Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી
Per Page :

ચોસઠપદી પદ:- ૩૯

અન્ન ધન ગયે મળે અન્ન ધન, વસ્ત્ર ગયે વસ્ત્ર મળે ।। ગયે  ભવન  મળે  ભવન,  દિન  ગયે  દિન  મળે ।। ૧ ।। રાજ ગયે આવી મળે રાજ, સાજ  સમાજ સહી ।। પણ ગઈ મળે નહિ લાજ, કહેવાની હતી તે કહી ।। ૨ ।। લાજ ખોઈને કરવું કાજ, એ તો અકાજ ખરું ।। મર  મળે ત્રિલોકીનું રાજ, ઘોળ્યું પરહરો  પરું ।। ૩ ।। બેઠી બદલામી  જેને શીશ, ટળે નહિ કોઈ પળે ।। કહે નિષ્કુળાનંદ વસાવીશ,  લખાય છે કાગળે ।। ૪ ।। read more
0 Views : 123

ચોસઠપદી પદ:- ૪૦

જોને ભવ બ્રહ્માજીની ભૂલ્ય, જન સહુ જાણે છે ।। એકલશૃંગી સૌભરીનાં શૂલ,  પોથીમાં  પ્રમાણે છે ।। ૧ ।। નારદ  પર્વતની  નિદાન,  કીર્તિ   કથામાં  કહી ।। માટે સહુ રહેજયો સાવધાન, ખબડદાર ખરા થઈ ।। ૨ ।। જેની પાસે હોય જોખમ, જાળવો તે જતન કરી ।। માથે મોટા છે વેરી વિષમ, ખોટી નહિ વાત ખરી ।। ૩ ।। રહેવું નહિ ગાફલ ગમાર,  માલ  અતોલ મળે ।। કહે  નિષ્કુળાનંદ  વિચાર,  કરવો  પળે  પળે ।। ૪ ।। read more
0 Views : 121

ચોસઠપદી પદ:- ૪૧

રાગ-ધોળ ‘મેં તો દીઠા જાદવરાય જમુનાં ઝીલતા રે’ જેનું કામે કાપી લીધું નાક, લોભે લઈ લાજ લીધી રે ।। જેની જીભે રોળી કર્યો રાંક, માને તો ફજેતી કીધી રે ।। ૧ ।। એવા જનનું જાણો જરૂર, નથી મુખ જોયા જેવું રે ।। દોષે ભર્યું જાણી તજો દૂર, અઘે  અવરાણું  એવું રે ।। ૨ ।। તેને પાસે વસતાં વાસ, લાંછન  તો લાગે જ લાગે રે ।। તજો તેને આણી તન ત્રાસ, જેથી  કુબુદ્ધિ જાગે રે ।। ૩ ।। એવા પાપીનું સ્પર્શતા અંગ, પુણ્ય જાય પોતા તણું રે ।। કહે નિષ્કુળાનંદ એ કુસંગ, તે સંગે જયાન ઘણું રે ।। ૪ ।। read more
0 Views : 143

ચોસઠપદી પદ:- ૪૨

એવા જન જીવતા જરૂર, મૂવા છે માની લેજો રે ।। દેખી દુગર્ંધને રહેજો દૂર, આભડછેટ એ તો છે જો રે ।। ૧ ।। કાઢ્યા વિના નહિ સૂઝે કામ, સૂતક એ શીદ રાખો રે ।। બાળી જાળી ટાળો એનું ઠામ, વાની વહેતે જળે નાખો રે ।। ૨ ।। ઘણું રાખતાં એ ઘરમાંય, સૂણી  કે સડી જાશે રે ।। કાઢો વેળ્ય  મ કરજો કાંય, ઘણું રાખ્યે ગંધ્ય થાશે રે ।। ૩ ।। કેડે કરવી નહિ તેની કાંણ,  ખરખરો  ખોટો ખોળી  રે ।। કહે નિષ્કુળાનંદ સુજાણ, કહ્યું મેં તપાસી તોળી રે ।। ૪ ।। read more
0 Views : 99

ચોસઠપદી પદ:- ૪૩

કહેશો હરે ફરે નર આપ, મૂવા તેને કેમ કહિયે રે ।। તે તો પૂંછ હલાવે છે સાપ, ઘડીવાર જીવ ગયે રે ।। ૧ ।। પણ પિંડમાંયે નથી પ્રાણ, જરૂર જાણી લેજો રે ।। જોઈ એના અંગનાં એંધાણ, પછી ડરી દૂર રહેજો રે ।। ૨ ।। કાપ્યું તરુ કાઢે છે કૂંપળ, સરે  પણ સૂકી જાશે રે ।। તેમ નર કરે કોટિ કળ, અંતે તે ઉઘાડું થાશે રે ।। ૩ ।। કહો કપટ કેટલા દિન, નર એહ રાખી રહેશે રે ।। કહે નિષ્કુળાનંદ સહુ જન, જેમ હશે તેમ કહેશે રે ।। ૪ ।। read more
0 Views : 125

ચોસઠપદી પદ:- ૪૪

જેમ મહાજળમાં મગર, સાગર સહુને રાખે રે ।। નાનાં મોટાં કરી રહે ઘર, કોયને ન કાઢી નાખે રે ।। ૧ ।। પણ જયાં લગી જીવ હોય , ત્યાં લગી તેમાં રહે રે ।। વણ જીવે રહે નહિ કોય, લે’ર  દૂર નાખી દહે રે ।। ૨ ।। હરિજનનું જીવન છે ધર્મ, પોતે પોતાનો પાળે રે ।। તજે નહિ ભજે પરબ્રહ્મ, તો રહે તેમાં સદા કાળે રે ।। ૩ ।। વણ જીવે  હોય નહિ વાસ, સત્સંગ સિંધુમાંઈ રે ।। કરવો નિષ્કુળાનંદ તપાસ, કહ્યું નથી કૂડું  કાંઈ રે ।। ૪ ।। read more
0 Views : 105

ચોસઠપદી પદ:- ૪પ

જે કોઈ ડચકાં દિવસ રાત, ખાતો નર હોય ખરાં રે ।। તેની જીવવાની જૂઠી વાત, પાંપળાં  મેલો પરા રે ।। ૧ ।। જેની નાડી છાંડી ગઈ ઘર, જિહવા તો ટૂંકી પડી રે ।। દગ  દોય દઈ ગયાં દર, શ્વાસ આવ્યો સુધો  ચડી રે ।। ૨ ।। તેહ સમામાંહી સગપણ, કરે કોય કન્યા તણું રે ।। તેને રોકડું છે રંડાપણ, એવાતણ  ઉધારે ઘણું રે ।। ૩ ।। તેમ સત્સંગમાં કોય જન, ગડબડ ગોટા વાળે  રે ।। કહે નિષ્કુળાનંદ કોય દન, રખે  તે જીવિત બાળે  રે ।। ૪ ।। read more
0 Views : 109

ચોસઠપદી પદ:- ૪૬

ડોરી  દેખી મ ડગાવો દિલ, સમજીને સંગ કરો રે ।। સારા સંત ઓળખી અવલ,  મન કર્મ વચને વરો રે ।। ૧ ।। દેખી ઉપરનો આટાટોપ,  મને રખે મોટા માનો રે ।। એ તો ફોગટ ફૂલ્યો છે ફોપ, સમજો એ સંત શાનો રે ।। ૨ ।। જેને જાણજો જગ મોટાઈ,જડાણી જીવ સંગે રે ।। તેને મોટા માનો જગ માંઈ, ખોટા છે મોક્ષ મગે  રે ।। ૩ ।। જોને શુકજી ને જડભરત, કો’કેણે મોટા જાણ્યા રે ।। હતા નિષ્કુળાનંદ એ સમર્થ, પછી સહુએ પરમાણ્યા  રે ।। ૪ ।। read more
0 Views : 140
Powered By Indic IME