Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી
Per Page :

ધીરજાખ્યાન પદ:– ૧૬

(રાગ:-કડખો) ‘શાંતિ પમાડે તેને સંત કહીએ’ એ ઢાળ. ધન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને, જેણે રાજી કર્યા રાધા રમાપતિ…ધન્ય માન અપમાનમાં મન હટકયું નહિ રે, સમ વિષમે રહી એક મતિ. ધન્ય ।। ૧ ।। સુખ દુઃખ સમતોલ સમઝ્યા સહી, અરિ મિત્રમાં રહી એક જ બુદ્ધિ; સંપત્તિ વિપત્તિ સરખી સમ થઈ રે, સમઝ્યા સંત એમ વાત સુધી. ધન્ય ।। ૨ ।। હાર જીત ને હાણ વૃદ્ધિ જાણો વળી, હરખ શોકમાં નવ હસે રુવે; ગાંધર્વ શહેર સમ સુખ સંસારનાં રે, મૃગજળ જોઈ સુખરૂપ જળ ખુવે. ધન્ય ।। ૩ ।। સ્વપ્નાની પૂજા પીડા સ્વપને રહી, તે જાગ્રતમાં એહ આવતી નથી; નિષ્કુળાનંદ એમ સાચા સંત સમઝે રે, વિચારો સહુ કહું હું વાત કથી. ધન્ય ।। ૪ ।। read more
0 Views : 140

ધીરજાખ્યાન પદ:- વધામણાનું

(રાગ:-ધોળ) ‘મારી અવિચળ ચૂંકને રાખજો’ એ ઢાળ. આજ આનંદ મારા ઉરમાં, મળી મને મહામોંઘી વાત રે।। કોટી કષ્ટ કરે હરિ નવ મળે, તે તો મને મળિયા સાક્ષાત રે.. આનંદ ।। ૧ ।। રમાડ્યા જમાડ્યા રૂડી રીતશું, મળ્યા વળી વારમવાર રે।। હેતે પ્રીતે નિત્યે સુખ આપિયાં, તે તો કે’તાં આવે કેમ પાર રે.. આનંદ ।। ૨ ।। અન્ન જળ ફળ ફૂલ પાનની, આપી એવી પ્રસાદી અનુપ રે।। ચરણની છાપ દીધી છાતિયે, આપ્યાં સારાં વસ્ત્ર સુખરૂપ રે..આનંદ ।। ૩ ।। આગળ ભગત અનેક થયા, સહ્યાં તેણે શરીરે બહુ દુઃખ રે।। તોય પ્રભુ પ્રગટ પામ્યા નહિ, પામ્યા પણ નાવ્યાં આવાં સુખ રે..આનંદ ।। ૪ ।। કોઈકને આપી અમરાવતી, કોઈકને પુર કૈલાસ રે।। કોઈકને સત્યલોક સોંપિયું, કોઈકને વૈકુંઠે વાસ રે..આનંદ ।। ૫ ।। જૂજવાં એ ધામ આપ્યાં જનને, જોઈ નિષ્કામ સકામ રે।। આજ તો અઢળક ઢળ્યા હરિ, આપ્યું સહુને અક્ષરધામ રે..આનંદ ।। ૬ ।। સુખસુખ સુખ જયાં સુખ ઘણું, તે તો મુખે કે’તાં ન કહેવાય રે।। નિષ્કુળાનંદ એ આનંદમાં, હરખી હરખી ગુણ ગાય રે..આનંદ ।। ૭ ।। દોહા:- ચોસઠ્ય કડવાં સાત એક સિંધુ, છે ચરણ વળી પદ સોળ; ।। તેની ઉપર એક છે, વધામણાનું ધોળ. ।। ૧ ।। સંવત્ અઢાર નવાણુંવો, ચૈત્ર વદી દશમી દન; ।। રચ્યો ગ્રંથ ગઢપુરમાં, સુણી સમરો શ્રીભગવન. ।। ૨ […] read more
0 Views : 154

હૃદયપ્રકાશ પ્રસંગઃ- ૧

સોરઠા:- સમરું શ્રીઘનશ્યામ, મંગળ  કરવા માહેરું ।। અમૃતપદ  એ  નામ, અમંગળ  અળગું  કરે ।। ૧ ।। ધર્ય થકી  ધરિયે ધ્યાન, પ્રગટ  પુરુષોત્તમતણું ।। નિર્વિઘ્ન હોય  નિદાન, વિઘ્ન સર્વે વિરમે  વળી ।। ૨ ।। દોહા :- અતિ ઝીણી છે આ કથા, કહે ન સમજે કોય ।। સો સંક્ષેપે  સૂચવું, મતિ  દિયો એવી  મોય ।। ૩ ।। વારમવાર  વિનય કરી, કરું કથા ઉચ્ચાર ।। મતિ  અતિ પોં’ચે નહિ, તે પોં’ચાડો તમે પાર ।। ૪ ।। સદ્ગુરુ  શિષ્ય  સંવાદ શું, કરું કથા પ્રકાશ ।। જે સુણતાં શુદ્ધ શિષ્યને, હોય હૃદય તમ નાશ ।। ૫ ।। શિષ્ય  ઉવાચ :- દોહા :- શિષ્ય કહે સદ્ગુરુ સુણો, પૂછું  છું લાગી પાય ।। મૂર્તિ જોવા મહારાજની, ઇચ્છુ  છું હું ઉરમાંય ।। ૬ ।। દિન બહુનો  દાખડો, કરું  છું કૃપાનિધાન ।। પણ  આજ સુધી અંતરમાં, ભાળ્યા નહિ ભગવાન ।। ૭ ।। જેમ   કહો   તેમ   કરું,   હાથ જોડી રહું હજૂર ।। દીનબંધુ  દયા  કરો, તો હરિ દેખાય ઉર ।। ૮ ।। અંતર મારું  અણોસરું, વણ  દીઠે વ્રજચંદ ।। જયારે  દેખું  જગપતિ, ત્યારે  સુખ આનંદ ।।૯।। એમ શિષ્ય સદ્ગુરુને કહે, અરજી એહ મહારાજ ।। અંતરમાં ઇચ્છા  ઘણી, નાથ  નીરખવા કાજ ।।૧૦।। સદ્ગુરુ  ઉવાચ :- દોહા :- સદ્ગુરુ  કહે શીદ કરે, અમથો શિષ્ય ઉમંગ ।। સાંભળ્ય  તારાં  સંબંધી, કેને  છે  સતસંગ  […] read more
0 Views : 317

હૃદયપ્રકાશ પ્રસંગઃ- ર

શિષ્ય  ઉવાચ :- દોહા :- ત્યારે  શિષ્ય  કહે  સમજયો  સહી,  જે  જે  કહી  કૃપા  કરી  વાત ।। આજ થકી  મેં  ઓળખ્યાં,  ઘરને કરી છે  ઘાત ।। ૧ ।। એહ વિના  એવા  કોયે, બીજા જે દગાબાજ ।। કૃપા કરી કે’જો ફરી, ઓળખું એને હું  આજ ।। ૨ ।। સદ્ગુરુ  ઉવાચ :- દોહા :- તૈયે  સદ્ગુરુ  કહે  સાંભળ્ય  વળી,  બીજી  બુદ્ધિ  તું  જાણ્ય ।। એહ તારા  અંતરમાં, હંમેશ કરે છે હાણ્ય ।। ૩ ।। જે જે સંકલ્પ મન કરે, તે તે બુદ્ધિ કરે પ્રમાણ ।। નિઃસંશય નિશ્ચય  કરે, ન ફરે તે નિરવાણ ।। ૪ ।। માત તાત  સુત  સંબંધી, વળી તે વર્ણાશ્રમ ।। ઠીક એહ ઠેરાવિયાં, નાત્ય જાત્ય કુળ  ધર્મ ।। ૫ ।। બાળ  જોબન વૃદ્ધપણું, નામ રૂપ નિરધાર ।। નકી  તે  નિશ્ચય કર્યું, ભર્યું  ભીતર મોઝાર ।। ૬ ।। નર નારી ત્યાગી ગૃહી,  વળી જે લીધો વેશ ।। તેને  તેવું  મનાવિયું, અંતરમાં અહોનિશ ।। ૭ ।। પશુ  પંખી  પન્નગ  નગ,  વન  વેલી  જે જે જાત ।। બુદ્ધિયે  બહુ  નિશ્ચય  કર્યા,  વિદેશ  દેશ  વિલાત ।। ૮ ।। એકએકમાં  અનેક વિધિ, નામ રૂપ ગુણ આકાર ।। એ સર્વે અંતર આણિયાં, કે’તાં ન આવે પાર ।।૯।। જે જે જાણી જગતમાં, વસ્તુ વિવિધ  પ્રકાર ।। તે તે  દઢાવી અંતરે, ભર્યો તેનો ભંડાર ।।૧૦।। અવનિ આપ   […] read more
0 Views : 243

હૃદયપ્રકાશ પ્રસંગઃ- ૩

શિષ્ય  ઉવાચ :- દોહા :- શિષ્ય  કહે  સાચું સહી,  રહ્યું અંધારું ઘોર ।। જેને શાહા સમજતો, તે   તો   નીસર્યા ચોર ।। ૧ ।। વળીવળી  બતાવજો, ઓળખાવજો  અરિ એહ ।। કહો  કપટ કપટીતણાં, હું  સુણીશ  કરી સ્નેહ ।। ૨ ।। સદ્ગુરુ ઉવાચ:- સદ્ગુરુ કહે ચિત્ત તાહરું,  ચિંતવે  બહુ આકાર ।। કહી  કહી  કહીએ  કેટલા, કહેતાં તે  નાવે  પાર ।। ૩ ।। જે મને ઉત્થાને  મેલિયાં,  પ્રજ્ઞા  કર્યા પ્રમાણ ।। તે તે ચિત્ત નિત્ય ચિંતવે, જાગ્રત સ્વપ્ન સોહે જાણ ।। ૪ ।। માત  તાત  સુત  સંબંધી,  દેહ ગેહ ઘર નાર ।। ભાઈ  ભોજાઈ   ભગિની,   એહ   ચિંતવે   વારંવાર ।। ૫ ।। અવગુણ  ગુણ  અરિ  મિત્રને,  સંભારે ચિત્ત સોય ।। સુખદ  પદાર્થ સમજી, ચિંતવે  ચિત્ત નિત્ય પ્રોય ।। ૬ ।। અન્ન  ધન  ધામ  ધરણી,  પશુ  પંખી  ગામ  ગરાસ ।। દેશ પ્રદેશ પુર નગર, ચિત્ત ચિંતવે શ્વ્વાસોશ્વ્વાસ ।। ૭ ।। પેખી  પર  પોતાતણાં,  રાખે હેત  કુહેત ।। એવું  સમજી અંતરે, ચોખું  મનાવે  ચિત્ત ।। ૮ ।। આ પંડિત આ મૂરખો, આ ડાહ્યા ભોળા દોય ।। ચિત્ત  નિત્ય  એમ ચિંતવે, સહજ સ્વભાવે સોય ।।૯।। આ રોગી આ રોગી નહિ,  આ બુઢા જુવાન બાળ ।। આ  રૂપ  કુરૂપ  નારી  નર,  ચિત્ત  ચિંતવે  તત્કાળ ।।૧૦।। પંચભૂતથી  પ્રગટ્યાં, જડ-ચૈતન્યની  જાત ।। અણચિંતવે એકે નહિ, ચિત્ત ચિંતવે દિન ને રાત […] read more
0 Views : 274

હૃદયપ્રકાશ પ્રસંગઃ- ૪

શિષ્ય  ઉવાચ :- દોહા :- શિષ્ય કહે હું  શઠમતિ,  રતી  ન સમજયો રીત ।। મન બુદ્ધિ માન્યાં માહેરાં તેમ જ  માન્યું ચિત્ત ।। ૧ ।। વેરી તે  વા’લાં  જાણિયાં,  એહ  મોટું અજ્ઞાન ।। ધર થકી  ધૂતાપણું, ન  કળ્યું મેં નિદાન ।। ૨ ।। વળી વળી કરજો વારતા, લળી લળી લાગું પાય ।। મળી મળી માનીશ મહાપ્રભુ, કળી કળી કે’જો કાંય ।। ૩ ।। સદ્ગુરુ  ઉવાચ :-–  દોહા :- સદ્ગુરુ  કહે  નખશિખા  લગી,  અંગમાંહિ  અહંકાર ।। અહં-મમત કરી માનિયું, યત્કિંચિત્  કૈ’યે લગાર ।। ૪ ।। મન  સંકલ્પ મો’રે કહ્યા,  બુદ્ધિ નિશ્ચયના બહુ ।। ચિત્તે  રાખ્યા  ચિંતવી, તે  હું ને  મારું સહુ ।। ૫ ।। મારાં માત  ને તાત છે,  મારાં ભગિની ભાઈ ।। મારી જાત  ને નાત છે,  મારા સગાંને સાઈ ।। ૬ ।। સુત કલત્ર  સંબંધી,  મારું કુળ કુટુંબ ।। એને અર્થે આ તને,  સહું કષ્ટ વિષમ ।। ૭ ।। એહ  મારાં  હું એહનો, તજું  નહિ ત્રય કાળ ।। મમત  એહ મેલું નહિ,  કરું  નિત્યે પ્રતિપાળ ।। ૮ ।। એને દુઃખે હું  દુઃખિયો, એહને  સુખે સુખ ।। એહને જમે  હું  જમ્યો,  એહને  ભૂખ્યે ભૂખ ।।૯।। એ  છે મારા આતમા,  એહ છે  મારું તન ।। એ  છે મારા પ્રાણપ્રિયે,  એ છે  મારાં જીવન ।।૧૦।। મારા મિત્ર ગોત્ર, એહ  મારો  વંશ વધાર […] read more
0 Views : 339

હૃદયપ્રકાશ પ્રસંગઃ- પ

શિષ્ય  ઉવાચ :- દોહા :- શિષ્ય કહે એહ સત્ય છે, તમે કહ્યું જેમ છે તેમ ।। વાત ગઈ  બહુ બગડી, કહો કરું હવે કેમ ।। ૧ ।। ઉપાય એહનો અમને, બતાવિયે વાલમ ।। કહો કેમ  એહ નીસરે, તેહની  પડાવો  ગમ ।। ૨ ।। અંતઃકરણ રહે અંતરે, મન બુદ્ધિ  ચિત્ત અહંકાર ।। જકત  પદાર્થ જે કહ્યાં,  તે તો  રહે છે  બા’ર ।। ૩ ।। કેમ  આવ્યાં  એહ  અંતરે,  ભરાઈ  ગયાં  ભીતર ।। નિસાર્યા નીસરે નહિ,  કરી રહ્યાં એહ ઘર ।। ૪ ।। એની  મેળે એહ આવવા, નથી  નિશ્ચે  સમર્થ ।। આવી   સહુ   સબળાં   થયાં,   આદરિયો   અનર્થ ।। ૫ ।। અણઇચ્છ્યાં એ આવી રહ્યાં, કે લાવિયાં વળી કોય ।। પૂછું છું એહ પ્રશ્નને,  સદ્ગુરુ  કહેજો સોય ।। ૬ ।। સદ્ગુરુ  ઉવાચ :- દોહા :- સદ્ગુરુ  કહે સાચી કહું, તેં પૂછી તેહની વાત ।। શ્રુતિ  દઈ   સાંભળ્ય   હવે,   કહું   તુંને   સાક્ષાત ।। ૭ ।। અંતઃકરણની આગળે, પ્રધાન રહે છે  પંચ ।। જોઈએ જેવું  જે સમે,  તેવો સોંપે છે  સંચ ।। ૮ ।। દિગ  વાયુ દિનકર કહું, વરુણ  અશ્વિનીકુમાર ।। જડ  ચૈતન્ય  જે  જકતમાં,  તેહ  લાવી  કરે  તૈયાર ।।૯।। દિગદ્વાર દોય  કાન  છે,  સમીર  દ્વાર સોય ચર્મ ।। અર્ક  દ્વાર  સો  આંખ્ય  દો,  એહ  સમજી  લે  મર્મ ।।૧૦।। વરુણદ્વાર  જાણો  જીભને,  અશ્વિનીકુમાર  દ્વાર  નાક […] read more
0 Views : 297

હૃદયપ્રકાશ પ્રસંગઃ- ૬

શિષ્ય  ઉવાચ :- દોહા :- શિષ્ય કહે સાચું સહી, મેં સમજાણું નહિ સોય ।। તમે  કહ્યે  તપાસિયું, મારું ન  મળે કોય ।। ૧ ।। ઠગઠગ ઠગ એ ફાંસિયાં,   શાહા   જાણી કર્યો સાથ ।। મોટા રણમાં રોળિયો,  માર્યો  ગયો અનાથ ।। ૨ ।। એહ જેવાં  હોય  અંગમાં,  ઓળખાવો  મુને  આજ ।। નાથ તમારા હાથમાં,  મારી  છે ગુરુ  લાજ ।। ૩ ।। સદ્ગુરુ  ઉવાચ :-–  દોહા :- એવું સુણી સદ્ગુરુ બોલિયા, સુણજે શિષ્ય સુધીર ।। ત્વચા દ્વારે  વો’રિયા,  સ્પર્શ  બહુ  સમીર ।। ૪ ।। સ્પર્શ સુખદ સંસારમાં,  દીઠા સુણ્યા  સોય ।। પિંડ અંતર સ્પર્શ્યા વિના,  મળ્યે  મેલ્યા નહિ કોય ।। ૫ ।। શીત ઉષ્ણ  શરીરશું,  પ્રીતે  સ્પર્શ્યા  જેહ ।। ચર્મ મર્મ ચોખાં કરી, રાખ્યાં હૃદયે તેહ ।। ૬ ।। નારી નાના બાળનો,  સ્પર્શ  તે સુખરૂપ ।। કોમળ કાયા સ્પરશી,  અંતર  ઉતારી અનુપ ।। ૭ ।। ગાદી તકિયા ગાદલાં,  મશરુ કાં મખમલ ।। લાસાં ગાલ-મસુરિયાં,  ઓશિસાં  અવલ ।। ૮ ।। રૂડાં સહુ રેશમી,  સુંવાળા  સુખદેણ ।। એનો સ્પર્શ પામતાં,  કે’વા  રે’ કાંયે કેણ ।।૯।। સેજ સમારી સુમને,  કોમળ કળી  ફૂલ ।। સ્પર્શ કર્યો  સૂઈને,  તે કેમ જાશે  ભૂલ ।।૧૦।। મંદ સુગંધ  શીતળનો, સ્પર્શ્યો  પંડ્યે  પવન ।। તેનું સુખ શરીરમાં, વીસરે નહિ કોય દન ।।૧૧।। ચૂવા-ચંદન  ચરચી, અત્તર  ચોળ્યાં  અંગ ।। તેલ  ફુલેલ  તનમાં,  […] read more
0 Views : 262
Powered By Indic IME