Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભગવાન શ્રી સ્વામિનારાયણ
Per Page :

ગઢડા અંત્ય ૩૮ : સાંખ્યાદિકનું – સદાય સુખિયાનું

સંવત ૧૮૮૫ના વૈશાખ સુદિ ૧૪-ચૌદશને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા. ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “અમે સાંખ્‍યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્વય કર્યો છે જે, માયાના કાર્યમાંથી ઉત્‍પન્ન થયા જે આકાર માત્ર તે સર્વે મિથ્‍યા છે. “કેમ જે, એ સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે. અને ભગવાનના અક્ષરધામને વિષે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે, તે સર્વે સત્‍ય છે ને દિવ્‍ય છે ને અતિશય પ્રકાશે યુક્ત છે. અને તે ભગવાનનો ને તે મુક્તનો જે આકાર તે પુરુષના જેવો દ્વિભુજ છે અને સચ્‍ચિદાનંદ રૂપ છે. અને તે અક્ષરધામને વિષે રહ્યા જે એ ભગવાન, તે જેતે તે મુક્ત પુરૂષ, તેમણે દિવ્‍ય એવા જે નાના પ્રકારના ઉપચાર, તેણે કરીને સેવ્‍યા થકા ને તે મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા થકા સદા વિરાજમાન છે. અને એવા સર્વેોપરી જે પુરુષોત્તમભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્‍યાણને અર્થે આ પૃથ્‍વીને વિષે પ્રકટ થયા થકા સર્વ જનના નયનગોચર વર્તે છે ને તમારા ઈષ્‍ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે. અને એવા જે એ પ્રત્‍યક્ષ પુરુષોત્તમભગવાન તેના સ્‍વરૂપમાં ને અક્ષરધામને વિષે રહ્યા જે […] read more
0 Views : 184

ગઢડા અંત્ય ૩૯ : વિશલ્યકરણી ઔષધિનું

સંવત્ ૧૮૮૬ના અષાઢ વદિ ૧૦ દશમીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે સર્વ પરમહંસ તથા સર્વ સત્‍સંગી આગળ વાર્તા કરી જે, “ભગવાનની માયા તે કઈ છે ? તો દેહને વિષે અહંબુદ્ધિ, ને દેહસંબંધી પદાર્થને વિષે મમત્‍વબુદ્ધિ,” એ જ માયા છે. તે એ માયાને ટાળવી; અને એ માયાને જેણે ટાળી તે માયાને તર્યો કહેવાય. અને એ માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એટલો સર્વ શાસ્ત્રનો સિદ્ધાંત છે, તેને આજ સમજો કે ધણે દિવસે કરીને સમજો.  અને હનુમાન, નારદ પ્રહ્યાદ એ જે મોટા ભગવાનના ભક્ત તેમણે પણ ૨ભગવાન પાસે એમ જ માગ્‍યું છે જે, અહંમમત્‍વરૂપ માયા થકી રક્ષા કરજો, અને તમારે વિષે પ્રીતિ થજો, અને એ માયાને તર્યા હોય ને તમારે વિષે પ્રીતિવાળા હોય એવા જે સાધુ તેનો સંગ થજો. અને એ સાધુને વિષે હેત ને મમત્‍વ થજો.’ માટે આપણે પણ એમ કરવું ને એમ માગવું, અને એનો શ્રવણ, મનન, નિદિઘ્‍યાસ કરવો. અને ભગવાનનો જે ભક્ત હોય તેને આત્‍મનિષ્‍ઠાનું બળ તથા ભગવાનના માહાત્‍મ્‍યનું બળ. એ બે બળ જોઈએ. તે આત્‍મનિષ્‍ઠા તે શું ? તો પોતાના આત્‍માને દેહથી પૃથક્ જાણવો અને સાધુ ભેળા રહેતા હોઈએ તેમાં પરસ્‍પર […] read more
0 Views : 208

ભૂગોળ – ખગોળનું વચનામૃત

શ્રીજીમહારાજે આષાઢી વર્ષ ૧૮૭૬ના ભાદરવા સુદિ એકાદશીના રોજ ગઢડામાં ભકિતબાગમાં હરમાના વૃક્ષતળે બેસીને શુકાનંદમુનિ પાસે હરિજનો ઉપર ભૂદ્વીપખંડ, યુગપરિમાણ અને પ્રલયવર્ણનપૂર્વક ભરતખંડમાં મનુષ્ય જન્‍મની દુર્લભતા વર્ણવી, તેનાથી અન્‍ય લૌકિક પ્રવૃત્તિનો આગ્રહ નહિ કરતા મોક્ષરુપી કાર્ય સિદ્ધ કરી લેવાના ઉદ્દેશથી પત્ર લખાવેલો. તે વાત હરિલીલામૃતના ૬ કળશમાં ૧૧-૧૨ વિશ્રામમાં વર્ણવી છે. આ પત્ર તે જ આનુપૂર્વેવાળો હશે કે અન્‍યથા હશે તેનો વિચાર કર્યા વિના ઉપયોગનો જાણી પૃથક્ છપાવ્‍યો છે. શ્રીમદ્ભાગવતાદિ સદ્ગ્રંથોને વિષે લખ્‍યું છે જે, ભરતખંડમાં મનુષ્યનો દેહ પામવો તે અતિ દુર્લભ છે, ચિંતામણિ તુલ્‍ય છે. જે દેહને ઈન્‍દ્રાદિક દેવતા ઈચ્‍છે છે. તે દેવતાને વિષય ને વૈભવવિલાસ ને આયુષ, તે તો મનુષ્યના થકી ઘણું અધિક છે, પણ ત્‍યાં મોક્ષનું સાધન નથી થાતું. મોક્ષનું સાધન તો ભરતખંડને વિષે મનુષ્ય દેહ પામ્‍યા થકી થાય છે. તે વિના બીજે કોઈ ઠેકાણે કોઈ દેહને વિષે થાતું નથી. એ હતુ માટે સર્વ દેશથી મૃત્‍યુલોકમાં ભરતખંડને વિષે મનુષ્યનો દેહ પામવો તે અધિક છે, તેને તુલ્‍ય બીજું કોઈ ચૌદલોકમાં સ્‍થાનક નથી. તે ચૌદલોકનાં નામ- આ મૃત્‍યુલોક છે તેથી ઊઘ્‍ર્વ ૬ લોક છે. તેમાં પ્રથમ ભુવર્લોક છે . તેમાં મલિન દેવ રહે છે. તેથી ઊઘ્‍ર્વ બીજો સ્‍વર્ગલોક છે ૨. તેમાં ઈન્‍દ્રાદિક દેવ રહે છે. તેથી ઊઘ્‍ર્વ ત્રીજો મહર્લોક છે ૩. તેમાં અર્યમાદિ પિત્રિદેવ રહે છે. તેથી ઊઘ્‍ર્વ ચોથો જનલોક […] read more
0 Views : 251
Powered By Indic IME