Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભગવાન શ્રી સ્વામિનારાયણ
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૧૪ર

અને ગાય, બળદ, ભેંશ, ઘોડા આદિક જે પશુ તેમની તૃણ-જળાદિકે કરીને પોતાવતે જો સંભાવના થાય તો તે પશુને રાખવાં અને જો સંભાવના ન થાય તો ન રાખવાં. ।।૧૪૨।। read more
0 Views : 91

શિક્ષાપત્રી શ્લોક – ૧૪૩

અને સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ પૃથ્વી ને ધનના લેણદેણે કરીને વ્યવહાર જે તે કયારેય ન કરવો. ।।૧૪૩।। read more
0 Views : 90

શિક્ષાપત્રી શ્લોક – ૧૪૪

અને પોતાનું અથવા બીજાનું જે વિવાહ સંબંધી કાર્ય તેને વિષે આપવા યોગ્ય જે ધન તેનું સાક્ષીએ સહિત લખત કર્યા વિના કેવળ બોલી જ ન કરવી. ।।૧૪૪।। read more
0 Views : 96

શિક્ષાપત્રી શ્લોક – ૧૪પ

અને પોતાની ઉપજનું જે દ્રવ્ય તેને અનુસારે નિરંતર ખરચ કરવો પણ તે ઉપરાંત ન કરવો અને જે ઉપજ કરતાં વધારે ખરચ કરે છે તેને મોટું દુઃખ થાય છે એમ સર્વે ગૃહસ્થોએ મનમાં જાણવું. ।।૧૪૫।। read more
0 Views : 86

શિક્ષાપત્રી શ્લોક – ૧૪૬

અને પોતાના વ્યવહાર કાર્યને વિષે જેટલા ધનની ઉપજ હોય તથા જેટલો ખરચ હોય તે બેયને સંભારીને નિત્ય પ્રત્યે રૂડા અક્ષરે કરીને પોતે તેનું નામું લખવું. ।।૧૪૬।। read more
0 Views : 89

શિક્ષાપત્રી શ્લોક – ૧૪૭

અને તે ગૃહસ્થાશ્રમી સત્સંગી તેમણે પોતાની જે વૃત્તિ અને ઉદ્યમ તે થકી પામ્યું જે ધન ધાન્યાદિક તે થકી દશમો ભાગ કાઢીને શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કરવો અને જે વ્યવહારે દુર્બળ હોય તેમણે વીસમો ભાગ અર્પણ કરવો. ।।૧૪૭।। read more
0 Views : 86

શિક્ષાપત્રી શ્લોક – ૧૪૮

અને એકાદશી આદિક જે વ્રત તેમનું જે ઉદ્યાપન તે જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાશાસ્ત્ર કરવું. તે ઉદ્યાપન કેવું છે, તો મનવાંછિત ફળનું આપનારું છે. ।।૧૪૮।। read more
0 Views : 76

શિક્ષાપત્રી શ્લોક – ૧૪૯

અને શ્રાવણ માસને વિષે શ્રી મહાદેવનું પૂજન જે તે બિલ્વપત્રાદિકે કરીને પ્રીતિ પૂર્વક સર્વ પ્રકારે પોતે કરવું અથવા બીજા પાસે કરાવવું. ।।૧૪૯।। read more
0 Views : 88
Powered By Indic IME