ઈર્ષ્યા કરવી તો નારદજીના જેવી કરવી. (ગઢડા પ્રથમ પ્રકરણ, વચનામૃત-૪) ભગવાનના ભકતનો દ્રોહ થાય તેવી ઈર્ષ્યાનો તો ભગવાનના ભકતને સર્વ પ્રકારે ત્યાગ કરવો. (ગઢડા પ્રથમ પ્રકરણ, વચનામૃત-૪) આ સત્સંગમાં જે વિવેકી છે, તે તો દિવસે દિવસે પોતાને વિષે અવગુણને દેખે છે અને ભગવાન અને ભગવાનના ભકતને વિષે ગુણને દેખે છે. (ગઢડા પ્રથમ પ્રકરણ, વચનામૃત-૬) સત્સંગમાં કુસંગ તે શું છે ? તો જે ‘વાતના કરનારા હિંમત વિનાની વાત કરે છે’ તે સત્સંગમાં કુસંગ છે. (ગઢડા પ્રથમ પ્રકરણ, વચનામૃત-૧૭) જેમ ભુંડાને યોગે કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમજ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંતને યોગે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. (ગઢડા પ્રથમ પ્રકરણ, વચનામૃત-૧૮) કીર્તન ગાવવાં તેને વિષે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું છે. (ગઢડા પ્રથમ પ્રકરણ, વચનામૃત-૨૨) જેને મનમાં ભગવાનના ઘાટ થતા હોય અને જગતના ઘાટ ન થતા હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે. (ગઢડા પ્રથમ પ્રકરણ, વચનામૃત-૩૮) ભગવાનના ભક્તને નિત્ય પ્રત્યે ભગવાનની પૂજા કરીને ભગવાન પાસે એમ માગવું, જે હે મહારાજ ! હે સ્વામિન્ ! હે કૃપાસિન્ધો ! હે શરણાગત પ્રતિપાલક ! કુસંગી થકી અમારી રક્ષા કરજો. (ગઢડા પ્રથમ પ્રકરણ, વચનામૃત-૪૮) ભગવાનના ભક્ત હોય તેને કોઇનું અપમાન કરવું નહિ. કાં જે ભગવાન તે ગરીબના અપમાનના કરનારાનું ભૂંડું કરી નાખે છે. (ગઢડા પ્રથમ પ્રકરણ, […]
read more