Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભગવાન શ્રી સ્વામિનારાયણ
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૧૬૬

અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તે થકી કોઇપણ વિદ્યા ન ભણવી અને વ્રત ઉપવાસે કરીને વારંવાર પોતાનાં દેહનું દમન કરવું.।।૧૬૬।। read more
0 Views : 93

શિક્ષાપત્રી શ્લોક – ૧૬૭

અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના ઘરમાં પોતાના જીવનપર્યંત દેહનિર્વાહ થાય એટલું જ જો ધન હોય તો તે ધન જે તે ધર્મ કાર્યને વિષે પણ ન આપવું અને જો તેથી અધિક હોય તો આપવું. ।।૧૬૭।। read more
0 Views : 80

શિક્ષાપત્રી શ્લોક – ૧૬૮

અને વિધવા સ્ત્રીઓ તેમણે એકવાર આહાર કરવો અને પૃથ્વીને વિષે સૂવું અને મૈથુનાસકત એવા જે પશુપક્ષી આદિક જીવ પ્રાણીમાત્ર તેમને જોવાં નહિ. ।।૧૬૮।। read more
0 Views : 107

શિક્ષાપત્રી શ્લોક – ૧૬૯

અને તે વિધવા સ્ત્રીઓ તેમણે સુવાસિની સ્ત્રીના જેવો વેષ ન ધારવો તથા સંન્યાસિની તથા વૈરાગીની તેના જેવો વેષ ન ધારવો અને પોતાનો દેશ, કુળ અને આચાર તેને વિરુદ્ધ એવો જે વેષ તે પણ કયારેય ન ધારવો.।।૧૬૯।। read more
0 Views : 95

શિક્ષાપત્રી શ્લોક – ૧૭૦

અને ગર્ભની પાડનારી જે સ્ત્રી તેનો સંગ ન કરવો અને તેનો સ્પર્શ પણ ન કરવો અને પુરુષનાં શૃંગાર રસ સંબંધી જે વાર્તા તે કયારેય ન કરવી અને ન સાંભળવી. ।।૧૭૦।। read more
0 Views : 82

શિક્ષાપત્રી શ્લોક – ૧૭૧

અને યુવા અવસ્થાને વિષે રહી એવી જે વિધવા સ્ત્રીઓ તેમણે યુવા અવસ્થાવાળા જે પોતાના સંબંધી પુરુષ તેમની સંગાથે પણ એકાંત સ્થળને વિષે આપત્કાળ પડ્યા વિના ન રહેવું. ।।૧૭૧।। read more
0 Views : 88

શિક્ષાપત્રી શ્લોક – ૧૭ર

અને હોળીની રમત ન કરવી ને આભૂષણાદિકનું ધારણ ન કરવું અને સુવર્ણાદિક ધાતુના તારે યુકત એવાં જે ઝીણાં વસ્ત્ર તેનું ધારણ પણ કયારેય ન કરવું. ।।૧૭૨।। read more
0 Views : 79

શિક્ષાપત્રી શ્લોક – ૧૭૩

અને સુવાસિની ને વિધવા એવી જે સ્ત્રીઓ તેમણે વસ્ત્ર પહેર્યા વિના ન્હાવું નહિ અને પોતાનું જે રજસ્વલાપણું તે કોઇ પ્રકારે ગુપ્ત ન રાખવું. ।।૧૭૩।। read more
0 Views : 92
Powered By Indic IME