Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભગવાન શ્રી સ્વામિનારાયણ
Per Page :

ગઢડા મઘ્ય ૫૬ : કસુંબલ વસ્ત્રનું

સંવત્ ૧૮૮૧ના અષાઢ શુદિ ૫ પંચમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા બિછાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળની સભા તથા દેશદેશના હરિ ભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને સાધુ દુકડ, સરોદા લઇને કીર્તન બોલતા હતા. તે કીર્તન ભકિત થઇ રહ્યા પછી શ્રીજીમહારાજ એમ બોલ્‍યા જે, “આ કીર્તન સાંભળ્‍યામાંથી તો અમારો આત્‍મા વિચારમાં જતો રહ્યો. પછી તેમાં એમ જણાયું જે ભગવાનને વિષે જે અતિશે પ્રીતિ એ ઘણી મોટી વાત છે, પછી તો ગોપાળાનંદ સ્વામી આદિક જે ભગવાનને વિષે પ્રીતિવાળા હરિભક્ત તે સર્વે સાંભરી આવ્‍યા, અને એ સર્વેના અંત:કરણ ને એ સર્વેના જીવ ને એમની જે ભગવાનને વિષે પ્રીતિ તે સર્વે જોયામાં આવ્‍યાં. પછી અમે અમારા આત્‍માને તપાસી જોયો. ત્‍યારે અમારે જેવી ભગવાનને વિષે પ્રીતિ જણાણી તેવી બીજાની પ્રીતિ જણાણી નહિ, શા માટે જે કાંઇક ભૂંડા દેશકાળાદિકનો જ્યારે યોગ થાય છે ત્‍યારે એ સર્વે મોટા છે તો પણ કાંઇક એમની બુદ્ધિને વિષે ફેર પડી જાય છે, ત્‍યારે એમ જણાય જે, ‘અંતે પાયો કાચો દેખાય છે.’ તે સારી પેઠે જો કોઇક ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય તો ભગવાનમાં પ્રીતિ છે તેનું કાંઇ ઠેકાણું રહે નહિ. માટે એ સર્વેને જોતાં અમને અમારી કોરનું ઠીક ભાસે […] read more
0 Views : 186

ગઢડા મઘ્ય ૫૭ : ગરોળીના દ્રષ્ટાંતનું – મીનડિયા ભકતનું

સંવત્ ૧૮૮૧ના અષાઢ શુદિ ૬ છઠને દિવસ સંઘ્‍યા આરતીને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. અને મસ્‍તક ઉપર શ્વેત પાઘ પુષ્પને તોરે યુક્ત વિરાજમાન હતી. અને શ્વેત ચાદર ઓઢી હતી, ને શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્રીજીમહારાજના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી, અને મશાલનો પ્રકાશ થઇ રહ્યો હતો, અને મુનિ મંડળ દુકડ ને સરોદા લઇને ભગવાનના કીર્તનનું ગાન કરતા હતા. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “સાંભળો, એક વાર્તા કરીએ જે, જ્યારે તમે કીર્તન ગાતા હતા, ત્‍યારે અમે કીર્તન સાંભળતાં જેમ વિચાર કર્યો છે તે વિચાર કહીએ છીએ જે, ભગવાનમાં પ્રીતિ કરવી તે એક સત્તારૂપે રહીને જ કરવી, ને તે સત્તારૂપઆત્‍મા કેવો છે, તો  જેને વિષે માયા ને માયાનાં કાર્ય જે ત્રણ ગુણ ને દેહ, ઇન્‍દ્રિયો, અંત:કરણ તેનું કોઇ આવરણ નથી. અને કાંઇક જે આત્‍માને વિષે આવરણ જેવું જણાય છે તે અજ્ઞાને કરીને જણાય છે. પણ જેણે જ્ઞાન વૈરાગ્‍યે કરીને એનો સર્વ પ્રકારે નિષેધ કરી નાખ્‍યો છે, તેને તો એ આત્‍માને વિષે કોઇ જાતનું આવરણ નથી.અને એ આત્‍મારૂપે જે વર્તવું કે કેવળ બ્રહ્મ થઇને મસ્‍ત થવું તેને અર્થે નથી, એતો પોતાને આત્‍મારૂપે રહેવું તેનું એ પ્રયોજન છે જે, ‘હું આત્‍મા છું’ તે મારે વિષે કોઇ જાતનું માયાનું […] read more
0 Views : 156

ગઢડા મઘ્ય ૫૮ : સંપ્રદાયની પુષ્ટિનું

સંવત્ ૧૮૮૧ના શ્રાવણ શુદિ ૪ ચોથને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદીતકિયા બિછાવીને વિરાજમાન હતા, અને શ્રીજીમહારાજે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, “જે જે આચાર્ય થયા છે તેના સંપ્રદાયની પુષ્‍ટિ ઘણાક કાળ સુધી શે ઉપાયે કરીને રહે છે ?” પછી મુકતાનંદસ્વામીએ કહ્યું જે, “એક તો સંપ્રદાય સંબંધી ગ્રંથ હોય, અને બીજો શાસ્‍ત્રે કહ્યો એવો વર્ણાશ્રમનો ધર્મ હોય, અને ત્રીજી પોતાના ઇષ્‍ટદેવને વિષે અતિશે દૃઢતા હોય, એ ત્રણેને યોગે કરીને પોતાના સંપ્રદાયની પુષ્‍ટિ રહે છે. પછી શ્રીજીમહારાજે બ્રહ્માનંદ સ્વામી તથા નિત્‍યાનંદસ્વામીને પણ પુછયું ત્‍યારે એમણે પણ એવી જ રીતે કહ્યું.  પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે “લ્‍યો એ પ્રશ્ર્નનો ઉત્તર અમે કરીએ જે, સંપ્રદાયની પુષ્‍ટિ તો એમ થાય છે જે, એ સંપ્રદાયના ઇષ્‍ટદેવ હોય તેનો જે હેતુ માટે પૃથ્‍વીને વિષે જન્‍મ થયો હોય, અને જન્‍મ ધરીને તેણે જે જે ચરિત્ર કર્યાં હોય, અને જે જે આચરણ કર્યાં હોય, તે આચરણને વિષે ધર્મ પણ સહજે આવી જાય, અને તે ઇષ્‍ટદેવનો મહિમા પણ આવી જાય. માટે પોતાના ઇષ્‍ટદેવનાં જે જન્‍મથી કરીને દેહ મુકવા પર્યંત ચરિત્ર તેનું જે શાસ્ત્ર, તેણે કરીને સંપ્રદાયની પુષ્‍ટિ થાય છે. તે શાસ્ત્ર સંસ્‍કૃત […] read more
0 Views : 137

ગઢડા મઘ્ય ૫૯ : પરમ કલ્યાણનું

સંવત્ ૧૮૮૧ના શ્રાવણ શુદિ ૧૨ દ્વાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા, અને શ્રીજીમહારાજે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “ચાર વેદ, પુરાણ, ઇતિહાસ, એ સર્વેમાં એજ વાર્તા છે જે, ‘ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્‍યાણકારી છે.’ અને ભગવાનના જે સાધુ છે તે તો ભવ બ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે. તે ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્‍તિ થઇ ત્‍યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઇ કલ્‍યાણ નથી, એજ પરમ કલ્‍યાણ છે. અને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્‍યવાળાને મળે છે પણ થોડા પુણ્‍યવાળાને મળતી નથી.માટે ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું,જેવું હેત સ્‍ત્રી ઉપર છે, કે પુત્ર ઉપર છે, કે માબાપ કે ભાઇ ઉપર છે, તેવું હેત રાખવું; તો એ હેતે કરીને જીવ કૃતાર્થ થઇ જાય છે. અને પોતાનાં જે સ્‍ત્રી-પુત્રાદિક હોય તે તો કુપાત્ર હોય ને કુલક્ષણવાળાં હોય, તો પણ કોઇ રીતે તેનો અવગુણ એ જીવને આવતો નથી, અને જે ભગવાનના ભક્ત હોય તે તો સર્વે રૂડે ગુણે કરીને યુક્ત હોય, પણ જો તેણે લગારેક કઠણ વચન કહ્યું હોય તો તેની આંટી જીવે ત્‍યાં સુધી મુકે નહિ. એવી […] read more
0 Views : 155

ગઢડા મઘ્ય ૬૦ : વિક્ષેપ ટાળ્યાનું – પક્ષ રાખ્યા્નું

સંવત્ ૧૮૮૧ના શ્રાવણ વદિ ૪ ચોથને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને શ્વેત પાઘ મસ્‍તક ઉપર બાંધી હતી, અને શ્વેત પછેડી ઓઢી હતી, અને શ્વેત ખેસ પહેર્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “પ્રશ્ર્ન ઉત્તર કરો.” ત્‍યારે મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! આ સંસારને વિષે તો કેટલીક જાતના વિક્ષેપ આવે છે તેમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો અંતરે સુખ રહે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એનો ઉત્તર તો જેમ અમને વર્તાય છે તેમ કહીએ જે, પોતાના દેહથી નોખો જે પોતાનો આત્‍મા તેનું જે નિરંતર અનુસંધાન, તથા માયિક એવાં જે પદાર્થ માત્ર તેના નાશવંતપણાનું જે અનુસંધાન, તથા ભગવાનના માહાત્‍મ્‍યજ્ઞાનનું જે અનુસંધાન, એ ત્રણે કરીને કોઇ વિક્ષેપ આડો આવતો નથી. અને જ્યારે કોઇક જાતના વિક્ષેપનો યોગ આવે, ત્‍યારે ઉપરથીતો ચિત્તનો ધર્મ છે તે વિક્ષેપ જેવું જણાય, પણ તે વિક્ષેપનો પોતાના ચૈતન્‍યમાં તો ડંસ બેસતો નથી. તે કેમ જણાય જે, જ્યારે સુઇએ છીએ ત્‍યારે બહારલ્‍યો જે વિક્ષેપ તે કોઇ દિવસ સ્‍વપ્નમાં દેખાતો જ નથી. અને જે ચૈતન્‍યમાં વિક્ષેપ પેઠો હોય તે તો ત્રણે અવસ્‍થામાં જણાય છે. માટે સ્‍વપ્નમાં કોઇ રીતે વિક્ષેપ જણાતો નથી. તે થકી એમ જાણીએ […] read more
0 Views : 165

ગઢડા મઘ્ય ૬૧ : નિયમ, નિશ્વય અને પક્ષનું

સંવત્ ૧૮૮૧ના શ્રાવણ વદિ ૭ સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઉગમણી ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને મસ્‍તક ઉપર શ્વેત શેલું સોનેરી છેડાનું બાંઘ્‍યું હતું, અને એક બીજું શ્વેત શેલું ઓઢયું હતું, અને શ્વેત ખેસ પહેર્યો હતો, અને મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “જેમાં ત્રણ વાનાં હોય તે પાકો સત્‍સંગી કહેવાય. તે ત્રણ વાનાં તે કયાં ?તો એક તો પોતાને ઇષ્‍ટદેવે જે નિયમ ધરાવ્‍યાં હોય તે પોતાના શિર સાટે દૃઢ કરીને પાળે, પણ એ ધર્મનો કોઇ દિવસ ત્‍યાગ ન કરે. અને બીજો ભગવાનના સ્‍વરૂપનો જે નિશ્વય તે અતિશે દ્રઢપણે હોય પણ તેમાં કોઇ સંશય નાખે તો સંશય પડે નહિ, ને પોતાનું મન સંશય નાખે તોય પણ સંશય પડે નહિ, એવો ભગવાનનો અડગ નિશ્વય હોય, અને ત્રીજો પોતાના ઇષ્‍ટદેવને ભજતા હોય એવા જે સત્‍સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખવો. તે જેમ મા, બાપ, દીકરા, દિકરી તેનો પક્ષ રાખે છે, અને જેમ પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે. અને જેમ સ્‍ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે. તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો. એ ત્રણ વાનાં જેમાં પરિપૂર્ણ હોય તે પાકો સત્‍સંગી કહેવાય. અને હરિભક્તની સભામાં […] read more
0 Views : 149

ગઢડા મઘ્ય ૬૨ : આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું ને દાસપણાનું

સંવત્ ૧૮૮૧ના માગસર શુદિ ૨ બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને શ્વેત પાઘ મસ્‍તક ઉપર બાંધી હતી, અને શ્વેત ચોફાળ ઓઢયો હતો, તથા શ્વેત ખેસ પહેર્યો હતો, અને શ્રીજીમહારાજના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે પોતાના ભત્રીજા જે અયોઘ્‍યાપ્રસાદજી ને રધુવીરજી તેમને બોલાવીને કહ્યું જે, ‘તમે અમને પ્રશ્ર્ન પુછો.’ પછી અયોઘ્‍યાપ્રસાદજીએ પ્રશ્ર્ન પુછયો જે “આ સંસારને વિષે એવો પુરૂષ હોય જે આઠે પહોર તો સંસારની વિટંબનામાં રહ્યો હોય અને ગમે એવું યોગ્‍ય અયોગ્‍ય કર્મ પણ થઇ જતું હોય અને તે એક ઘડી કે બે ઘડી ભગવાનનું ભજન કરતો હોય, ત્‍યારે તે ભજને કરીને તેણે દિવસ બધામાં પાપ કર્યું તે બળે કે ન બળે ?” એ પ્રશ્ર્ન છે. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “સારો દિવસ પ્રવૃત્તિમાર્ગમાં રહીને ગમે તેવી ક્રિયા કરી હોય ને ભગવાનનું ભજન કરવા બેસે, તે સમે એ ભજનના કરનારાનાં ઇન્‍દ્રિયો, અંત:કરણ અને જીવ એ સર્વે એકાગ્ર થઇને જો ભજનમાં જોડાય, તે એવી રીતે એક ઘડી કે અધર્ી ઘડી પણ જો ભગવાનના ભજનમાં જોડાય, તો સમગ્ર પાપબળીને ભસ્‍મ થઇ જાય છે. અને ઇન્‍દ્રિયો, અંત:કરણ ને જીવ તે એકાગ્ર થઇને જો ભગવાનના ભજનમાં ન જોડાય, તો તેના ભજન થકી તો ઘડી કે […] read more
0 Views : 167

ગઢડા મઘ્ય ૬૩ : બળ પામવાનું

સંવત્ ૧૮૮૧ના માગશર વદિ ૨ બીજને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ ભજનાનંદ સ્વામી શ્રીમદ્ભાગવતનો પાઠ કરતા હતા, ને પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! દષ્‍ટા ને દશ્‍યના મઘ્‍યમાં જે વિચાર રહે છે, તે દૃષ્ટા ને દશ્‍યને જુદાં જુદાં રાખે છે. એમાં જીવનું જાણપણું કયું જાણવું ને ઇંદ્રિયો અંત:કરણનું જાણપણું કયું જાણવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, અમને તો એમ જણાય છે જે, જેનો જીવ અતિશે બળને પામ્‍યો હોય તેને તો અંત:કરણની વૃત્તિઓ તે જીવની જ વૃત્તિ છે અને તેના ચાર ક્રિયાએ કરીને ચાર વિભાગ જણાય છે. અને તે અંત:કરણમાં ને ઇંદ્રિયોમાં જાણપણું છે તે જીવનું જ છે. તે ઇન્‍દ્રિયો અંત:કરણને જ્યાં ધટિત હોય ત્‍યાં ચાલવા દે, ને જ્યાં ધટિત ન હોય ત્‍યાં ન ચાલવા દે અને જેનો જીવ અતિશે બળને પામ્‍યો હોય, તેને તો ભૂંડું સ્‍વપ્ન પણ  આવે નહિ. અને જેનો જીવ નિર્બળ હોય, તેને તો સાંખ્‍યના મતને અનુસરીને એક દૃષ્ટા એવો જે પોતાનો આત્‍મા તે આત્‍માપણે રહેવું, પણ ઇંદ્રિયો અંત:કરણ ભેળું ભળવું નહિ. એવી રીતે સત્તારૂપ રહેતાં થકાં એનો જીવ બળને પામે છે. અને એથી પણ બળ પામવાનો એક […] read more
0 Views : 149
Powered By Indic IME