Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી
Per Page :

સારસિદ્ધિ કડવું:- ર૧

રાગ :- ધન્યાશ્રી બૃહત વૈરાગ્ય વર્ણવ્યો બહુવિધિજી, અતિશય મોટપ્ય એહની કિધિજી । પ્રભુ પ્રસન્ન કરવા એ છે નૌત્તમ નિધિજી, સદા સુખકારી એ જાણો પ્રસિદ્ધિજી ।।૧।। રાગ :- ઢાળ પ્રસિદ્ધ પ્રભુને પામવા, એવી નથી બીજી મીરાંથ । સરવે અંતરાઈ અળગી કરી, આપે હરિના હાથમાં હાથ ।।૨।। જે હરિ સિંધુ સર્વે સુખના, સદા સર્વદા સુંદર શ્યામ । જેને પામી ન રહે પામવું, પામી થવાયે પૂરણકામ ।।૩।। તેહ પ્રભુને પમાડવા, શુદ્ધ વૈરાગ્ય છે વળાવો વળી । તેહ પો’ચાડે હરિ હજુરમાં, મુખોમુખ દિયે મેળવી ।।૪।। પછી તે હરિજનને જાણજો, વિઘન સર્વે વિરમ્યાં । મળતાં શ્રીમહારાજને, દૈહિક દુઃખ સર્વે શમ્યાં ।।૫।। કમી ન રહી કોઈ વાતની, પામ્યા પૂરણ પુરુષોત્તમ । સુંદર સાકાર મૂરતિ, અતિ રુપાળી રુડી રમ્ય ।।૬।। તે પ્રભુની પાસે દાસ, વાસ કરીને રહે સદાય । બીજું ન ઇચ્છે અંતરે, ઇચ્છે ભક્તિ કરવા મનમાંય ।।૭।। ભક્તિ વિના ભાવે નહિ, ભૂલ્યે પણ ભિંતર મોઝાર । સર્વે પ્રકારે સમઝે, ભક્તિ સારમાં સાર ।।૮।। ભક્તિએ કરી હરિ રીઝવે, રિઝે સુખદ શ્રીમહારાજ । ત્યારે ખામી  રતિ પણ નવ રહે, પામે સર્વે સુખનો સમાજ ।।૯।। ભાવે ભરી કરે ભગતિ, અતિ આનંદ આણી ઉર । નિષ્કુલાનંદ તેની ઉપરે, હરિ રાજી થાયે જરૂર ।।૧૦।। કડવું ।।૨૧।। read more
0 Views : 161

સારસિદ્ધિ કડવું:- રર

રાગ :- ધન્યાશ્રી જરૂર હરિ રિઝવવા માટજી, ભક્તિ કરવી તે શિશને સાટજી । તેહ વિના વાત તે ન બેસે ઘાટજી, સમઝી વિચારી લેવી એ વાટજી ।।૧।। રાગ :- ઢાળ સમઝી વિચારી ઘનશ્યામની, ભક્તિ કરો ભાવે ભરી । ભાવ વિનાની ભક્તિયે, રાજી નહિ થાયે શ્રીહરિ ।।૨।। ભક્તિ કરવી ભગવાનની, સમાપર રહી સાવધાન । સમા વિનાની જે ભગતિ, અતિ જાણો કરેછે જયાન ।।૩।। સમે સેવિને સુખ લૈયે, વણ સમે સરે નહિ કામ । તે સમો મનમાં સમઝી, રે’વું હરિ હજુર કરભામ ।।૪।। સમે  સામું જોઇ રે’વું શ્યામને, જોવી કર નયણ નિશાન । સમાપર તતપર થઇ, કરવી ભક્તિ તે નિદાન ।।૫।। એક પગભર ઉભાં આગળે, હાથ જોડિને રે’વું હજાૂર । જેમ કહે તેમ કરવું, કરી ડા’પણ આપણું દૂર ।।૬।। વળી જેમ વાળે તેમ વળવું, તજી દેવી તનમન તાણ । અન્ય ભરોંસો અળગો કરી, થઇ રે’વું હરિના વેચાણ ।।૭।। ભક્ત તેજ જે ભક્તિ કરે, જોઇ મરજી જગદીશની । મરજી ન લોપે મહારાજની, એહ રીતિ સમઝો શિષ્યની ।।૮।। મોટે ભાગ્યે ભેટે ભગતિ, પ્રગટ પ્રભુ પરમાણની । તેહ વિનાની જે ભગતિ, તેતો મત મમતના તાણની ।।૯।। કરિયે તો કરિયે સમઝી, પ્રગટ પ્રભુજીની ભગતિ । નિષ્કુલાનંદ કહે તે વિના, નથી નરને કોઇ પ્રાપતિ ।।૧૦।। કડવું ।।૨૨।। read more
0 Views : 138

સારસિદ્ધિ કડવું:- ર૩

રાગ :- ધન્યાશ્રી ભક્તિ હરિની સહુથી અતિ સારીજી, જનને કરવી તે મનમાં વિચારીજી । હિતની વાત હૈયામાંયે ધારીજી, તક જોઇ રે’વું તરત તૈયારીજી ।।૧।। રાગ :- ઢાળ તૈયાર રે’વું તક ઉપરે, પ્રસન્ન કરવા પ્રગટને । શીત ઉષ્ણ વરસાતનું, સહી શરીરે સંકટને ।।૨।। સેવા કરતાં સેવકને, પંડ સુખ સામું પેખવું નહિ । સમે સમાજ સારે સેવવા, તે વિના સુખ લેખવું નહિ ।।૩।। તકે દાતણ તકે નાવણ, તકે પે’રાવવાં અંબર । તકે ભોજન વ્યંજન કરી, જમાડવા શ્યામસુંદર ।।૪।। સમે ચંદન ચરચવું, સમો જોઇ પે’રાવવા હાર । સમે આભુષણ અંગમાં, પે’રાવવાં કરીને પ્યાર ।।૫।। સમે ઉતારવી આરતી, સમે કરવી સ્તુતિ કરજોડ । સદા દિન આધિન રે’વું, કે’વું બક્ષજો ગુન્હા પ્રભુ ક્રોડ ।।૬।। સમે પ્રભુને પોઢાડવા, સમે નાખવો પંખે પવન । સમે ચરણ ચાંપવાં, એમ કરવા પ્રભુ પ્રસન્ન ।।૭।। સમો જોઇ સેવકને, તતપર રે’વું તૈયાર । મન કર્મ  વચને કરી, કરવી સેવા કરી બહુ પ્યાર ।।૮।। જે ટાણે ગમે જેમ નાથને, તેહ ટાણે કરવું તેમ । જે ન ગમે જગદીશને, અણગમ્યું ન કરવું એમ ।।૯।। એવા અતિ સુતર જન જે, તે કરે પ્રભુને પ્રસન્ન । નિષ્કુલાનંદ કહે નાથના, એ કહિએ સાચા સેવક જન ।।૧૦।। કડવું ।।૨૩।। read more
0 Views : 149

સારસિદ્ધિ કડવું:- ર૪

રાગ :- ધન્યાશ્રી ભક્તિમાં ભાર ભારે છે બહુજી, કેટલીક મોટપ મુખે હું કહુંજી । તમે વિચારી જુઓ જન સહુજી, એહ મોટપને ઉપમા શી દઉંજી ।।૧।। રાગ :- ઢાળ દઉં શી એને ઉપમા, ભક્તિ બરોબર બીજું નથી । તે ભક્તિ પ્રભુ પ્રકટની, કહી નથી પરોક્ષની કથી ।।૨।। પામી પ્રભુ પ્રગટને, જેણે લીધો છે મોટો લાવો ।  મોટો લાભ મળી ગયો, ટળી ગયો પૂરણ દાવો ।।૩।। તેને તોલે ત્રિલોકમાંહી, ના’વે કોઇ નિરધાર । સમે સમે સુખ પામિયાં, પ્રભુ પ્રગટના ભજનાર ।।૪।। પ્રગટ ભક્તિ વ્રજ વાસીયે કરી, પરોક્ષ ભક્ત અજ અમરેશ । જેવું સુખ ગોપી ગોવાળ પામિયાં, તેવું ન પામિયા વિધિ ઇશ ।।૫।। પ્રગટ ભજી ઋષિ પતની, પરોક્ષ ભજયા ઋષિરાય । ઋષિપત્નીએ હરિ રાજી કર્યા, ઋષિ રહ્યા પરિતાપ માંય ।।૬।। પ્રભુ પ્રગટના પ્રસંગ વિના, રહી ગઇ એવા મોટાને ખોટ । આજ કાલના અભાગિયા, દિશ વિના દિયે છે દોટ ।।૭।। પ્રગટ વિના છે પાંપળાં, ભક્ત કરે છે ભવમાંય । ખરા ખાંડતાં કુસકા, કણ નહિ નિસરે તે માંય ।।૮।। હરિ લાડીલા લાડુ જમી ગયા, કેડે પડ્યાં રહ્યાં પતરાવળાં । જેથી ભુખ ન જાય સુખ ન થાય, વણ સમજે ચાટે છે સઘળાં ।।૯।। દન્તી ગયા દાંત રહ્યા, કેમ ભાગે કોટ કમાડ । નિષ્કુલાનંદ પરોક્ષ ભક્તિને, પ્રિછજો એહ પાડ ।।૧૦।। કડવું।।૨૪।। read more
0 Views : 149

સારસિદ્ધિ પદ:- ૬

રાગ :- ગરબી પરોક્ષ ભક્તરે પામે નહિ પ્રાપતિરે, જીવની જરાય જંપે નહિ ઝાળરે, પૂરણ થયાનીરે પ્રતીતિ નવ પડેરે, સંશયવત રહે સદા કાળરે; પરોક્ષ૦ ।।૧।। મુખોન્મુખરે મળ્યા નથી માવજીરે, કેવા હરિ જાણી કરશે ધ્યાનરે । રૂપ અનુપમરે કેવું હૃદે રાખશેરે, જેને અણ દિઠે છે અનુમાનરે; પરોક્ષ૦ ।।૨।। અણ મળ્યાનીરે અંતરે આગન્યારે, પાળશે કઇ પેરે કરી પ્રીતરે । ધર્મને નિમરે કેમ દ્રઢ ધારશેરે, જે નથી જાણતા હરિની રીતરે; પરોક્ષ૦ ।।૩।। વણ દીઠે વાતરે વદને શું વદશેરે, નથીઆવ્યા દયાળુ દીઠામાંયરે । નિષ્કુલાનંદરે ન મળેલ નાથનારે, તેણે ધર્મ નિ’મ ન રહે કાંયરે; પરોક્ષ૦ ।।૪।। પદ ।।૬।। read more
0 Views : 142

સારસિદ્ધિ કડવું:- રપ

ધર્મ દઢ રાખશે હરિના મળેલજી, જે જન તન મન સુખમાં ન ભળેલજી માયિક સુખથી પાછા વળેલજી, તેહને એ વાત સુધી છે સહેલજી સુધી સહેલ એ વાત છે, ધર્મ પાળવો દઢ મને ।। ધર્મ મૂકીને કામ કોઈ, કરવું નહિ કોઈ દને ।। ર ।। ધર્મે બોલવું ધર્મે ડોલવું, ધર્મે જોવું દષ્ટે કરી ।। સુતાં બેઠાં જાગતાં, ધર્મ નેમ રહેવું ધરી ।। ૩ ।। ધર્મે હાલવું ધર્મે ચાલવું, ધર્મે લેવું ને દેવું વળી ।। ધર્મે રહેવું ધર્મે કહેવું, ધર્મે લેવી વાત સાંભળી ।। ૪ ।। ધર્મે ખાવું ધર્મે પીવું, ધર્મ વિના ન ધરવા પાવ ।। કરે કરવું કામ ધર્મનું, ધર્મે કરવો તન નિભાવ ।। પ ।। સર્વે કામ ધર્મે કરવાં, ધર્મ મૂકી ન કરવું કાંઈ ।। સર્વે કાળે એમ સમજી, રે’વું સદાય ધર્મ માંઈ ।। ૬ ।। ધર્મ મૂકીને કારજ કોયે, કે’દી ન ઇચ્છે કરવા ।। કરી એવી અચળ મતિ, તે રતી ન દિયે ફરવા ।। ૭ ।। દેહ પયર્ંત ડોલવું નહિ, ધર્મ ધાર્યા છે તે માંયથી ।। ટેક નેક ન તજવી, સદા રે’વું હરિ આજ્ઞાએથી ।। ૮ ।। ધર્મે થાય તે ઠીક છે, રહિયે અધર્મ થકી અળગા ।। એવા જન થઈ હરિના, રહિયે ધર્મને વળગા ।। ૯ ।। સુખ દુઃખના સમુહ માંહિ, મૂંઝાઈ ધર્મ મૂકવો નહિ ।। નિષ્કુળાનંદ કહે નિશ્ચે કરી, […] read more
0 Views : 132

સારસિદ્ધિ કડવું:- ર૬

ધર્મ રાખે તેહ ધર્મી કા’વેજી, ધર્મ વિના જેને બીજું ન ભાવેજી સુતાં બેઠાં ગુણ ધર્મના ગાવેજી, ધર્મ વિના બીજુ નજરે નાવેજી ના’વે બીજું કાંઈ નજરે, ધર્મ વિના વળી કોઈ ધન ।। ધર્મ ગયે જે ધન મળે, તે જાણો થયું વિઘન ।। ર ।। ધર્મ ગયે ધરા ધામ મળે, ધર્મ ગયે મળે સુત વામ ।। ધર્મ ગયે ખાન પાન મળે, તે કરવું સર્વે હરામ ।। ૩ ।। ધર્મ ગયે સુખ સંપત્તિ મળે, ધર્મ ગયે મળે રાજપાટ ।। ધર્મ ગયે મોટપ્ય મળી, બળી વળી સઈ થઈ ખાટ ।। ૪ ।। ધર્મ ગયે વસ્ત્ર મળે, આસન ને વાહન વળી ।। ધર્મ ગયે સનમાન મળે, એહ આદિ સર્વે જાજો બળી ।। પ ।। ધર્મ ગયે જો તન રહે, તો તનને પણ ત્યાગવું ।। જીવવાનું જાતું કરીને, હરિ પાસે મરવાનું માગવું ।। ૬ ।। ધર્મ ગયે સર્વે ગયું, ગયું નીર વળી નાકતણું ।। માટે મૂકી નિજ ધર્મને, ન કરવું મુખ લજામણું ।। ૭ ।। ધર્મ વિના સુર અસુર નરનાં, સર્વેનાં શાહીસમ મુખ થયાં ।। ધર્મ વિના ધરા અંબર માંહી, મોટપ માન કેનાં રહ્યાં ? ।। ૮ ।। ધર્મ વિનાનું ધિક જીવવું, જન જાણજો જગમાંઈ ।। દેવ ઇચ્છિત દેહ આવિયો, પણ કામ ન આવિયો કાંઈ ।। ૯ ।। ધર્મવાળા પર ધર્મના સુત, રે’છે રાજી રળિયાત ।। […] read more
0 Views : 123

સારસિદ્ધિ કડવું:- ર૭

પરમ ધર્મ કહિયે સારમાં સારજી, સંત સરાયે જેને વારમવારજી નથી કોઈ આવતું ધર્મની હારજી, ધર્મ તે ધારી કહું નિરધારજી નિરધાર સાર શોધી કહું, ધારી લેજો ધર્મની રીત ।। જે ધર્મે અધર્મ ટળે, કહું તે ધર્મ કરી પ્રીત ।। ર ।। ધર્મ તે ધર્મસુતનાં વચન, તેહ પાળવાં પ્રીતે કરી ।। જેને જેમ કરી આગન્યા, તે ફેરવવી નહિ ફરી ।। ૩ ।। આગન્યાથી અધિક બીજો, નથી આવતો ધાર્યામાંય ધર્મ ।। તોળી તપાસી જોયું તને મને, એ જ ધર્મ છે વળી પર્મ ।। ૪ ।। ત્યાગી ગૃહી જન જેહને, કરી જેને તે જેમ આગન્યા ।। તેને તે તેમ વર્તવું, નવ વરતવું વચન વિના ।। પ ।। વચનમાં જેહ વરતે, તે પરમ ધર્મ પાળનાર ।। વચન વિરોધી જે વરતે, તે સર્વે ધર્મ ટાળનાર ।। ૬ ।। અવિનાશીની જે આગન્યા, તે સમજવું શુદ્ધ ધર્મને ।। ધારી વિચારી રાખવી હૃદયે, તો પામિયે સુખ પરમને ।। ૭ ।। વર્ણ આશ્રમ વેદવિધિના, ધર્મ પાળે છે ધરા ઉપરે ।। વે’વાર અર્થે વિવિધ ભાતે, પાળે છે તે બહુ પેરે ।। ૮ ।। પણ પરમ ધર્મ છે વાલાનાં વચન, તે કહ્યાં જેને કૃપા કરી ।। તેહ વિના બીજાં સર્વે, પરાં મૂકવાં પરહરી ।। ૯ ।। મોટો ધર્મ એ માનવો, જેહ કહ્યો ધર્મને બાળ ।। નિષ્કુળાનંદ મુખોમુખનાં વચન, ન ઉલ્લંઘવાં કોઈ કાળ […] read more
0 Views : 136
Powered By Indic IME