Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભગવાન શ્રી સ્વામિનારાયણ
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૧૦ર

તે વચન જે તે બીજાં વચન કરતાં પ્રધાનપણે માનવાં અને શ્રીકૃષ્ણ ભગવાનની ભકિત તે જે તે ધર્મે સહિત જ કરવી એવી રીતે તે સર્વે સચ્છાસ્ત્રનું રહસ્ય છે. ।।૧૦૨।। read more
0 Views : 77

શિક્ષાપત્રી શ્લોક – ૧૦૩

અને શ્રુતિ સ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણવો અને શ્રીકૃષ્ણભગવાનને વિષે માહાત્મ્યજ્ઞાને સહિત જે ઘણો સ્નેહ તે ભકિત જાણવી. ।।૧૦૩।। read more
0 Views : 73

શિક્ષાપત્રી શ્લોક – ૧૦૪

અને શ્રીકૃષ્ણ ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહિ તે વૈરાગ્ય જાણવો અને જીવ, માયા અને ઇશ્વર તેમના સ્વરૂપને જે રૂડી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ. ।।૧૦૪।। read more
0 Views : 82

શિક્ષાપત્રી શ્લોક – ૧૦પ

અને જે જીવ છે તે હૃદયને વિષે રહ્યો છે ને અણુ સરખો સુક્ષ્મ છે ને ચૈતન્યરૂપ છે ને જાણનારો છે અને પોતાની જ્ઞાન શકિતએ કરીને નખથી શિખાપર્યંત સમગ્ર પોતાના દેહપ્રત્યે વ્યાપીને રહ્યો છે અને અછેદ્ય, અભેદ્ય, અજર, અમર ઇત્યાદિક છે લક્ષણ જેનાં એવો જીવ છે એમ જાણવો. ।।૧૦૫।। read more
0 Views : 173

શિક્ષાપત્રી શ્લોક – ૧૦૬

અને જે માયા છે તે ત્રિગુણાત્મિકા છે ને અંધકારરૂપ છે ને શ્રીકૃષ્ણ ભગવાનની શકિત છે અને આ જીવને દેહ તથા દેહનાં જે સંબંધી તેમને વિષે અહં મમત્વની કરાવનારી છે એમ માયાને જાણવી. ।।૧૦૬।। read more
0 Views : 74

શિક્ષાપત્રી શ્લોક – ૧૦૭

અને જે ઇશ્વર છે તે જે તે જેમ હૃદયને વિષે જીવ રહ્યો છે તેમ તે જીવને વિષે અંતર્યામીપણે કરીને રહ્યા છે ને સ્વતંત્ર છે ને સર્વ જીવને કર્મફળનાં આપનારા છે એમ ઇશ્વરને જાણવા.  ।૧૦૭।। read more
0 Views : 62

શિક્ષાપત્રી શ્લોક – ૧૦૮

અને તે ઇશ્વર તે કયા, તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે ઇશ્વર છે અને તે શ્રીકૃષ્ણ જે તે આપણા ઇષ્ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે. ।।૧૦૮।। read more
0 Views : 81

શિક્ષાપત્રી શ્લોક – ૧૦૯

અને સમર્થ એવા જે શ્રીકૃષ્ણ તે જે તે રાધિકાજીએ યુકત હોય ત્યારે રાધાકૃષ્ણ એવે નામે જાણવા અને  કિમણીરૂપ જે લક્ષ્મી તેમણે યુકત હોય ત્યારે લક્ષ્મીનારાયણ એવે નામે જાણવા. ।।૧૦૯।। read more
0 Views : 64
Powered By Indic IME