Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભગવાન શ્રી સ્વામિનારાયણ
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૨૨

અને જે દેવતાને સુરા અને માંસનું નૈવેદ્ય થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા આદિક જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું. ।।૨૨।। read more
0 Views : 152

શિક્ષાપત્રી શ્લોક – ૨૩

અને માર્ગને વિષે ચાલતે શિવાલયાદિક જે દેવમંદિર આવે તેને જોઇને તેને નમસ્કાર કરવા અને આદર થકી તે દેવનું દર્શન કરવું. ।।૨૩।। read more
0 Views : 139

શિક્ષાપત્રી શ્લોક – ૨૪

અને પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઇ સત્સંગીએ ત્યાગ ન કરવો અને પરધર્મનું આચરણ ન કરવું તથા પાખંડ ધર્મનું આચરણ ન કરવું તથા કલ્પિત ધર્મનું આચરણ ન કરવું. ।।૨૪।। read more
1 Views : 130

શિક્ષાપત્રી શ્લોક – ૨૫

અને જેના વચનને સાંભળવે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભકિત ને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય તેના મુખ થકી ભગવાનની કથા-વાર્તા ન સાંભળવી. ।।૨૫।। read more
0 Views : 156

શિક્ષાપત્રી શ્લોક – ૨૬

અને જે સત્ય વચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય એવું જે સત્ય વચન તે કયારેય ન બોલવું અને જે કૃતઘ્ની હોય તેના સંગનો ત્યાગ કરવો અને વ્યવહાર કાર્યને વિષે કોઇની લાંચ ન લેવી. ।।૨૬।। read more
0 Views : 139

શિક્ષાપત્રી શ્લોક – ૨૭

અને ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કિમિયા આદિક ક્રિયાએ કરીને જનનો ઠગનારો એ છ પ્રકારનાં જે મનુષ્ય તેમનો સંગ ન કરવો. ।।૨૭।। read more
0 Views : 150

શિક્ષાપત્રી શ્લોક – ૨૮

અને જે મનુષ્ય ભકિતનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદ તેને વિષે અતિશય લોલુપ થકા પાપને વિષે પ્રવર્તતા હોય તે મનુષ્યનો સમાગમ ન કરવો. ।।૨૮।। read more
0 Views : 136

શિક્ષાપત્રી શ્લોક – ૨૯

અને જે શાસ્ત્રને વિષે શ્રીકૃષ્ણ ભગવાન તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે વરાહાદિક અવતાર તેમનું યુકિતએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર તે કયારેય ન માનવા અને ન સાંભળવા. ।।૨૯।। read more
0 Views : 165
Powered By Indic IME