અને એ જે દશમસ્કંધ તેનું પુરશ્ચરણ જે તે પુણ્ય સ્થાનકને વિષે પોતાનાં સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું. અને વળી વિષ્ણુસહસ્રનામ આદિક જે સચ્છાસ્ત્ર તેનું પુરશ્ચરણ પણ પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું, તે પુરશ્ચરણ કેવું છે, તો પોતાનાં મનવાંછિત ફળને આપે એવું છે. ।।૧૧૮।। read more
અને કષ્ટની દેનારી એવી કોઇ દેવસંબંધી આપદા આવી પડે તથા મનુષ્ય સંબંધી આપદા આવી પડે તથા રોગાદિક આપદા આવી પડે તેને વિષે જેમ પોતાની ને બીજાની રક્ષા થાય તેમ વર્તવું, પણ બીજી રીતે ન વર્તવું. ।।૧૧૯।। read more
અમે અમારો જે મત તે વિશિષ્ટાદ્વૈત છે એમ જાણવું અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે એમ જાણવું અને તે ધામને વિષે બ્રહ્મરૂપે કરીને જે શ્રીકૃષ્ણ ભગવાનની સેવા કરવી તે અમે મુકિત માની છે એમ જાણવું. ।।૧૨૧।। read more
અને આ જે પૂર્વે સર્વે ધર્મ કહ્યા તે જે તે અમારા આશ્રિત જે ત્યાગી ગૃહસ્થ બાઇ ભાઇ સર્વે સત્સંગી તેમના સામાન્ય ધર્મ કહ્યા છે, કહેતાં સર્વ સત્સંગીમાત્રને સરખા પાળવાના છે. અને હવે એ સર્વે ના જે વિશેષ ધર્મ તેમને પૃથક્ પૃથક પણે કરીને કહીએ છીએ. ।।૧૨૨।। read more
હવે પ્રથમ ધર્મવંશી જે આચાર્ય અને તેમની પત્નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ – અમારા મોટાભાઇ અને નાનાભાઇ તેમના પુત્ર જે અયોધ્યાપ્રસાદ અને રઘુવીર તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે બીજી સ્ત્રીઓ તેમને મંત્ર ઉપદેશ કયારેય ન કરવો. ।।૧૨૩।। read more
અને વ્યવહારકાર્યને વિષે કેનું પણ જમાનગરૂં ન કરવું અને કોઇ આપત્કાળ આવી પડે તો ભિક્ષા માગીને પોતાનો નિર્વાહ કરીને તે આપત્કાળને ઉલ્લંઘવો પણ કોઇનું કરજ તો કયારેય ન કરવું. ।।૧૨૫।। read more