Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી
Per Page :

ધીરજાખ્યાન કડવું:– ૧૩

વળી ધન્ય ધન્ય ધ્રુવજીને કહિયેજી, જેનો તાત ઉત્તાનપાદ લહિયેજી સુનીતિને ઉદર આવ્યા જહિયેજી, જનમી ઉરમાં વિચારિયું તહિયેજી ઉરમાં એમ વિચારિયું, થાવું મારે તે હરિદાસ ।। એવે વિચારે આવિયા, વળી નિજ પિતાની પાસ ।। ૨ ।। આદર ન પામ્યા તાતથી, થઈ પુષ્ટ એહ પરિયાણની ।। અપર માયે પણ એમ જ કહ્યું, થઈ દઢ મતિ સુજાણની ।। ૩ ।। જેમ શૂરો શત્રુ સેનશું, હૈયે કરે લડવાને હામ ।। તેને સિંધુ સંભળાવતાં, ભાઈ મરી મટે એહ ઠામ ।। ૪ ।। તેમ ધ્રુવે એમ ધાર્યું હતું, અતિ થાવું છે સહુથી ઉદાસ ।। રાજ સાજ સુખ સંપત્તિ, મેલી વન કરવો છે વાસ ।। ૫ ।। અલપ સુખ સંસારનું, જે મળે ને મટી જાય રે ।। તેહ સારુ આવું તન ખોઈ, કહો કોણ દુઃખને ચા’ય રે ।। ૬ ।। અચળ સુખ અવિનાશીનું, જેહ પામીને પાછું નવ ટળે ।। એવા સુખને પરહરી, બીજા સુખમાં કોણ બળે ।। ૭ ।। અસત્ય સુખ સંસારનાં, તેને સત્ય માની નરનાર ।। ભૂલવણીમાં ભૂલા પડ્યાં, કેણે ન કર્યો ઉર વિચાર ।। ૮ ।। મરીચિ જળે મળ ટાળવા, મનસૂબો કરે છે મનમાંય ।। પણ જાણતા નથી રીત ઝાંઝુની, એહ અર્થ ન આવે કાંય ।। ૯ ।। એવું દઢ ધ્રુવે કર્યું, મો’રથી મનમાંય ।। નિષ્કુળાનંદનો નાથ ભજશું, તજશું બીજી ઇચ્છાય ।।૧૦।। read more
0 Views : 148

ધીરજાખ્યાન કડવું:– ૧૪

દઢ વિચાર એમ કરી ધ્રુવે મનજી, વેગેશું ચાલિયા વળતા વનજી મારગમાં મળ્યા નારદ મુનિ જનજી, તેણે કહ્યાં બહુ હેતનાં વચનજી વચન કહ્યાં બહુ હેતનાં, વળી આપ્યો મંત્ર અનુપ ।। પછી અચળ તપને આદર્યું, જપે મંત્ર એ સુખ સ્વરૂપ ।। ૨ ।। પાંચ વરષના એક પગે, ઊભા અચળ અડગ થઈ ।। બહુ બલાઉં આવે બિવરાવવા, તેના બિવરાવ્યા બીવે નહિ ।। ૩ ।। શ્યાળ વ્યાળ કરી કેશરી, વાઘ વાનર વૃક વીજુ વળી ।। ભૂત પ્રેત રાક્ષસ રાક્ષસી, વૈતાલ વૈતાલી મળી ।। ૪ ।। હોહોકાર હુંકાર કરે, કરે કાનમાં ક્રૂર ઉચાર ।। મારોમારો ખાઓખાઓ કહે, પણ ન ડરે ધ્રુવજી લગાર ।। ૫ ।। અન્ન જળ તજી આરંભ્યું, કઠણ તપ જે કહેવાય ।। તજી લાલચ્ય તનની, આદર્યો એહ ઉપાય ।। ૬ ।। ખરી ટેક ખટ માસ સુધી, ઊભા રહ્યા એક પગે ।। અસુર સુર આશ્ચર્ય પામ્યા, દેખી તપ ધ્રુવજીનું દગે ।। ૭ ।। પ્રભુ મળ્યા સારુ પરહર્યું, સરવે શરીરનું સુખ ।। રાજી કરવા રમાપતિ, અતિ દિયે છે દેહને દુઃખ ।। ૮ ।। મેલી મમત હિંમત કરી, પરહરી ખોટાં સુખની આશ ।। આકરું તપ આદર્યું, જોઈ પામ્યાં જન મન ત્રાસ ।।૯।। ધરણી લાગી ધ્રૂજવા, ડગવા લાગ્યા દિગ્પાળ ।। નિષ્કુળાનંદ નાની વયમાં, દીઠા બહુ બળવાળા બાળ ।।૧૦।। read more
0 Views : 165

ધીરજાખ્યાન કડવું:– ૧પ

નિર્બળથી નથી નીપજતું એ કામજી, શીદ કરે કોઈ હૈયામાંહી હામજી ઘણું કઠણ છે પામવા ઘનશ્યામજી, જેણે પામિયે સુખ વિશ્રામજી સુખ વિશ્રામ પામિયે, વામિયે સર્વે વિઘન ।। તેમાં કસર ન રાખિયે, રાખિયે પ્રગળ મન ।। ૨ ।। ધારી ટેક ધ્રુવના સરખી, ઉર આંટી પાડવી એમ ।। પામું હરિ કે પાડું પંડને, કરું ધ્રુવે કર્યું હું તેમ ।। ૩ ।। એમ ઓથ્ય મોટાની લિયે, ખોટ્ય તે ખોવા કાજ ।। ખાલી ન જાય ખેપ તેની, જરૂર રીઝે મહારાજ ।। ૪ ।। પ્રહલાદ ધ્રુવની પેરે કરે, સમઝી ભકત સુજાણ ।। તેથી અધિક કરવી નથી, કરવી એને પ્રમાણ ।। ૫ ।। એના જેવી જે આદરે, સહે તને કષ્ટ બહુ ટાઢ ।। એમ કરતાં હરિ મળે, ત્યારે પલટ્યો નથી કાંઈ પાડ ।। ૬ ।। એના જેવી વળી આપણે, ભલી ભાતે બાંધિયે ભેટ ।। ત્યારે પ્રસન્ન જન પર પ્રભુ, ન થાય કહો કેમ નેટ ।। ૭ ।। હિંમત જોઈ હરિજનની, હરિ રહે છે હાજર હજૂર ।। પણ ભાંગે મને ભકત કરે, તેથી શ્રીહરિ રહે દૂર ।। ૮ ।। સાચાને સોંઘા ઘણા છે, નથી મોંઘા થયા મહારાજ ।। ખોટાને ન જડે ખોળતાં, તે દિન કે વળી આજ ।।૯।। માટે કસર મૂકી કરી, થાઓ ખરા હરિના દાસ ।। નિષ્કુળાનંદ નજીક છે, તે દાસ પાસ અવિનાશ ।।૧૦।। read more
0 Views : 144

ધીરજાખ્યાન કડવું:– ૧૬

વળી કહું વર્ણવી ધ્રુવની વાતજી, શીત ઉષ્ણ સહે છે દિન ને રાતજી તેમાં ન થાય કોઈ કાળે કળિયાતજી, કરવા હરિને રાજી રળિયાતજી રાજી કરવા મહારાજને, સુખ દુઃખ સહે છે શરીર ।। અડગ ઊભા એક પગ ભર, ધારી દઢતા મન ધીર ।। ૨ ।। રોઝ ગેંડા પાડા અરણા, શશાં સેમર સુરા ગાય ।। આવે એવાં વળી દુઃખ દેવા, પણ બીવે નહિ મનમાંય ।। ૩ ।। ગૃજય ગીધ ચીલ ચીબરી, કાક કરૂરી સુઘરી કપોત ।। ભ્રમર તમર બોલે ટીડડાં, ઠામ ઠામ દમકે ખદ્યોત ।। ૪ ।। એકએકથી અધિક પાપી, પાડે ભજનમાં ભંગ ।। તોય ધ્રુવજી નથી ધ્રૂજતા, ધરી ધીરજ કરી દઢ અંગ ।। ૫ ।। ખાન પાનની ખબર નથી, નથી કરતાં નિદ્રા નયણે ।। ભજે છે ભગવાનને, વારમવાર વયણે ।। ૬ ।। શ્વાસોશ્વાસે સમરે, સુખદાયી શ્રી ઘનશ્યામ ।। પળ એક પામતા નથી, એહ ભજનથી વિરામ ।। ૭ ।। તનને રાખ્યું છે તપમાં, મન રાખ્યું છે મહા પ્રભુમાંય ।। તેહ વિના તન મન બીજે, રાખ્યું નથી કહું કયાંય ।। ૮ ।। જોઈ તપ એ જનનું, બાળપણનું બહુ પેર ।। માનવ દાનવ દેવતાને કહો, કેમ ના’વે મને મે’ર ।।૯।। વિષ્ણુ તેહને વિલોકીને, રીઝ્યા અતિ રમાપતિ ।। નિષ્કુળાનંદ કહે નાથજી, ઇચ્છયા દેવા પૂરણ પ્રાપતિ ।।૧૦।। read more
0 Views : 150

ધીરજાખ્યાન પદ:– ૪

(રાગ:-રામગરી) ‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ. ઇચ્છ્યા અટળ પદ આપવા, અલબેલો અવિનાશ; આવી એમ ધ્રુવને કહ્યું રે, માગો માગો મુજ પાસ. ઇચ્છ્યા ।। ૧ ।। ધ્રુવજી કહે ધન્ય ધન્ય નાથજી, તમે પ્રસન્ન જ થયા; એથી બીજું શું માગવું, દિન દુઃખના ગયા. ઇચ્છ્યા ।। ૨ ।। અખંડ રે’જો મારે અંતરે, પ્રભુ આવાના આવા; મોટું બંધન છે માયા તણું, તેમાં ન દેશો બંધાવા. ઇચ્છ્યા ।। ૩ ।। એમ ધ્રુવજી જયારે ઓચર્યા, લાગ્યું સારું શ્યામને; નિષ્કુળાનંદ કહે નાથે પછી, આપ્યું અચળ ધામને. ઇચ્છ્યા ।। ૪ ।। read more
0 Views : 152

ધીરજાખ્યાન કડવું:– ૧૭

હરિ ભજવા હરખ હોય હૈયેજી, ત્યારે ભકત ધ્રુવ જેવા થઇયેજી એથી ઓરા રતિયે ન રહિયેજી, પરમ પદને પામિયે તહિયેજી પરમ પદને પામિયે, વામિયે સર્વે વિકાર ।। કાચા સાચા સુખને, નવ પામે નિરધાર ।। ૨ ।। અજાર ન દેવો અંગે આવવા, દેહ દમવું ગમતું નથી ।। એવા ભકત જકતમાં ઘણા, તેની વાત હું શું કહું કથી ।। ૩ ।। વાંછના વિષય સુખની, રહે અખંડ તે ઉરમાંય ।। ભાળી એવા ભકતને, કહો કેની કરે હરિ સા’ય ।। ૪ ।। માટે ભકત એ ભૂલા પડ્યા, નથી ભૂલા પડ્યા ભગવાન ।। જેહ જેવી ભકત કરે, તેવું ફળ પામે નિદાન ।। ૫ ।। વાવિયે બીજ વળી વિષનું, કરિયે અમૃતફળની આશ ।। એહ વાત નથી નીપજવી, તેહનો તે કરવો તપાસ ।। ૬ ।। કરી લાડવા જો કાષ્ટના, વળી લેવું મોતિયાનું મૂલ ।। તે સમઝું કેમ સમઝશે, કાષ્ટ પિષ્ટ મિષ્ટ સમ તૂલ ।। ૭ ।। ભૂત ભવિષ્ય વર્તમાનમાંયે, વળી વિચારવી એહ વાત ।। ભકત કરી મો’રે ભગતે, તેવી કરવી વિખ્યાત ।। ૮ ।। છાર સારનો ભાર સરખો, તપાસી તે ઉપાડવો ।। સારમાં બહુ સુખ મળે, છાર ઢોયે પરિશ્રમ પાડવો ।।૯।। માટે સાચા થઈ સહુ મંડો, ખોટ્ય ખંખેરી કાઢો ખરી ।। નિષ્કુળાનંદ કહે નાથજી, રીઝશે તો શ્રીહરિ ।।૧૦।। read more
0 Views : 128

ધીરજાખ્યાન કડવું:– ૧૮

જુવો હરિભકત થયા હરિશ્ચંદ્રજી, જેનું સત્ય જોઈ અકળાણો ઇન્દ્રજી ત્યારે ગયો વિષ્ણુની પાસે પુરંદરજી, જઈ કહી વાત મારું ગયું મંદરજી મારું તો ઘર ગયું, આજ કાલે લેશે અવધપતિ ।। એનું સત્યધર્મ નિ’મ જોઈને, હું તો અકળાણો અતિ ।। ૨ ।। એને દાને કરી ડોલિયું, મારું અચળ ઇન્દ્રાસન ।। માટે રાખો કહું મુજને, હું આવ્યો શરણે ભગવન ।। ૩ ।। ત્યારે વિષ્ણુ એમ બોલિયા, તું બેસ સ્થાનક તાહરે ।। નથી દેવું ઇન્દ્રાસન એને, એને રાખવો છે ધામ માહરે ।। ૪ ।। પછી તેને તાવવા સારુ, તેડાવ્યા વિશ્વામિત્રને ।। હરિશ્ચંદ્રને સત્યથી પાડો, પમાડો દુઃખ નિરંત્રને ।। ૫ ।। ત્યારે વિશ્વામિત્ર કહે વિષ્ણુને, એમાં લાગે મને અપરાધ ।। ત્યારે વિષ્ણુ કહે મારે વચને, નથી તમને કાંઈ બાધ ।। ૬ ।। જેણે વસિષ્ઠ સુત સો સંહાર્યા, એવા છે દિલના દયાળ ।। તેને એ કામ કઠણ નથી, ઊઠી ચાલિયા તતકાળ ।। ૭ ।। પરને પીડા પમાડવા, જેને અંતરે નથી અરેરાટ ।। સંકટ એ કેમ સહી શકશે, એવો નથી હૈયા માંહી ઘાટ ।। ૮ ।। મનમાં મે’ર મળે નહિ, વાણીએ વિપત્ય પાડે ઘણી ।। કાયાએ રૂડું તે કેમ કરે, ધારો વિચારો તેના ધણી ।।૯।। અવધપુરીએ આવિયા, હરિશ્ચંદ્ર રાયને ઘેર ।। નિષ્કુળાનંદ હરિશ્ચંદ્રે પછી, પૂજા કરી બહુ પેર ।।૧૦।। read more
0 Views : 132

ધીરજાખ્યાન કડવું:– ૧૯

ષોડશ પ્રકારે કરી પૂજા અતિજી, ધૂપદીપ કરી ઉતારી આરતિજી પછી હાથ જોડી કરી વિનંતિજી, માગોમાગો મુજથી મોટા મહામતિજી માગો કાંઈક મુજ પાસથી, તેહ આપું તમને આજ ।। ત્યારે મુનિ બોલિયા, આપ્ય તારું સર્વે રાજ ।। ૨ ।। પૂછ રાણી કુંવર તારાને, સહુ હોય રાજી રળિયાત ।। તો મેં જે માગ્યું તે આપજયે, નહિ તો ન કર્ય મુખથી વાત ।। ૩ ।। રાજય દઈને રાંક થાશો, નહિ મળે અંબર અન્ન આહાર ।। અણતોળ્યું દુઃખ આવશે, નહિ રહે સત્ય કેરો વિચાર ।। ૪ ।। ત્યારે રાય રાણી કુંવરે, કર્યો એમ વિચાર ।। આપો સહુ રાજય એહને, રાખો સત્ય નિરધાર ।। ૫ ।। ત્યારે રાય કહે છે ઋષિને, આપ્યું રાજય સાજ સર્વે સમૃદ્ધિ ।। ત્યારે ઋષિ બોલિયા જોઈએ, તેહ ઉપર દક્ષિણા દીધિ ।। ૬ ।। ત્યારે રાય બોલિયા, દેશું સુવર્ણ ત્રણ ભાર ।। ત્યારે ઋષિ કહે આપ્ય હમણાં, મ કર્ય વેળ લગાર ।। ૭ ।। રાજય સાજ સમૃદ્ધિ મારી, એથી બા’ર હોય કાંય તુજતણું ।। આપ્ય તે ઉતાવળું, એમ ઘાંઘો કીધો ઘણું ।। ૮ ।। ત્યારે રાય કહે આ રાજયમાં તો, અમારું નથી અણુંભાર ।। કુંવર રાણી આ દેહ મારું, એ છે દીધાં થકી બા’ર ।।૯।। ત્યારે રાય ઋષિને કહે, વેચી અમને ધન લઈયે ।। નિષ્કુળાનંદ ત્યારે ઋષિ કહે, ચાલો સહુ કાશીએ જઈયે […] read more
0 Views : 109
Powered By Indic IME