Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભગવાન શ્રી સ્વામિનારાયણ
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૧૯૮

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે ગર્ભાધાન આદિક જે સંસ્કાર તેમને વિષે જમવું નહિ તથા એકાદશાહ પર્યંત જે પ્રેત શ્રાદ્ધ તેમને વિષે જમવું નહિ તથા દ્વાદશાહ શ્રાદ્ધને વિષે જમવું નહિ. ।।૧૯૮।। read more
0 Views : 1222

શિક્ષાપત્રી શ્લોક – ૧૯૯

અને રોગાદિક આપત્કાળ પડ્યા વિના દિવસે સૂવું નહિ અને ગ્રામ્યવાર્તા કરવી નહિ ને જાણીને સાંભળવી નહિ. ।।૧૯૯।। read more
0 Views : 1212

શિક્ષાપત્રી શ્લોક – ર૦૦

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે  રોગાદિક આપત્કાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહિ અને સાધુની આગળ તો નિરંતર નિષ્કપટપણે વર્તવું. ।।૨૦૦।। read more
0 Views : 1226

શિક્ષાપત્રી શ્લોક – ર૦૧

અને તે સાધુ ને બ્રહ્મચારી તેમણે કોઇક કુમતિવાળા દુષ્ટ જન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું પણ તેને સામી ગાળ ન દેવી ને મારવો નહિ અને તેનું જેમ હિત થાય તેમજ મનમાં ચિંતવન કરવું પણ તેનું ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો.।।૨૦૧।। read more
0 Views : 1219

શિક્ષાપત્રી શ્લોક – ર૦ર

અને કોઇનું દૂતપણું ન કરવું તથા ચાડિયાપણું ન કરવું ને કોઇનાં ચારચક્ષુ ન થવું અને દેહને વિષે અહંબુદ્ધિ ન કરવી ને સ્વજનાદિકને વિષે મમતા ન કરવી. (એવી રીતે સાધુના વિશેષ ધર્મ કહ્યાં.) ।।૨૦૨।। read more
0 Views : 1233

શિક્ષાપત્રી શ્લોક – ર૦૩

અને અમારે આશ્રિત એવા જે સત્સંગી બાઇ ભાઇ સર્વે તેમના જે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ તે જે તે સંક્ષેપે કરીને આવી રીતે અમે લખ્યા છે અને આ ધર્મનો જે વિસ્તાર તે તો અમારા સંપ્રદાયનાં જે ગ્રંથ તે થકી જાણવો. ।।૨૦૩।। read more
0 Views : 1237

શિક્ષાપત્રી શ્લોક – ર૦૪

અને સર્વે જે સચ્છાસ્ત્ર તેનો જે સાર તેને અમે અમારી બુદ્ધિએ કરીને ઉદ્ધારીને આ શિક્ષાપત્રી જે તે લખી છે, તે કેવી છે તો, સર્વે મનુષ્યમાત્રને મનવાંછિત ફળની  દેનારી છે. ।।૨૦૪।। read more
0 Views : 1214

શિક્ષાપત્રી શ્લોક – ર૦પ

એ હેતુ માટે અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે સાવધાનપણે કરીને નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું પણ પોતાના મનને જાણે તો કયારેય ન વર્તવું. ।।૨૦૫।। read more
0 Views : 1223
Powered By Indic IME