Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી
Per Page :

ગુણગ્રાહક

દોહા :- લંબોદરે હું લાગું લળી, પાર્વતીતનુ પાય ।। શુદ્ધ બુદ્ધિ દિયો શ્યામ વીર, શંકરસુત હો સહાય ।। ૧ ।। ગણપતિ ગણપતિ ગાઈએ, અવગુણ મટે અનેક ।। ગુણ વિન ગોવિંદ ના રિઝે, છિજે ન અવગુણ છેક ।। ૨ ।। ગુણ પૂજાવે સબે જકતમાં, ગુણ બઢાવત માન ।। જયામેં જેતો ગુણ રહે, તાહિ તેતો સન્માન ।। ૩ ।। ગુણ અવગુણ દો ગૂંથકે, કહું કથા પ્રબંધ ।। ઓર ગુણમેં આયી ગયે, ગુણાતીત હે ગોવિંદ ।। ૪ ।। અવગુણકું આદર નહિ, શુભ ગુણકું સન્માન ।। દોય વિધ એહ દેખહું, જાનત હે સબ જાન ।। ૫ ।। દેવ દાનવ માનવ મુનિ, સબ હે ગુણકે રાજ ।। અવગુણકું સૂઝત નહિ, રીત રંક યહ રાજ ।। ૬ ।। સબવિધ દેખ્યા શોધકે, તિનુહું લોકકે તાન ।। કહિયે અબ કહો કોનકું, ગુણગ્રાહક ભગવાન ।। ૭ ।। આકાશગુણ વર્ણન :- એક અવલ ગુણ આકાશકે, શૂન્ય સોઈ શબ્દ વિભાગ ।। શુક કોયલ મેના સખી, ઘૂડ ગર્દભ કુક્કર કાગ ।। ૮ ।। એસી વાણી જાણી એકકી, કોય ન સુનત કાન ।। એક સુનત બહુ ભાવશું, તોરત તાહીસું તાન ।। ૯ ।। એક શબ્દ ગુણગાન હે, એક શબ્દ સોઈ ગાર ।। ગાન મિલાવત મોંજકું, ગાર મિલાવત માર ।।૧૦।। એક નર અશુદ્ધ બોલહી, એક વિચારત વેદ ।। પ્રસિદ્ધ ગુણ દોઈ પેખિયે, ભયો ગિરામાંહી […] read more
0 Views : 473

મનગંજનં

દોહા :- સહુ પે’લાં સમરિયે, આદ્ય પુરુષ અવિનાશ ।। સોયે વપુ ધરી વિચરે, જેનો જકતપ્રકાશ ।। ૧ ।। જનઉદ્ધારણ જનમ જગ, કરણ કોટી કલ્યાણ ।। સોયે સહજાનંદ મૂરતિ, પ્રગટ પ્રભુ પ્રમાણ ।। ૨ ।। સ્વામી સહજાનંદને, સદા રહિયે શરણ ।। લાભ અલભ્ય સો લીજિયે, જાય જનમ ને મરણ ।। ૩ ।। સ્વામી સહજાનંદનું, નામ જપે નર કોય ।। વિઘન ભવ વ્યાપે નહિ, સદાય સુખિયો હોય ।। ૪ ।। સ્વામી સહજાનંદને, જે શરણે સોંપે શીશ ।। જુએ ન અવગુણ જીવના, કરે ગુહ્ના બક્ષિસ ।। પ ।। સુણી બિરુદ એવું સદા, આવ્યો હું શરણ અનાથ ।। ગ્રહો બાંહ્ય ગુરુદેવજી, નાથ સુણો મમ ગાથ ।। ૬ ।। દેહ નગર દીવાન દોય, નિજ પરતક મન નામ ।। બને ન બંધવ બેઉને, ઠઠેરાડ્યનું ઠામ ।। ૭ ।। કોય કોયના કેણને, માને નહિ મહાવીર ।। બળભર બાધે બાકરી, સળગ્યું વેર શરીર ।। ૮ ।। પરતક મન કે’ પરહરી, નીકળ્ય નિજમન બા’ર ।। વડાશું વાદ ન કીજિયે, આપણો જીવ ઉગાર ।। ૯ ।। નિજમન કહે તું નરેશ નહિ, કાલી ન કીજિયે વાત ।। ખરી પળે તે ખમશે, જેને માથે જાત ।।૧૦।। જાત કારણ નવ જાણિયે, માટીપણું પડ્યું મેદાન ।। એહ અંજસ નવ આણિયે, નિજમન નર નિદાન ।।૧૧।। નિજમન કે’ મન મેલિયે, હાલવું પોલે હાથ ।। શીશ સાટાની […] read more
0 Views : 563

ચોસઠપદી પદ:- ૧

રાગ :- ધોળ  ‘હેલી જોને આ નંદકુમાર સલુણો શોભતા’ એક વાત અનુપ અમૂલ્ય, કરું છું કહેવાતણું ।। પણ મનભાઈ કહે છે મ બોલ્ય, ઘોળ્યું ન કહેવું ઘણું ।। ૧ ।। પણ  વણ  કહ્યે  જો  વિગત્ય,  પડે  કેમ  પરને ।। સંત  અસંતમાં  એક  મત્ય,  નિશ્ચે  રહે  નરને ।। ૨ ।। માટે કહ્યા વિના ન કળાય, સહુ તે સુણી લૈયે ।। મોટા સંતનો કહ્યો મહિમાય, તે સંત કોને કૈયે ।। ૩ ।। કે સંત સેવ્યે સરે કાજ, એમ છે આગમમાં ।। સુણી નિષ્કુળાનંદ તે આજ, સહુ છે ઉદ્યમમાં ।। ૪ ।। read more
0 Views : 357

ચોસઠપદી પદ:- ૨

એવા સંત તણી ઓળખાણ, કહું સહુ સાંભળો ।। પછી સોંપી તેને મન પ્રાણ, એ વાળે તેમ વળો ।। ૧ ।। જેના અંતરમાં અવિનાશ,  વાસ કરી વસિયા ।। તેણે કામ ક્રોધ પામ્યા નાશ, લોભ ને મોહ ગયા ।। ૨ ।। એવા શત્રુતણું ટળ્યું સાલ,  લાલ  જયાં આવી રહ્યા ।। તેણે સંત થયા છે નિહાલ,  પૂરણ કામ થયા ।। ૩ ।। એવા સંત જે હોય સંસાર, શોધીને સેવીજિયે ।। કહે નિષ્કુળાનંદ નિરધાર, તો લાભ તે લીજિયે ।। ૪ ।। read more
0 Views : 334

ચોસઠપદી પદ:- ૩

સાચા સંત સેવ્યે સેવ્યા નાથ, સેવ્યા સુર સહુને ।। સેવ્યા મુકત મુનિ ઋષિ સાથ, બીજા સેવ્યા બહુને ।। ૧ ।। એવા સંત જમ્યે જમ્યા શ્યામ, જમ્યા સહુ દેવતા ।। જમ્યા સર્વે લોક સર્વે ધામ, સહુ થયા તૃપ્તતા ।। ૨ ।। એવા સંતને પૂજીને પટ,  પ્રીત્યેશું પહેરાવિયાં ।। તેણે ઢાંકયાં સહુના ઘટ,  ભલા મન ભાવિયાં ।। ૩ ।। એવા સંત મળ્યે મળ્યા સ્વામી,  ખામી કોયે ન રહી ।। કહે નિષ્કુળાનંદ શીશ નામી, સાચી સહુને કહી ।। ૪ ।। read more
0 Views : 276

ચોસઠપદી પદ:- ૪

નક્કી વાત છે એ નિરધાર, જૂઠી જરાય નથી ।। સહુ  અંતરે  કરો  વિચાર,  ઘણું  શું  કહુ  કથી ।। ૧ ।। એક જમતાં બોલિયો શંખ,  અસંખ્યથી શું સર્યું ।। એક જમીને બોલ્યો નિઃશંક, યમુના જાવા કર્યું ।। ૨ ।। એમ એક પૂજયે પૂજયા સહુ, સેવ્યે સહુ સેવિયા ।। માટે  ઘણું  ઘણું  શું  કહું,  ભેદ  ભકતના  કહ્યા ।। ૩ ।। હવે એવા વિના જે અનેક, જગતમાં જે કહીએ ।। કહે નિષ્કુળાનંદ વિવેક, સેવ્યે સુખ શું લહીએ ।। ૪ ।। read more
0 Views : 573

ચોસઠપદી પદ:- પ

જેના અંતરમાં કામ ક્રોધ, લોભની લાહ્ય  બળે ।। એવા બહુ કરતા હોય બોધ, તે સાંભળ્યે શું વળે ।। ૧ ।। માન  મમતા  મત્સર  મોહ,  ઈર્ષ્યા  અતિ  ઘણી ।। એવો અધર્મ સર્ગ સમોહ, ધારી રહ્યા જે ધણી ।। ૨ ।। તેને સેવતા શું ફળ થાય, પૂજીને શું પામિયે ।। જે જમાડિયે તે પણ જાય, ખાધુ જે હરામિયે ।। ૩ ।। એના દર્શન તે દુઃખ દેણ,  ન થાય તો ન કીજિયે ।। સુણી નિષ્કુળાનંદના વેણ, સહુ માની લીજિયે ।। ૪ ।। read more
0 Views : 342

ચોસઠપદી પદ:- ૬

એવા વિકારી જનની વાત, દેનારી છે દુઃખની ।। જેના અંતરમાં દિન રાત, ઇચ્છા વિષય સુખની ।। ૧ ।। એને  અર્થે  કરે  ઉપાય,  શોધી  સારા  ગામને ।। પોતે પોતાનું માહાત્મ્ય ગાય, ચહાય  દામ  વામને ।। ૨ ।। કરે  કથા  કીર્તન  કાવ્ય, અર્થ એ સારવા ।। ભલો દેખાડે  ભકત  ભાવ, પર ઘર મારવા ।। ૩ ।। એથી કે દી ન થાય કલ્યાણ, જિજ્ઞાસુને જાણવું ।। કહે નિષ્કુળાનંદ નિરવાણ, પેખી પરમાણવું ।। ૪ ।। read more
0 Views : 318
Powered By Indic IME