Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભગવાન શ્રી સ્વામિનારાયણ
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૬

એ સર્વે તેમણે પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્ત્રને વિષે પ્રમાણરૂપ અને શ્રીમન્નારાયણની સ્મૃતિએ સહિત એવા જે અમારા રૂડા આશીર્વાદ તે વાંચવા. ।।૬।। read more
0 Views : 1440

શિક્ષાપત્રી શ્લોક – ૭

અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વે જીવના હિતની કરનારી છે. ।।૭।। read more
0 Views : 1438

શિક્ષાપત્રી શ્લોક – ૮

અને શ્રીમદ્ ભાગવત પુરાણ આદિક જે સત્શાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા  એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આ લોકને વિષે ને પરલોકને વિષે મહાસુખિયા થાય છે. ।।૮।। read more
0 Views : 1404

શિક્ષાપત્રી શ્લોક – ૯

અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાનાં મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે અને આ લોક ને પરલોકને વિષે નિશ્ચે મોટા કષ્ટને જ પામે છે. ।।૯।। read more
0 Views : 1403

શિક્ષાપત્રી શ્લોક – ૧૦

તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહિ.।।૧૦।। read more
1 Views : 1433

શિક્ષાપત્રી શ્લોક – ૧૧

હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ જે, અમારા જે સત્સંગી તેમણે કોઇ જીવ પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જુ, માંકડ, ચાંચડ આદિક જીવ તેમની પણ હિંસા કયારેય ન કરવી.।।૧૧।। read more
0 Views : 1381

શિક્ષાપત્રી શ્લોક – ૧૨

અને દેવતા અને પિતૃ તેના યજ્ઞને અર્થે પણ બકરાં, મૃગલાં, સસલાં, માછલાં આદિક કોઇ જીવની હિંસા ન કરવી. કેમજે, અહિંસા છે તે જ મોટો ધર્મ છે, એમ સર્વ શાસ્ત્રમાં કહ્યું છે. ।।૧૨।। read more
0 Views : 1313

શિક્ષાપત્રી શ્લોક – ૧૩

અને સ્ત્રી, ધન અને રાજય તેની પ્રાપ્તિને અર્થે  પણ કોઇ મનુષ્યની હિંસા તો કોઇ પ્રકારે કયારેય પણ ન જ કરવી. ।।૧૩।। read more
0 Views : 1301
Powered By Indic IME