Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી
Per Page :

સારસિદ્ધિ કડવું:- ર

રાગ :- ધન્યાશ્રી પ્રભુ પ્રસન્ન કરવા કરે છે ઉપાયજી, જુજવા જુજવા આ જગમાંયજી । જેવી રુચિ જનની જેવો અભિપ્રાયજી, તે વિના બીજું કરે નહિ કાંયજી ।।૧।। રાગ :- ઢાળ કરે નહિ બીજું કોઈ દિન, કરે તેમ માન્યું જેમ મન । મતિ ન પોતી વૈરાગ્ય વિના, વણ સમઝે આદરે સાધન ।।ર।। કોઈ કહે જપે હરિ રીઝશે, કોઈ કહે તપે તતકાળ । કોઈ કહે તર્ત તીર્થથી, રાજી થાશે દીનદયાળ ।।૩।। કોઈ કહે જોગ જગ્ન કરતાં, પ્રસન્ન થાશે પરબ્રહ્મ । કોઈ કહે વ્રત નિયમ રાખતાં, શ્રીહરિ થાશે સુગમ ।।૪।। કોઈ કહે કરવત લીધે, સિધે કમળ પૂજાથી કામ । કોઈ કહે પા’ડ ચઢી પડતાં, રાજી થાય શ્રીહરિ શ્યામ ।।પ।। કોઈ કહે હિમાળે હાડ ગાળે, બાળે દાવાનળે દેહ । તો જરુર રાજી થાશે જીવન, એહ વાતમાં નથી સંદેહ ।।૬।। કોઈ કહે ધન ત્રિયા ત્યાગે, ત્યાગે ઘર કરે વનવાસ । કોઈ કહે વેષ કેશ વધારે, કોઈ કહે ફરે ઉદાસ ।। કોઈ કહે દિગંબર અન્ન અલુણે, કોઈ કહે ફળ દળ જળપાન । કોઈ કહે પય પવન પીતાં, કેમ રાજી ન થાય ભગવાન ।।૮।। કોઈ કહે મુખે મુન્ય ગ્રહીએ, રહીયે અણવાણ અહોનિશ । કોઈ કહે પંચઅગ્નિ તાપી, રાજી કરીયે જગદીશ ।।૯।। એહ વિના અનેક ઉપાયે, રાજી કરવા ઈચ્છે છે રામ । નિષ્કુલાનંદ એ ભકત ભલા, પણ નકી નથી […] read more
0 Views : 336

સારસિદ્ધિ કડવું:- ૩

રાગ :- ધન્યાશ્રી કોઈક ઈચ્છે રાજ સાજ રિધ્ધિજી, કોઈક ઈચ્છે સુરપુર પ્રસિધ્ધિજી । કોઈક ઈચ્છે મુકિત ચઉ વિધિજી, એમ સુખ સારું સૌએ દોટ દિધીજી ।।૧।। રાગ :- ઢાળ એમ દોટ સુખસારું દીધી, કીધી મોટા સુખની આશ । અલ્પ સુખથી મન ઉતારી, નિત્ય દેહ દમે છે દાસ ।।ર।। સહે છે સંકટ શરીરમાં, ફળ મળવા સાંધિ છે ફાળ । જાણ્યું રિઝવી જગદીશને, પામું અભય વર તતકાળ ।।૩।। તેહ સારું તાવે છે તનને, રે’છે મનમાં મોટી આશ । કૈયે રાજી કરું કૃષ્ણને, કૈયે પામું સુખ વિલાસ ।।૪।। અહોનિશ એવો અંતરે, વરતે છે અખંડ વિચાર । તેણે સહે સમૂહ સંકટના, તોય પામતા નથી હૈયે હાર ।।પ।। સવાસનિક નર એમ સુખ સારું, અતિ અતિ કરે છે ઉપાય । મોટપ્ય ઈચ્છે છે મનમાં, તેહ વિના તન ન તવાય ।।૬।। અતિ આગ્રહે આદરી, કરે પ્રભુ ને પ્રસન્ન । પછી માગે સુખ શરીરનું, એવા પણ અજ્ઞાની જન ।।૭।। નિર્વાસનિક વિના નરને, સમુ માગતાં સુઝે નહિ । જેમ વાંણાકરે વપુ વાંણાકરનું, માગ્યું કાશિયે કરવત લઈ ।।૮।। એમ નાના વિષય નાવ્યા નજરે, મોટા વિષય મળવા મન કર્યું । હતો અસાધ્ય રોગ અંગમાં, વળી વિશેષે કમળ ફર્યું ।।૯।। તેને પૂર્વ તે પશ્ચિમ થયું, હૈયું રહ્યું નહિ વળી હાથ । નિષ્કુલાનંદ એવા નર અમર, પામે નહિ મોટી મીરાંથ ।।૧૦।। કડવું ।।૩।। read more
0 Views : 292

સારસિદ્ધિ કડવું:- ૪

રાગ :- ધન્યાશ્રી જેમ વનજનને વા’લું વનજી, તેને વસતાં વસ્તીએ માને નહિ મનજી । ફળ દળ ફૂલ ખાય નિશદિનજી, અતિ રસે સરસ પણ ન ભાવે ભોજનજી ।।૧।। રાગ :- ઢાળ ભોજન તેને કેમ ભાવે, જેણે ખાધાં કોઠાં કરી ખાંત્ય । ઉપર ખાધી આંબલી, તેણે અંબાઈ ગયા છે દાંત ।।ર।। જેની વિષય કોઠાંમાં વૃત્તિ વળગી, અહં મમતરુપ ખાધી આંબલી । તેને ગોળ સારો કેમ લાગશે, કેમ કે’શે સાકરને ભલી ।।૩।। તેમ ભોગવ્યાં સુખ જેણે ભૂમિનાં, તેથી અધિક સુણ્યાં અમરેશનાં । તેને પામવા પામર નર, સહે છે દુઃખ હમેશનાં ।।૪।। જેમ અમલ પીતાં અકકલ નાસે, તોયે અંતરે જાણે અધિકું પિઉં । આવ્યું ડૂલપણું તે નથી દેખતો, એવું અતિશે ફૂટી ગયું હઈયું ।।પ।। થોડી ઉપાધિયે પણ નથી ઠેકાણું, ઘણી ઉપાધિ કેમ ન ઘુંચવશે । સૂકું રણ ઉતરે સમર્થ નથી, તો કેમ ઉતરશે રણ જયારે વસે ।।૬।। જાણે પેશી ઉંડા અર્ણવમાં, તળે જળ પીને તરષા તજું । પણ બહુ દુઃખ છે બા’ર આવતાં, તે પણ તપાસિયે ગજું ।।૭।। આઘા પગ પરઠતાં, હૈયે કરવો નહિ હુલાસ । આગળ સુખ કે દુઃખ છે, તેનો કાઢવો તપાસ ।।૮।। તેમ વિષય સુખની વાટે ચાલતાં, વિચારી જોવી જન વાત । કૈકવાર સુખ પામ્યા વામ્યા, લાખો લેખે લાગી લાત ।।૯।। માટે વાટ એ મૂકવી, ન ચુકવી આવી આ પળ । […] read more
0 Views : 295

સારસિદ્ધિ પદ:- ૧

રાગ :- રામગરી નિર્ભય ચરણ છે નાથનાં, સેવો શ્રદ્ધાએ સંત । અવર ઉપાય અળગા કરી, સમઝો સાર સિદ્ધાંત; નિર્ભય૦ ।।૧।। સુણી સુખ લોકાલોકનાં, શીદ કરો છો શોચ । એતો ઉદંબરે ફળ વળગ્યાં, થડથકી તે ટોચ; નિર્ભય૦ ।।ર।। એમ વળગ્યા વિષય પાંચમાં, નર સુર અજ ઈશ । અધિક ન્યૂન એમાં નથી, રવિ શશિ સુરેશ; નિર્ભય૦ ।।૩।। માટે ઉંડું વિચારી અંતરે, ખરી કરવી ખોળ્ય । નિષ્કુલાનંદ પ્રભુપદ પખી, જયાં જયાં જાય ત્યાં રોળ; નિર્ભય૦ ।।૪।।  પદ ।।૧।। read more
0 Views : 277

સારસિદ્ધિ કડવું:- પ

રાગ :- ધન્યાશ્રી એતો કેને અંતરે નથી વૈરાગ્યજી, જેણે કરી થાય તન સુખ ત્યાગજી । એક હરિચરણે હોય અનુરાગજી, એવા તો કોઈક સંત સુભાગજી ।।૧।। રાગ :- ઢાળ સંત સુભાગી સરસ સહુથી, જેના અંતરમાં નિરવેદ । સુણી સુખ સર્વે લોકનાં, જેનું નથી પામતું મન ખેદ ।।ર।। ઉંડું વિચારી અંતરમાં, જોઈ લીધું જીવમાં જરુર । વિષય સારું સહુ વલખાં, કરે છે સુર અસુર ।।૩।। વૈરાગ્ય વિના વિષય સુખનો, તર્છટ ન થાયે ત્યાગ । ત્રોડી પાડે પીંડ બ્રહ્માંડથી, એવો તો એક વૈરાગ્ય ।।૪।। વૈરાગ્યવાન વિલસે નહિ, માયિક સુખની માંઈ । શૂન્યસુમન સમ સમઝી, ગંધ સુગંધ ન માને કાંઈ ।।પ।। જે નિર્વેદ નિધિ નરનું, જેવું કરી દિયે છે કામ। તેવું ન થાય કહું કોઈથી, શું લખું ઘણાનાં નામ ।।૬।। જેમ મળે એક ચિંતામણિ, ઘણી અગણિત વસ્તુનું ઘર । તેમ શુદ્ધ વૈરાગ્ય શિરોમણી, નથી એથી બીજું કાંઈ પર ।।૭।। સર્વે સુખની સંપત્તિ, વસી રહી વૈરાગ્યમાંઈ । મોટે ભાગ્યે જો આવી મળે, તો ન રહે કસર કાંઈ ।।૮।। વૈરાગ્યવાનને વિપત્ત શાની, જે સમઝયા સાર અસાર । જેમ તુંબુ બોળે કોઈ તોયમાં, પણ નીસરી જાયે નીર બા’ર ।।૯।। વૈરાગ્ય વિના તો વાત ન બને, શુદ્ધ સાચું ન લેવાય સુખ । નિષ્કુલાનંદ નિરવેદ વિના, આદિ અંતે મધ્યે દુઃખ ।।૧૦।। કડવું ।।પ।। read more
0 Views : 242

સારસિદ્ધિ કડવું:- ૬

રાગ :- ધન્યાશ્રી વૈરાગ્ય વિના વિધિ લોકથી વિધિજી, સુતા સ્પર્શની ઈચ્છા ઉર કિધીજી । વૈરાગ્ય વિના પિનાકી પરસિદ્ધિજી, મોહિનીને મીટ જોવા લક લીધીજી ।।૧।। રાગ :- ઢાળ લક લીધી તક નવ તપાસી, વૈરાગ્ય વોણું વગોણું થયું । હતા અખંડ આત્મદરશી, પણ એ સમે એવું નવ રહ્યું ।।ર।। વળી પુરંદર વૈરાગ્ય પખી, માગ્યાં અસ્થિ ગયો ઋષિ ઘરમાં । વૈરાગ્ય વિના વિબુધ વિલખે, સદા રહિ સુખના ભરમાં ।।૩।। વૈરાગ્ય વિના વિધુ વ્યાકુલ થઈ, જઈ હરી ગુરુની પતની । વૈરાગ્ય વિના જુવો વિચારી, સારી વાત તે શું બની ।।૪।। વૈરાગ્ય વિના અંગે અંધારું, રહિ ગયું અર્કને અપાર । પરણ્યા વિના પતની કરી, તેનો ઉર ન આવ્યો વિચાર ।।પ।। નારદ પારાશર સૌભરી, ભૂલી ગયા વૈરાગ્ય વિના વાત । એકલશૃંગી અરણ્યમાં, થઈ વણ વૈરાગ્યે ઘાત ।।૬।। પાંડવ ભકત પ્રમાણિયે, પણ વણ વૈરાગ્યે વસાવ્યું વેર । કૌરવ કુળ નિર્મૂળ કર્યું, તેની મને આવી નહિ મે’ર ।।૭।। વૈરાગ્ય વિના ચિત્રકેતુ, પરણ્યો પત્નિયો કોટ । આગ્નિધ્ર યયાતિ જેવે, વણ વૈરાગ્યે ભોગવી ખોટ ।।૮।। બ્રહ્મા આદિ કીટ પર્યંત, વણ વૈરાગ્યે વિકળ થયા ।  ત્યારે બીજાનું નવ બોલવું, જે પશુવત પામર રહ્યા ।।૯।। વૈરાગ્ય વિના વિષય સુખનો, અંતરે ન થાય અભાવ ।  નિષ્કુલાનંદ નિરવેદ વિના, રુઝે નહિ વિષયના ઘાવ ।।૧૦।। કડવું ।।૬।। read more
0 Views : 255

સારસિદ્ધિ કડવું:- ૭

રાગ :- ધન્યાશ્રી જો શુદ્ધ્ વૈરાગ્ય ઉપજે અંગજી, તેને ન ગમે વિષય સુખનો સંગજી । અંતરે ઉદાસી રહે અભંગજી, તેને ચિત્તે ચઢે હરિનો રંગજી ।।૧।। રાગ :- ઢાળ ચિત્તે રંગ જાયે ચડી, તે ઉતાર્યો ઉતરે નહિ । એવા વૈરાગ્યવાનને, પીંડ બ્રહ્માંડની ગણતી સહિ ।।ર।। એવા શુદ્ધ્ વૈરાગ્ય વાળા શુકજી, જડ ભરતને પણ જાણિએ । કદરજમાં પણ કાચું નહિ, ખરા વૈરાગ્યવાન વખાણિએ ।।૩।। દેવ ઋષિ નરદેવની, કહી ખોટ મોટી ખોળીને । તેથી મનુષ્યની મોટપ કે’તાં, તન મને જોવું તોળીને ।।૪।। પણ પ્રહ્લાદે પરબ્રહ્મથી, માયિક સુખ નવ માગિયું । કુંતા ભકત કૈયે ખરાં, વિદુરે નિજ રાજય ત્યાગિયું ।।પ।। ગોપીચંદ બાજીંદ શેખ ભર્તુહરિ, સબસ્ત બરેજ મનસુર મલેચ । અતિ વૈરાગ્યના વેગ વડયે, પડયા નહિ માયાને પેચ ।।૬।। શુદ્ધ વૈરાગ્ય શરીરમાં, અચાનક જેને ઉપજે । તેને બ્રહ્માથકી આ ભૂમિના, સુખ નર અમરનાં નવ રજે ।।૭।। સાચો વૈરાગ્ય છે સુખનિધિ, જો આવી જાયે અચાનકે । તો કસર કોઈ નવ રહે, ઠિકોઠિક પો’ચાાડે સ્થાનકે ।।૮।। મોટે ભાગ્યે મનુષ્યને, મળે નિરવેદરુપણી નિધિ । રે’વા ન દીયે રંકપણું, વિષયસુખનું કોયે વિધિ ।।૯।। વણ વૈરાગ્યે એ છે વસમું, વૈરાગ્યવાનને વસમું નથી । તન કરી રાખ્યું છે તૃણ તોલે, કહે નિષ્કુલાનંદ શું કહું કથી ।।૧૦।। કડવું ।।૭।। read more
0 Views : 274

સારસિદ્ધિ કડવું:- ૮

રાગ :- ધન્યાશ્રી વૈરાગ્યવાનને વાત નથી કઠણ કઈજી, જે કોઈ મુકતાં મુકાય નઈજી । એવી વસ્તુ આ બ્રહ્માંડે સહીજી, જે વિના વિતરાગી ન શકે રહીજી ।।૧।। રાગ :- ઢાળ રહી ન શકે એવું જે રુડું, ભર્યા બ્રહ્માંડમાં ભાળે નહિ । મહાસુખ મુકી મહારાજનું, બીજે સુખે મન વાળે નહિ ।।ર।। સર્વે લોકની સંપત્તિ, પાપરુપ જાણી પેખે નહિ । ર્મૂતિ મુકી મહારાજની, બીજું દુઃખ જાણી દેખે નહિ ।।૩।। મોટા નાના માયિક સુખમાં, પડયા પરાધીન પરવશ છે । સ્વર્ગ મૃત્યુ પાતાળ પર્યંત, તેમાં કોણ કમ કોણ સરસ છે ।।૪।। જેમ અગ્નિ જવાળથી ઉંચા નીચા, લોહકઢામાં કણ ઉછળે। એમ પંચ વિષયમાં પડયા પ્રાણી, નાના મોટા સહુ બળે ।।પ।। વૈરાગ્યવાન જન એવું વિલોકી, મુકી વિષય સુખની વાટ । તને મને તપાશિને, ઘણી વાત બેસારી છે ઘાટ ।।૬।। ખરૂં કર્યું એમ ખોળીને, વણ વૈરાગ્યે વણસાડ । રૂડું જાણીને ન રોપીયે, ઘર આંગણે ગરલનું ઝાડ ।।૭।। એમ એક પ્રભુને પરહરિ, જન જે જે કરે છે ઉપાય । તેમાં સર્વે રીતે સંકટ છે, માની લેજો જન મનમાંય ।।૮।। પણ વણ વૈરાગ્યે વરતાય નહિ, અને વર્તે  તે વૈરાગ્યવાન । માટે અસત્ય સુખથી મન ઉતારી, ભજે છે જે ભગવાન ।।૯।। શુદ્ધ વૈરાગ્યવાન સાચા, ભકત પ્રભુના ભણિયે । નિષ્કુલાનંદ કહે તે વિના, બીજા સર્વે સ્વાર્થી ગણિયે ।।૧૦।। કડવું ।।૮।। read more
0 Views : 265
Powered By Indic IME