Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી
Per Page :

ધીરજાખ્યાન કડવું:– પર

વળી કહું ઋષિ નારદ એક નકીજી, જેને પ્રતીત પ્રગટની છે પકીજી આપે જ્ઞાન દાન જનને વિવેકીજી, પામ્યા ભવપાર અગણિત એહ થકીજી અગણિત જીવ ઉદ્ધારવા, ફરે સ્વર્ગ મૃત્યુ ને પાતાળ ।। જયાં જયાં હોય જીવ જીજ્ઞાસુ, ત્યાં ત્યાં જાય તતકાળ ।। ૨ ।। એમ કરતાં આવિયા, નારદ નારાયણ સર ।। દીઠા સામટા સહસ્ર દશ, દક્ષ પ્રજાપતિના કુંવર ।। ૩ ।। તેને ઉપદેશ આપી કાપી, સંસાર સુખની આશ ।। તેહ સાંભળી દક્ષ દિલે, અતિશે થયો ઉદાસ ।। ૪ ।। ત્યાર પછી એક સહસ્રને, ઉપજાવી મૂકયાં એહ સ્થાન ।। તેને પણ તેના ભાઈના જેવું, આપ્યું છે નારદે જ્ઞાન ।। ૫ ।। તે સુણી દક્ષ દિલગીર થયો, આપ્યો નારદજીને શાપ ।। મુહૂર્ત ઉપર તમે જયાં રહો, ત્યાં મૃત્યુ પામજો આપ ।। ૬ ।। આપ એ શાપ ચડાવી શિર ઉપરે, આપે છે હજી ઉપદેશ ।। એહના જેવો આગ્રહ, હરિજનને જોઇએ હંમેશ ।। ૭ ।। કે’વી વાત હરિકૃષ્ણની, હેત દેખાડી હૈયાતણું ।। કાઢી લેવો કાળમુખથી, એવો ઉપકાર કરવો ઘણું ।। ૮ ।। ચોખે મારગે ચલાવતાં, કોઈને ગમે કે નવ ગમે ।। કહ્યામાં કસર નવ રાખવી, સુખ દુઃખ સમે વસમે ।।૯।। આળસી ન બેસવું આપણે, હેતે કરવી હરિની વાત ।। નિષ્કુળાનંદનો નાથજી, રહે રાજી તે પર દિન રાત ।।૧૦।। read more
0 Views : 81

ધીરજાખ્યાન પદ:– ૧૩

સાચા સંત અત્યંત રાજી કર્યા શ્રીહરિ, મેલી મમત તન મન તણી…સાચા હિંમત અતિ મતિમાંય તે આણીને, રતિપતિની લીધી લાજ ઘણી…સાચા ।। ૧ ।। દામ વામ ધામ દીઠાં પણ નવ ગમે, કામ શ્યામ સાથે રાખ્યું છે જેણે; નામ ઠામ ન પૂછે ગામ ગ્રાસનું રે, આઠું જામ હામ હૈયે રહે છે તેણે.  સાચા ।। ૨ ।। એવા સંતનો સંગ ઉમંગ શું કરિયે, તો અભંગ રંગ રૂડો અંગ રહે; દિલ ન ડગમગે પગ નવ પરઠે, ચિત્ત રહી ચંગે જગ જીતી લહે.  સાચા ।। ૩ ।। સાચા સંત શૂરવીર ધીર ગંભીર છે, નીર ક્ષીર કાંકર હીર કરે નિવેડો; નિષ્કુળાનંદ આનંદ પદ પામીને, કે દી ન મૂકે એ વાતનો જ કેડો.  સાચા ।। ૪ ।। read more
0 Views : 88

ધીરજાખ્યાન કડવું:– પ૩

એવા તો સનકાદિક સુજાણજી, વિષયસુખ દુઃખરૂપ જાણી તજી તાણજી ભજી પ્રભુ પામિયા પદ નિર્વાણજી, એહ વાત સરવે પુરાણે પ્રમાણજી પુરાણે વાત એહ પરઠી, સનકાદિક સમ નહિ કોય ।। વેર કરી વિષયસુખ સાથે, ભજયા શ્રીહરિ સોય ।। ૨ ।। જેહ સુખ સારું શિવ બ્રહ્મા, સુર અસુર નર ભૂખ્યા ભમે ।। તે સુખ સનકાદિકને, સ્વપ્નામાં પણ નવ ગમે ।। ૩ ।। ભકત કરી હરિને રીઝવ્યા, માગો માગો કહે શ્રીઘનશ્યામ ।। માગિયે વય વર્ષ પાંચની, વળી રહિયે સદા નિષ્કામ ।। ૪ ।। પછી પામી અવસ્થા વર્ષ પાંચની, સર્વે લોકમાં ફરે સુજાણ ।। સુણાવે કથા શ્રીકૃષ્ણની, કરે બહુ જીવનાં કલ્યાણ ।। ૫ ।। ઊંડી અંતરથી ઇચ્છા ગઈ, સ્પર્શ સુખ ત્રિયા તનની ।। એની પેઠે કરો આપણે, મેલી દિયો ઇચ્છા મનની ।। ૬ ।। નિરવિષયી ગમે છે નાથને, વિષય વિકળ ગમતા નથી ।। જેમ સમળ નર બેસે સભામાં, સહુ જાણે ઊઠી જાયે આંહીંથી ।। ૭ ।। ઉપર બન્યા બહુ ઊજળા, માંયે મેલની મણા નથી ।। એવા જન જોઈ જગપતિ, અભાવ કરે છે ઉરથી ।। ૮ ।। ઇચ્છાઓ અનેક ઉરમાં, ખાન પાન સ્પર્શ સુખની ।। એવા ભકતની ભગતિ, હરિ વદે નહિ વિમુખની ।।૯।। પંચ વિષયની પટારિયું, ઘણી ઘાટે ભરી ઘટમાંય ।। નિષ્કુળાનંદ કહે નાથના, એહ ભકત તે ન કહેવાય ।।૧૦।। read more
0 Views : 131

ધીરજાખ્યાન કડવું:– પ૪

વળી ઋષિ એક જાણો જાજળીજી, આરંભ્યું તપ અતિ વિષમ વળીજી કર્યું હરિધ્યાન તેણે તન શુદ્ધ ટળીજી, આવ્યાં વનવિહંગ ઘણી સુઘરિયો મળીજી સુઘરિયે મળી માળા ઘાલ્યા, વળી બેઉ કાનની કોર ।। ઈંડાં મૂકીને અહોનિશ, કરે છે શોર બકોર ।। ૨ ।। અડગ પગે તે ઊભા રહ્યા, વળી જાય ન આવે કયાંય ।। જાણે પંખીને પીડા ઊપજશે, એવી દયા ઘણી દિલમાંય ।। ૩ ।। ચારે દિશે જાય ચણ્ય સારું, વળી આવી રહે ત્યાં રાત ।। પછી ઈંડા મટી ઈંડજ થયાં, ગયાં ઊડી પ્રભાત ।। ૪ ।। તોય જાજળી જોઈ રહ્યા, દિન કેટલાક સુધી વાટ ।। પાછાં ન આવ્યાં પંખી જયારે, ત્યારે તજયો મન ઉચ્ચાટ ।। ૫ ।। એના જેવી દયા દિલમાં, રાખવી અતિ ધરી ધીર ।। ઝીણા મોટા જીવનું સહેવું, સુખ દુઃખ તે શરીર ।। ૬ ।। આપણે અંગે પીડા આવતાં, જો થાય સામાને સુખ ।। તો ભાવે કરી ભોગવિયે, દિલમાં ન માનિયે દુઃખ ।। ૭ ।। અલ્પ જીવ ઉપર વળી, રાખવો નહિ રોષ એક રતિ ।। સ્થાવર જંગમ જીવ ઉપર, પરહરવી હિંસક મતિ ।। ૮ ।। પરને પીડા કહું કરવી, એ તો કામ છે કસાઈનું ।। સર્વેને સુખ થાવા ઇચ્છવું, એહ કૃત્ય છે સંત સુખદાયીનું ।।૯।। એહ મત ખરો હરિભકતનો, નવ પીડવા પ્રાણધારીને ।। નિષ્કુળાનંદનો નાથજી રીઝે, એવું કરવું વિચારીને ।।૧૦।। read more
0 Views : 99

ધીરજાખ્યાન કડવું:– પપ

અરુણી ઉપમન્યુ આપત્યધૌમ્યના શિષ્યજી, ગુરુ આગન્યામાં વરતે અહોનિશજી જાય અન્ન જાચવા હરખે હંમેશજી, આણી આપે ગુરુને નાપે ગુરુ તેને લેશજી લેશ ન આપે જયારે શિષ્યને, શિષ્ય જાચે અન્ન પછી જઈ ।। ત્યારે ગુરુ કહે ગરીબ ગૃહસ્થને, ફરી ફરી પીડવા નહિ ।। ૨ ।। ત્યારે પય પળી પીને વળી, કરે છે તેહ નિરવાહ ।। ત્યારે ગુરુએ પય વત્સફીણની, પાડી છે ચોખી નાહ ।। ૩ ।। પછી ખાધાં તેણે ક્ષુધામાંહિ, અર્ક પાન થયા તેહ અંધ ।। વનથી આવતાં વાટમાં, પડી ગયા છે કૂપ મધ્ય ।। ૪ ।। આવ્યાની વેળા વહી ગઈ, ત્યારે ગોતવા ગુરુ નીસર્યા ।। પોકાર કરતાં પડેલ કૂવામાં, સામસામા સાદ કર્યા ।। ૫ ।। પછી કૂવામાંથી કાઢી કહ્યું, ઉપમન્યું તું છે મારો દાસ ।। મને તે પ્રસન્ન કર્યો, હવે માગ્ય કાંઈક મુજ પાસ ।। ૬ ।। એમ ગુરુની આગન્યા, જે પાળે પરમ સુજાણ ।। નિરવિઘન તે નર થઈ, પામે પદ નિરવાણ ।। ૭ ।। મન ગમતું મેલી કરી, રહે આજ્ઞાને અનુસાર ।। તેજ શિષ્ય સાચા ખરા, બીજા સરવે સંતાપનાર ।। ૮ ।। કુક્કર કાનના કીટ સરિખા, શિષ્ય ન થાવું સમઝી ।। ગુરુ વાળે તેમ વળવું, અહંતા મમતા મનની તજી ।।૯।। ગુરુકૃપાએ સુખ પામિયે, ગુરુકૃપાયે ઉપજે જ્ઞાન ।। નિષ્કુળાનંદ ગુરુ કૃપા કરે, તો આપે અવિચળ દાન ।।૧૦।। read more
0 Views : 114

ધીરજાખ્યાન કડવું:– પ૬

એ કહ્યા સરવે પરોક્ષ હરિજનજી, એને કેને પ્રગટ નથી મળ્યા ભગવનજી તોય કોઈ મોળા ન પડિયા મનજી, કહું વાર હજાર એને ધન્યધન્યજી ધન્ય ધન્ય એહ જનને, જેણે શીશ સાટે સોદો કર્યો ।। તજી છે આશ તન મનની, એવો ઉદ્યમ જેણે આદર્યો ।। ૨ ।। લીધો સિંદોરો શીશ હાથમાં, તેહ સાથ જોવા કેમ રહે ।। મરવાની તો બીક જ મટી, અસિઆગ્યનો ભાગ્યો ભહે ।। ૩ ।। આગળ ચાલતાં આનંદ અતિ, આવે ઝટ દઈ રણઝુંપ રે ।। એક લડી મરે એક બળી ટળે, માને બેઉ વાત અનૂપ રે ।। ૪ ।। તેમ જ સાચા સંતને, તજી જોઈએ તે તનની આશ ।। દેહરખા સરખા કાયરનર, તે તો કે દી ન હોય હરિદાસ ।। ૫ ।। હરિદાસને હોય હિંમત ઘણી, ગણે તનને તરણા તોલ ।। લાલચ મેલી આ લોકસુખની, પામવા વસ્તુ અમોલ ।। ૬ ।। અચળ સુખમાં આવી ઘણી, પૂરણ વળી પ્રતીત ।। અસત્ય સુખ પણ ઓળખ્યું, જાણ્યું જેવી છે એની રીત ।। ૭ ।। પડ્યું પોતાને પારખું, ખરા ખોટાનું ખરાખરું ।। સુખ ઘણું માન્યું ઘનશ્યામમાં, મેલ્યું અલ્પ સુખ અળગું પરું ।। ૮ ।। શીદને ખાય ખાટી છાશને, મેલી પીયુષ રસ પ્રવાહ ।। પટુ પાંબરી પરહરીને, કરે કોણ ચરમની ચાહ ।।૯।। તેમ ભકત જકતનાં સુખ જોઈને, લોભાય નહિ લગાર ।। નિષ્કુળાનંદ તેહ ભકત સાચા, […] read more
0 Views : 94

ધીરજાખ્યાન પદ:– ૧૪

(રાગ:-કડખો) ‘શાંતિ પમાડે તેને સંત કહીએ’ એ ઢાળ. સાચા ભકતની રીત સર્વે સાચી સહી, સાચાં સર્વે આચરણ એનાં…સાચા ખાતાં પીતાં સુતાં જાગતાં જાણિયે, ઉપદેશ રૂપ અનુપ તેનાં.સાચા ।। ૧ ।। હાલતાં ચાલતાં જોતાં માંય જોવું ખરું, લેતા દેતાં બોલતામાં કળી લૈયે; જાતાં આવતાં પાસ વાસ વસતાં, કેમ ન કળાય એહ કહો તૈયે. સાચા ।। ૨ ।। કરતાં ન કરતાં હરતાં ફરતાં, ગાતાં વાતાં વળી હસતાં હોયે; રોતાં ધોતાં પોતાં પે’રતાં પરખિયે, છતાં વકતાં જાણો સુખદ સોયે. સાચા ।। ૩ ।। જે જે આચરણ સાચા સંત આચરે, તે તે સર્વે છે વળી સુખકારી; અખંડ ધામમાં એ જ પોં’ચાડે, નિષ્કુળાનંદ કહે છે વિચારી.  સાચા ।। ૪ ।। read more
0 Views : 112

ધીરજાખ્યાન કડવું:– પ૭

સુણો એક મુદ્ગલ ઋષિની રીતજી, વીણે અન્ન દિન પંદર લગી નિત્યજી કરી પાક જમાડે અભ્યાગત ઘણે હિતજી, વધે અન્ન તેહ જમે કરી અતિ પ્રિતજી કરી પ્રીત અતિ જમતો, ત્યાં દુર્વાસા ઋષિ આવિયા ।। અતિ આદર દઈ બ્રાહ્મણે, જમવાને બેસારિયા ।। ૨ ।। જમી અન્ન જે વધ્યું હતું, તે ચોળી પોતાને તન ।। ચટક દઈ ચાલી નીસર્યા, ગયા શિવને ભવન ।। ૩ ।। પછી પંદર દિવસે વળી, ભેળું કર્યું બ્રાહ્મણે અન્ન ।। તે પણ તેમનું તેમ કર્યું, તોય રહ્યા મુદ્ગલ મગન ।। ૪ ।। એમનું એમ કરતાં વળી, વીતી ગયા દ્વાદશ માસ ।। અન્ન વિનાના એટલા, પડ્યા ચોખા ઉપવાસ ।। ૫ ।। ત્યારે દુર્વાસા કહે ધન્ય દ્વિજ તું, ધન્ય ધીરજ તારી નિદાન ।। તેહ સમામાં તેડવા, આવ્યાં વિબુધનાં વિમાન ।। ૬ ।। બેસો ઋષિ વિમાનમાં, તેડી જાયે અમરપુરમાંય ।। સત્ય ટેક તમારી જોઈને, અમે આવ્યા તેડવા આંય ।। ૭ ।। ત્યારે પૂછ્યું સુખ દુઃખ સ્વર્ગનું, કહ્યું કંઈક ચઢે પડે પણ ખરાં ।। ત્યારે મુદ્ગલ કહે નહિ આવું એ ધામે, લઈ જાઓ વિમાનને પરાં ।। ૮ ।। અલ્પ સુખને ભોગવી, પુન્ય ખૂટે પાછું પડવું ।। એવા સુખને વળી સાંભળી, ચોખું નથી એ વેને ચડવું ।।૯।। પછી અવધે તન તજી કરી, ગયા તે અખંડ ધામમાં ।। નિષ્કુળાનંદ કહે સહ્યું કષ્ટ જેહ, તેહ આવિયું […] read more
0 Views : 110
Powered By Indic IME