સંવત્ ૧૮૮૧ના અષાઢ શુદિ ૬ છઠને દિવસ સંઘ્યા આરતીને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. અને મસ્તક ઉપર શ્વેત પાઘ પુષ્પને તોરે યુક્ત વિરાજમાન હતી. અને શ્વેત ચાદર ઓઢી હતી, ને શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્રીજીમહારાજના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી, અને મશાલનો પ્રકાશ થઇ રહ્યો હતો, અને મુનિ મંડળ દુકડ ને સરોદા લઇને ભગવાનના કીર્તનનું ગાન કરતા હતા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સાંભળો, એક વાર્તા કરીએ જે, જ્યારે તમે કીર્તન ગાતા હતા, ત્યારે અમે કીર્તન સાંભળતાં જેમ વિચાર કર્યો છે તે વિચાર કહીએ છીએ જે, ભગવાનમાં પ્રીતિ કરવી તે એક સત્તારૂપે રહીને જ કરવી, ને તે સત્તારૂપઆત્મા કેવો છે, તો જેને વિષે માયા ને માયાનાં કાર્ય જે ત્રણ ગુણ ને દેહ, ઇન્દ્રિયો, અંત:કરણ તેનું કોઇ આવરણ નથી. અને કાંઇક જે આત્માને વિષે આવરણ જેવું જણાય છે તે અજ્ઞાને કરીને જણાય છે. પણ જેણે જ્ઞાન વૈરાગ્યે કરીને એનો સર્વ પ્રકારે નિષેધ કરી નાખ્યો છે, તેને તો એ આત્માને વિષે કોઇ જાતનું આવરણ નથી.અને એ આત્મારૂપે જે વર્તવું કે કેવળ બ્રહ્મ થઇને મસ્ત થવું તેને અર્થે નથી, એતો પોતાને આત્મારૂપે રહેવું તેનું એ પ્રયોજન છે જે, ‘હું આત્મા છું’ તે મારે વિષે કોઇ જાતનું માયાનું […]
read more