પૂર્વછાયો:- ગમન કરી લોજગામથી, ગયા માણાવદર મહારાજ; ભોજન ભટ મયારામને, ઘેર કરતા સહિત સમાજ. 1 સત્તાવનની સાલની, કરી હુતાશની તે ગામ; હરિજનો ગામો ગામના, બહુ આવી મળ્યા એ ઠામ. 2 માણાવદરના મહીપતિ, જેનું નામ ગજનફરખાન; બાંટવામાં રહેતા હતા, ગુણજાણ હતા ગુણવાન. 3 કોઇ જને જઇને કહ્યું, આવ્યા છે એક પુરુષ પ્રખ્યાત; પોતે ખુદા કહેવાય છે, અતિ અચરજની એ વાત. 4 નવાબસાહેબ તે સુણી, જોવા મોકલિયા નિજજન; આવીને રામાનંદને, કહ્યાં તેઓયે મુખવચન. 5 ખુદા તમે કહેવાઓ છો, એ તે ખરી કે ખોટી વાત; સુણી રામાનંદ બોલિયા, અમે ફકીર છૈયે ભ્રાત. 6 ગાદીની ઇચ્છા સૌ કરે, રાજગાદી ખાલી ન જણાય; ખાલી ગાદી ખુદા તણી, જોઇ અમે થયા અલ્લાય. 7 અલ્લા આવ્યા છે આ અવસરે, એની ઇચ્છા થશે જે વાર; એની ગાદી પાછી આપશું, અમે એમ કર્યો છે વિચાર. 8 એમ કહી વળી તેહને, ચમત્કાર દેખાડ્યો કાંઇ; અચરજ પામ્યા અતિ ઘણું, મહીનાથના જન મનમાંઇ.9 નવાબસાહેબ પાસ જઇ, કહી વાત હૈયે હરખાઇ; આવિયા છે જે પુરુષ તે, ખરેખાત છે જ ખુદાઇ. 10 ચોપાઈ:- કહે વર્ણી સુણો નરનાથ, ગયો મેઘપુરે સંતસાથ; હરિભકત સોની જીવરાજ, નારાયણ તથા જસરાજ. 11 ચોથા ભકત જેનું નામ રામ, તેણે ઉતાર્યા પોતાને ધામ; એજ જગ્યા ઉપર હે રાજ, હરિમંદિર છે શુભ આજ. 12 રંગપંચમીનો દિન આવ્યો, રંગ ઉત્સવ સારો કરાવ્યો; હરિભકત […]
read more