Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભગવાન શ્રી સ્વામિનારાયણ
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૩૦

અને ગાળ્યા વિનાનું જે જળ તથા દૂધ તે ન પીવું અને જે જળને વિષે ઝીણાં જીવ ઘણાક હોય તે જળે કરીને સ્નાનાદિક ક્રિયા ન કરવી. ।।૩૦।। read more
0 Views : 145

શિક્ષાપત્રી શ્લોક – ૩૧

અને જે ઔષધ દારૂ તથા માંસ તેણે યુકત હોય તે ઔષધ કયારેય ન ખાવું અને વળી જે વૈદ્યના આચરણને જાણતા ન હોઇએ તે વૈદ્યે આપ્યું જે ઔષધ તે પણ કયારેય ન ખાવું. ।।૩૧।। read more
0 Views : 137

શિક્ષાપત્રી શ્લોક – ૩૨

અને લોક ને શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વજર્યા એવાં સ્થાનક જે જીર્ણ દેવાલય તથા નદી, તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર તથા વૃક્ષની છાયા તથા ફૂલવાડી-બગીચા એ આદિક જે સ્થાનક તેમને વિષે કયારેય પણ મળમૂત્ર ન કરવું તથા થુંકવું પણ નહી. ।।૩૨।। read more
0 Views : 159

શિક્ષાપત્રી શ્લોક – ૩૩

અને ચોરમાર્ગે કરીને પેસવું નહિ અને નીસરવું નહિ અને જે સ્થાનક ધણિયાતું હોય તે સ્થાનકને વિષે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો. ।।૩૩।। read more
0 Views : 136

શિક્ષાપત્રી શ્લોક – ૩૪

અને અમારા સત્સંગી જે પુરુષમાત્ર તેમણે બાઇમાણસના મુખ થકી જ્ઞાનવાર્તા ન સાંભળવી અને સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજા સંગાથે તથા રાજાના માણસ સંગાથે વિવાદ ન કરવો. ।।૩૪।। read more
0 Views : 118

શિક્ષાપત્રી શ્લોક – ૩૫

અને ગુરુનું અપમાન ન કરવું તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિષે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે વિદ્વાન મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વેનું અપમાન ન કરવું. ।।૩૫।। read more
0 Views : 131

શિક્ષાપત્રી શ્લોક – ૩૬

અને વિચાર્યા વિના તત્કાળ કાંઇ કાર્ય  ન કરવું અને ધર્મ સંબંધિ જે કાર્ય તે તો તત્કાળ કરવું અને પોતે જે વિદ્યા ભણ્યા હોયએ તે બીજાને ભણાવવી અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. ।।૩૬।। read more
0 Views : 124

શિક્ષાપત્રી શ્લોક – ૩૭

અને ગુરુ, દેવ અને રાજા એ ત્રણનાં દર્શનને અર્થે જયારે જવું ત્યારે ઠાલે હાથે ન જવું અને કોઇનો વિશ્વાસઘાત ન કરવો અને પોતાને મુખે કરીને પોતાનાં વખાણ ન કરવાં. ।।૩૭।। read more
0 Views : 129
Powered By Indic IME