સંવત્ ૧૮૮૬ના અષાઢ વદિ ૧૦ દશમીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે સર્વ પરમહંસ તથા સર્વ સત્સંગી આગળ વાર્તા કરી જે, “ભગવાનની માયા તે કઈ છે ? તો દેહને વિષે અહંબુદ્ધિ, ને દેહસંબંધી પદાર્થને વિષે મમત્વબુદ્ધિ,” એ જ માયા છે. તે એ માયાને ટાળવી; અને એ માયાને જેણે ટાળી તે માયાને તર્યો કહેવાય. અને એ માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એટલો સર્વ શાસ્ત્રનો સિદ્ધાંત છે, તેને આજ સમજો કે ધણે દિવસે કરીને સમજો. અને હનુમાન, નારદ પ્રહ્યાદ એ જે મોટા ભગવાનના ભક્ત તેમણે પણ ૨ભગવાન પાસે એમ જ માગ્યું છે જે, અહંમમત્વરૂપ માયા થકી રક્ષા કરજો, અને તમારે વિષે પ્રીતિ થજો, અને એ માયાને તર્યા હોય ને તમારે વિષે પ્રીતિવાળા હોય એવા જે સાધુ તેનો સંગ થજો. અને એ સાધુને વિષે હેત ને મમત્વ થજો.’ માટે આપણે પણ એમ કરવું ને એમ માગવું, અને એનો શ્રવણ, મનન, નિદિઘ્યાસ કરવો. અને ભગવાનનો જે ભક્ત હોય તેને આત્મનિષ્ઠાનું બળ તથા ભગવાનના માહાત્મ્યનું બળ. એ બે બળ જોઈએ. તે આત્મનિષ્ઠા તે શું ? તો પોતાના આત્માને દેહથી પૃથક્ જાણવો અને સાધુ ભેળા રહેતા હોઈએ તેમાં પરસ્પર […]
read more