Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી
Per Page :

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૩

પૂર્વછાયો- સ્વામી કહે છે ધર્મને, તમે સાંભળો વાત સિદ્ધાંત । શુદ્ધમતિ અતિ ઓળખી, હવે કહું ધર્મ એકાંત ।।૧।। ત્યાગી ગૃહી નરનારીની, કહું રીત તે રૂડી પેર । તમે રહેજયો રખાવજયો, જયારે જાઓ તમારે ઘેર ।।૨।। ઉત્તમ રીતને અનુસરી, તમે વર્તજયો નરનાર । અશુદ્ધ રીત હોય જગમાં, તોય કરશો માં કોઇ વાર ।।૩।। શુદ્ધ રીત હવે સાંભળો, સંક્ષેપે કહું સુજાણ । જેણે કરી ત્યાગી ગૃહી, પામે પદ નિર્વાણ ।।૪।। ચોપાઇ- કહું શ્રાદ્ધ યજ્ઞે પશુઘાત રે, કરવી નહિ સાંભળો વાત રે । એકાદશ ત્રણ પ્રકાર રે, સુરા પીવી નહિ કોઇ વાર રે ।।૫।। શુદ્ધ ઔષધિમાં મદ્ય મળે રે, તે ન ખાવું પીવું કોઇ પળે રે । યજ્ઞશેષ માંસ લેશ જેહ રે, ભુલ્યે ભક્ષ ન કરવું તેહ રે ।।૬।। સુણો ધર્મદેવ વાત મારી રે, પુણ્ય સારૂંએ ન કરવી ચોરી રે । પરત્રિયાનો સંગ ન કીજે રે, કેદિ ત્રિયાનું દાન ન દીજે રે ।।૭।। ત્રિયામાત્ર જાર નર જોઇ રે, આપત્કાળે ન રહે સંગ સોઇ રે । વળી ત્યાગી નર હોય જેહ રે, તેને સ્પર્શે નહિ નારી દેહ રે ।।૮।। તેમ ત્યાગી નર નિરધાર રે, તજે નારીને અષ્ટ પ્રકાર રે । એ છે જાણો અનાદિની રીત રે, વળી કહું સુણો દઇ ચિત્ત રે ।।૯।। કેદિ આત્મઘાત નવ કીજે રે, વિમુખની કથા ન સુણિજે રે । […] read more
0 Views : 1308

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૪

પૂર્વછાયો- પછી ધર્મે ધીરજ ધરી, વળી મને કર્યો વિચાર । તાતે કહ્યું હતું ચાલતાં, તે સાંભરીયું તેહવાર ।।૧।। કહ્યું કુળદેવ આપણા, સમીરસુત કહેવાય । સંકટમાં સંભાળજયો, કરશે એ કષ્ટમાં સહાય ।।૨।। માટે કષ્ટ મોટું નથી, આથી બીજું કોઇ અન્ય । દૈત્ય દુઃખ દિયે ઘણું, નથી અંગે અશન વસન ।।૩।। માટે સમીરસુતને, સંભારૂં કરવા સહાય । અંજનીસુત વિના એકે, નથી ટાળવા ઉપાય ।।૪।। ચોપાઇ- પછી અયોધ્યામાં જઇ આપરે, જપ્યા હનુમાનજીના જાપરે । મારૂત સુત મંદિરમાં જઇ રે, કરી સ્તુતિ એક પગે રઇરે ।।૫।। એમ કરતાં ધર્મ સ્તવન રે, થયા પવન સુત પ્રસન્ન રે । આવી સ્વપ્નમાંહિ કહ્યું એમ રે, મને સંભાર્યો નહિ તમે કેમ રે ।।૬।। હવે દુઃખ તમારૂં દંપતિ રે, નહિ રહેવા દઉં એક રતિ રે । કહું વાત માનો મારી મન રે, વેગે જાઓ તમે વૃન્દાવન રે ।।૭।। તમ સંગે શાપે મુનિજન રે, જેણે ધર્યાં છે જુજવાં તન રે । તે તમને ત્યાં સહુ મળશે રે, દુઃખ તમારૂં તર્ત ટળશે રે ।।૮।। એમ ધર્મને કહી હનુમાન રે, પછી થયા પોતે અંતર્ધાન રે । પછી જાગીને થયા પ્રસન્ન રે, સત્ય માન્યું એ ધર્મે સ્વપન રે ।।૯।। પછી પુત્ર ને મેલી મોસાળ રે, ચાલ્યાં ભક્તિધર્મ તતકાળ રે । આવ્યાં નૈમિષારણ્યે ઉમંગે રે, નથી ચાલતાં કોઇને સંગે રે ।।૧૦।। પછી ત્યાંથી વૃન્દાવન […] read more
0 Views : 195

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧પ

પૂર્વછાયો- એવી રીતે સર્વે મળી, કરી સ્તુતિ ધર્મ ઋષિરાય । સુણી શ્રીહરિ શ્રવણે, બોલ્યા રાજી થઇ મનમાંય ।।૧।। કૃષ્ણ કહે ધર્મઋષિને, થયો પ્રસન્ન તમ પર આજ । મનવાંછિત જે માગશો, તે સારિશ સર્વે કાજ ।।૨।। ત્યારે ધર્મ કહે ધન્ય ધન્ય તમે, સદા પ્રસન્ન છો મને શ્યામ । મારે છે જે માગવું, તે કહું છું હું કરભામ ।।૩।। આ ઋષિ હું ધર્મભક્તિ, તેને તમારા જાણી નાથ । દૈત્યે દુઃખ દીધાં ઘણાં, તેણે દુઃખી છીએ સહુ સાથ ।।૪।। ચોપાઇ- ત્યારે શ્રીકૃષ્ણ કહે સુણો ધર્મ રે, એ તો સર્વે જાણું છું હું મર્મ રે । અસુરને દ્રોહ મુજ સાથે રે, તે માટે વૈર તમારે માથે રે ।।૫।। સાધુ દેવને પીડે છે પાપી રે, મદ્ય માંસ બલિદાન આપી રે । મારા જાણીને દિયે છે દુઃખ રે, મહાઅસુર છે જે વિમુખ રે ।।૬।। તેને મારીશ હું થોડે દન રે, તજી ભય રહો નિર્ભય મન રે । મુજ વિના કોઇથી ન મરે રે, જો કોટિ ઉપાય કોઇ કરે રે ।।૭।। ધર્મ તમે ભક્તિ ને આ ઋષિ રે, સહુ રહો આનંદમાં ખુશી રે । હરિનામે હું થઇશ બાળ રે, દુઃખ સહુનું ટાળીશ તતકાળ રે ।।૮।। દુર્વાસાનો સહુને છે શાપ રે, તેમાં હું પણ આવ્યો છું આપ રે । માટે ધર્મ ઘેર ધરી તન રે, સુખી કરીશ સર્વે […] read more
0 Views : 200

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૬

પૂર્વછાયો- એવું શ્રવણે સાંભળીને, અતિ ધર્મ થયા ઉદાસ । ઘણા દહાડાનો દાખડો, તે વૈરિએ કર્યો વિનાશ ।।૧।। વિઘ્ન પડ્યું તે વિલોકિને, સમર્યા જે દેવ દુંદાળ । વિઘ્નનાયકના નામની, પછી ફેરવવા માંડી માળ ।।૨।। એમ કરતાં વહી ગયા, જામનિના ત્રણ જામ । સમીરસુત વિપ્ર વેષે, આવિયા એહ ઠામ ।।૩।। ધર્મને ઓળખાણ આપી, કહ્યું હું તે છું હનુમાન । કૃષ્ણ જયારે પ્રગટશે, ત્યારે શીદ રહો શોકવાન ।।૪।। ચોપાઇ- જયારે કૃષ્ણ લેશે અવતાર રે, ત્યારે ભૂનો ઉતારશે ભાર રે । અષ્ટસિદ્ધિ નવ નિધિ જેહ રે, તમારે ઘેર વસશે તેહ રે ।।૫।। દુઃખ દારિદ્ર્ય નહિ રહે રતિ રે, અતિ પામશો સુખ સંપતિ રે । કૃષ્ણ થાશે બહુ બુદ્ધિવંત રે, કરશે બુદ્ધિએ દૈત્યનો અંત રે ।।૬।। એને નહિ પડે શસ્ત્રનું કામ રે, કળે ટાળશે દૈત્યનું ઠામ રે । એમ ધીરજ દઇ હનુમાન રે, પછી થયા છે અંતર્ધાન રે ।।૭।। પછી ત્યાંથી ચાલ્યાં છે દંપતિ રે, ઘર પોતાના પર કરી ગતિ રે । વાટે જતાં તે પુછે છે ભક્તિ રે, કેમ અમર હનુમાન જતિ રે ।।૮।। સ્વામી છે એ રામના સેવક રે, કેમ ચરણજીવી કહો વિવેક રે । પછી બોલ્યા છે એમ ધર્મ રે, ભક્તિ સાંભળો કહું એનો મર્મ રે ।।૯।। રઘુવીર પ્રસાદ કૃપાય રે, ચરણજીવી રહ્યા છે સદાય રે । પણ જોને સમરતાં ગણેશ રે, […] read more
0 Views : 197

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૭

પૂર્વછાયો- સુતને શ્રીકૃષ્ણ જાણી, એમ સ્તુતિ કરી જે માત । તે શિશુરૂપે કૃષ્ણ સુણી, બોલીયા સાક્ષાત ।।૧।। માતા ચિંતા માં કરો, થાશે તમારૂં ધાર્યું જેહ । વ્રજની વાત સંભારવા, મેં રૂપ દેખાડ્યું તેહ ।।૨।। એમ કહી અર્ભકનાં, કર્યાં ચરિત્ર દીનદયાળ । અલૌકિકરૂપ ગોપ્ય કરીને, બાળ બન્યા તતકાળ ।।૩।। ધર્મને ધીરજ આવી, દેખી એવા દિવ્ય બાળ । જાણ્યું સંકટ સર્વે ગયાં, થયો અસુરનો કાળ ।।૪।। ચોપાઇ- એવું જાણીને આનંદ પામ્યાં રે, દેખી બાળકને દુઃખ વામ્યાં રે । થયો સર્વે સુખનો સમાજ રે, જાણ્યંુ ગયું અધર્મનું રાજ રે ।।૫।। કરે મહોત્સવ ઘેર ઘેર રે, અતિ થઇ રહી લીલા લેર રે । તેમ અમર લોકે અમર રે, કરે મોટા ઉત્સવ મુદભર રે ।।૬।। બોલે જય જય બ્રહ્મા બ્રહ્માણી રે, શક્ર શચી શિવ શિવારાણી રે । બોલે જય જય શબ્દે અમર રે, કરે પુષ્પ વૃષ્ટિ પુરંદર રે ।।૭।। ગાય ગાંધર્વ નાચે અપસરા રે, સિદ્ધ ચારણ ને મુનિવરા રે । દેવે વજાડ્યાં દુંદુભિ બહુ રે, નભે આનંદ પામ્યા સહુ રે ।।૮।। મંદ શીતળ સુગંધી વાયુ રે, વાય સર્વે જન સુખદાય રે । થયા ઉડુ તે નભે અમર રે, બોલે વ્યોમમાં જૈ જૈ સકળ રે ।।૯।। મોટા ઋષિ દિયે છે આશિષ રે, પ્રભુ જીવજયો ક્રોડ વરષ રે । એમ હરખ્યા દેવ ઋષિરાય રે, જાણી પ્રભુ પ્રગટ […] read more
0 Views : 203

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૮

પૂર્વછાયો- ત્યાર પછીની વારતા, સહુ સાંભળો થઇ સાવધાન । હરિ ઇચ્છાએ ત્યાં આવિયા, માર્કંડેય ગુણવાન ।।૧।। ત્રિકાળદર્શી ને તત્ત્વવેત્તા, બ્રહ્મચારીનો છે વેષ । ધર્મને ઘેર આવિયા, સંગે લઇને બહુ શિષ્ય ।।૨।। ધર્મે બહુ આદર દઇ, પૂજા કરી બહુ પેર । બ્રહ્મચારી ભલે આવિયા, કર્યું પવિત્ર મારૂં ઘર ।।૩।। ક્યાંથી આવીયા તમે કોણ છો, અને શું છે તમારૂં નામ । શું ભણ્યા છો શાસ્ત્ર સ્વામી, પુછુંછું કરભામ ।।૪।। ચોપાઇ- ત્યારે ઋષિ કહે સુણો વચનરે, આવું છું કર્તાં તીર્થ અટનરે । માર્કંડેય મારૂં નામ જાણ રે, ભણ્યા છીએ વેદ ને પુરાણ રે ।।૫।। જાણું રૂડી રીતે જયોતિષને રે, તે ભણાવું છું હું આ શિષ્યને રે । ત્યારે ધર્મ રાજી બહુ થયા રે, ભલે આવ્યા પ્રભુ કરી દયા રે ।।૬।। મારા બાળકનું નામ દીજે રે, બહુ કાળ અમ ઘેર રહીજે રે । તમે જયોતિષ જાણો છો ઘણું રે, કેવું ભાગ્ય આ બાળક તણું રે ।।૭।। જુવો જન્મ દિવસ રૂડી પેર રે, મુહૂર્ત લગ્ન ને જન્માક્ષર રે । ઘડી પળ વેળા એની ર્વિત રે, પાડો નામ એનું મહામતિ રે ।।૮।। પછી ટીપણામાં જોઇ એહ રે, કરી જન્મકુંડળી તેહ રે । જોયું જયોતિષ વિદ્યાને વિષે રે, જાણ્યું આતો મોટા છે અતિશે રે ।।૯।। પછી ધીરે રહી બોલ્યા વાણ્ય રે, તમે સાંભળો ધર્મ સુજાણ રે । […] read more
0 Views : 180

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૯

પૂર્વછાયો- વળી સહુ સાંભળજયો, કહું ત્યાર પછીની વાત । મોટા સુત જે ધર્મના, શ્રીરામપ્રતાપ વિખ્યાત ।।૧।। તેનો તે વિવાહ આદર્યો, પ્રીતે કરીને રૂડી પેર । સુવાસિની નામે સુંદરી, પરણાવ્યાં બળદેવ ઘેર ।।૨।। રૂડાગુણ રૂપે અતિ, એક પતિવ્રતા સતીપણું । પ્રીતે કરીને પિયુ પોતાનો, સેવે સુવાસિની હેતે ઘણું ।।૩।। પછી બીજું વર્ષ બેસતાં, આનંદે ઉત્સવ આદર્યો । કુંવરના કુશળ કાજે, દેવ ઋષિનો આદર કર્યો ।।૪।। ચોપાઇ- હેતે પૂજયા હનુમાન બળી રે, વ્યાસ ને કૃપાચારજ વળી રે । અશ્વત્થામા વિભીષણ જેહ રે, માર્કંડેય પરશુરામ તેહ રે ।।૫।। એ સર્વેને વિવિધ પ્રકારે રે, પૂજયા લઇ ષોડશ ઉપચારે રે । જમાડ્યા વિપ્ર ને હરિજન રે, આપી દક્ષિણા થઇ પ્રસન્ન રે ।।૬।। બાળ કાજે કરે બહુ વિધિ રે, રાખે હેત અતિશે સંબંધી રે । એમ કરતાં વિત્યાં વર્ષ દોય રે, ત્રીજું વર્ષ વરતિયું સોય રે ।।૭।। આવી જેઠ વદની પંચમી રે, માતતાત જયોતિષિને ગમી રે । તેદિ કર્યો છે કુળ આચાર રે, બાળ વાળ ઉતાર્યા તે વાર રે ।।૮।। કર્યો મોટો ઉત્સવ તે દન રે, તેડાવ્યા વિપ્ર ને હરિજન રે । તેનાં કામ કાજમાંહિ માત રે, ભુલી ગયાં છે સુતની વાત રે ।।૯।। પોતે રહ્યાં જન જમાડવા રે, પુત્ર પરને આપ્યો રમાડવા રે । તેને તેડી ગયાં બીજાં બાળ રે, જોવા સુંદર વાડી રસાળ રે […] read more
0 Views : 199

ભક્તચિંતામણિ પ્રકરણ:- ર૦

પૂર્વછાયો- વળી કહું એક વારતા, સૌ સાંભળજયો સાક્ષાત । એહ ગામમાં અસુરનો, અતિ થાવા લાગ્યો ઉતપાત ।।૧।। માત પિતાએ મનમાં, વળતો તે કર્યો વિચાર । ઇયાં રહેતાં આપણને, થયાં વિઘન વારમવાર ।।૨।। આપણે છે મિરાંથ્ય એટલી, જાણો જીવનદોરી જીવન । તેને વિઘન જો વ્યાપશે, તો થાશું બેઉં નિરધન ।।૩।। માટે આંહિંથી ઉચળિને, જાયે અયોધ્યાપુર । પવિત્ર ધામ શ્રીરામનું, ત્યાં નહિ આવે અસુર ।।૪।। ચોપાઇ- પછી ગાડે ઘરની સમૃદ્ધિ રે, લેવા જેવી તે સરવે લીધિ રે । પછી સંબંધી પાસે શિખ માગી રે, ચાલ્યા સુતે સહિત સુભાગી રે ।।૫।। બેઠાં શકટે ધર્મ ભગતિ રે, દોય સુતને તેડી દંપતિ રે । જનક પાસે બેઠા છે જોખન રે, માના ખોળામાં બેઠા મોહન રે ।।૬।। ચલાવ્યાં ગાડલાં ધીરે ધીરે રે, આવ્યા સંધ્યા સમે સર્યૂ તીરે રે । લાવ્યો વાણ ખેવટ તે વાર રે, બેશી ઉતરિયા ગંગાપાર રે ।।૭।। લીધો સર્વે સમાજ સંભાળી રે, જોઇ સર્યૂની શોભા રૂપાળી રે । તિયાં જળ સુંદર અમળ રે, કાંઠે ફુલિયાં છે કમળ રે ।।૮।। રાતાં પોયણાં તિયાં રૂપાળાં રે, નાળી ફુલ છે સુગંધીવાળાં રે । તિયાં સારસ હંસ છે રૂડા રે, કુંજિ બદકુ જળકુકડા રે ।।૯।। કરે પરસ્પર પંખી નાદ રે, જાણું નાવાને કરેછે સાદ રે । એમ શોભે છે સરયૂ ઘણી રે, કાંઠે કુસુમવાડી બહુ બણી રે […] read more
0 Views : 172
Powered By Indic IME