Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભગવાન શ્રી સ્વામિનારાયણ
Per Page :

ગઢડા અંત્ય ૨૨ : સખી – સખાના ભાવનું

સંવત્ ૧૮૮૪ના ભાદરવા વદિ ૪ ચોથને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પાઘને વિષે ધોળા પુષ્પના તોરા ઝુકી રહ્યા હતા. અને કંઠને વિષે ધોળા પુષ્પના હાર વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા  ભરાઈને બેઠી હતી. ને પરમહંસ દૂકડ સરોદા લઈને પોતાની આગળ વિષ્ણુપદ ગાવતા હતા. તે સમયમાં શ્રીજીમહારાજ અંતરસન્‍મુખ દ્રષ્‍ટિ કરીને વિરાજમાન હતા. પછી શ્રીજીમહારાજ એમ બોલ્‍યા જે, “જેવું પ્રેમલક્ષણા ભકિતએ યુક્ત આ કીર્તનને વિષે હરિજનનું અંગ કહ્યું છે એવું તો ઝીણાભાઈનું અંગ છે. તથા પર્વતભાઈ ને મૂળજી એનાં પણ એવાં અંગ હતાં, માટે અમે અંતરસન્‍મુખ દ્રષ્‍ટિ કરીને વિચારતા હતા અને બીજા પણ સત્‍સંગમાં એવા અંગવાળા હશે. અને જેને પ્રેમલક્ષણા ભકિતનું અંગ આવે તેને પંચવિષયને વિષે પ્રીતિ ટળી જાય છે અને આત્‍મનિષ્‍ઠા રાખ્‍યા વિનાની જ રહે છે.” પછી મુકતાનંદ સ્વામીએ પુછયું જે, “નરસિંહ મહેતો તો સખાભાવે શ્રીકૃષ્ણભગવાનને ભજતા ને કેટલાક નારદાદિક ભગવાનના ભક્ત છે તે તો દાસભાવે કરીને ભગવાનને ભજે છે, એ બે પ્રકારના ભક્તમાં કેની ભકિત શ્રેષ્‍ઠ જાણવી ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “નરસિંહ મહેતો, ગોપીયો ને નારદ સનકાદિક, એમની ભકિતમાં બે પ્રકાર નથી. એ તો એક પ્રકાર જ છે, અને દેહ તો પુરૂષનો ને સ્‍ત્રીનો બેય […] read more
0 Views : 173

ગઢડા અંત્ય ૨૩ : માનસી પૂજાનું

સંવત્ ૧૮૮૫ના આસો શુદિ ૧૫ પૂનમને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ફળિયાની વચ્‍ચે ઢોલિયો ઢળાવીને તે ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ કૃપા કરીને સર્વ હરિજન પ્રત્‍યે બોલ્‍યા જે, “જે ભગવાનનો ભક્ત હોય તે નિત્‍યે ભગવાનની માનસી પૂજા કરે. તે માનસી પૂજા કરવાની એમ વિકિત છે જે, ઉનાળો, શિયાળો ને ચોમાસું એ ત્રણ ઋતુને વિષે નોખી નોખી માનસી પૂજા કરવી. તેમાં ઉનાળાના ચાર મહિના સુધી તો એમ પૂજા કરવી જે સારૂં ટાઢું સુગંધિમાન પવિત્ર જળ હોય તેણે કરીને ભગવાનને પ્રથમ નવરાવવા ને પછી ધોયેલો ધોળો ખેસ સુંદર ઝીણો ને ધાટો હોય તે પહેરવા આપવો, તે પછી સુંદર આસન ઉપર વિરાજમાન એવા જે ભગવાન તેના અંગઅંગને વિષે સુંદર મળિયાગર ચંદન ધસીને વાટકામાં ઉતારી રાખ્‍યું હોય તે ચર્ચવું. તે પ્રથમ તો લલાટને વિષે ચચર્ીને લલાટને સારી પેઠે નીરખવું. તથા હાથને વિષે ચચર્ીને હાથને સારી પેઠે નીરખવા, તથા હૃદય, ઉદર, સાથળ, પીંડી એ આદિક જે અંગ તેને વિષે ચંદનનું લેપન કરી કરીને તે તે અંગને નીરખવાં. તથા ચરણાવિંદની ઉપર ને તળે સુંદર કુંકુમ ચોપડવું ને તે ચરણારવિંદને નીરખવાં, પછી મોગરા, ચમેલી, ગુલાબ, ચંપો એ આદિક જે […] read more
0 Views : 167

ગઢડા અંત્ય ૨૪ : સોળ સાધનનું, જ્ઞાનાંશના વૈરાગ્યનું

સંવત્ ૧૮૮૫ના આસો વદિ ૧૨ દ્વાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજને મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાનના જે ભક્ત તે અક્ષરધામને વિષે ભગવાનની સેવામાં રહે છે, તે સેવાની પ્રાપ્‍તિનાં જે સાધન તે શાં છે ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “શ્રદ્ધા, સ્‍વધર્મ, વૈરાગ્‍ય, સર્વપ્રકારે ઈન્‍દ્રિયોનો નિગ્રહ કરવો, અહિંસા, બ્રહ્મચર્ય, સાધુનો સમાગમ, આત્‍મનિષ્‍ઠા, માહાત્‍મ્‍યજ્ઞાને યુક્ત એવી જે ભગવાનની નિશ્વળ ભકિત, સંતોષ, નિદર્ંભપણું, દયા, તપ, પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત તેમને વિષે ગુરૂભાવ રાખીને તેમને બહુ પ્રકારે માનવા, પોતાને બરોબરીયા જે ભગવાનના ભક્ત તેમને વિષે મિત્રભાવ રાખવો, પોતાથી ઉતરતા જે ભગવાનના ભક્ત તેમને વિષે શિષ્યભાવ રાખીને તેમનું હિત કરવું, એવી રીતે આ સોળ સાધને કરીને ભગવાનના એકાંતિક ભક્ત જે તે અક્ષરધામને વિષે ભગવાનની સેવાને રૂડી રીતે પામે છે.” પછી શુકમુનિએ પ્રશ્ર્ન પુછયો જે, “આપણા સર્વે સંત વર્તમાનમાં રહે છે તથાપિ એમને વિષે એવું કયું લક્ષણ છે જે, જેણે કરીને એમ જાણીએ જે એને આપત્‍કાળ પડશે તો પણ એ ધર્મમાંથી નહિ ડગે ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “ભગવાનનાં જે જે નાનાં મોટાં વચન તેની ઉપર નિરંતર જેની દૃષ્ટિ રહે પણ વચન બહાર પગ દેવો પડે […] read more
0 Views : 173

ગઢડા અંત્ય ૨૫ : શ્રીજીની પ્રસન્નતાનું -ખરા ભકતનું

સંવત્ ૧૮૮૫ના કાર્તિક શુદિ ૧૦ દશમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે, ભગવાન સંબંધી ભકિત, ઉપાસના, સેવા, શ્રદ્ધા, ધર્મનિષ્‍ઠા એ આદિક જે જે કરવું તેમાં બીજા ફળની ઈચ્‍છા ન રાખવી. એમ સચ્‍છાસ્ત્રમાં કહ્યું છે તે તો સાચું પણ એટલી તો ઈચ્‍છા રાખવી જે, એણે કરીને મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય. એટલી ઈચ્‍છા રાખવી. અને એવી ઈચ્‍છા રાખ્‍યા વિના અમથું કરે તો તેને તમોગુણી કહેવાય. માટે ભગવાનની ભકિત આદિક જે ગુણ તેણે કરીને ભગવત્‍પ્રસન્નતારૂપ ફળને ઈચ્‍છવું. અને જો એ વિના બીજી ઈચ્‍છા રાખે તો ચતુર્ધા મુકિત આદિક ફળની પ્રાપ્‍તિ થાય. અને ભગવાનની જે પ્રસન્નતા તે ઘણા ઉપચારે કરીને જે ભકિત કરે તેની ઉપર થાય ને ગરીબ ઉપર ન થાય એમ નથી, ગરીબ હોય ને શ્રદ્ધા સહિત જળ, પત્ર, ફળ, ફુલ ભગવાનને અર્પણ કરે તો એટલામાં પણ રાજી થાય. કેમકે, ભગવાન તો અતિ મોટા છે, તે જેમ કોઈક રાજા હોય તેના નામનો એક શ્લોક જ કોઈક કરી લાવે તો તેને ગામ આપે, તેમ ભગવાન તુરત રાજી થાય છે. અને વળી, ભગવાનનો ખરો ભક્ત તે […] read more
0 Views : 237

ગઢડા અંત્ય ૨૬ : મન-ઈન્દ્રિયોને દાબીને વર્તે તેવા સંતનું

સંવત્ ૧૮૮૫ના કાર્તિક શુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “ભગવાનની પેઠે સેવા કરવા યોગ્‍ય એવા જે સંત તે કેવા હોય તો ઈન્‍દ્રિયો, અંત:કરણ આદિક જે માયાના ગુણ તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહિ, ને ભગવાન સંબંધી ક્રિયાનેજ કરે. ને પંચવર્તમાનમાં દ્રઢ રહેતા હોય ને પોતાને બ્રહ્મરૂપ માને ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે એવા જે સંત, તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા. કેમ જે, એવી ક્રિયા દેવ મનુષ્યને વિષે હોય નહિ. અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્‍ય છે. માટે જેને કલ્‍યાણનો ખપ હોય એવા જે પુરુષ તેને એવા સંતની સેવા કરવી.  અને એવા સાધુગુણે યુક્ત જે બાઈ તેની સેવા બાઈને કરવી.” પછી શ્રીજી મહારાજને આત્‍માનંદસ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “આ સત્‍સંગમાં જે વર્તમાનનો પ્રબંધ છે તેમાં જ્યાં સુધી રહેતા હોય ત્‍યાં સુધી તો જેવો તેવો હોય તેને પણ પંચવિષયે કરીને બંધન થાય નહિ. પણ કોઈક દેશકાળને યોગે કરીને સત્‍સંગથી બહાર નીસરી જવાય તો પણ જેને પંચવિષય બંધન […] read more
0 Views : 205

ગઢડા અંત્ય ૨૭ : કોઈ જાતની આંટી ન પાડયાનું

સંવત્ ૧૮૮૫ના કાર્તિક શુદિ પુનમને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે વાર્તા કરી જે, “શબ્‍દ, સ્‍પર્શ, રૂપ, રસ અને ગંધ, એ પંચવિષય સંબંધી જે સુખ તે દિવ્‍ય મૂર્તિ એવા જે ભગવાન પુરુષોત્તમ તેની જે સુખમય મૂર્તિ તે રૂપ જે એક સ્‍થળ તેને વિષે રહ્યું છે. તે જો ભગવાનની મૂર્તિનાં દર્શન કરતા હોઈએ તો રૂપનું સુખ પ્રાપ્‍ત થાય ને બીજા સ્‍પર્શ આદિક ચાર વિષય તેનું સુખ પણ પ્રાપ્‍ત થાય, તે એક જ સમયને વિષે થાય છે. અને બીજા માયિક જે પંચવિષય છે તેમાં તો એક વિષયનો સંબંધ થાય ત્‍યારે એક વિષયનું જ સુખ પ્રાપ્‍ત થાય પણ બીજાનું ન થાય. માટે માયિક વિષયમાં ભિન્ન ભિન્નપણે સુખ રહ્યું છે, અને તે સુખ તો તુચ્‍છ છે ને નાશવંત ને અંતે અપાર દુ:ખનું કારણ છે. અને ભગવાનમાં તો સર્વ વિષયનું સુખ એક કાળે પ્રાપ્‍ત થાય છે ને તે સુખ મહાઅલૌકિક છે, ને અખંડ અવિનાશી છે, તે સારૂં જે મુમુક્ષુ હોય તેને માયિક વિષયમાંથી સર્વ પ્રકારે વૈરાગ્‍ય પામીને અલૌકિક સુખમય એવી જે ભગવાનની દિવ્‍ય મૂર્તિ તેને વિષે સર્વ પ્રકારે જોડાવું.” અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “જે […] read more
0 Views : 213

ગઢડા અંત્ય ૨૮ : ભગવાનના માર્ગમાંથી પડયાનું

સંવત્ ૧૮૮૫ના કાર્તિક વદિ પડવાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “ભગવાનની ભકિતમાંથી બે પ્રકારે જીવ પડે છે. એક તો શુષ્કવેદાંતના ગ્રન્‍થને સાંભળીને બીજા આકારને ખોટા કરે તેમ શ્રીકૃષ્ણાદિક જે ભગવાનના આકાર તેને પણ ખોટા કરે એ શુષ્કવેદાંતિને અતિ અજ્ઞાની જાણવા અને બીજો જે એમ સમજતો હોય જે, ભગવાનને ભજીએ તો ગોલોક ને વૈકુંઠલોકમાં સ્ત્રીભોગ, ખાન પાન આદિક જે પંચવિષયનાં સુખ તેને પામીએ. પછી તે સુખની આસકિતએ કરીને ભગવાનને પણ ભુલી જાય ને મૂળગો કુબુદ્ધિવાળો થઈને એમ સમજે જે, એ સુખ ન હોય તો એ ધામમાં રાધિકા, લક્ષ્મી આદિક સ્‍ત્રીઓ ભેળે ભગવાન પણ રમે છે માટે એ સુખ પણ ખરૂં છે. પણ ભગવાનને પૂર્ણકામ ને આત્‍મારામ ન સમજે અને એવી જે ભગવાનની ક્રિયાઓ છે તે તો પોતાના ભક્તના સુખને અર્થે છે તે સારૂં જ્ઞાનવૈરાગ્‍યે સહિત ભગવાનની ભકિત કરવી. અને એ ભગવાનના સ્‍વરૂપને જેણે એમ જાણ્‍યું હોય જે, સર્વે સુખમય મૂર્તિ તો એ ભગવાન જ છે, ને બીજે પંચવિષયમાં જે સુખ તે તો એ ભગવાનના સુખતો કિંચિત્ લેશ છે. એમ ભગવાનને માહાત્‍મ્‍યે સહિત જે સમજ્યો હોય તે કોઈ પદાર્થમાં બંધાય જ નહિ, […] read more
0 Views : 174

ગઢડા અંત્ય ૨૯ : વીસ-વીસ વર્ષના બે હરિભકતો

સંવત્ ૧૮૮૫ના પોષ શુદિ ૨ બીજને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં મેડીને આગળ  ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને રાત્રિને સમે વિરાજમાન હતા, ને  સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે શુકમુનિને પ્રશ્ર્ન પુછયો જે, “બે સત્‍સંગી છે, તેની અવસ્‍થા વીશ વીશ વરસની છે. તથા બેયને નિશ્વય, હેત, ભકિત, વૈરાગ્‍ય, ધર્મ તે બરોબર છે. તેમાંથી એકને તો પ્રારબ્‍ધયોગે કરીને પરણીને સ્‍ત્રી મળી, ને એકને ન મળી ને સાંખ્‍યયોગી રહ્યો ને એને પણ પરણ્‍યાની તો ઈચ્‍છા હતી, પણ મળી નહિ, ત્‍યારે એ બે જણને તીવ્રવૈરાગ્‍ય તો પ્રથમથી જ ન હતો; માટે વિષયભોગમાં બેયને તીક્ષ્ણ વૃત્તિ હતી. તે તીક્ષ્ણ વૃત્તિ ઓછી તે એ ગૃહસ્‍થ થયો તેની થાય કે સાંખ્‍યયોગીની થાય તે કહો અને વેદતો એમ કહે છે જે તીવ્ર વૈરાગ્‍ય હોય તેને બ્રહ્મચર્યપણા થકી જ સન્યાસ કરવો, ને જેને મંદ વૈરાગ્‍ય હોય તેને વિષય ભોગની તીક્ષ્ણતા ટાળ્‍યાને અર્થે ગૃહસ્‍થાશ્રમ કરવો ને પછી વાનપ્રસ્‍થ થવું ને પછી સન્યાસ કરવો.’ માટે વિચારીને ઉત્તર કરજ્યો.” પછી શુકમુનિએ એનો ઉત્તર કરવા માંડયો પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજે  એનો ઉત્તર કર્યો જે, “એ ગૃહસ્‍થાશ્રમી સારો ને બીજો જે સાંખ્‍યયોગી તે ભૂંડો કેમજે એને તીવ્ર વૈરાગ્‍ય નથી. માટે એણે વિષયને તુચ્‍છ ને અસત્‍ય જાણ્‍યા નથી તેમ […] read more
0 Views : 177
Powered By Indic IME