Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી
Per Page :

સારસિદ્ધિ પદ:- ૧૦

(રાગ:-ધોળ) ‘સંત વિના સાચી કોણ કહે’ એ ઢાળ. અનુપ સંતને આપું ઉપમા, એવું નથી જો એક; જોઈ જોઈ જોયું મેં જીવમાં, કરી ઊંડો વિવેક..અનુપ ।। ૧ ।। સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, શોધે નાવે સંતને તોલ; દીઠાં સુણ્યાં તે તો દોષે ભયાર્ં, સંત અતિ અમળ અમોલ..અનુપ ।। ર ।। સાતે દષ્ટાંતે સહુ સૂચવી, કહે કવિ જન કોય; સરે સાર તેમાં શોધતાં, સંત સમ નહિ સોય..અનુપ ।। ૩ ।। જેવા સંત એ કહિયે શિરોમણિ, તેવા હરિ સહુ શિરમોડ; નિષ્કુળાનંદ નિહાળતાં, ન જડે એ બેની જોડ..અનુપ ।। ૪ ।। read more
0 Views : 86

સારસિદ્ધિ કડવું:- ૪૧

જોડ્ય નથી જડતી જગમાંયે જોતેજી, ઘણી ઘણી રીતે ઘટમાં ગરી ગોતેજી બીજા અવતારના અવતારી પોતેજી, આપે આવિયા સર્વે સામર્થિ સોતેજી સર્વે સામર્થી સહિત આવ્યા, અલબેલોજી આણી વાર ।। પોતાના પ્રતાપથી, કર્યો અનેક જીવનો ઉદ્ધાર ।। ર ।। ખગ મૃગ નર નિરજર, ભૂત ભૈરવ પામ્યા ભવપાર ।। સ્થાવર જંગમ જાતની, આણે સમે લીધી છે સાર ।। ૩ ।। દૈવી આસુરી દોયને, તાર્યા આણે સમે અગણિત ।। ન જોઈ કરણી કોઈની, એવી નવી વર્તાવી રીત ।। ૪ ।। તમોગુણી રજોગુણી તારિયા, સત્ત્વગુણીને આપિયા સુખ ।। શરણાગતને આ સમે, રહેવા દીધું નહિ દુઃખ ।। પ ।। જે જન કોઈ પ્રકારે કરીને, ઉદ્ધરવાનો આઝો નહિ ।। એવા જન ઉદ્ધારિયા, તેની મોટપ્ય કેમ જાયે કહિ ।। ૬ ।। ધર્મ રહિત ભકત રહિત, વળી વૈરાગ્ય જેને છે વેરવી ।। એવા પામર નર પાર કર્યા, એવી વર્તાવી વાત નવી ।। ૭ ।। તૃણ કાષ્ઠ ને તુંબડાં તારે, એવાં વા’ણ તો હોયે ઘણાં ।। પણ લોહ પાષાણને તર ઉતારે, એહ નાવમાં નહિ મણા ।। ૮ ।। તેમ દૈવી મુમુક્ષુ જીવ તારે, તેનું આશ્ચર્ય શું જાણિયે ।। પણ આસુરી પામર નર તરે, તેથી વાત બીજી શું વખાણિયે ।। ૯ ।। આ સમાના અવતારની, મોટપ મુખે કે’વાતી નથી ।। નિષ્કુળાનંદ કહે જન મને, વિચારી જુવો વિધવિધથી ।। ૧૦ ।। read more
0 Views : 98

સારસિદ્ધિ કડવું:- ૪ર

આ સમે સરિયાં જેવાં જનનાં કાજજી, એવાં ન સરિયાં વિચારિયું આજજી આ સમે સોંપિયા જે સુખના સમાજજી, અલૌકિક સુખ લોકે આપ્યું મહારાજજી અલૌકિક સુખ આ લોકમાંયે, અલબેલેજિયે આપિયું ।। ધ્યાન ધારણા સમાધિનું સુખ, આપી માયિક દુઃખ કાપિયું ।। ર ।। અલૌકિક સુખ અવલોકીને, જન આશ્ચર્ય પામે ઉર ।। અનેક ધામ ધામી સહિત, હરિયે દેખાડ્યાં હજૂર ।। ૩ ।। પર પોતાના ઘાટને, હરિ દેખાડે મૂર્તિમાન ।। મન બુદ્ધિ ચિત્ત અહંકાર જેહ, તે નજરે નીરખે નિદાન ।। ૪ ।। સર્વે અંગે સમેટીને, લાવે એક અંગમાં પ્રાણ ।। પછી દેહ તે જડવત રહે, જેવું સૂકું કાષ્ઠ પાષાણ ।। પ ।। પછી બાળો કાપો કોઈ દેહને, તેને દુઃખ નહિ તલભાર ।। એવો અગણિત આ સમે, હરિયે દેખાડ્યો ચમત્કાર ।। ૬ ।। ષટ ઊર્મિ ક્ષોભ નવ કરે, હરે ફરે કરે કાંઈ કામ ।। એવી આશ્ચર્ય વારતા, ઘણી દેખાડી ઘનશ્યામ ।। ૭ ।। ભૌતિક દેહ ભૂમિ વ્યોમમાં, કરે પાણીમાં પણ પ્રવેશ ।। આડ્ય રહિત અટકે નહિ, નવ રહ્યું આવરણ લેશ ।। ૮ ।। એવી અનંત રીત અલૌકિક આણી, જાણી નો’તી જે જગમાંઈ ।। અતિ સામર્થી વાલે વાવરી, નથી કહ્યે જાતી તે કાંઈ ।। ૯ ।। અનેક અવતાર આગે ધર્યા, તે તો પોતાના જન કારણે ।। નિષ્કુળાનંદ સહજાનંદ પ્રભુપર, વારી વારી જાયે વારણે ।। ૧૦ ।। read more
0 Views : 102

સારસિદ્ધિ કડવું:- ૪૩

વારીવારી જાઉં વાલમજી મારાજી, આજ શોભ્યા છો સૌથી સારાજી પ્રાણજીવન ઘનશ્યામ છો પ્યારાજી, નિજજનને મહાસુખના દેનારાજી સુખ દેવાને શ્રીહરિ, પ્રભુ પ્રગટ થયા તમે આજ ।। મહા સુખમય મૂર્તિ ધરી, કયાર્ં અનેક જનનાં કાજ ।। ર ।। આગે મત્સ્ય કચ્છ વારાહ વપુ, થયા નરહરિ રૂપે નાથ ।। કયાર્ં કારજ નિજ જનનાં, પણ સેવી સુખી ન થયો જનસાથ ।। ૩ ।। વામન રૂપને ધરી હરિ, કર્યું બળિ રાજાનું કામ ।। એ પણ રૂપ અનુપમ હશે, પણ સંતે સેવી ન કરી પૂરી હામ ।। ૪ ।। પરશુરામે ફરશી ફેરવી, કરી ભૂપ રહિત ભૂમિકા ।। તેને પણ સત્ત્વગુણી સંત, સેવી સુખ નવ લઈ શકયા ।। પ ।। રામ પ્રભુ તે રાજા થયા, તેને ગરીબ કેમ પૂજી શકે ।। દુર્બળ જાયે કોઈ દર્શને, તો દ્વારપાળ મારે ધકે ।। ૬ ।। કૃષ્ણરૂપે અનુપ આપે થયા, કયાર્ં અનેક જીવનાં કાજ ।। પણ એમનું એમ રાખ્યું નહિ, પછી થયા રાજઅધિરાજ ।। ૭ ।। બુદ્ધ શુદ્ધ બોધ દેઈને, તાર્યા જીવ અનંત અપાર ।। કલકી ભાર ઉતારવાને, હરિ હવે લેશે અવતાર ।। ૮ ।। એવા સર્વે અવતાર સૂચવી, ભાવે પ્રભુના ભાખિયા ।। પણ આજ સંતને સુખ આપતાં, કોઈ રીતે ઊણા ન રાખિયા ।। ૯ ।। અનેક પ્રકારે આશ્રિત જનને, આપ્યો અખંડ આનંદ ।। નિષ્કુળાનંદ સુખદ સહુના, સ્વામી તે સહજાનંદ ।। […] read more
0 Views : 109

સારસિદ્ધિ કડવું:- ૪૪

સ્વામી સહજાનંદ જે જને સેવ્યાજી, તેને ન રહ્યું કાંઈ કરવાનું કે’વાજી સૌપરી શિરોમણિ મળ્યા હરિ એવાજી, એવી નથી ઉપમા એને બીજી દેવાજી ઉપમા નથી એવી આપવા, જોઈ જોઈ જોયું જરૂર ।। ચૌદ લોકમાં જોયું ચિંતવી, એ સમ ન સમજાણું ઉર ।। ર ।। અનેક તન ધરી હરિ, વિચર્યા વસુંધરા માંઈ ।। તેના મળેલ તપાસિયા, સુખ પામ્યા ન પામ્યા કાંઈ ।। ૩ ।। આજની તો અલેખે વાત છે, અઢળ ઢળ્યા છે અલબેલ ।। હળ્યા મળ્યા હરિ હેતે કરી, વળી વાળી રંગડાની રેલ ।। ૪ ।। જમ્યા રમ્યા જોડ્યે રહ્યા, દયા કરી દીન દયાળ ।। સમે સમે સુખ આપિયાં, કાપિયાં દુઃખ વિશાળ ।। પ ।। અરસ પરસ એકમેક રહ્યા, અંતરાય ન રહિ અણુભાર ।। અનંત અવતાર આવિયા અવનિએ, પણ આંક વાળિયો આ વાર ।। ૬ ।। અનેક પ્રતાપ અનેક પરચા, અનેક ઉદ્ધારિયા જન ।। કોયે વાતની કસર નહિ, એવા સહજાનંદ ભગવન ।। ૭ ।। અનંત સામર્થી અનંત ઐશ્વર્ય, અનંત પરાક્રમ અપાર ।। અનંત ધામના ધણી હરિ, વળી અનંત શકત આધાર ।। ૮ ।। સહુ ઉપર એ શ્રીહરિ, એની ઉપર નહિ કોઈ એક ।। પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પોતે, એને આધારે બીજા અનેક ।। ૯ ।। એવા પ્રતાપી પ્રભુ મળ્યા, તેના ટળિયા સર્વે તાપ ।। નિષ્કુળાનંદ શ્રીહરિ સંબંધે, શુદ્ધ થયા જન આપ ।। ૧૦ […] read more
0 Views : 113

સારસિદ્ધિ પદ:- ૧૧

(રાગ:-ધોળ) ‘સંત વિના સાચી કોણ કહે’ એ ઢાળ. સુખી કર્યા રે જન જગતમાં, પ્રભુ પ્રગટી આ વાર; નિવાસી કયાર્ં બ્રહ્મમો’લના, અગણિત નર નાર. . .સુખી ।।  ।। જે સુખ અગમ અજ ઈશને, સુર સુરેશને સોય; તે સુખ દીધું છે દાસને, જે સુખ ન પામે કોય. .સુખી ।। ર ।। ધામી વિના રે એહ ધામનું કોણ સુખ દેનાર; માટે આપે આવી આપિયું અખંડસુખ અપાર. . સુખી ।। ૩ ।। એહ સુખથી જે સુખી થયા, રહ્યા દુઃખ તેથી દૂર; નિષ્કુળાનંદ નિર્ભય થઈ; રહ્યા હરિને હજૂર. . સુખી ।। ૪ ।। read more
0 Views : 117

સારસિદ્ધિ કડવું:- ૪પ

હરિ હજૂર જે પામ્યા દાસ વાસજી, તેને કોઈ રહ્યો નહિ તન મને ત્રાસજી પરિપૂરણ પામ્યા સુખ વિલાસજી, જે સુખનો ન થાય કોઈ દિન નાશજી નાશ ન થાયે કોઈ દિને, એવું અવિનાશી એહ સુખ છે ।। તેહ વિના તપાસી જોયું, જયાં જયાં જાય છે ત્યાં દુઃખ છે ।। ર ।। અટળ સુખના આપનારા, નથી કોઈ સહજાનંદજી સમાન ।। બીજે છે વાતોના વાયદા, એમ સમજવું બુદ્ધિમાન ।। ૩ ।। સત્ય શાસ્ત્ર સંત સુધર્મને, શોધીને ગ્રે’વું સાર ।। જેવા તેવાથી જડતું નથી, અખંડ સુખ અપાર ।। ૪ ।। માયિક સુખ પણ મોંઘાં ઘણાં, ત્યારે અમાયિકનો કોણ આપનાર ।। માટે સહજાનંદ સેવવા, ઉર કરી વળી વિચાર ।। પ ।। જેહ સુખ જેહને ઘરે, તે તો તેનું દીધું દેવાય ।। તેહ વિના તોળી તપાસિયું, લેશ પણ આપણે ન લેવાય ।। ૬ ।। એહ સુખને આપવા, આવ્યા અવનિએ અલબેલ ।। મહા મોંઘું હતું એને મળવું, પણ સહુને થયું છે એ સે’લ ।। ૭ ।। પરમ પરમારથી પ્રગટ્યા, શ્રી સહજાનંદ સુખધામ ।। આવી મળ્યા જન જેહને, તેહ થયા તે પૂરણકામ ।। ૮ ।। ભાંગી ભૂખ ભૂખ્યાતણી, ઘણી ઘનશ્યામે કરી મે’ર ।। એવો કોણ અભાગિયો, જે દુઃખી રે’શે આ વેર ।। ૯ ।। આજ મો’રે આવી વારતા, કો’યે પર અવર પામ્યા નથી ।। નિષ્કુળાનંદ જેણે નથી દીઠા, તે […] read more
0 Views : 119

સારસિદ્ધિ કડવું:- ૪૬

કથી નથી કે’વાતી વણ જાણે વાતજી, કે’શે કોઈ સંત જે જાણે છે સાક્ષાતજી બીજા બહુને છે એ વાત અખ્યાતજી, દીઠા ભેટ્યા વિના ભાખશે કોણ ભાતજી કોણ ભાતે નર ભાખશે, જેને સ્વપ્ને પણ સંબંધ નથી ।। અટકળ અનુમાન કરી, મોટા મોટા મરે છે મથી ।। ર ।। કોઈ કહે હજાર હાથ હરિને, કોઈ કહે આઠ ચાર કર છે ।। કાનનું સુણ્યું સહુ કહે, પણ ખરી કાંઈ ખબર છે ? ।। ૩ ।। કોઈ કહે હરિ અરૂપ છે, કોઈ કહે તેજોમય તન ।। કોઈ કહે વિશ્વમાંહિ વ્યાપી રહ્યા, કોઈ કહે આ બોલે વચન ।। ૪ ।। કોઈ કહે પ્રભુને પરછાયો નહિ, કોઈ કહે ન ધરા ધરે પાવ ।। દીઠા વિના આપ ડા’પણે, અમથા કરે છે ઉઠાવ ।। પ ।। પણ જાણો હરિને બે હાથ છે, બે પાવલિયા છે પુનિત ।। શ્રવણ નયન નાસિકા, મુખે બોલે છે રૂડી રીત ।। ૬ ।। જમે રમે નિજજન ભેળા, લિયે દિયે પૂજા જે દાસ ।। હસે વસે સેવક સંગે, અલબેલો આપે અવિનાશ ।। ૭ ।। સાકાર સુંદર મૂરતિ, સુખદાયી સહજાનંદ ।। તેને જાણ્યા વિના જડમતિ, નિરાકાર કહે નર મંદ ।। ૮ ।। સવળું અવળું સમજી, પાડી આંટી ઘાટી ઉરમાંય ।। ઘૂંચાણા ઘણી ઘૂંચવણીમાં, પડ્યું નહિ પાધરું કાંય ।। ૯ ।। પૂઠ્ય દઈ પૃથ્વીનાથને, ચોડ્યું ચિત્રામણમાંય ચિત્ત […] read more
0 Views : 145
Powered By Indic IME