Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી
Per Page :

વચનવિધિ કડવું:- પ

વચનદ્રોહીનાં જો થાય વખાણજી, તો શીદને કોયે વરતે વચન પ્રમાણજી જેમાં તન મને થાવું હેરાણજી, સુખ મૂકી દુઃખ ન ઇચ્છે અજાણજી અજાણ પણ ઇચ્છે નહિ, કાયાને કારસો  આપવા ।। વણ કારસે વારિ મળે તો, કોણ જાયે કૂપ કાપવા ।। ર ।। ત્યારે દમે શીદ કોઈ દેહને, વણ દમે વિરમે વિપત્તિ ।। શીદ વરતે વચનમાં, વણ વરતે પામે સુખ સંપત્તિ ।। ૩ ।। વચનમાં વસમું ઘણું, વરતવું નર અમરને ।। મોકળ્યમાં મજા ખરી, ચોખી જાણો ચરાચરને ।। ૪ ।। પણ મોટી મોજ મળે નહીં, મોટાની મરજી મૂકતાં ।। મૂળગા મૂળમાંથી મટે, વડાના વચનમાંથી ચૂકતાં ।। પ ।। એમ સમજી સમજુ, વરતે છે વચનમાંય ।। મોટા મોટા બીવે છે મનમાં, રખે ફેર પડતો કાંય ।। ૬ ।। બની વાત જાય બગડી, જો લેશ લોપાય વચન ।। લેખે ન આવે દાખડો, વળી થઈ જવાય નિરધન ।। ૭ ।। એહ મત શાણા સંતનો, નવ પાડે વચનમાં ફેર ।। નિષ્કુળાનંદ નિશ્ચે કરી, કહ્યું એ વેરમવેર ।। ૮ ।। read more
0 Views : 1422

વચનવિધિ કડવું:- ૬

વચન વાલાનું લોપશો મા લેશજી, એટલો તો માની લેજો ઉપદેશજી લોપતાં વચન આવશે કલેશજી, હેરાનગતિ પછી રહેશે હમેશજી હમેશ રહેશે હેરાન ગતિ, અતિ તુચ્છ કરશે તિરસ્કાર ।। આજ્ઞા હરિની લોપતાં, ભવમાં  નહિ રહે ભાર ।। ર ।। બ્રહ્માએ ભાંગી હરિ આગન્યા, જોયું નિજસુતાનું શરીર ।। જોતાં મતિ રતી નવ રહી, વળી ગઈ હૈયેથી ધીર ।। ૩ ।। અણઘટિત ઘાટ ઊપજયો, જે મટાડતાં મટ્યો નહિ ।। તે પાંચમે મુખે પ્રકાશિયો, નેક અતિ નિર્લજજ થઈ ।। ૪ ।। એવાને પણ એમ થયું, મરજાદા હરિની મેલતાં ।। ત્યારે બીજાની બકાત્ય સહી, ખેલ અખેલ્યા ખેલતાં ।। પ ।। એવી અભંગ છે આગન્યા, અખંડ હરિની આકરી ।। તેને  લોપતાં  ત્રિલોકમાં,  કહો  કોણ બેઠો ઠરી ।। ૬ ।। સુખ કરણી છે દુઃખ હરણી, આગન્યા શ્રીમહારાજની ।। આસુરી જનને અર્થ ન આવે, છે દૈવી જીવના કાજની ।। ૭ ।। આસુરી મતિને જે આશર્યા, તેને આજ્ઞાની આડી કશી ।। નિષ્કુળાનંદ એ નરનું, નાક કાપવું ઘટે ઘશી ।। ૮ ।। read more
0 Views : 319

વચનવિધિ કડવું:- ૭

વણ કાપે નાક ગયું છે કપાઈજી, તે જાણજો જરૂર જન મન માંઈજી તેની અપકીર્તિ ગ્રંથમાં ગવાઈજી, એથી નરસું નથી બીજું કાંઈજી નથી બીજું કાંઈ નરસું, હરિ આજ્ઞામાં હાલવું નહિ ।। એવા નર અમર અજ ઈશ, સુખ કયાંથી પામે સહિ ।। ર ।। મહેશ મોટા દેવતા પણ, ભોળાનામની ભોળપ્ય રઈ ।। મોહિની રૂપની મનમાં, જોવાને ઇચ્છા થઈ ।। ૩ ।। ત્યારે હરિયે વાર્યા ઘણું હરને, નથી રૂપ એ જોવા સરખું ।। પણ સનો લીધો સમજયા વિના, હરિવચનને નવ પરખ્યું ।। ૪ ।। પછી ધરી હરિ રૂપ મોહિનીનું, આગળ આવી ઊભા રહ્યા ।। શિવ જોઈ સુધ બુદ્ધ ભૂલ્યા, વિવેક વિના વ્યાકુળ થયા ।। પ ।। નૈષ્ઠક વ્રત તે નવ રહ્યું, થયું જોગકળા માંહી જયાન જો ।। તે લખાણું છે કાગળે, સહુ જન એ સાચું માનજો ।। ૬ ।। વળી ભવનું વચન લોપી ભવાની, ગયાં દક્ષના જગનમાં ।। ત્યાં અતિ અનાદરે તન ત્યાગી, બળી મૂવાં આપે અગનમાં ।। ૭ ।। વચન લોપતાં દુઃખ લહે, દેવ દાનવ અહિ  અતિ ।। નિષ્કુળાનંદ ન કીજિયે, વચન લોપ રાઈ રતિ ।। ૮ ।। read more
0 Views : 323

વચનવિધિ કડવું:- ૮

ઇચ્છે કોઈ કરવા અવળું આપણુંજી, તે જન લોપે વચન હરિતણુંજી જેણે કરી થાય દુઃખ ઘણું ઘણુંજી, પામી દુઃખ પછી મુખ થાય લજામણુંજી લજામણું મુખ લઈને, જન જીવે જે જગમાંઈ ।। ધિક ધિક એ જીવિતવ્યને, કામ ન આવ્યું કાંઈ ।। ર ।। સારપ્ય એની શું રહી, આવ્યો હરિવચનના વાંકમાં ।। મોર્યથી નાખી કર મૂછ પર, પછી છરી મંડાવી નાકમાં ।। ૩ ।। શું થયું જપ તપ તીરથે, શું થયું વળી જોગ જગને ।। શું થયું વિદ્યા ગુણ ડહાપણથી, જો ન રહ્યો હરિને વચને ।। ૪ ।। સુરગુરુ  સરિખો નહિ, વળી બીજો કોઈ બુદ્ધિમાન ।। વીરની  વધૂ  વિલોકીને, ઉર આવી ગયું અજ્ઞાન ।। પ ।। વિચાર વિના વચનનો, લોપ કર્યો લજજા તજી ।। માથે મેષ બેસી ગઈ, તે હરકોઈ કે’છે હજી ।। ૬ ।। જે જે વચન જેને કહ્યાં, તેમાં રે’વું સહુને રાજી થઈ ।। આજ્ઞા અદ્રિ ઉલ્લંઘતાં, સમજો સહુને સારું નઈ ।। ૭ ।। શીદ  લૈયે  સંતાપને,  વચનથી  વરતી બા’ર ।। નિષ્કુળાનંદ ન લોપિયે, વચન હરિનું લગાર ।। ૮ ।। read more
0 Views : 294

વચનવિધિ પદ:- ર

રાગ:- જકડી વચન લોપી જાણે સુખ લેશું રે,  તે તો કે’શું કે’વાને જો રે’શું રે… વચન૦ ટેક. જયારે પશ્ચમે પ્રગટશે રવિ રે, થાશે બીજ રહિત પૃથ્વી રે; તોયે નહિ થાય રીત એ નવી રે… વચન૦ ।। ૧ ।। જયારે શૂન્ય સુમનની સજ થાશે રે, ઝાંઝુજળ પાને જન ધાશે રે; તોયે એ વાત કાંઈ મનાશે રે… વચન૦ ।। ર ।। સુત ષંઢથી પામશે નારી રે, મળશે માખણ વલોવતાં વારિ રે; તોયે વિમુખ સુખ રે’શે હારી રે… વચન૦ ।। ૩ ।। એહ વાત પ્રમાણ છે પકી રે, તે તો ખોટી ન થાય કોઈ થકી રે; કહે નિષ્કુળાનંદ એમ નકી રે… વચન૦ ।। ૪ ।। read more
0 Views : 227

વચનવિધિ કડવું:- ૯

આજ્ઞા ઉલ્લંઘી શઠ સુરપતિજી, ગૌતમ ઘરમાંયે કરી ગતિજી તેણે દુઃખ પામ્યો અંગમાંયે અતિજી, રહ્યું નહિ સુખ શરીરમાં રતિજી સુખ શરીરે શાનું રહે, લોપી અવિનાશીની આગન્યા ।। શચી સરખી ત્રિયા તજી, રાચ્યો અહલ્યા રૂપે વિવેક વિના ।। ર ।। પુરંદરને ઋષિપતની, ભોગવવું એ ભલું નહીં ।। પણ અમરેશના અભિમાનમાં, ખોટની ખબર નવ રહી ।। ૩ ।। એવી અવળાઈ જોઈ ઇન્દ્રની, આપ્યો શાપ ઋષિએ રોષમાં ।। કહ્યું સહસ્ર ભગ પામી પુરંદર, રે’જે સદા સદોષમાં ।। ૪ ।। પરણીને ઘરુણી ઘણી રાખે, તોય ન થાય આજ્ઞા લોપ ।। અવર નારી એકમાં પણ, થયો ઋષિનો કોપ ।। પ ।। વળી ભૂંડાં દુઃખને ભોગવવા, કર્યો કમળના વનમાંઈ વાસ ।। જયાં જયાં હતી એની કીરતિ, ત્યાં ત્યાં થાવા લાગી હાસ ।। ૬ ।। એમ વચન લોપે જો લજજા રહે, તો કોણ માને વચનને ।। મહાપ્રભુની મરજાદ મૂકી, સહુ વરતે ગમતે મનને ।। ૭ ।। મનમાને રે’તાં મોટપ્ય મળે, તો કોણ વેઠે વચનનું દુઃખ ।। નિષ્કુળાનંદ તો નર અમર, વર્તે હરિથી સહુ વિમુખ ।। ૮ ।। read more
0 Views : 170

વચનવિધિ કડવું:- ૧૦

ભૂમાં એક ભૂપતિ નહુષ રાજનજી, તે પુણ્ય કરી પામ્યો ઇન્દ્રાસનજી ત્યારે કર્યું ઇન્દ્રાણી વરવાનું મનજી, ઉનમત્ત થઈ કહ્યું એમ વચનજી વચન કહ્યું વિકટ અતિ, તું વર્ય મને વેગે કરી ।। ત્યારે ઇન્દ્રાણી કહે વરી હું ઇન્દ્રને, હવે કેમ વરું નરને ફરી ।। ર ।। ત્યારે નહુષ અમલે થયો આંધળો, ખરાખરી ખબર નવ પડી ।। ત્યારે જાણ્યું ઇન્દ્રાણિયે જોરે વરશે, કહ્યું આવ્ય કોરે વાહને ચડી ।। ૩ ।। પછી વાહન સારુ વિલખાં કર્યા, પણ કોરું વાહન નવ જડ્યું ।। ત્યારે શિબિકાયે ઋષિરાય જોડ્યા, તેનું પાપ તર્ત નડ્યું ।। ૪ ।। પછી ઇન્દ્રપણું આળશી ગયું, સર્પ સર્પ કે’તાં સર્પ થયો ।। વચનદ્રોહીનું ફળ જોઈ, રખે કોઈ વચન લોપો ભયો ।। પ ।। પણ અટપટી છે એ વારતા, કરવું ગમતું ગોવિંદતણું ।। મન કર્મ વચને કરીને, મેલવું ગમતું આપણું ।। ૬ ।। અતિ રાજી થઈ રળિયાત રહી, જે કોઈ વર્તે છે વચનમાં ।। ફેર પડે તો ફડકી મરે, અતિ તાપ થાયે તનમાં ।। ૭ ।। એમ પાળે હરિની આગન્યા, એ માનો વચનની મૂરતિ ।। નિષ્કુળાનંદ એને નીરખતાં, રહે નહિ પાપ એક રતિ ।। ૮ ।। read more
0 Views : 191

વચનવિધિ કડવું:- ૧૧

વચન આધારે વર્તે છે જેહજી, મોટા સુખને પામશે તેહજી એહ વાતમાં નહિ સંદેહજી, લોક પરલોકે પૂજયા જોગ્ય તેહજી લોક અલોકમાં આબરું, રે’શે એની રૂડી રીતશું ।। વચન વા’લાનાં વા’લાં કરી, પ્રસન્ન મને રાખ્યાં પ્રીતશું ।। ર ।। વચન પાળતાં જો વિપત્તિ પડે, તો સહે શ્રદ્ધાયે કરી ।। વચન લોપતાં જો સુખ મળે, તો ઘોળ્યું પરું મેલે પરહરી ।। ૩ ।। અશન વસન ભૂષણ ભૂમિ, મર મળે ત્રિલોકીનું રાજ ।। વચન જાતાં જાતું કરે, જાણે થાય એથી અકાજ ।। ૪ ।। પ્રહલાદને કહ્યું એના પિતાયે, તને આપું રાજ અધિકાર ।। નામ મેલી દે નરહરિનું, આજથી મા કર્ય ઉચ્ચાર ।। પ ।। પણ હળવા સુખ સારુ હરિજન, મૂકે કેમ મોટા સુખને ।। લોપી વચન મન લલચે, એવું ઘટે ઘણંુ વિમુખને ।। ૬ ।। નાક કપાવી નથ પે’રવી, એ તો નારી નઠારીનું કામ છે ।। એથી મર રહીએ અડવાં, એવાં ભૂષણ પે’રવાં હરામ છે ।। ૭ ।। એમ વચન ગયે વડાઈ મળે, તેને પાપરૂપ જાણી પરહરો ।। નિષ્કુળાનંદ નિશ્ચે કરી, હરિવચનમાં વાસ કરો ।। ૮ ।। read more
0 Views : 233
Powered By Indic IME