Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી
Per Page :

ભક્તચિંતામણિ પ્રકરણ:- ર૯

પૂર્વછાયો- ત્યાર પછીની જે વાર્તા, તમે સાંભળો સહુ સુજાણ । ત્યાગ વૈરાગ્ય જે નાથનો, તેનાં શિયાં કરૂં હું વખાણ ।।૧।। ભૂલ્યે પણ નિજ દેહને, માને નહિ કોઇ દિન । ઇશ્વર ઇચ્છાએ તન રહ્યું, પણ પોતે ન કર્યું જતન ।।૨।। પછી પ્રભુજી બેઠા હતા, ગેહેરી ગંગાને તીર । ત્યાંથી ઉઠી ઉતરિયા, જે હતું અથાહ નીર ।।૩।। ઉત્તર દિશમાં ચાલવા, અતિ અંતરમાં છે આનંદ । ઝર નગને નિઝરણે, ચાલ્યા ઘનશ્યામ સુખકંદ ।।૪।। ચોપાઇ- ચાલ્યા ઉત્તર દિશે દયાળ, નિધડક થઇ તતકાળ । મોટા મોટા પર્વત બે પાસે, જાણું અદ્રિ અડ્યા છે આકાશે ।।૫।। સામસામી ઝુકી છે શિખર્યો, બહુ બિયામણી ઘણી ઝર્યો । ચાલે નિઝરણે નીર ઘણાં, થાય ઘોષ અખંડ તે તણા ।।૬।। જેમ પરસ્પર ઝુક્યા પહાડ, તેમ ઝકુંબી રહ્યાં છે ઝાડ । નમી રહ્યું કરાડ્યું કરાળ, તેમાં ચાલ્યા જાય છે દયાળ ।।૭।। સામી નદીયે ચાલ્યા છે શ્યામ, જે કોઇ સવેર્ ના આત્મારામ । ત્યાં તો આડો આવ્યો છે અચળ, આવે તેની ગુફામાંથી જળ ।।૮।। વહે વેગમાં ધારા પ્રચંડ, થાય ઘોષ તેહનો અખંડ । ત્રણ્યે કોરે જાવા નહિ જાગ્ય, વળે કેમ જેને છે વૈરાગ્ય ।।૯।। પછી બેઠા તિયાં ઘનશ્યામ, દિન અસ્ત પામ્યો એહ ઠામ । વળતંુ જોયું પૂર્વે વિલોકી, દીઠો પુરૂષ ત્યાં એક અલોકી ।।૧૦।। તેણે વણપૂછે કહી વાત, કિયાં જાવું છે હે જગતાત […] read more
0 Views : 156

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૩૦

પૂર્વછાયો- ત્યાર પછી કૃષ્ણ દેવની, કહું કથા અતિ રસાળ । ચંચળ થયા ચાલવા,ઉત્તરદિશામાંદયાળ ।।૧।। નામી મસ્તક મુક્તનાથને, પછી નામ્યું મુક્તને શિશ । પ્રભાતે ઉઠી પધારિયા, એહ આશ્રમથી જગદીશ ।।૨।। નગ નદીયો તળાવ તિયાં, તરી ઉતર્યા તે પાર । મહા અરણ્ય જયાં મનુષ્ય નહિ, ચોંપે ચાલ્યા તેહ મોઝાર ।।૩।। હિમાચળ ભણી ચાલીયા, જોયાં તેની તળાટીનાં વન । ઝાડ પહાડ જોઇ પૃથિવી, જોયાં વિવિધે વૃક્ષ સઘન ।।૪।। ચોપાઇ- ઝાડ પહાડ ઉંચા છે અપાર રે, જાણ્યું અડ્યા આકાશ મોઝાર રે । સામસામી શાખા સંકલાણી રે, એક બીજામાં ઘણી ઘુંચાણી રે ।।૫।। વળી વિધ્યે વિધ્યે વેલી જેહ રે, એક બીજામાં ઉરઝી તેહ રે । વન વેલી ઘુંચાણી છે ઘાટી રે, જેને જોઇ છાતિ જાય ફાટી રે ।।૬।। એવું ઘાટું વન છે વિષમ રે, જેમાં ન પડે રાત્યદિની ગમ રે । ન દિસે ઉગી આથમે દન રે, એવું ઝાડે છે વન સઘન રે ।।૭।। તિયાં ફળ ફુલ ફુલ્યાં કઇ રે, કંદ મૂળતણો પાર નઇ રે । વળી સર સરિતા અપાર રે, અતિ અમળ જળ તે મોઝાર રે ।।૮।। વળી ગેહેરી ગુફા ત્યાં ઘણી રે, જાણું બહુ રહ્યાં મંદિર બણી રે । વળી પશુ ને પક્ષી ત્યાં ઘણાં રે, ફરે ટોળાં બોળાં તેહતણાં રે ।।૯।। સિંહ શાદૂર્ લ કાવે કેસરી રે, કપિ કુરંગ ને કઇ કરી […] read more
0 Views : 158

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૩૧

પૂર્વછાયો- વળી કહું એક વારતા, સુણો સહુ થઇ સાવધાન । કૃપાનિધિ કૃષ્ણદેવનાં, કહું ચરિત્ર અમૃત સમાન ।।૧।। નાથ પ્રતાપે નિજ આતમા, દેખે અખંડરૂપે અનુપ । તેની બ્રહ્મ સાથે કરી એકતા, પછી થયા બ્રહ્મસ્વરૂપ ।।૨।। એવા યોગને શિખિયા, ગોપાળયોગી જેહ । સ્નેહે કરી શ્રીહરિએ, તેને શિખવિયું છે તેહ ।।૩।। તેણે કરી તર્ત થયા, યોગી તે બ્રહ્મસ્વરૂપ । અતિ પ્રકાશક આતમા, તેહ જાણ્યું પોતાનું રૂપ ।।૪।। ચોપાઇ- પછી યોગીને જણાણું એમ, આને મનુષ્ય કહેવાય કેમ । થયું જ્ઞાન યથારથ જયારે, બોલ્યા ગોપાળયોગી તે વારે ।।૫।। નરનારાયણ ઋષિરાય, થઇ બ્રહ્મચારી આવ્યા આંય । બહુ જીવનાં કરવા કાજ, આપે પ્રગટ થયા મહારાજ ।।૬।। એમ નિશ્ચે કર્યો નિરધાર, નારાયણ તે આ બ્રહ્મચાર । એવા જાણી પછી ધર્યું ધ્યાન, ચોટી વૃત્તિ મૂર્તિમાં એકતાન ।।૭।। તેણે વિસરિયો નિજ દેહ, થયો મૂર્તિમાં અતિ સનેહ । જાણ્યું આપ મળ્યું સુખ મોટું, બીજું સરવે લાગ્યું છે ખોટું ।।૮।। એવા મોટા યોગી જે ગોપાળ, તેતો ભુલ્યા દેહ થોડે કાળ । અતિ વિસ્મૃતિ થઇ જયારે, મુક્યો માયિક દેહને ત્યારે ।।૯।। પછી શ્રીકૃષ્ણ દેવ પ્રતાપે, ગયા ગોલોકમાં યોગી આપે । પછી બ્રહ્મચારી નીલકંઠે, કરી ક્રિયા તેની રૂડી પેઠે ।।૧૦।। પછી મુકી પોતે એહ સ્થાન, ચાલ્યા પૂરવમાં ભગવાન । રહી અખંડ બ્રહ્મસ્વરૂપ, ચાલ્યા આપે આપ બ્રહ્મરૂપ ।।૧૧।। નાસાગ્ર દષ્ટિ કરીને સ્થિર, ચાલ્યા જેમ કમાનનો […] read more
0 Views : 171

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૩ર

પૂર્વછાયો- શુભમતિ સહુ સાંભળો, હરિકથા કહું અનૂપ । દુષ્ટને દુઃખદાયી છે, છે સંતને સુખરૂપ ।।૧।। અસુર જે અવનિ રહ્યા, બદલાવીને બીજો વેશ । તેને તે અથેર્શ્રીહરિ, ફરે છે દેશ પ્રદેશ ।।૨।। જે કારણ અવતાર છે, તે કરવા થયા છે તૈયાર । હરિ ઇચ્છાએ આવિયા, પ્રભુ એહ વાડી મોઝાર ।।૩।। પિબૈક ત્યાં પરિયાંણિયો, કરવા તે સિદ્ધોની ઘાત । નિદાન તેમાંથી જે નિપજયું, તેની સાંભળજયો સહુ વાત ।।૪।। ચોપાઇ- હતો બ્રાહ્મણ મોરે એ શુદ્ધ, મળી વામિએ કર્યોઅશુદ્ધ । કૌલાવર્ણવે ભણેલે ભુદેવે, મળી ભષ્ટ કર્યો તતખેવે ।।૫।। થયો કાલી ઉપાસક ભારી, નિત્ય પ્રત્યે પિવે કુળવારી । વળી સિદ્ધને જીતવા કાજ, તેદિ સજયો સરવે સમાજ ।।૬।। મદ્ય માંસ ખાઇ થયો મસ્ત, તિખું ત્રિશુળ લીધું છે હસ્ત । કર્યો સિંદૂરલેપ લલાટે, ચાલ્યો સિદ્ધને જીતવા માટે ।।૭।। રજે ભિંજેલ કુંકુમ લઇ, ચાલ્યો કપાળે ચાંદલો દઇ । વળી કુળવારી ખુબ પીધું, વધ્યું તે શરીરે છાંટી દીધું ।।૮।। ચાલ્યો મત્સ્ય ચાવી મદમાતો, શિશે બાંધ્યો છે પટકો રાતો । માથે ઘણા ઘુંચાળા મુવાળા, તે દિસે છે ભૂંડા ભમરાળા ।।૯।। સિદ્ધ પ્રસિદ્ધ પોતે કહેવાય, તેને જાણે સહુ દેશમાંય । કોઇ સામું આવીને ન ભાખે, ભાખે જો કોઇ તો મારી નાખે ।।૧૦।। એવો ભૂંડાએ ભર્યો અપાર, મદ્ય ચાર વારનો પિનાર । કંઠે બાંધ્યાં છે અસ્થિ માંજાર, થયો સિદ્ધ જીતવા તૈયાર ।।૧૧।। […] read more
0 Views : 142

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૩૩

પૂર્વછાયો- બહુ નામી કૃષ્ણદેવનાં, સુણો સવેર્ચરિત્ર રસાળ । ભક્ત અભક્ત કારણે, ફરે હદ્ય બેહદ્યે દયાળ ।।૧।। સંતને સુખ આપવા, દેવા દુષ્ટજનને દંડ । તેજ કારણ પ્રભુએ, પૃથિવીએ ધર્યું છે પંડ ।।૨।। જીયાં જીયાં જાવું ઘટે, તિયાં તિયાં જાય જરૂર । સુખ દુઃખ ભૂખ પ્યાસનું, નથી ગણતા નિકટ દૂર ।।૩।। પછી એકા એક ચાલિયા, મહાવિકટ અદ્રિમાંય । નવ લાખ યોગીને નિરખવા, ચાલ્યા પ્રભુજી બહુ ઉછાય ।।૪।। ચોપાઇ- ચાલ્યા પર્વત પેખવા હરિ, આવ્યો અતિવસમો અદરિ । જાવા વાટ જડે નહિ જીયાં, જાવું જરૂર પોતાને તિયાં ।।૫।। જાતાં એ દિશે મનુષ્યે વાર્યું, પણ કર્યું છે પોતાનું ધાર્યું । ચડ્યા પર્વત ઉપર પોતે, ચાલ્યા શૈલતણી શોભા જોતે ।।૬।। આવી નવલાખ ધુણી રૂપાળી, તે તો સહેજે બળે વણબાળી । તિયાં કુંડ દિઠા છે અપાર, ભર્યાં જળ અમળ તે મોઝાર ।।૭।। ક્યાંક ટાઢાં જળ ક્યાંક ઉનાં, એમ બહુ કુંડ દીઠા નીરુના । પછી ત્યાંના રહેનારા જે સિદ્ધ, મળ્યા તે પણ આવી પ્રસિદ્ધ ।।૮।। જેની કોઇને ભેટ ન હોય, મર મોટા મુક્તયોગી હોય । તેને સહુને મળ્યા એકવાર, કર્યા પરસ્પર નમસ્કાર ।।૯।। પછી પ્રેમે બેઠા સહુ પાસ, પુછ્યો યોગીને યોગ અભ્યાસ । કહ્યું તેણે તેનું વરતંત, સુણી હરિ હરખ્યા અત્યંત ।।૧૦।। કહ્યું સિદ્ધને છો ધન્ય ધન્ય, એમ કહી રહ્યા ત્રણ્ય દન । આપી આનંદ ત્યાંથી ઉતર્યા, ચાલ્યા […] read more
0 Views : 130

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૩૪

પૂર્વછાયો- ત્યાર પછી જે જે કર્યું, તે સાંભળો વાત સરેશ । એટલું કામ કરી હરિ, પછી ચાલિયા દક્ષિણ દેશ ।।૧।। એકાએક અરણ્યમાંહિ, રહેવા રાજી છે મન । શહેર ન ઇચ્છે સ્વપ્ને, વહાલું લાગે છે વસવું વન ।।૨।। ભક્તિધર્માદિ ભેળાં રહે, દિવ્ય દેહ ધરીને સોઇ । તેહ વિના જીવ જક્તના, નથી ગમતા બીજા કોઇ ।।૩।। ત્યાગ વૈરાગ્ય તનમાં, તેણે મગન રહે છે મન । નાવે બીજા નજરે, જે નોય હરિના જન ।।૪।। ચોપાઇ- એવા શ્રીહરિ બહુ નિસ્પ્રેહ, અણઇચ્છાએ ચાલિયા તેહ । આવ્યા આદિકૂરમ તીરથ, સુખદાઇ હરિ સમરથ ।।૫।। તેને સમીપે માનસા શહેર, આવ્યા તિયાં કરી હરિ મેર । તેનો રાજા છે અતિ પવિત્ર, જેણે બાંધ્યાં છે અન્નનાં ક્ષેત્ર ।।૬।। અન્નારથી આવે જેહ જન, તેને ભાવે કરાવે ભોજન । તેણે દીઠા એહ બ્રહ્મચારી, જોઇ મનમાં રહ્યો વિચારી ।।૭।। કહે આતો મોટા કોઇ અતિ, પછી રાખ્યા છે કરી વિનતિ । રાખ્યા એકાંતે વરણિરાટ, અતિ ત્યાગી તપસ્વી તે માટ ।।૮।। એક એકાંતે ઓટો સુંદર, રહ્યા તિયાં પ્રભુ તે ઉપર । પછી રાજા રાજાના સેવક, કરે ચાકરી કરી વિવેક ।।૯।। નિત્ય પ્રત્યે કરે એમ સેવ, જાણે મહાત્મા છે મોટા દેવ । કરે સન્માન જોઇ ત્યાગી, બીજા ભેખનું પડીયું ભાંગી ।।૧૦।। ત્યારે અસુર ત્યાંના રહેનાર, કહે આતો છે આપણો માર । જેણે દૈત્ય સમૂહ મરાણો, તેનું […] read more
0 Views : 128

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૩પ

પૂર્વછાયો- શુભમતિ સહુ સાંભળો, એમ કરતાં કરતાં કાજ । ત્યાંથકી હરિ આવિયા, ભૂતપુરીમાં મહારાજ ।।૧।। રામાનુજની ત્યાં મૂરતિ, કર્યાં પોતે ત્યાં દર્શન । કાંયેક દિન ત્યાં રહી, પુછ્યું ત્યાગી પ્રત્યે પ્રશન ।।૨।। ઉત્તર તેનો દક્ષણાદિયે, ન થયો જયારે જરૂર । ત્યારે તે ઉઠ્યા મારવા, થઇ ક્રોધમાં ચકચુર ।।૩।। કહે આવ્યો તું કાલ્યનો, તે લેછે અમારી લાજ । એવું પ્રશ્ન અટપટું, તારે પુછવાનું શું કાજ ।।૪।। ચોપાઇ- હરિ નિરમાની અતિનેક, બોલ્યા નહિ તે કરી વિવેક । ક્ષમાવંત અત્યંત છે શાંતિ, ક્રોધ આવ્યો નથી જેની પાંતિ ।।૫।। અતિધીર ગંભીર છે ઘણા, શુંકહીએ સદ્ગુણ તે તણા । પછી સારૂં કહીને સધાવ્યા, ત્યાંથી કુમારી કન્યાયે આવ્યા ।।૬।। વળતાં પદ્મનાભમાં પધાર્યા, ત્યાંના વાસીને મોદ વધાર્યા । પછી આવ્યા જનાર્દને નાથ, ચાલે એકલા ન જુવે સાથ ।।૭।। ત્યાંથી આવ્યા છે આદિકેશવે, તેની વાત સુણો કહું હવે । તેને સમીપે સુંદરપુર, ત્યાં દીઠા દો સહસ્ર અસુર ।।૮।। તે તો હરિના છે વેરવાઇ, દેખી ઉઠ્યા છે મારવા ધાઇ । કહે આપણો માર એકલો, આવ્યો હાથ હવે રખે મેલો ।।૯।। એમ કહીને આવ્યા મારવા, ત્યારે લોકે માંડ્યું છે વારવા । તેની વાત કાને નવ ધરી, ત્યારે રાજાને ખબર પડી ।।૧૦।। કહે રાજા અન્યાય માં કરો, કાંઇક પ્રભુના ડરથી ડરો । ત્યારે રાજા પ્રત્યે કહે અસુર, એને મારશું અમે જરૂર […] read more
0 Views : 119

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૩૬

રાગ: સામેરી- રૂડું સ્વામી રામાનંદનું, આખ્યાન કહું અનૂપ । જે આપે ઉદ્ધવજી અવતર્યા, તે થયા રામાનંદરૂપ ।।૧।। જેહ પુરી જેહ કુળમાં, જેહ ગોત્ર જેહ માત તાત । જીયાં ઉદ્ધવજી અવતરી, કાવ્યા રામાનંદ સાક્ષાત ।।૨।। જેમ મુક્યું નિજ ગેહને, જેમ શીખ આપી માત તાત । જેમ આવ્યા આ દેશમાં, કહું તેની સર્વે વાત ।।૩।। સહુ મળી હવે સાંભળો, સારી કથા છે આ અનૂપ । કહું ચરિત્ર કોડામણું, રામાનંદજીનું રસરૂપ ।।૪।। દુર્વાસાના શાપથી, ઉદ્ધવે ધર્યો અવતાર । પૂર્વ દિશે અયોધ્યાપુરી, ત્યાં બ્રાહ્મણ સુંદર સાર ।।૫।। ભક્ત શ્રીભગવાનના, વળી સદા સત્યવાદીપણું । વિદ્યાવાન અમાન આપે, ઇંદ્રિયજીત અતિશે ઘણું ।।૬।। પાપરહિતા પુણ્યવંતા, સ્વધર્મમાં સાવધાન । ઉચ્ચકુળે આચાર અતિ, ઘણું ઘણું ગુણવાન ।।૭।। કશ્યપ ગોત્ર ને ઋગ્વેદ, આશ્વલાયન શાખા જેહની । અજયનામે વિપ્ર પવિત્ર, સુમતિ પત્ની તેહની ।।૮।। તેને તે ઘેર પ્રકટયા, ઉદ્ધવ આપે ઉદાર । સંવત્ સત્તર પંચાણવે, શ્રાવણવદી આઠ્યમ સવાર ।।૯।। તેહ સમે ઉદ્ધવજીએ, આપે ધર્યો અવતાર । જન્મ સમે જયજય શબ્દે, વદે છે નર ને નાર ।।૧૦।। આનંદ વાધ્યો અતિ ઘણો, ઘેર ઘેર મંગળ ગાય । વિધ્યે વિધ્યે કરે વધામણી, વળી હૈયે હર્ષ ન માય ।।૧૧।। વળતા તે વિપ્ર તેડાવિયા, તેહ આવિયા નિજધામ । જન્મ અક્ષર જોઇને, કહે નામ એનું શ્રીરામ ।।૧૨।। શુભ વાર ચોઘડિયું, શુભ ઘડી પળ લગન । એવા સમામાં […] read more
0 Views : 120
Powered By Indic IME