Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી
Per Page :

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૩૭

પૂર્વછાયો- સહુ મળી વળી સાંભળો, કહું ત્યાર પછીની વાત । મોટા યોગીને માન્યા જેવા, મુનિ આત્માનંદ વિખ્યાત ।।૧।। આઠ પહોર નવ ઉતરે, જેને સમાધિ સુખરૂપ । બ્રહ્મ સંગાથે એકતા, કર્યો નિજ આત્મા અનૂપ ।।૨।। બહુ કાળ તન રાખવું, વળી તરત તજવું દેહ । નિજગુરૂ પરતાપથી, આપે થયા સ્વતંત્ર જેહ ।।૩।। પોતાની કૃપાયે કરી, યોગસિદ્ધિને પામ્યા શિષ્ય । તેને સમૂહે વિંટ્યા સ્વામી, આત્માનંદ મુનીશ ।।૪।। ચોપાઇ- તેને પાસે આવી નિરધાર રે, કર્યો ઉદ્ધવે નમસ્કાર રે । અતિ પ્રતાપી પ્રસિદ્ધ જેહ રે, આત્માનંદ મુનિ છે તેહ રે ।।૫।। તેને નમી ઉદ્ધવ નિરધાર રે, રહ્યા માસ અદ્રિ મોઝાર રે । જોઇ આત્માનંદની રીત રે, ર્વિણયે વિચારિયું ચિત્ત રે ।।૬।। આને સમાધિમાંહિ શ્રીકૃષ્ણ રે, દેતા હશે તે નિશ્ચે દર્શન રે । એમ કરી ઉદ્ધવ વિચાર રે, કર્યો કર જોડી નમસ્કાર રે ।।૭।। કરી પ્રાર્થના બોલ્યા આપ રે, સુણો સ્વામી હરણ સંતાપ રે । જેહ સાક્ષાત્કાર શ્રીકૃષ્ણ રે, તેનાં ઇચ્છું છું કરવા દર્શન રે ।।૮।। તેની સિદ્ધિ સારૂં જે સાધન રે, કહો કૃપા કરી મુનિજન રે । ત્યારે બોલ્યા શ્રી આત્માનંદ રે, યોગ સાધતાં થાશે આનંદ રે ।।૯।। હશે ગમતું તમારૂં જેહ રે, થાશે સવેર્સિદ્ધ જાણો તેહ રે । એવું સુણી ઉદ્ધવ વચન રે, અતિહર્ષ પામિયા મન રે ।।૧૦।। વળી જાણીને મોટા યોગીશ રે, યોગ […] read more
0 Views : 122

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૩૮

પૂર્વછાયો- શુભમતિ સહુ સાંભળો, એમ મળ્યા રામાનુજાચાર । જાગ્યા સ્વામી સ્વપ્ન થકી, ત્યારે કરવા લાગ્યા વિચાર ।।૧।। આતે શું સાક્ષાત મળ્યા, કે આ શું થયું સ્વપ્ન । એમ વિચારતાં અંતરે, દીઠું પંચ સંસ્કારે તન ।।૨।। ઉર્ધ્વપુંડ્ર દ્વાદશ દીઠાં, દીઠી કંઠમાં સુંદર દામ । મંત્ર કહ્યા તે હૈયે રહ્યા, ત્યારે માન્યા પૂરણકામ ।।૩।। અંકિત અંગ જોઉ ઉમંગ, અતિશે આવ્યો મન । પ્રકટ ચિહ્ન દેખી પંડનાં, માન્યું મળશે નિશ્ચે ભગવન ।।૪।। ચોપાઇ- પછી રામાનંદ રાજી થઇ રે, કર્યોમંત્ર જાપ મૌન રઇ રે । બેઠા આસન અડગ વાળી રે, જોયું અંતરમાંહિ નિહાળી રે ।।૫।। ભુલ્યા શરીરનું ભાન સ્વામી રે, વૃત્તિ અતિશે આનંદ પામી રે । દિઠું અંતરમાં તેજ અતિ રે, તે તેજમાંહિ દીઠી મૂરતી રે ।।૬।। તેતો લક્ષ્મીનારાયણ કૃષ્ણ રે, તેનાં થયાં છે પોતાને દ્રષ્ણ રે । અતિ સુંદર શોભાના ધામ રે, નિરખ્યા પ્રભુજી પૂરણકામ રે ।।૭।। તેને પાયે લાગ્યા લળી લળી રે, પામ્યા અતિશે આનંદ વળી રે । થયા મગન મનમાં ઘણા રે, મળ્યા કૃષ્ણ રહી નહિ મણા રે ।।૮।। જેવું હતું મને ચિંતવન રે, થયું તેવાનું તેવું દરશન રે । આપી એમ દર્શન દાન રે, પછી થયા છે અંતરધાન રે ।।૯।। જાગ્યા સમાધિથી સ્વામી જયારે રે, અતિ આનંદ પામિયા ત્યારે રે । કહે ધન્ય ધન્ય છે આ ધામ રે, જેમાં પુરી […] read more
0 Views : 129

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૩૯

પૂર્વછાયો- અતિ ઉત્તમ આખ્યાનની, કહી વણપુછી મેં વાત । હવે શ્રીહરિની કથા,કહું સુણો સહુ સાક્ષાત ।।૧।। મહા મનોહર મૂરતિ, શોભે વરણિને વેશ । શિખાસૂત્ર સોયામણું, શિશે તે સુંદર કેશ ।।૨।। નાસાગ્રે વૃત્તિ રહે, અને દષ્ટિ તે અનિમેશ । એવા થકા ત્યાં આવિયા, બહુનામી કૃષ્ણ દિનેશ ।।૩।। આવી નાહિ એ વાવ્યમાં, પછી બેઠા કાંઠે નાથ । એવે સમે સુખાનંદ આવ્યા, નિરખી થયા સનાથ ।।૪।। ચોપાઇ- નિરખી નાથને પામ્યા આશ્ચર્ય, અંગે ત્યાગ અતિ તપશ્ચર્ય । શીલ સંતોષ ને ક્ષમા અતિ, જાણું ધરી વૈરાગ્યે મૂરતિ ।।૫।। આવા સાધુ મેં ન દીઠા ક્યાંઇ, જાગે ભાગ્ય રહે એ જો આંઇ । પછી પ્રીત્યે શું પુછવા લાગ્યા, કોણ ગુરૂ ક્યાં તમારી જાગ્યા ।।૬।। કહે હરિ સુણો સાધુ વાત, નહિ ગુરૂ સ્વજન માત તાત । જેથી છુટીએ સર્વે સંતાપ, તેજ ગુરુ સ્વજન માઇ બાપ ।।૭।। ત્યારે બોલ્યા સુખાનંદ સંત, મહારાજ એજ છે સિદ્ધાંત । પણ પુછવાની એક રીત્ય, માટે પુછું છું હું કરી પ્રીત્ય ।।૮।। ત્યારે કહે નિલકંઠ કથી, આવ્યા ઉત્તર કોશળ દેશથી । સર્વ તીર્થ ફરતા જોતા ધામ, અમે આવ્યા છઉં આણે ગામ ।।૯।। અમે કહ્યું અમારૂં વૃતાંત, તમે કોણના શિષ્ય છો સંત । પછી બોલ્યા સુખાનંદ તૈયે, અમે રામાનંદજીના છૈયે ।।૧૦।। અમમાંહિ મોટા મુક્તાનંદ, તેની આજ્ઞામાં રહું ર્વિણઇંદ । આવ્યો આ વાવ્યે નાવા હું આજ, […] read more
0 Views : 152

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૪૦

પૂર્વછાયો- શુભમતિ સહુ સાંભળો, એમ બોલ્યા ભાવે ભગવંત । તે સુણી મુક્તાનંદજીએ, કહ્યું પોતાનું વરતંત ।।૧।। અમે પણ શ્રીકૃષ્ણને, ભાવે ભજું છું ભગવાન । ગુરુની કૃપાએ કરી, વળી દેખું છું મૂર્તિમાન ।।૨।। તે ગુરુ રામાનંદજી, ઉદ્ધવનો અવતાર । મુમુક્ષુને આશરવા, યોગ્ય નિશ્ચે નિરધાર ।।૩।। તેની કૃપાએ કરી જન, દેખે ગોલોકાદિક ધામ । મોરલીધર શ્રીકૃષ્ણ જે, તે દેખે સમાધિએ શ્યામ ।।૪।। ચોપાઇ- એતો કહી મેં બીજાની વાત, તમે તો દેખોછો સાક્ષાત । તેતો એમને વશ છે એહ, નથી એ વાતમાંહી સંદેહ ।।૫।। વળી રામાનંદજીને શ્રીકૃષ્ણ, તેનાં પૃથક મ જાણજયો દ્રષ્ણ । એતો જીવોના કલ્યાણ કાજ, પોતે સ્વયં કૃષ્ણ રહ્યા છે આજ ।।૬।। ગુરુ ઉદ્ધવ વિના નથી અન્ય, તે છે ભાગવતમાં વચન । ઇચ્છ્યા આલોક તજવા કાજે, ત્યારે વિચાર્યું કૃષ્ણ મહારાજે ।।૭।। મારૂં જ્ઞાન હું કેને આપીશ, જ્ઞાનાચાર્ય તે કેને સ્થાપીશ । જોતાં દીઠા ઉદ્ધવજી એક, આપ્યું છે જ્ઞાન કરી વિવેક ।।૮।। ઉદ્ધવ મારા આત્મા ગણું, નથી મુજથી ન્યુન એ અણું । એમ કહિ ઉદ્ધવને જ્ઞાન, આપી થયા છે અંતરધાન ।।૯।। તે ઉદ્ધવ તે જ રામાનંદ, તેના અમે છીએ ર્વિણઇંદ । કરીએ છીએ શ્રીકૃષ્ણ ભજન, એવાં સુણ્યાં ર્વિણએ વચન ।।૧૦।। પછી સાંભળી આવી એ વાત, જે કહી હતી પોતાને તાત । જાણ્યા ઉદ્ધવ તે રામાનંદ, ક્યારે મળે ને પામું આનંદ ।।૧૧।। મળે […] read more
0 Views : 131

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૪૧

પૂર્વછાયો- આણી ઉદાસી અંતરે, એમ બોલ્યા વરણિરાટ । તે સુણી મુક્તાનંદજી, અતિ કરે છે ઉચાટ ।।૧।। આવા ત્યાગી તપસ્વી,નિરમોહી વૈરાગ્યવાન । નિસ્પૃહપણું જોઈ જાણે, રખે જાતા રહે નિદાન ।।૨।। કાંઈક ઉપાય કરૂં, જેણે રહે વરણિઈંદ । પછી મીઠી વાણીએ, બોલ્યા તે મુક્તાનંદ ।।૩।। વૈશાખસુદીનો વાયદો, તે નહિ પડે ખોટો નાથ । તિયાં લગી તમે રહો, કહું કરગરી જોડી હાથ ।।૪।। ચોપાઇ- તમને કહીએ છીએ અમે એહ, તેતો જોઈને તમારૂં દેહ । તપે કરી તન છે દુબળું, નહીં પોંચાય શહેર છે વેગળું ।।૫।। ખારા સમુદ્રની છે ખાડી, તેતો ભુજ જાતાં આવે આડી । નથી સિધિ જાવા પગવાટ, અમે કહીએ છીએ તેહ માટ ।।૬।। હમણાં રહો જાળવીને પળ, હું મેલું છું લખીને કાગળ । તેનો વળતો ઉત્તર આવે, કરવું સહુને જેમ સ્વામી કાવે ।।૭।। તેની આજ્ઞા વિના નવ જાવું, અમને તો જણાય છે આવું । ત્યારે બોલ્યા હરિ તેહ પળ, સારૂં લખો સ્વામીને કાગળ ।।૮।। પછી મુક્તાનંદજી મહારાજ, બેઠા કાગળ લખવા કાજ । સ્વસ્તિ શ્રીભુજનગરમાંઈ, સ્વામી રામાનંદ સુખદાઈ ।।૯।। દીનબંધુ પતિતપાવન, ભક્તજનને મનભાવન । પુણ્ય પવિત્ર પ્રૌઢ પ્રતાપ,શરણાગતના શમાવો તાપ ।।૧૦।। કૃપાનિધિ કરૂણાના ધામ, પતિતપાવન પૂરણકામ । દયાસિંધુ દિલના દયાળ, નિજજનતણા પ્રતિપાળ ।।૧૧।। અનાથના નાથ અધમોદ્ધાર, તમને કરૂં છું નમસ્કાર । કલ્યાણકારી જે અનેક ગુણ, તેણે કરી તમે છો પૂરણ ।।૧૨।। સિદ્ધ […] read more
0 Views : 141

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૪ર

પૂર્વછાયો- સ્વસ્તિ શ્રીભુજનગરમાં, રહ્યા રાજઅધિરાજ । સવેર્શુભ શોભા ત્યાં રહે, જીયાં આપ બિરાજો મહારાજ ।।૧।। સર્વે સદ્ગુણ મણિતણી, ધરી રહ્યા તમે માળ । ભક્તજનના મંડળમાં, બહુ શોભોછો દયાળ ।।૨।। જે જન આવે આશરે, તેને આપો છો અભયદાન । કૃષ્ણભક્તિ પ્રગટ કરી, આ સમે તમે ભગવાન ।।૩।। સવેર્ગુરૂના ગુરૂ તમે, આપે ઉદ્ધવ છો તમે આજ । એવા સ્વામી રામાનંદજી, જયકારી પ્રવર્તો મહારાજ ।।૪।। ચોપાઇ- તમે સાક્ષાતકાર ઉદ્ધવ, પ્રકટ્યા જીવ તારવાને ભવ । ધર્મરક્ષા કરવાને કાજ, તમે જન્મ લીધો છે મહારાજ ।।૫।। અવધપુરી અજયવિપર, લીધો જન્મ સુમતિ ઉદર । એવા ઉદ્ધવ તમે રામાનંદ, જિજ્ઞાસુ જીવના સુખકંદ ।।૬।। તેને પૃથ્વી ર્સ્પિશ નમસ્કાર, કરૂં છું હું હજારો હજાર । એમ કરી લખું છું વિનંતિ, તમે સાંભળજયો મહામતિ ।।૭।। નીલકંઠ વર્ણી મારૂં નામ, તમ શરણ વિના નથી ઠામ । એવો હું આવ્યો શરણ તમારી, સ્વામી સહાય કરજયો અમારી ।।૮।। કોશળદેશમાં મેલી સંબંધી, કૃષ્ણ મળવા વનવાટ લીધી । પછી ફર્યો હું સર્વે તીરથે, કૃષ્ણ પ્રગટ મળે એહ અર્થે ।।૯।। એમ કરતાં આવ્યો લોજ આંઇ, રહ્યો છું તમારા સંત માંઇ । કૃષ્ણ પ્રત્યક્ષ મળવા કાજ, કરૂં આગ્રહ તે કહું મહારાજ ।।૧૦।। તપ કરૂં છું કઠણ તને, નથી મોળો હું પડતો મને । ચારે માસ ચોમાસાના જેહ, કરૂં ધારણા પારણા હું તેહ ।।૧૧।। વર્ષો વરસ ર્કાિતક માસ, કરૂં […] read more
0 Views : 163

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૪૩

પૂર્વછાયો- રાજી થઇ રામાનંદજીએ, લીધા પત્ર તે બેઉ હાથ । વર્ણી આવ્યાની વાત વાંચી, રાજી થયા આપે નાથ ।।૧।। પોતાવિષે અતિભાવ છે, તપે કરી કૃશ છે શરીર । એવાં વચન વિચારીને, આવ્યાં પોતાને નયણે નીર ।।૨।। ગદ્ગદ્ કંઠે ગિરા થઇ, ધીરા રહીને વાંચ્યા કાગળ । પછી તેહની વારતા, કહી હરિજનને આગળ ।।૩।। સુંદર આદિ સતસંગી, સુણવા આવ્યા સહુ કોય । નીલકંઠજીના ગુણને, કહેતાં સુણતાં તૃપ્ત ન હોય ।।૪।। ચોપાઇ- ધન્ય ધન્ય એ વરણિરાટ, આવ્યે ટળ્યો સરવે ઉચાટ । કહી ર્વિણની મોટપ્ય બહુ, સુણી સતસંગીએ તે સહુ ।।૫।। પછી પત્રનો પ્રતિઉત્તર, લખે છે પોતે અતિ સુંદર । બ્રહ્મચારીની પ્રશંસા કરી, રૂડો ઉત્તર લખે છે હરિ ।।૬।। શ્રી લોજપુરમાં રહ્યા સંત, તે મુજને વહાલા છો અત્યંત । તીર્થવાસિની કરો છો ટેલ, તેમાં પળ નથી પામતા વેલ ।।૭।। માંદા સાધુની કરવી સેવ, વળી તકેશું રાખવી ટેવ । તે તો કોઇથી બની ન આવે, તેહ તમે જ કરો છો ભાવે ।।૮।। દુઃખીને તમે દ્યોછો આનંદ, એવા પરમાર્થી મુનિ ઇંદ । વળી અષ્ટભાતે ત્રિયા ત્યાગી, એવા સંત તમે બડભાગી ।।૯।। માટે તમારા બ્રહ્મચર્યમાંઇ, કહું વિઘ્ન પડશો માં કાંઇ । મારી આશિષથી મુનિજન, નહિ આવે બ્રહ્મચર્યે વિઘન ।।૧૦।। તે બ્રહ્મચર્ય છે બ્રહ્મસ્વરૂપ, કહ્યું સનત્સુજાતીયે અનૂપ । શ્રી ભુજથી લખિતંગ અમે, કરજયો આશિષ ગ્રહણ તમે ।।૧૧।। શ્રીકૃષ્ણ […] read more
0 Views : 133

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૪૪

પૂર્વછાયો- પછી યોગ શીખવતાં, કરતાં તે તપ અભ્યાસ । અહોનિશ એમ કરતાં, વહી ગયો વૈશાખ માસ ।।૧।। ત્યારે ર્વિણએ વિચારિયું, આજ કાલ આવે અવિનાશ । એમ કરતાં વહિ ગયો, અરધો તે જયેષ્ઠ માસ ।।૨।। વળતાં વર્ણી વ્યાકુળ થઇ, જુવે વાટ વારમવાર । એક તપ ને ચિંતા બીજી, તેણે કૃશ થયા છે અપાર ।।૩।। આતુરતા મન અતિઘણી, થઇ સ્વામીને મળવા માટ । સ્વામી પણ પછી ત્યાં થકી, ઇચ્છ્યા દેખવા ર્વિણરાટ ।।૪।। ચોપાઇ- થયા ઉતાવળા તતકાળ, ભુજનગરમાંથી દયાળ । સુવર્ણ સરીખો આણ્યો છે રથ, બેઠા તે ઉપરે સમરથ ।।૫।। ચલાવ્યો રથ શહેર બજાર, આવ્યાં દર્શને બહુ નરનાર । તેને જોતા જોતા જગદાધાર, આવ્યા શહેરથકી પોતે બાર ।।૬।। સંગે આવ્યા છે વળાવા જન, નથી વળતા કરે છે રુદન । તેને આપે છે મહારાજ ધીર, કહે છે મ ભરો નયણે નીર ।।૭।। આ સમો નથી રોયાનો જન, કરી લીયો કહું છું દર્શન । ત્યારે જન લુઇ નીર નયણે, બોલ્યા છે અતિ દીનતા વયણે ।।૮।। કહે વહેલા આવજયો દયાળ, લેજયો નાથ અમારી સંભાળ । એમ કહીને જોડિયા હાથ, ત્યારે તે પ્રત્યે કહે છે નાથ ।।૯।। જન સર્વે રહેજયો સાવચેત, રાખજયો હરિજનશું હેત । અમે આવશું હમણાં વળી, પણ પ્રાકૃત નહિ શકે કળી ।।૧૦।। એમ કહીને ચાલિયા નાથ, સંત બે ચારને લઇ સાથ । સાંજે સાંજે […] read more
0 Views : 149
Powered By Indic IME