવો જગન થાય કોણે આજ રે ।।૭।। બીજા ખચેર્બહુ બહુ ધન રે, પણ ન થાય નિરવિઘન રે । કૈક જન તણા જીવ જાય રે, એવું સુણ્યું છે જગન માંય રે ।।૮।। લૂંટે ચોર કે ખરચી ખુંટે રે, થાય ફજેતિ શકોરાં ફૂટે રે । […] read more
0 Views : 144

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૬ર

ચોપાઇ- પોતે દયાળુ હતા ડભાણ, સુંદરવર શ્યામ સુજાણ । ત્યાંથી ચાલીયા અંતરજામી, આવ્યા બુધેજમાં બહુનામી ।।૧।। હરિભક્ત તિયાં હઠિભાઇ, રહ્યા રાત્ય તિયાં સુખદાઇ । ત્યાંથી આવ્યા પછમે મહારાજ, જીયાં ભક્ત ઓધવ જેરાજ ।।૨।। રહી રાત્ય એક તેને ઘેર, ત્યાંથી વાલો આવ્યા છે ઝીંઝર । સંગે ભક્ત હતો મેર જેઠો, અતિવૃધ્ધ અંગે વળી દિઠો ।।૩।। તેને પહેરાવ્યો સુંદર સ્વાંગ, જામો જરી ને સોનેરી પાગ । રહી રાત્ય ને ચાલ્યા દયાળુ, આવ્યા કુંડળમાંહિ કૃપાળુ ।।૪।। મોટા ભક્ત મામૈયો ને રામ, તેને ઘેર રહ્યા જુગ જામ । ત્યાંથી સારંગપુર આવીયા, દિન ત્રણ સુધી તિયાં રહ્યા ।।૫।। પછી આવ્યા નાગડકે નાથ, સવેર્સખા છે પોતાને સાથ । તિયાં ભક્ત સુરો સતસંગી, હરિભક્ત જક્તથી અસંગી ।।૬।। તેને ઘેર ગિરિધર ગયા, દિન ચારસુધી તિયાં રહ્યા । અતિહેતે જમાડ્યા જીવન, પ્રભુ જનપર છે પ્રસન ।।૭।। દેવા દર્શન જનમન ભાવ્યાં, સુંદર વસ્ત્ર શ્યામળે મગાવ્યાં । વાલે પહેર્યો સોનેરી સુવાગ, જેણે જોયા તેનાં મોટાં ભાગ્ય ।।૮।। પછી ત્યાંથી શ્યામળો સધાવ્યા, પોતે નાથ પિપરડીયે આવ્યા । તિયાં ભક્ત પવિત્ર જે પીઠો, તેને ઘેર રહ્યા માવ મીઠો ।।૯।। ત્યાંથી ચાલીયા સુંદરશ્યામ, ગયા ભક્ત માંતરાને ગામ । ત્યાંથી ભોંયરે ભોજન કીધું, ભક્ત નાજાને દર્શન દીધું ।।૧૦।। પછી ત્યાંથી આવ્યા ગોખલાણે, જાગ્યાં ભાગ્ય ભક્ત જીવો જાણે । ત્યાંથી ચાલિયા પૂરણકામ, આવ્યા કૃપાળુ કરિયાણે ગામ […] read more
0 Views : 128

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૬૩

રાગ સામેરી- પછી પ્રભુજી પધારીયા, પોતે તે ગુર્જર દેશ । લીળા કરી ગુજરાતમાં, પંચાળે કર્યો પ્રવેશ ।।૧।। સત્સંગી સોરઠનાં, હાલારનાં હરિજન । તેને ઉપર દયા કરી, દીધાં સહુને દર્શન ।।૨।। દાસ ઉપર દયાળને, દયા દલમાં અતિઘણી । જાણો મારા જનને, દિયું સંપતિ સુખતણી ।।૩।। જપ તપ તીરથ કરતે, નાવે ધરતે જોગીને ધ્યાન । તે આવે જનને ભુવન ચાલી, મહેર કરી મહેરવાન ।।૪।। ફરે કરે પાવન પૃથિવી, જુવે જાણે અજાણે જન । જક્ત આશ્ચર્ય જોઇને, કરે ભાવ અભાવે ભજન ।।૫।। જેને દર્શને દુષ્કૃત નાશે, અને સ્પરસે નાશે પાપ । તેહ હરિને સંભારતાં, સહુ શુધ્ધ થયાં છે આપ ।।૬।। લાગ્યો ભય લુંટક જનને, અને પાપીને પીડા થઇ । ડર્યા નર તસ્કરા, અને દુષ્ટ દુઃખ પામ્યા સઇ ।।૭।। કળિમાં સતજુગ કીધો, પ્રભુ પોતે પ્રકટી । તે જાણે જન પોતાતણા, ન જાણે કુડીયાં કપટી ।।૮।। ખાન પાન પટ વડે, સર્વે જન સુખી બહુ । તે પ્રતાપ મહારાજનો, પ્રકટ જન જાણે સહુ ।।૯।। પુરૂષોત્તમ પૂરણ પ્રકટ્યા, અનેક જીવ ઉધ્ધારવા । દયા કરી ફરે દેશમાં, નિજજનનાં કારજ સારવા ।।૧૦।। જેજે દેશમાં દાસ હતા, ભજતા હતા ભગવાન । ગોતી તેનાં ગામ પોતે, દીધાં દર્શન દાન ।।૧૧।। પછી આવી પંચાળમાં, અને લીધા સખા સાથ । ઘોડે ચડી ગુજરાતમાં, આવ્યા ડભાણે નાથ ।।૧૨।। દર્શન દીધાં દાસને, દયાળે દયા કરી […] read more
0 Views : 141

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૬૪

ચોપાઇ- પછી પોતે ગયા ગુજરાત, રહ્યા ડભાણમાં દોય રાત । હતી સંતની મંડળી સાથ, વળતાં વરતાલે આવિયા નાથ ।।૧।। તિયાં રહ્યા હરિ સંત સહુ, કરી લીળા આપ્યાં સુખ બહુ । રહ્યા પંચ રાત્ય પોતે તિયાં, પછી યાંથી બુધેજે આવિયા ।।૨।। ત્યાંથી ચાલીયા સમર્થ સ્વામી, આવ્યા બોચાસણે બહુનામી । બામણ ગામને એકલબારે, પોતા સરસવણિ મહીપારે ।।૩।। જઇ પાદરે પાછા વળીયા, આવી વરતાલે સંતને મળીયા । ત્યાંથી ચાલી ઉમરેઠે ગયા, દેવા દર્શન પ્રસન્ન થયા ।।૪।। વાજાં વાજતે પધાર્યા શ્યામ, આવ્યું સામૈયે સઘળું ગામ । દીધાં દાસને દર્શન દાન, રહી રાત્ય ચાલ્યા ભગવાન ।।૫।। ભાવ ગામના લોકને બહુ, આવ્યાં પુરબારાં મળી સહુ । તેને દર્શન દઇ દયાળ, કરી કલ્યાણ ચાલ્યા કૃપાળ ।।૬।। સંગે આપ્યો તો ભોજન થાળ, યથાયોગ્ય જમ્યા તે દયાળ । પછી આવ્યા ડડુસર ગામ, કર્યો કઠલાલ્યે વિશરામ ।।૭।। આંતરોળી ઉંટડિયે મહાદેવ, તિયાં પધાર્યા દેવાધિદેવ । તિયાં શિવનાં દર્શન કીધાં, વસ્ત્ર સવેર્સેવકને દીધાં ।।૮।। આપ્યા રૂપૈયા મુઠડી ભરી, પછી ત્યાંથી પધારીયા હરિ । આવ્યા લુવાંગ્ય સલકી ગામ, પછી પ્રાંતિયે પધાર્યા શ્યામ ।।૯।। ત્યાંથી ચાલિયા શ્યામ સુંદર, આવ્યા વાલ્યમજી વિજાપર । ત્યાંથી ગેરિતે ગયા ગોપાળ, વિશનગ્ર પધાર્યા દયાળ ।।૧૦।। તિયાં જમાડ્યા બ્રાહ્મણ ઘણા, કરી મોદક મિસરિતણા । ત્યાંથી ગયા ઉંઝે મહેસાણે, તિયાં જનને જમાડ્યા પરાણે ।।૧૧।। પછી આવ્યા ર્કિજસણ નાથ, સખા સાંખ્યયોગી હતા […] read more
0 Views : 166

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૬પ

ચોપાઇ – પછી સંત ચાલ્યા સહુ મળી, મહામુક્ત તણી જે મંડળી । સર્વે ગુજરદેશમાં ગયા, કૈક પુરમાં પઢવા રહ્યા ।।૧।। સતસંગી ગયા સર્વે ઘેર, થઇ સુખી સહુ બહુપેર । જોઇ લીળા ને ચડી ખુમારી, ઉતરે નહી કેની ઉતારી ।।૨।। કરે ચર્ચા પરસ્પર જયારે, થાય કેફ ભરી વાત ત્યારે । સહુને ચિતે ચડ્યો રંગચોળ, આવી અંતરે મસ્તિ અતોળ ।।૩।। થયું પ્રકટ જાણે કલ્યાણ, નહિ ઉધારી વાતની વાણ । હોય પરચા હજારો હજાર, જાણે જન ન જાણે સંસાર ।।૪।। જે કોઇ સતસંગી નામ કાવે, પંચવ્રતને પાળે પળાવે । તે આલોક પરલોકને માંઇ, રહે સુખી તે જન સદાઇ ।।૫।। જેદિ આવે આ દેહનો કાળ, તેદિ આવે તેડવા દયાળ । રથ વેલ્ય વિમાન ને વાજી, મુકે દેહ ઘણું થઇ રાજી ।।૬।। કહે આવ્યા છે તેડવા નાથ, હું જાઉંછું મહારાજને સાથ । માનજયો મારૂં હિત વચન, સહુ સ્વામીનું કરજયો ભજન ।।૭।। એમ કહીને મુકે છે દેહ, સર્વે જાણે સતસંગી તેહ । કૈક કુસંગી તેપણ જાણે, થાય દર્શન પ્રકટ પ્રમાણે ।।૮।। જયારે મરે કુસંગીમાં કોઇ, નજરે જમકિંકરને જોઇ । જાતાં જમહાથ જોઇ કુસંગી, પછી સમજી થાય સતસંગી ।।૯।। એમ વધતો જાય સતસંગ, જોઇ રીત્ય ચિત્તે ચડે રંગ । આવે સંત કરે બહુ વાત, તે સાંભળી થાય રળિયાત ।।૧૦।। વળી પૂર્ણ પુરૂષોત્તમ જેહ, મળે પ્રકટ પ્રમાણ તેહ […] read more
0 Views : 137

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૬૬

રાગ સામેરી – પોતે પધાર્યા ગઢડે, અને સંત ગયા ગુજરાત । અપાર લીળા કરે હરિ, તેની કહી ન જાય વાત ।।૧।। શેષ મહેશ ને શારદા, હરિચરિત્ર પાર નવ લહે । અજ ન પામે પાર જેનો, નેતિનેતિ નિગમ કહે ।।૨।। અપાર લીળા અપાર સામર્થ્ય, અપાર અતિચરિત્ર છે । અપાર તેજ પ્રતાપ અતિ, અપાર યશ પવિત્ર છે ।।૩।। અપાર કરૂણા અપાર કૃપા, અપાર દયા દલમાં । અપાર ધીર ગંભીર ઘણા, નવ કળાય કોઇ કાળમાં ।।૪।। અપાર મહિમા અપાર મોટ્યપ, અપાર દાતા ઉદાર છે । અપાર કળા અપાર કીરતિ, વળી ગુણ જેના અપાર છે ।।૫।। અપાર લીળા એક જીભાએ, કવિ કહી કેમ શકે । મહાનિધિમાં ચિડિયા ચંચે, ઉલેચતાં આપે થાકે ।।૬।। જેનું મનન કરતાં મન થાકે, ચિંતવતાં ચિત્ત સહિ । જેનું વર્ણન કરતાં વાણી થાકે, તેને કોણ શકે કહિ ।।૭।। જેમ અંડજ ઉડે આકાશમાં, એકએકથી ઉંચા ચડે । પહોંચ રાખે પહોંચવા પણ, અંબરને કોઇ ન અડે ।।૮।। તેમ કવિ કોટિક કથે, એકએકથી બુદ્ધિબળે । પણ અપાર અપાર કહિ છુટે, અકળ ને કોણ કળે ।।૯।। તે હરિ નરતન ધરી, કરે લીળા કોટિ ઘણી । તે સાંગોપાંગ સર્વે કહેવા, નથી સામર્થી મુજતણી ।।૧૦।। કહું કિંચિત કોટિઅંશે, સુંદર ચરિત્ર શ્યામનાં । ચતુર નરને શક્ય ન આવે, છે હરિભક્તના કામનાં ।।૧૧।। તુક ચોકને જડ ઝમકનું, જાણપણું જેને […] read more
0 Views : 132

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૬૭

ચોપાઇ- કરી લીળા પધારીયા લાલ, ગયા દેશપ્રદેશ મરાલ । પછી સત્સંગી સહુ મળી, જોઇ લીળા ગયા ઘેર વળી ।।૧।। ફરે સંત કરે બહુ વાત, સંભારી લીલા રહે રળિયાત । કહે સંત મળી વાત જયારે, ત્યારે હરિનાં ચરિત્ર સંભારે ।।૨।। કહે આપણાં ભાગ્ય અપાર, પ્રકટ મળ્યા પ્રાણ આધાર । જેને ઇચ્છે મોટા મુનિજન, તેનાં આપણે થાય દર્શન ।।૩।। જેને ઇચ્છે અતિઘણું અજ, પ્રભુ ચરણની પામવા રજ । જેને ઇચ્છે અતિ ઘણું ઇશ, તે આપણે મળ્યા જગદીશ ।।૪।। જેને ઇચ્છે છે શેષ સુરેશ, શશિ સૂર્ય શારદા ગણેશ । જેને ઇચ્છે છે ક્રોડ તેત્રિશ, જેને ઇચ્છે છે મોટા મુનીશ ।।૫।। જેને ઇચ્છે છે રૂડા ઋષિરાય, તે મળ્યા આપણે અણઇચ્છાય । માટે આપણાં પુણ્ય અપાર, ભલે આવ્યો આ સમે અવતાર ।।૬।। અતિ આપણાં ભાગ્ય અતોલ, ત્રિલોકે નહિ આપણી તોલ । ધન્ય અહો મોટું એ આશ્ચર્ય, એવું શું આપણું તપશ્ચર્ય ।।૭।। આતો મહેર કરી છે મહારાજ, કરી કૃપા તે આપણે કાજ । એમ પરસ્પર કહે છે દાસ, એમ કરતાં વીત્યા પંચ માસ ।।૮।। પછી પોતે પધારીયા હરિ, દાસને દયા દર્શનની કરી । પશ્ચિમ દેશથી પધાર્યા નાથ, સાંખ્યયોગી સખા લઇ સાથ ।।૯।। ગુજરધર ચડોતર દેશ, ગામ સંજાયે કર્યો પ્રવેશ । પધાર્યા બામરોલી ગામ, જઇ ડભાણે કર્યો વિશ્રામ ।।૧૦।। ત્યાંથી ચાલી ઉમરેઠ ગયા, તિયાં રાત્ય પોતે એક […] read more
0 Views : 122

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૬૮

રાગ સામેરી- પછી પ્રભુ ગઢડે ગયા, તિયાં તેડાવિયા સંત । એકાંતનું સુખ આપવા, હૈયે હેત છે અત્યંત ।।૧।। સમજુ સંત સુજાણ જે, સતસંગમાં જે મુખીયા । તે સંતને તેડાવિયા, દઇ દર્શન કરવા સુખીયા ।।૨।। આવ્યા સંત શિરોમણી, જીયાં હતા સુંદર શ્યામ । ચરણ ર્સ્પિશ નાથનાં, વળી થયા પૂરણકામ ।।૩।। પછી મુક્તાનંદજીએ, પુછ્યું પ્રભુને પ્રશન । નાથ તમારૂં ગમતું જે, હોય તે કરીએ સાધન ।।૪।। પછી પ્રભુજી બોલિયા, તમે સાંભળો સર્વે જન । જયારે પ્રભુને પામિયે, ત્યારે સર્વે થયાં સાધન ।।૫।। પછી જે જે કરવું, તેહની તે કહું વાત । ગુરૂ સંતને ભજવા, શ્રીહરિ જે સાક્ષાત ।।૬।। ચૈતન્ય ચૈતન્ય એક નહિ, ઇંદ્રિય મન જીવ ઇશ્વર । એકએકથી અધિક એહ, તેથી પર પરમેશ્વર ।।૭।। સંત અસંત એક નહિ, તે વિવેકબુધ્ધિ ધારવી । મેં કરી જે લીલા અલૌકિક, તેને વારમવાર સંભારવી ।।૮।। મારા જનને અંતકાળે, જરૂર મારે આવવું । બિરૂદ મારૂં એ ન બદલે, તે સવેર્જનને જણાવવું ।।૯।। દાસના દાસ થઇને, વળી જે રહે સત્સંગમાં । ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં ।।૧૦।। મારાં લોક મારી મૂરતિ, તે સત્ય નિર્ગુણ છે સહિ । તેને અસત્ય જે જાણશે, તે નાસ્તિક મારા નહિ ।।૧૧।। મારૂં ધાયુર્ં અસત્ય સત્ય થાય છે, સમરથ મારૂં નામ સહિ । મારી દૃષ્ટિએ જક્ત ઉપજે સમે, અનેક રૂપે માયા થઇ […] read more
0 Views : 154
Powered By Indic IME