Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભગવાન શ્રી સ્વામિનારાયણ
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૧૭૪

અને વળી રજસ્વલા એવી જે સુવાસિની અને વિધવા સ્ત્રીઓ તે ત્રણ દિવસ સુધી કોઇ મનુષ્યને તથા વસ્ત્રાદિકને અડે નહિ અને ચોથે દિવસે નાહીને અડવું.(એવી રીતે ગૃહસ્થાશ્રમી એવા જે પુરુષ અને સ્ત્રીઓ તેમના જે આ વિશેષ ધર્મ કહ્યા તે સર્વે ધર્મવંશી આચાર્ય અને તેમની પત્નીઓ તેમણે પણ પાળવા, કેમ કે એ ગૃહસ્થ છે) ।।૧૭૪।। read more
0 Views : 83

શિક્ષાપત્રી શ્લોક – ૧૭પ

હવે નૈષ્ઠિક બ્રહ્મચારીના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ.-અમારે આશ્રિત એવા જે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્ત્રીમાત્રનો સ્પર્શ ન કરવો અને સ્ત્રીઓ સંગાથે બોલવું નહિ અને જાણીને તે સ્ત્રીઓ સન્મુખ જોવું નહિ. ।।૧૭૫।। read more
0 Views : 89

શિક્ષાપત્રી શ્લોક – ૧૭૬

અને તે સ્ત્રીઓની વાર્તા કયારેય ન કરવી ને ન સાંભળવી અને જે સ્થાનકને વિષે સ્ત્રીઓનો પગફેર હોય તે સ્થાનકને વિષે સ્નાનાદિક ક્રિયા કરવા ન જવું.।।૧૭૬।। read more
0 Views : 83

શિક્ષાપત્રી શ્લોક – ૧૭૭

અને દેવતાની પ્રતિમા વિના બીજી જે સ્ત્રીની પ્રતિમા ચિત્રની અથવા કાષ્ઠાદિકની હોય તેનો સ્પર્શ ન કરવો અને જાણીને તો તે પ્રતિમાને જોવી પણ નહિ. ।।૧૭૭।। read more
0 Views : 79

શિક્ષાપત્રી શ્લોક – ૧૭૮

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્ત્રીની પ્રતિમા ન કરવી અને સ્ત્રીએ પોતાના શરીર ઉપર ધારેલું જે વસ્ત્ર તેને અડવું નહિ અને મૈથુનાસકત એવા જે પશુ-પક્ષી આદિક પ્રાણીમાત્ર તેમને જાણીને જોવાં નહિ. ।।૧૭૮।। read more
0 Views : 97

શિક્ષાપત્રી શ્લોક – ૧૭૯

અને સ્ત્રીના વેશને ધરી રહ્યો એવો જે પુરુષ તેને અડવું નહિ અને તેની સામું જોવું નહિ અને તે સાથે બોલવું નહિ અને સ્ત્રીને ઉદ્દેશ કરીને ભગવાનની કથા-વાર્તા-કીર્તન પણ ન કરવાં. ।।૧૭૯।। read more
0 Views : 83

શિક્ષાપત્રી શ્લોક – ૧૮૦

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાના બ્રહ્મચર્યવ્રતનો ત્યાગ થાય એવું જે વચન તે તો પોતાના ગુરુનું પણ ન માનવું. ને સદાકાળ  ધીરજવાન રહેવું અને સંતોષે યુકત રહેવું ને માને રહિત રહેવું. ।।૧૮૦।। read more
0 Views : 90

શિક્ષાપત્રી શ્લોક – ૧૮૧

અને બળાત્કારે કરીને પોતાને અતિશય સમીપે આવતી એવી જે સ્ત્રી તેને બોલીને અથવા તિરસ્કાર કરીને પણ તુરત વારવી પણ સમીપે આવવા દેવી નહિ. ।।૧૮૧।। read more
0 Views : 80
Powered By Indic IME