Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી
Per Page :

ભક્તચિંતામણિ પ્રકરણ:- ર૧

પૂર્વછાયો- શુભમતિ સહુ સાંભળો, કહું કથા તે અનુપ । ત્યાર પછીની જે વાર્તા, છે સહુને તે સુખરૂપ ।।૧।। એજ વર્ષ વૈશાખ માસે, શુક્લ દ્વિતીયા દિન । પતિવ્રતા પ્રેમવતીએ, જનમ્યા તે પુત્ર પાવન ।।૨।। ગુણે કરી પ્રદ્યુમ્ન સરખા, સ્વભાવે સંત સમાન । પ્રીતિ પ્રગટ ભગવાનમાં, નામ ઇચ્છારામ ગુણવાન ।।૩।। એજ અનુજ મહારાજના, જાણજયો જગ વિખ્યાત । ત્યાર પછી હવે શ્રીહરિની, સાંભળજયો સહુ વાત ।।૪।। ચોપાઇ- પછી પ્રભુ બુદ્ધિએ વિશાળ રે, તેને બેસારીયા છે નિશાળ રે । વૈશાખશુદી બારસ દિનેરે, કઢાવ્યા અક્ષર હરિજીને રે ।।૫।। લાગી લક્ષ્મીનારાયણ પાય રે, પૂજી શારદા ગણપતિ રાય રે । કરી હોમ જમાડ્યા વિપર રે, શિખવાને સુવિધા સુંદર રે ।।૬।। એમ કર્તાં થોડે ઘણે દિન રે, શિખ્યા વિદ્યા પરમ પાવન રે । જોઇ ધર્મે સુત બુદ્ધિ બોત રે, ભણાવ્યા બે વેદ અંગે સોત રે ।।૭।। શિખ્યા શાસ્ત્ર તે અર્થે સહિત રે, થયા વિદ્યાવાન બ્રહ્મવિત રે । હતા વાચાળ ને વિદ્યા જોઇ રે, કરે ચર્ચા પહોંચે નહિ કોઇ રે ।।૮।। પુછે જિયાં તિયાં પોતે પ્રશ્ન રે, તેનો ન કરે ઉત્તર કોઇ જન રે । જાય સર્જૂમાં નાવા એકલા રે, ઉઠી બ્રાહ્મમુહૂર્તમાં વેલા રે ।।૯।। આવે નાહિને ઘરમાં જયારે રે, કરે રામજીની પૂજા ત્યારે રે । ધૂપ દીપ પુષ્પ ફળ પત્ર રે, તેણે પૂજીને ભણે છે સ્તોત્ર રે ।।૧૦।। […] read more
0 Views : 166

ભક્તચિંતામણિ પ્રકરણ:- રર

પૂર્વછાયો- સહુ જન મળી સાંભળો, પછી ધર્મે કર્યો વિચાર । જન્મ થકી મહારાજને, વર્ષ વીત્યું અષ્ટમું આ વાર ।।૧।। જનોઇ દેવા જનકને, અતિ આનંદ ઉર ન માય । દેશ દેશના જયોતિષિ, તેડાવ્યા દ્વિજરાય ।।૨।। પુષ્પ ફળે પૂજા કરી, પછી કહ્યું પ્રીતે શું વચન । ઉપવીત દેવા આ સુતને, તમે શોધી કાઢો શુભ દિન ।।૩।। જોઇ જોષ જોષી બોલીયા, વર્ષ આઠમું છે આ અનુપ । માઘશુદી દશમી દિને, શુભ મુહૂર્ત છે સુખરૂપ ।।૪।। ચોપાઇ- પછી રાજી થઇ માત તાત, નિશ્ચય કરીને માની એ વાત । મંગાવ્યા સાજ સમાજ ઘણા, કોઇ વાતની ન રાખી મણા ।।૫।। પછી કંકોતરી ગામો ગામ, મેલી લખી સરવેનાં નામ । રૂડી રીતે શણગાર્યાં ઘર, ચિત્ર વિચિત્ર કર્યાં સુંદર ।।૬।। રોપ્યા રંભાના સ્થંભ તે દ્વાર, બાંધ્યાં તરિયાં તોરણ બાર । છાંટ્યાં અગર ચંદને એવાં, તેણે શોભે છે વૈકુંઠ જેવાં ।।૭।। રોપ્યા મંડપ પુર્યા છે ચોક, જોઇ થકિત થાય શહેર લોક । દિવી ફાનસો કાચની હાંડી, વાસી દીપ હારોહાર માંડી ।।૮।। નીલા પીળા ભર્યા રંગ રાતા, શોભે સારા કહ્યે નથી જાતા । અતિ ઉત્સાહે આદર્યો જંગ, દેવા ઉપવીત ઉરે ઉમંગ ।।૯।। પછી જે જે તેડાવ્યાંતાં જન, તેતો આવ્યાં નવમી ને દિન । રથ વેલ્ય ને ગાડલાં લઇ, આવ્યાં અશ્વ પર ચડી કઇ ।।૧૦।। બાળ યુવા વૃદ્ધ નરનારી, આવ્યાં સર્વે […] read more
0 Views : 160

ભક્તચિંતામણિ પ્રકરણ:- ર૩

પૂર્વછાયો- ઉપવીત ઉત્સવ પૂરો થયો, સુંદર સારો નિદાન । ત્યાર પછીની જે વારતા, સહુ સાંભળો થઇ સાવધાન ।।૧।। ધર્યા ધર્મ હરિએ બહુ, જે જે કહ્યા ગુરુદેવ । માતાપિતાની મહાત્મ્યે, કરે છે બહુપેર સેવ ।।૨।। પણ અખંડ રહે છે અંતરે, ઘર ત્યાગ કરવા ઘાટ । ક્યારે મેલીશ આ ઘરને, હું ક્યારે લઇશ વનવાટ ।।૩।। જે અર્થે આ અવતાર છે, તે કરીશ હું કૈયે કાજ । ધર્મ સ્થાપું અધર્મ ઉત્થાપી, એમ વિચારે મહારાજ ।।૪।। ચોપાઇ- અઘમઘના ચાલણ હાર રે, એવા અસુર જગે અપાર રે । તેને મોહ પમાડીને મારૂં રે, ધરાપર ધર્મને હું ધારૂં રે ।।૫।। શુદ્ધ ધર્મે રાખું નરનાર રે, એહ અર્થે છે આ અવતાર રે । પણ હમણાં ત્યાગું જો ગેહ રે, મરે માબાપ મારે સનેહરે ।।૬।। માટે બ્રાહ્મણનો છે જે શાપ રે, તેથી મુકાય દંપતિ આપ રે । તેદિ નિશ્ચે હું ત્યાગીશ ઘર રે, ગુઢ વિચાર એવો અંતર રે ।।૭।। પછી વિદ્યા ગુરુ તાત કરી રે, વેદ ત્રીજો ભણી લીધો હરિ રે । મોટી બુદ્ધિવાળા છે દયાળ રે, જેહ શિખે તે અચિર કાળ રે ।।૮।। જોઇ વિસ્મય પામે સૌ જન રે, પામે આશ્ચર્ય કહે ધન્ય ધન્ય રે । પછી ધર્મ તે ભણ્યાતા જેહ રે, સર્વે હરિને ભણાવ્યું તેહરે ।।૯।। વેદ શાસ્ત્ર ને કાવ્ય પુરાણ રે, મહાભાષ્યાદિ ભણ્યા સુજાણ રે […] read more
0 Views : 185

ભક્તચિંતામણિ પ્રકરણ:- ર૪

પૂર્વછાયો- એટલી વાત એમ થઇ, તમે સાંભળો સહુ સુજાણ । કથા કહું ત્યાર કેડ્યની, શુદ્ધ બુદ્ધિ ને સુખખાણ ।।૧।। બહુ હેતે હરિકૃષ્ણનાં, જે ચરિત્ર ધરશે ચિત્ત । હશે મહા પંચ પાતકી, તોય થાશે તર્ત પુનિત ।।૨।। એવો યશ એ અનુપ છે, સુભાગી સાંભળશે કાન । ત્યાર પછીની જે વારતા, સહુ સાંભળો થઇ સાવધાન ।।૩।। પ્રેમવતી બાળા ભગતિ કહીએ, ત્રણે જેહનાં નામ । તેના તનમાં તપ્ત આવી, વળતાં પામ્યાં વિરામ ।।૪।। ચોપાઇ- ર્કાિતક શુદી અષ્ટમીને દને રે, તેદિ માંદાં થયાં માતા તને રે । જેનું વ્રત તપે કરી દેહ રે, અતિ શિથિલ થયું છે તેહ રે ।।૫।। ફુલ મૃદુલસમ છે કાય રે, અતિશે કોમળ ન સહેવાય રે । તેને જોઇ જયેષ્ઠ સુત જેહ રે, કરે ઔષધ ઉપાય તેહ રે ।।૬।। કરી ઔષધ વિધિ અનેક રે, તેની ટાંકી લાગી નહિ એક રે । ત્યારે પ્રભુએ કર્યો વિચાર રે, નહિ રહે તન નિરધાર રે ।।૭।। આપું જ્ઞાન માને આણિ પળે રે, જેણે કરી તર્ત દુઃખ ટળે રે । ત્યારે હરિ કહે સાંભળો માત રે, એકચિત્ત દઇ મારી વાત રે ।।૮।। સતશાસ્ત્રમાં મળતાં વેણ રે, આવા સમામાંહિ સુખદેણ રે । જન્મમરણ રૂપ માયા મારી રે, તેતો સર્વેને છે દુઃખકારી રે ।।૯।। પંચરાત્ર સાંખ્યયોગ વાળા રે, એમ કહે છે માનો માતા બાળા રે । માટે […] read more
0 Views : 176

ભક્તચિંતામણિ પ્રકરણ:- રપ

પૂર્વછાયો- સહુ મળી વળી સાંભળો, કહું ત્યાર પછીની રીત । ધર્મદેવની વારતા, તમે સાંભળજયો દઇ ચિત ।।૧।। સાંખ્યયોગને આશરી, રહ્યા પોતે સ્વધર્મને માંય । નિશદિન શ્રીકૃષ્ણનું, સ્મરણ કરે છે સદાય ।।૨।। પ્રવૃત્તિ મનથી પરહરી, કરી વિષયવાસના ત્યાજ । સ્વાદ રહિત થોડું જમે, બ્રહ્મચર્ય રાખવા કાજ ।।૩।। તપે કરી તન કૃષ છે, ધ્યાન યોગનું છે બળ । સુત તેની સેવા કરે, નિરજર જાણું નિરમળ ।।૪।। ચોપાઇ- પોતાના સુત ભગવાન જેહ, હરિ સાથે છે બહુ સનેહ । તેહ વિના તપ જોગવતિ, મનને શુદ્ધ કર્યું છે અતિ ।।૫।। એવા સમામાં દેહ લક્ષણ, થાવા લાગ્યાં તને તતક્ષણ । ફરકી આંખ્ય ભુજ ડાબું અંગ, થયાં શુકન જાણ્યાં કુઢંગ ।।૬।। વળી સ્વપ્નાં લાધાં છે જેહ, અતિ અવળાં જણાણાં તેહ । જાણું રવિ શશિ વળી ઉડુ, પડ્યાં ભૂમિએ તે પણ ભુડું ।।૭।। કર્યો શાસ્ત્ર દષ્ટિએ વિચાર, આવ્યું મૃત્યું જાણ્યું નિરધાર । જાણ્યું થોડા દાડામાંહિ દેહ, પડશે એમાં નહિ સંદેહ ।।૮।। પછી શ્રીકૃષ્ણનાં બાળચરિત્ર, દશમમાં કહ્યાં છે પવિત્ર । તેનો નિત્ય નિત્ય પાઠ કરે, કૃષ્ણમૂર્તિ ઉરમાં ધરે ।।૯।। બીજા થકી છે બહુ ઉદાસ, એમ કર્તાં વીત્યો એક માસ । પ્રેમવતીનો માસિસો જેહ, કર્યો શાસ્ત્રના વિધિએ તેહ ।।૧૦।। શ્રાદ્ધ સારી જમાડ્યા વિપર, કર્યો માસિસો સારો સુંદર । પછી માસે માસે નિરધાર, જમ્યા દ્વિજ હજારો હજાર ।।૧૧।। એમ કર્તાં સાત […] read more
0 Views : 153

ભક્તચિંતામણિ પ્રકરણ:- ર૬

પૂર્વછાયો- સર્વે મળી હવે સાંભળો, અતિ વાત કહું અનૂપ । હરિ ઉપાસી જનને, છે સાંભળતાં સુખરૂપ ।।૧।। ચર્ણે ચર્ણે ચરિત્ર ચવ્યાં, કૃષ્ણદેવનાં બહુ બહુ । અમૃતવત કથા એહ, સદમતિ સુણશે સહુ ।।૨।। વચન છે ધર્મ દેવનાં, પુત્ર પ્રત્યે પરમાણ । શ્રવણ દઇ જે સાંભળે, તે પામે પદ નિરવાણ ।।૩।। પછી ધર્મે સુત તેડાવિયા, દેવા શિખામણ સુખ કાજ । અંત સમે નિધિ આપવા, ઇછ્યા આપે મહારાજ ।।૪।। ચોપાઇ- પછી તેડાવિયા સુત દોય, આવી બેઠા વંદન કરી સોય । જયારે પુત્ર લાગ્યા આવી પાય, તેહ પ્રત્યે બોલ્યા ધર્મરાય ।।૫।। હે પુત્ર તમે મારૂં વચન, હિતકારી છે માનજયો મન । કહું રહસ્ય તણી વાત એહ, ધરો હૃદયમાં કરી સ્નેહ ।।૬।। મારા વચનમાંહિ પ્રતીત, હોય તો તમે ધારજયો ચિત । ત્યારે કર જોડી કહે બેઉ ભ્રાત, અમે માનશું કહો તમે તાત ।।૭।। જે જે કહેશો આ સમે વચન, તે તે સત્ય માનવાં છે મન । ત્યારે ધર્મ કહે સુત શ્રેષ્ઠ, રાધાકૃષ્ણ જે આપણા ઇષ્ટ ।।૮।। જેને ઉપાસું છું આઠું જામ, તેજ કૃષ્ણ આ શ્રીહરિ નામ । મારા સુત ને તમારા ભાઇ, તે છે કૃષ્ણ માનો મનમાંઇ ।।૯।। હરિરૂપ આ કૃષ્ણ સાક્ષાત, તેની ભક્તિ કરજયો બે ભ્રાત । રહેજયો એના વચનમાં નિત્ય, કરજયો સેવા કરી બહુ પ્રીત્ય ।।૧૦।। વળી કૃષ્ણની પ્રતિમા જેહ, આપણે પૂજીએ છીએ […] read more
0 Views : 169

ભક્તચિંતામણિ પ્રકરણ:- ર૭

પૂર્વછાયો- ત્યાર પછીની વારતા, સુણજયો સહુ રૂડી પેર । બરોબરનાં બાળકાં, આવ્યાં હરિને મળવા ઘેર ।।૧।। આવીને કહ્યું ભાઇને, ક્યાં ગયા હરિ મહારાજ । શોધું છું અમે સવારનાં, પણ મળ્યા નહિ એહ આજ ।।૨।। જેજે સ્થળે જાતાં અમે, તે તો શોધ્યાં સર્વે ઠામ । ક્યાંય ન મળ્યા નીલકંઠજી, ઘણું ગોત્યા અમે ઘનશ્યામ ।।૩।। ત્યારે ભાઇ ભોજાઇ સાંભળી, વળી પેટમાં પડી ફાળ । આથમ્યા લગી ન આવિયા, ક્યાં હશે હરિ દયાળ ।।૪।। રાગ: વેરાડી એ પછી પડી રાત્ય, ભ્રાત જોઇને રે । હૈયું ન રહ્યું હાથ, દીધું રોઇને રે ।।૫।। એ ભોજાઇ તન ભાન, ભુલ્યાં સાંભળી રે । પ્રેમે થઇ પરવશ, પડ્યાં ભોંયે ઢળી રે ।૬। એ પછી ઉઠી એમ બોલ્યા વાણીયે રે । સ્વામી શોધી શહેર એને ઘેર આણિયે રે ।।૭।। એ સસરે ભલામણ્ય, આપીતી એહની રે । સાંજ સુધી ખબર ન લિધી તેહની રે ।।૮।। એવું જાણી દોય દર્દે ડોલિયાં રે । ખાન પાન ખબર સર્વે ભૂલિયાં રે ।।૯।। એ અનુજ ઇચ્છારામ, રુવે ઘરમાં રે । પડીયા બેઉ ભાઇ, શોકસાગરમાં રે ।।૧૦।। એ મારા ભાગ્યની વાત, કહીએ કેહને રે । બાળપણામાં માયે, મુક્યો દેહને રે ।।૧૧।। એ જાણું નીલકંઠ, લાડ લડાવશે રે । તે પણ ગયા ક્યાંય, કૈયેં આવશે રે ।।૧૨।। એ પછી જોવા કાજ, સર્વે ચાલિયાં રે । […] read more
0 Views : 153

ભક્તચિંતામણિ પ્રકરણ:- ર૮

પૂર્વછાયો- વળી સુણો સહુ શુભમતિ, કહું ત્યાર પછીની વાત । બહુનામી મહારાજની, જે રહ્યા છે વનમાં રાત્ય ।।૧।। વેરણ રજની વહી ગઇ, થયું સુંદર સારૂં સવાર । ઉત્તર દિશને ઉપરે, થયા ચાલવા પોતે તૈયાર ।।૨।। હિમાલય જોવા હામ છે, ઝાઝું હેત છે જોવા ઝાડ । ઘણાક દહાડા ચાલતાં, આવ્યો પ્રથમ કાળો પહાડ ।।૩।। પ્રૌઢ પહાડ ઝાડ અતિ, જયાં પશુનો નહિ પાર । મનુષ્યજાતિ મળે નહિ, પોત્યા પોતે વન મોઝાર ।।૪।। ચોપાઇ- જોઇ કાળા ગિરિની તળાટી, વન સઘન ને ઘણી ઘાટી । જિયાં ન પડે સૂર્ય પ્રકાશ, તિયાં કીધો પોતે જઇ વાસ ।।૫।। જિયાં પહાડ પ્રૌઢ પ્રચંડ, વૃક્ષ કરે છે વાતો બ્રહ્માંડ । તેનાં પુષ્પ પત્ર મૂળ કંદ, જેહ જમે તે પામે આનંદ ।।૬।। અતિ રસાળ કોમળ ફળ, વહે નદીએ નિર્મળ જળ । તિયાં પશુ ને પક્ષી અપાર, ફરે હમેશાં વન મોઝાર ।।૭।। સિંહ વ્યાઘ્ર વરાહ મહિષુ, પાડે ગજ ગેંડા બહુ ચિશું । રિંછ ભીંછ સામસામાં હુકે, માંહિ કેશરી સિંહ તાડુકે ।।૮।। સુરાગાયો ને રોઝડાં ઘણાં, ફરે ટોળાં સેમર શ્યાળતણાં । વરૂ વાનર ને રૂરૂ રમે, કસ્તુરિયાં મૃગ કઇ ભમે ।।૯।। મનુષ્ય માત્ર મળે નહિ જેમાં, ફરે પોતે એકાએક તેમાં । કઠણ ભૂમિ ને કાંકરા અતિ, કરે કોમળ ચરણે ત્યાં ગતિ ।।૧૦।। કાંટા ફ્રંગટામાં નિત્ય ફરે, ભૂત પ્રેત દૈત્યથી ન ડરે […] read more
0 Views : 186
Powered By Indic IME