Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભગવાન શ્રી સ્વામિનારાયણ
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૪૬

અને જે બ્રાહ્મણાદિકને ત્રિપુંડ્ર જે આડુ તિલક કરવું તથા રૂદ્રાક્ષની માળા ધારવી એ બે વાનાં પોતાની કુળપરંપરાએ કરીને ચાલ્યા આવ્યાં હોય અને તે બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થયા હોય તો પણ તેમણે તે ત્રિપુંડ્ર અને રૂદ્રાક્ષનો કયારેય ત્યાગ ન કરવો. ।।૪૬।। read more
0 Views : 114

શિક્ષાપત્રી શ્લોક – ૪૭

અને નારાયણ અને શિવજી એ બેનું એકાત્મપણું જ જાણવું, કેમ જે વેદને વિષે એ બેનું બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કર્યું છે. ।।૪૭।। read more
0 Views : 133

શિક્ષાપત્રી શ્લોક – ૪૮

અને અમારા આશ્રિત જે મનુષ્ય તેમણે શાસ્ત્રે કહ્યો જે આપદ્ધર્મ તે અલ્પ આપત્કાળને વિષે મુખ્યપણે કરીને કયારેય ગ્રહણ ન કરવો. ।।૪૮।। read more
0 Views : 95

શિક્ષાપત્રી શ્લોક – ૪૯

અને અમારા સત્સંગી તેમણે નિત્યે સૂર્ય ઊગ્યાથી પ્રથમ જ જાગવું અને શ્રીકૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને પછી શૌચવિધિ કરવા જવું. ।।૪૯।। read more
0 Views : 141

શિક્ષાપત્રી શ્લોક – પ૦

અને પછી એક સ્થાનને વિષે બેસીને દાતણ કરવું અને પછી પવિત્ર જળે કરીને સ્નાન કરીને પછી ધોયેલું વસ્ત્ર એક પહેરવું અને એક ઓઢવું. ।।૫૦।। read more
0 Views : 142

શિક્ષાપત્રી શ્લોક – પ૧

અને તે વાર પછી પવિત્ર પૃથ્વીને વિષે પાથર્યું અને શુદ્ધ ને કોઇ બીજા આસનને અડ્યું ન હોય અને જે ઉપર સારી પેઠે બેસાય એવું જે આસન તેને વિષે પૂર્વ મુખે અથવા ઉત્તર મુખે બેસીને આચમન કરવું. ।।૫૧।। read more
0 Views : 110

શિક્ષાપત્રી શ્લોક – પ૨

અને પછી સત્સંગી પુરુષમાત્રને ચાંદલે સહિત ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું અને સુવાસિની જે સ્ત્રીઓ તેમણે તો પોતાનાં ભાલને વિષે કુંકુમનો ચાંદલો કરવો. ।।૫૨।। read more
0 Views : 132

શિક્ષાપત્રી શ્લોક – પ૩

અને તે વિધવા સ્ત્રીઓ માત્રને પોતાના ભાલને વિષે તિલક ન કરવું ને ચાંદલો પણ ન કરવો અને તે પછી તે સર્વે જે અમારા સત્સંગી તેમણે મને કરીને કલ્પ્યાં જે ચંદન, પુષ્પાદિક ઉપચાર તેમણે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની માનસી પૂજા કરવી. ।।૫૩।। read more
0 Views : 125
Powered By Indic IME