Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભગવાન શ્રી સ્વામિનારાયણ
Per Page :

અમદાવાદ ૧ : ચમત્કારી ઘ્યાનનું

સંવત્ ૧૮૮૨ના મહાવદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીઅમદાવાદ મઘ્‍યે શ્રીનરનારાયણના મંદિરમાં આથમણી કોરે મુખારવિંદ કરીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે ગુલાબના પુષ્પના હાર વિરાજમાન હતા, ને કાનની ઉપર ગુલાબના પુષ્પના ગુચ્‍છ વિરાજમાન હતા, ને પાઘને વિષે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. તે સભામાં શ્રીજીમહારાજ અંતર સામી દષ્‍ટિ કરીને વિરાજમાન હતા. પછી નેત્રકમળને ઉધાડીને સર્વે સામું જોયું પછી એમ બોલ્‍યા જે, “અમારે એક ઘ્‍યાનના અંગની વાર્તા કરવી છે, તે વાર્તા મોક્ષધર્મને વિષે કહી છે, અને જે મોટામોટા એ ઘ્‍યાને કરીને સિદ્ધદશાને પામ્‍યા છે તે પણ અમે ઘણાક દીઠા છે ને અમારા પણ અનુભવમાં એમ વર્તે છે જે, અનંત પ્રકારનાં ઘ્‍યાન છે, પણ જે આ વાત કહેવી છે તેની બરોબર બીજું કોઇ ઘ્‍યાન થાય નહિ, જેમ કોઇ ચમત્‍કારી મંત્ર હોય અથવા ચમત્‍કારી ઔષધી હોય તેમાં સ્વાભાવિક જ ચમત્‍કાર રહ્યો છે, તેમ જે આ ઘ્‍યાન અમારે કહેવું છે તે ઘ્‍યાનમાં પણ એવો સ્વાભાવિક ચમત્‍કાર છે જે તત્‍કાળ સિદ્ધદશાને પામીજાય. હવે તે વાર્તા કરીએ છીએ, એ જે ઘ્‍યાનનો કરનારો છે તેને જમણા નેત્રમાં સૂર્યનું ઘ્‍યાન કરવું ને ડાબા નેત્રમાં ચંદ્રનું ઘ્‍યાન કરવું, એવી રીતે ઘ્‍યાન કરતાં કરતાં સૂર્ય ને ચંદ્રમા જેવા આકાશમાં છે […] read more
1 Views : 265

અમદાવાદ ૨ : નાહીધોઈ પૂજા કર્યાનું

સંવત્ ૧૮૮૨ ના ફાગણ શુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મઘ્‍યે શ્રીનરનારાયણના મંદિર આગળ વેદિને વિષે પાટ ઉપર ગાદી તકીયા નંખાવીને વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને મસ્‍તકને વિષે ગુલાબી રંગનો ફેંટો બાંઘ્‍યો હતો, ને તે પાઘને વિષે ગુલાબના પુષ્પના તોરા ઝુકી રહ્યા હતા, ને કાનને ઉપર ગુલાબના બે ગુચ્‍છ ખોસ્‍યા હતા, ને કંઠને વિષે ગુલાબના પુષ્પના હાર પહેર્યા હતા, ને બે ભુજને વિષે ગુલાબના બાજુબંધ બાંઘ્‍યા હતા, ને બે હાથને વિષે ગુલાબના પુષ્પના ગજરા પહેર્યા હતા, એવી રીતે સર્વે અંગમાં ગુલાબના પુષ્પે ગરકાવ થયા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ સર્વે પરમહંસ પ્રત્‍યે બોલ્‍યા જે, એક પ્રશ્ર્ન પુછું છું જે, “એક પરમેશ્વરનો ભક્ત છે તે તો જાગ્રત, સ્‍વપ્ન ને સુષુપ્‍તિ તે થકી પર વર્તે છે ને મલિન રજ, તમ ને મલિન સત્ત્વ તેનો ત્‍યાગ કરીને શુદ્ધ સત્ત્વમય વર્તે છે ને એવો થકો પરમેશ્વરને ભજે છે. અને બીજો જે ભક્ત છે તે તો ત્રિગુણાત્‍મક વર્તે છે ને પરમેશ્વરને વિષે તો અતિશે પ્રીતિએ યુક્ત વર્તે છે, એ બે ભક્તમાં કયો ભક્ત શ્રેષ્‍ઠ છે ? એટલે સંતમંડળે તો એમ કહ્યું જે, “ભગવાનને વિષે પ્રીતિવાળો શ્રેષ્‍ઠ છે.” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, એક તો નાહીધોઇને […] read more
0 Views : 286

અમદાવાદ ૩ : વડવાઈનું – ઉપશમનું

સંવત્ ૧૮૮૨ના ફાગણ વદિ ૨ દ્વિતીયાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીઅમદાવાદ મઘ્‍યે શ્રીનરનારાયણના મંદિરને સન્‍મુખ ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને તે ઉપર વિરાજમાન હતા, ને મસ્‍તક ઉપર ગુલાબી રંગની પાઘ વિરાજમાન હતી, ને તે પાઘને વિષે ગુલાબના ને ચમેલીના હાર વિરાજમાન હતા. તથા પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇ ને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે સમગ્ર મુનિમંડળ પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે, ‘જીવ માત્ર છે તે પંચવિષયને આધારે જીવે છે. તે કાં તો બાહ્ય પંચવિષયને ભોગવતો હોય અને જ્યારે બાહ્ય પંચવિષયનો યોગ ન હોય ત્‍યારે અંત:કરણમાં પંચવિષયનું ચિંતવન કર્યા કરે, પણ એ જીવ વિષયના ચિંતવન વિના ને વિષયને ભોગવ્‍યા વિના ક્ષણ માત્ર પણ રહી શકતો નથી. અને જેમ વડનું વૃક્ષ છે, તેનાં જે મૂળ તે જ વડને લીલો રાખે છે. અને બીજાં સર્વે મૂળ ઉખડી ગયાં હોય ને જો એક વડવાઇ પૃથ્‍વીમાં ચોટી રહી હોય તો પણ એ વડનું વૃક્ષ લીલું રહે છે. તેમ ઉપર થકી કદાચિત્ પંચવિષયનો ત્‍યાગ કર્યો છે પણ અંતરમાં વિષયનું ચિંતવન થાય છે એ જ એને જન્‍મમરણનો હેતુ છે. એવા જે પંચવિષય તે પરમેશ્વરના ભક્તને કેવી રીતે જન્‍મમરણના હેતુ નથી ?” એ પ્રશ્ર્ન છે. પછી એનો ઉત્તર જેમ સમજાયો તેમ મુકતાનંદસ્વામીએ કર્યો પણ યથાર્થ સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “લ્‍યો એ પ્રશ્ર્નનો ઉત્તર અમે […] read more
0 Views : 300

ગઢડા અંત્ય ૧ : જ્ઞાન તથા હેતના અંગનું

સંવત્ ૧૮૮૨ના વૈશાખ વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના ફળિયાની માંહિલી કોરે આથમણે બાર ઓરડાની ઉચી ઓસરીએ ગાદીતકીયે યુક્ત જે સુંદર રંગીત ઢોલિયો તે ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને મસ્‍તકને વિષે જે મોટી શ્વેત પાઘ તેમાં સુંદર મોગરાનો તોરો વિરાજમાન હતો, અને કંઠને વિષે મોગરાના પુષ્પનો હાર વિરાજમાન હતો, અને બે હાથને વિષે તે પુષ્પના ગજરા વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પરમહંસને પુછયું જે, પરમેશ્વરના ભક્તને ભુંડા દેશકાળાદિકનો યોગ થાય તોય પણ ભગવાનની ભકિતમાં વિઘ્‍ન થાય નહિ એવી શી સમજણ છે. ? પછી પરમહંસને જેવું સમજાયું તેવું કહ્યું પણ યથાર્થ ઉત્તર થયો નહિ. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, જે ભગવાનને ભજે તેને એક તો દ્રઢ વૈરાગ્‍ય જોઈએ, અને બીજી આત્‍મનિષ્ઠા જોઈએ. તેમાં જો વૈરાગ્‍ય ન હોય તો જ્યારે મનગમતું પદાર્થ મળે ત્‍યારે જેમ ભગવાનમાં પ્રીતિ કરે છે તેમ બીજા પદાર્થમાં પણ ભગવાનના જેવી પ્રીતિ થઈ જાય. અને જો આત્‍મનિષ્‍ઠા ન હોય તો જ્યારે દેહમાં સુખદુ:ખ આવે ત્‍યારે એ ભક્તની વૃત્તિયો ચુંથાઈ જાય,પછી જેને સુખદાયી જાણે તેમાં પ્રીતિ કરે અને જેને દુ:ખદાયી જાણે તે સાથે દ્વેષ કરે, એવી રીતે એની બુદ્ધિ ભ્રષ્‍ટ થઈ જાય માટે ભગવાનના […] read more
0 Views : 341

ગઢડા અંત્ય ૨ : સર્વે અર્થ સિદ્ધ થયાનું

સંવત્ ૧૮૮૨ના જ્યેષ્ઠ શુદિ ૬ છઠને દિવસ સાંજને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરના ફળિયાને વિષે બાજોઠ ઉપર વિરાજમાન હતા અને મસ્‍તક ઉપર શ્‍યામ છેડાની ધોળી પાઘ બાંધી હતી, અને શ્વેત ચાદર ઓઢી હતી, અને શ્વેત ખેસ પહેર્યા હતો, અને પાઘને વિષે મોગરાના પુષ્પનો તોરો ખોશ્‍યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, પછી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, ”જગતને નાશવંત દેખે છે અને દેહને મુકીને ચેતન જુદો થઈજાય છે તેને પણ દેખે છે, તો પણ આ જીવને જગતનું પ્રધાનપણું હૃદયમાંથી મટતું નથી, અને પરમેશ્વરને સર્વ પ્રકારે સુખના સિંધુ જાણે છે, તો પણ પરમેશ્વરમાં જીવનું ચિત્ત ચોટતું નથી, તેમ સત્‍સંગ પણ એના હૃદયમાં મુખ્‍ય થતો નથી, અને ધન, સ્‍ત્રી, આદિક જે સાંસારીક પદાર્થ તેમાંથી પ્રીતિ મટતી નથી તેનું શું કારણ હશે ?” પછી મુકતાનંદસ્વામીએ કહ્યું જે, ”જીવના હૃદયમાં વૈરાગ્‍ય નથી તેણે કરીને જગતનું પ્રધાનપણું મટતું નથી ને ભગવાનમાં પ્રીતિ થતી નથી.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”વૈરાગ્‍યની ન્‍યૂનતા છે એ તો વાત સાચી, પણ અમને તો એમ ભાસે છે જે, જેને સત્‍સંગ થતાં થતાં જેવું અંગ બંધાઈ જાય છે તેવું ને તેવું જ સદાય રહે છે પણ તે વિના બીજું થતું નથી. ૨અને સત્‍સંગે કરીને તે અંગની પુષ્‍ટિ તો થાય […] read more
0 Views : 397

ગઢડા અંત્ય ૩ : દયા અને સ્નેહનું

સંવત્ ૧૮૮૩ ના અષાઢ વદિ ૧ પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે વિરાજમાન હતા, અને તે દિવસ ઠક્કર હરજીએ પોતાને ઘેર શ્રીજીમહારાજની પધરામણી કરી ત્‍યારે શ્રીજીમહારાજ ત્‍યાં પધાર્યા. પછી ઉગમણે બાર ઓરડાની ઓસરીયે ઢોલિયા ઉપર ગાદીતકિયા બિછાવીને શ્રીજીમહારાજને વિરાજમાન કર્યા. પછી હરજી ઠક્કરે શ્રીજીમહારાજની કેસરચંદનાદિકે કરીને પૂજા કરી. એવી રીતે શ્રીજીમહારાજ પૂર્વ મુખારવિંદે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. અને કંઠને વિષે મોગરાના પુષ્પના હાર તથા બે ભુજાને વિષે તે પુષ્પના ગજરા તથા પાઘને વિષે તે પુષ્પના તોરા તે અતિશે વિરાજમાન  હતા. અને શ્રીજીમહારાજના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં શ્રીજીમહારાજે સર્વ સંતમંડળને પ્રશ્ર્ન પુછયો જે, ”જે હરિભક્તના હૃદયને  વિષે દયા ને સ્‍નેહ એ બે સ્વાભાવિક રહ્યાં હોય ત્‍યારે સ્‍નેહનું સ્‍વરૂપ તો મધ જેવું છે તે જ્યાં ત્‍યાં ચોટે. અને દયાનો સ્‍વભાવ એવો છે જે જ્યાં ત્‍યાં દયા કરે. ત્‍યારે ભરતજીએ મૃગલા ઉપર દયા કરી તો તે મૃગલીને પેટે જન્‍મ લેવો પડયો. અને જે દયાવાન હોય તેને જે ઉપર દયા આવે તે સંધાથે સ્‍નેહ થયા વિના રહે નહિ. અને એ દયા ને સ્‍નેહ તેને ટાળ્‍યાનો ઉપાય તો આત્‍મજ્ઞાન ને વૈરાગ્‍ય એ બે જ છે. અને વૈરાગ્‍યનું એવું સ્‍વરૂપ છે જે  સર્વે નામરૂપને નાશવંત દેખાડે. […] read more
1 Views : 327

ગઢડા અંત્ય ૪ : બાધિતાનુવૃત્તિનું

સંવત ૧૮૮૩ના શ્રાવણ સુદિ ૩-તૃતીયાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે મેડીની ઓસરી ઉપર ગાદી તકિયા બિછવાવીને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા. અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “ભગવાનનો ભક્ત હોય ને તે જ્ઞાન- વૈરાગ્‍યે યુક્ત હોય ને વિચારને બળે કરીને પોતાને બંધન કરે એવી જે માયિક પદાર્થમાં પ્રીતિ, તેને ટાળી નાખી હોય, તો પણ એ ભક્તને જ્યાં સુધી નિર્વિકલ્‍પ સમાધિ થાય નહિ, ત્‍યાં સુધી બાધિતાનુવૃત્તિ રહી જાય છે. તેણે કરીને વિચારમાં એમ રહે છે જે, ‘રખે મારે મા બાપ, સ્ત્રી, છોકરાં, દ્રવ્‍ય, કુટુંબ, દેહ, ગેહ એમને વિષે પ્રીતિ રહી ગઈ હોય નહિ?” એમ બીતો રહે છે. જેમ કોઈક શૂરવીર પુરૂષ હોય તેણે પોતાના સર્વ શત્રુ મારી નાંખ્‍યા હોય તો પણ તે મરેલા શત્રુ થકી પણ કયારેક બી જાય છે તથા સ્‍વપ્નમાં તે શત્રુને દેખે ત્‍યારે બી જાય છે તેમ તે જ્ઞાની ભક્તને પણ જે જે પદાર્થ અંતરમાંથી જૂઠું કરી નાંખ્‍યું છે ને તેમાંથી પ્રીતિ તોડી નાખી છે તો પણ બાધિતાનુવૃત્તિએ કરીને અંતરમાં માયિક પદાર્થના બંધન થકી બીક લાગે છે અથવા ધનકલત્રાદિક પદાર્થની કોઈક સમે સ્‍મૃતિ થઈ આવે છે ત્‍યારે મનમાં બી જવાય છે જે, ‘રખે મને બંધન કરે!’ એવી […] read more
0 Views : 316

ગઢડા અંત્ય ૫ : માહાત્મ્યે યુક્ત નિર્વિઘ્ન ભકિતનું

સંવત ૧૮૮૩ના ભાદરવા સુદિ ૧૧-એકાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તકિયા ઉપર વિરાજમાન હતા. અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. ને કંઠને વિષે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા અને પાઘને વિષે મોગરાનાં પુષ્પનાં તોરા વિરાજમાન હતા. ને હાથને વિષે મોગરાના પુષ્પના ગજરા વિરાજમાન હતા. ને પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં શ્રીજીમહારાજે કહ્યું જે, “કોઈક પ્રશ્ન પૂછો.” પછી મુકતાનંદસ્વામીએ પૂછયો જે, “હે મહારાજ! ભગવાનની જે ભકિત છે તેમાં કોઈ રીતનું વિઘ્‍ન ન થાય, એવી તે કઈ ભકિત છે ? અને જે ભકિતમાં કાંઈક વિઘ્‍ન થાય છે તે કઈ જાતની ભકિત છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ૨”તૃતીયસ્‍કંધમાં કપિલગીતાને વિષે માતા દેવહૂતિએ કપિલજી પ્રત્‍યે કહ્યું છે જે- “યન્નામધેયશ્રવણાનુકીર્તનાદ્યત્‍પ્રહ્વણાદ્યત્‍સ્‍મરણાદપિ કવચિત્ | શ્વાદોડપિ સદ્ય:સવનાય કલ્‍પતે કથં પુનસ્‍તે ભગવન્નુ દર્શનાત્ ||” “અહો બત શ્વપચોડતો ગરિયાન્ યજ્જિહ્વાગ્રે વર્તતે નામ તુભ્‍યમ્ | તેપુસ્‍તપસ્‍તે જુહુવુ: સસ્‍નુરાર્યા બ્રહ્માનૂચુર્નમ ગૃણન્‍ત્‍િા યે તે ||” એ બે શ્લોકે કરીને જેવું ભગવાનનું માહાત્‍મ્‍ય કહ્યું છે તથા કપિલજીએ માતા દેવહૂતિ પ્રત્‍યે પોતાનું માહાત્‍મ્‍ય કહ્યું છે જે, “મદ્ભયાદ્વાતિ વાતોડયં સૂર્યસ્‍તપતિ મદ્ભયાત્  વર્ષતીન્‍દ્રો દહત્‍યગ્‍ન્‍િા મૃત્‍યુશ્વરતિ મદ્ભયાત્ “ એવી રીતે માહાત્‍મ્‍ય સહિત ભગવાનની ભકિત હોય તેમાં તો કોઈ જાતનું વિઘ્‍ન આવે નહિ અને માહાત્‍મ્‍ય જાણ્‍યા વિના પ્રાકૃત બુદ્ધિએ કરીને જો ભકિત […] read more
0 Views : 315
Powered By Indic IME