Last Updated:
May 5, 2025

Click here to submit your article
આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ
Per Page :

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૦૮

ઉપજાતિ:- દેવોજી તો દેવ સમાન રાજા, તે ગાદિયે વર્ષ ઘણાં વિરાજયા; અઢારસેં ને અડસઠ્ઠ  સાલે,  વૈકુંઠમાં વાસ  કર્યો નૃપાળે. 1 પામ્યા નથુજી પછી રાજપાટ, તેનેજ દેવા સિરપાવ માટ; મહાપ્રભુ ગોંડળમાં પધારી, કૈલાસ   બાગે ઉતર્યા વિચારી. 2 જૈ  ભૂપને યોગ્ય સુભેટ દીધી, ભૂપે ભલી ત્યાં બરદાશ કીધી; સુભાગ્ય  તે ગોંડળનાં વિચિત્ર, જે પાંચમીવાર કર્યું પવિત્ર. 3 ગયા  પ્રભુ ગોંડળ  છઠ્ઠીવાર, પ્રસંગ  તે હું કહું એહ  ઠાર; એકોનશીતેર  તણો દુકાળ, થશે વિચાર્યું વૃષભકિતલાલ. 4 સ્વભકતને ધાન્ય ભરી રખાવા, સ્વયં હરિ સોરઠમાં સિધાવ્યા; ચાલ્યા પ્રભુ દૂર્ગપુરીથી જયાંય, ગયા રહ્યું ગોંડળ કોશ ત્યાંય.5 ચાલ્યા તહાંથી જ સીધા જુનાણે, તે કોઇયે ગોંડળમાં ન જાણે; સુતાર કચ્છી જન દેવરામ, છે ગોંડળે તેનું નિવાસ ઠામ. 6 તેને ઘરે પ્રસ્તુત કાંઈ આવ્યું, વિપ્રાર્થ ત્યાં ભોજન તો કરાવ્યું; તૈયાર થૈ શુદ્ધ  રસોઈ  સારી, કહે પતિ આગળ તેની નારી. 7 રસોઈ  તો એવી રુડી જણાય, જમે પ્રભુ તોય  પ્રસન્ન  થાય; શું જાણીયે શ્રીહરિ તો વસે કયાં?, શું જાણીયે આ સમયે હશે કયાં? 8 પુષ્પિતાગ્રા:- અખિલ ભુવન નાથ કયાંથી આવે, નિજ જનના સુમનોરથો પુરાવે; પ્રિ ય અતિશુભ કયાંથી ભાગ્યા એવાં, વ્રજ વસનારી ૠષિની નારી જેવાં. 9 વૃષકુળપતિ જો સમીપ હોય, લઈ જઈ ત્યાંય જમાડું થાળ તોય; મુજ મન હરિકાજ આજ એવું, પ્રભુ ન મળે મુખ અન્ન તો ન લેવું. 10 મુજ […] read more
0 Views : 1401

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૦૭

ઉપજાતિ:- દેવાજીયે હેત  વિશેષ કીધું, સૌ સંતને ભોજન મિષ્ટ દીધું; વૃંતાક ત્યાં મિષ્ટ વિશેષ ધારી, કર્યો સુશાકોત્સવ શ્રીમુરારી. 1 શિખરિણી:- મંગાવ્યાં તે ટાંણે વસુ મણ  સુવૃંતાક  હરિયે, તથા  ઘી  તે તુલ્યે વસુ મણ  નહી  ન્યૂન  જરિયે; 2 મસાલો  રૂપાળો  તજ  લવિંગ  એલાયચી  તથા, વઘાર્યું તે સારૂં સરસપણની  શી  કહું કથા. 3 હરિદ્રાને સાટે ધરમકુંવરે કેસર     ધર્યું, સ્વહસ્તે સંભાળી  કદી  નવ  કરેલા  સમ  કર્યું; 4 જથો  જાવંત્રીનો  ભલી  વળી  ભુકી  જાયફળની, સુગંધી   ફેલાઇ   સકળ   પુરમાં તે સકળની. 5 ઉડીને આકાશે પરિમળ  પહોંચ્યો  સ્વરગમાં, પ્રશંસા  તેથી  થૈ સુરપતિ  સુરોના  વરગમાં; 6 સ્વહાથે શ્રીનાથે સુખદ  પિરસ્યું સંત  સહુને, જમાડ્યા જુકિતથી ભલી વિધિ બીજા ભકત બહુને. 7 ઉપજાતિ:- દેવોજી ત્યાં દર્શન કાજ આવ્યા, સાથે ભલા ચાર કુમાર લાવ્યા; નાથોજી કાનોજી સુમોતિભાઈ, સંજ્ઞા બીજી ચંદ્રસિંહે ગણાઈ. 8 છે ભાણભાઇ  સુચતુર્થ નામ,  બેઠા પ્રભુને કરી સૌ પ્રણામ; પૂછ્યું પ્રભુ આપ કુમાર આ છે, રાજા કહે તે સુત આપના છે. 9 ત્યાં મોતિભાઈ વળી ભાણભાઈ, બે શીશ મૂકયો કર સુખદાઇ; આ બે કહ્યું સેવક છે અમારા, આ બે બીજા તે સુત છે તમારા. 10 તે બોલનો મર્મ પ્રભુજ જાણે, જાણે ન બીજા જન તેહ ટાણે; જેને કહ્યું શ્રીહરિયે અમારા, તે તો થયા બે સતસંગી સારા. 11 પ્રસાદી દૈ તે સહુને જમાડ્યા, વાતો કરી મોદ ઘણા પમાડ્યા; હેતે […] read more
0 Views : 1383

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૦૬

દોહરા:- શ્રોતા  સત્સંગી  સુણો,  વદે વિહારીલાલ; વર્ણી ભૂપ  સંવાદ  શુભ, કહું હવે આ  કાળ. 1 વળી  તે વાઘજીભાઇ  પ્રતિ,  ભાખે ભૂમાનંદ; સુણતાં સુંદર  તે કથા,  ઉપજે ઉર  આનંદ. 2 જ્ઞાનબાગમાં એક  દિન,  વર્ણી અચિંત્યાનંદ; ધર્મ તનુજનું ધ્યાન  ધરી,  બેઠા  કરૂણાકંદ. 3 શિખરિણી:- અચિંત્યાનંદાખ્ય  પ્રવર  વરણીના  ગુણ  કહું, ભલા યોગાભ્યાસી જગ થકી  ઉદાસી દિલ બહું; 4 કર્યા કાવ્યો  કેવાં સુખકર  સુધાસાગર  સમાં, સદા  રાખી  વૃત્તિ  પ્રગટ  પ્રભુ કેરા  ભજનમાં. 5 કરે વાર્તા જયારે અમૃતરસ  ત્યારે મુખ  ઝરે, વિરાગી  ને ત્યાગી  સકળ  શ્રુતિના  અર્થ ઉચરે; 6 સદાચારી  સારી  મતિ  સુહિતકારી  સહુ તણી, મુખી  વિદ્વાનોના  સકળ  મુનિયોના  શિરમણી. 7 વળી  તે વર્ણીને બહુબહુ વખાણ્યા  નરવીરે, સ્વહસ્તે બેસાર્યા વટનગરમાં મેંગળશિરે; 8 કહે શ્રીજી  પોતે અધિક  વરષો  જેમ  જ  જશે, અમારા  શિષ્યોમાં સુરતરુ  સમા  આ  બટુ થશે. 9 પછી   નિત્યાનંદે ગુણજલધિ   ગોપાળમુનિયે, ગુણાતીતાનંદે રઘુવીરજી     આચારજજીયે; 10 અચિંત્યાનંદાખ્ય  સુરતરુ  ઉછેર્યું શુભ  સમે, પછી  પોષ્યું પાળ્યંુ ભગવતપ્રસાદે વળી  અમે. 11 દોહરો:- વળી  એ જ  વર્ણીન્દ્રનું,  કહંુ બીજંુ આ  ઠામ; કવિવર  કૃષ્ણાનંદજી,  નિર્મળ  છે ઉપનામ. 12 ઉપજાતિ:- તે બ્રહ્મચારીની સમીપમાંય, આવ્યા અભેસિંહ નરેશ ત્યાંય; તે કોણ કયાંના કુળ કોણ એનું,  કરૂં હવે વર્ણન કાંઇ  તેનું. 13 પવિત્ર  છે જાદવવંશ જેહ, જેમાં ધર્યો શ્રીહરિયે સ્વદેહ; માર્યો મથુરાપતિ કંસ મામો, સૌરાષ્ટ્ર આવ્યા કરી તેહ કામો. 14 દ્વારામતીમાં જનને વસાવ્યા, અંતે […] read more
0 Views : 1408

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૦પ

ઉપજાતિ:- કહે ભૂમાનંદ સુણો સુભકત, એકાગ્ર રાખી મન  ઇંદ્રિયુકત; સંવાદ વર્ણીન્દ્ર નરેંદ્ર  કેરો,  જે સ્થાન  મધ્યે પ્રગટ્યો ઘણેરો. 1 તે સ્થાનનું વર્ણન  તેહ કાળે, કર્યુ મહારાજ વિહારીલાલે; તે હું હવેથી તમને સુણાવું, સુણાવવા અંગ ઉમંગ લાવું. 2 ઉપજાતિ:- વરતાલનું વર્ણન:- આચાર્ય બોલ્યા હરિભકત પાસ, સુણો તમે સૌ હરિકૃષ્ણદાસ; વૃત્તાલનું વર્ણન હું કરૂં છું, મોટો મહીમા મનમાં ધરૂં છું. 3 શી વર્ણવું વૃતપુરીની શોભા, જે દેખવા દષ્ટિ દિસે સલોભા; શ્રીલક્ષ્મીનારાયણ જયાં વસે છે, તેથી જ સર્વોત્તમ તે દિસે છે. 4 વસ્યા જહાં અક્ષરના નિવાસી, તે તુલ્યતા કોણ કહેજ કાશી; માહાત્મ્ય  તેનું મનમાં વિચારે,  દ્વારાવતીને વળતી વિસારે. 5 નક્ષત્ર કોઇ  રવિતુલ્ય  નાવે,  મેરૂ સમો પર્વત  ના કહાવે; ચિંતામણિથી ધન સર્વ છોટું,  સર્વેથી વૃત્તાલય તીર્થ મોટું. 6 ગંગા રહી ગોમતિને સ્વરૂપે, ભાનુસુતા દૈવત જ્ઞાનકૂપે; સરસ્વતી ગોપિતળાવ ભાવે,  ત્રિવેણીનું તત્ત્વ ધનાતળાવે. 7 એ ચાર જે ગોમતિતીર્થ આદિ, પ્રત્યક્ષ કૃષ્ણે કરી છે પ્રસાદિ; તેથી મહિમા અતિશ્રેષ્ઠ એનો, વિસ્તારથી ભેદ કહીશ તેનો. 8 જુવો વળી ઉત્તમ તીર્થ જેહ, તડાગ છે ટાડણ નામ તેહ; શ્રીભકિતપુત્રે બહુ વાર સ્નાન, જેમા કર્યુ જાહ્નવિ તે સમાન. 9 ઈન્દ્રવંશા:- શ્રીનાથનું મંદિર શોભિતું ઘણું, વેગે કરૂં વર્ણન આજ તે તણું; પ્રાકારનું પૂરવ દ્વાર શ્રીધરે,  જોવા નિશાનાથ દિનેશ સંચરે. 10 વિઘ્નેશ સામા હનુમાન ત્યાં રહે, ભકતો તણાં સંકટ ભાંગવા ચહે; ભૂતાદિ ચૂડેલ  ડરે […] read more
0 Views : 1469

હરિલીલામૃત કળશ- ૦૧, વિશ્રામ- ૦૩

ઉપજાતિ:- કહે ભૂમાનંદ મુનીન્દ્ર મુકત, હે વાઘજીભાઇ સુણો સુભકત; વિહારીલાલે મનમાં વિચારી, બોલાવિયા સદ્ગુરૂ બુદ્ધિ સારી. 1 તેનાં કહું નિરમળ શુદ્ધ નામ, તથા કહું સદ્ગુણ એહ ઠામ; આચાર્ય પાસે મુનિ એહ આવ્યા, જોતાં ભલા અંતર માંહિ ભાવ્યા. 2 સ્રગ્ધરા:- જ્ઞાની ધ્યાની અમાની મુનિશિરમણિ શ્રી અદ્ભુતાનંદસ્વામી, જેણે  કામાદિ જીત્યા તજી તનમમતા તીવ્ર વૈરાગ્ય પામી; સારી સેવા સજીને સમય સમયમાં શ્રીજીને રાજી  કીધાં, પામ્યા હાર પ્રસાદી ચરણ હરિ તણા છાતિમાં ચાંપિ લીધા. 3 ગોપાળાનંદ કેરા   સુગુણી મુનિ  હતા શિષ્ય  સારા અનેક, તે સૌમાં મુખ્ય તે તો સકળ જન કહે પુરુષાનંદ  એક; 5 જેણે કાંઇ જુદાઇ લવ સમ ન ગણી શ્રી રઘુવીર સાથે, સાચું સખ્યત્વ તેથી સતત મન ધર્યું તેહ ધર્માધિનાથે. 4 શિખરિણી:- અનંતાનંદાખ્ય  પ્રભુપદ  તણા  પૂજક  સદા, વડા  તે વર્ણીન્દ્ર  પ્રગટ  હરિવાર્તાકર  મુદા; મુકુંદાનંદે તો નિજ  સકળ શિષ્યોપરી ભણ્યા, વિહારીલાલે તે સ્વમત  પૂછવા ઉત્તમ  ગણ્યા. 5 સ્રગ્ધરાઃ- વિજ્ઞાનાનંદસ્વામી વિદુષજ  નમણી  હું હતો  તેહ  પાસ, નિષ્કામાનંદ વર્ણી અતિ શુભમતિમાન્ બાળમુકુંદદાસ; આવ્યા ત્યાં આઠમા તો પરમ નિપુણ જે કૃષ્ણજીવનદાસ, આચાર્યે માન  આપ્યું મધુર વચનથી આપ  બેસારી પાસ.6 ઉપજાતિ:- ભકિત મળી વલ્લભદાસ નામ, જે સાધુ છે સદ્ગુણના સુધામ; ચૈતન્ય આનંદમુનીન્દ્ર કેરા, તે શિષ્ય સારા મતિમાન્ ઘણેરા. 7 લાગ્યા ભલા તે રઘુવીરજીને, મહાંત કીધા ગુણી તે મુનીને; સદૈવ  કાળે સત્સંગ  કેરો,  મમત્વ  રાખે મનમાં ઘણેરો. 8 […] read more
0 Views : 1489

હરિલીલામૃત કળશ- ૦૧, વિશ્રામ- ૦૨

શાર્દૂલવિક્રીડિતવૃત્ત:- જન્મ્યા કૌશલ દેશ વેષ બટુનો લૈ તીર્થ માંહિ ફર્યા, રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો ને યજ્ઞ મોટા કર્યા; મોટાં ધામ  રચ્યાં રહ્યાં ગઢપુરે બે દેશ ગાદી કરી, અંતર્ધાન  થયા લીલા હરિ તણી  સંક્ષેપ એ  ઉચ્ચરી. 1 શ્રી વૃત્તાલયમાં અચિંત્યમુનિએ રાજા અભેસિંહને, જે લીલામૃત કૃષ્ણનું કરી કૃપા પાયું પમાયું જને; તે વર્ણીવરને નમું વળી નમંુ તે ભૂપતિ  હંસને, તેના  પૂર્વજ  જે થયા  હરિજનો  વંદૂ જદુવંશને. 2 નિત્યાનંદ તણા સુશિષ્ય સુમતિ જ્ઞાતા જનો સૌ કહે, ભૂમાનંદમુનિ  ભલા  ભગવદી  વૃત્તાલયે તે રહે; સાધૂતા ગુણ શ્રેષ્ઠ શ્રીહરિ તણી લીલા સદા ઉચ્ચરે, બેસીને દઢ  આસને પ્રભુ તણું જે ધ્યાન  નિત્યે ધરે. 3 તાપે ગ્રીષ્મ ને તપ્યાં તન અતિ એવા અરણ્યે ચરા, ગંગા નીર તરંગથી તન વિષે તે શાંતિ પામે ખરા; તે રીતે ત્રણ તાપથી તપિત જે  આવે જનો આદરે, ભૂમાનંદમુનિની વાણી સરિતા તે તાપ તેના હરે. 4 જૈ  બેઠા હરિમંડપે હરિ તણા તે ધ્યાનમાં એકદા, પાટીદાર વસો નિવાસી જન જે તે આવિયા ત્યાં તદા; જેના તાત અમીન દાસ તુલસી સદ્ભાગ્યશાળી હતા, એવા વાઘજીભાઇ આ સમયમાં સત્સંગમાં છે છતા. 5 શ્રીજી નિર્મિત ધર્મસેતુ પર જે પ્રીતિ સુરીતિ કરે, શ્રીજી સ્થાપિત દેવ ગાદિપતિનો જે પક્ષ પક્કો ધરે; જેણે મુખ્ય ગુણાતીતાખ્ય મુનિનો સત્સંગ જઇને કર્યો, સદ્ભકિતશ્રવણાખ્યમાં પૃથુસમો સદ્ભાવ જેણે ધર્યો. 6 ઉપજાતિ:- તે વાઘજીભાઇ વિવેકી સારા, પ્રીતે હરિમંડપમાં […] read more
1 Views : 1781

હરિલીલામૃત કળશ- ૦૧, વિશ્રામ- ૦૧

શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ।। શ્રીહરિલીલામૃત ।। અથ ગ્રંથોત્પત્તિર્નામઃ પ્રથમકલશ: ઉદ્બોધન:શાર્દૂલવિક્રીડિતવૃત્તમ્:- શ્રીમાનક્ષરનાયકોઽખિલગુરુઃ ષડ્ભિર્ભગૈઃ  સંયુતઃ, સર્વેશોઽખિલકારણં યદપરો નાસ્તીશિતા કોપિ વા; લીનત્વં સમુપાગતેઽથ  નિખિલે માયાપરે પૂરુષે, સોઽસ્મિંસ્તિષ્ઠતિ મે શુભં ચ કુરુતાત્સ્વીયૈઃ સમં ક્રીડતિ. 1 શ્રીદિવ્યાંબરધારિણં જનમનઃસન્તોષવિસ્તારિણં, ભકતાશર્મવિદારિણં મનસિજવ્યામોહસંહારિણમ્; ધર્મારિક્ષયકારિણં શ્રુતિમુનિત્યકતાક સંવારિણં, તં  ધ્યાયામ્યવતારિણં મુહુરહં શ્રીસ્વામિનારાયણમ્. 2 યોઽસંખ્યાસુભૃતાં નિજાક્ષરપદપ્રસ્થાપનાય ક્ષિતૌ, જાતઃ  પ્રાજયદયાસુધાર્દ્રહૃદયઃ  સ્વેચ્છાધૃતન્રાકૃતિ; આત્મીયૈશ્ચરિતૈર્બહંશ્ચ સુખયન્ પ્રાણિવ્રજાન્ સાદરં, તં વન્દે સુમુદેષ્ટદેવસહજાનન્દાહ્વયં સ્વામિનમ્. 3 વિશ્વોત્પત્તિમુખક્રિયાસુ યમયન્પાદ્માંશ્ચવિષ્ણૂઞ્છિવાન્, સકતઃ કવાપિ ન તાસુ દિવ્યવિભવઃ કારુણ્યપૂર્ણેક્ષણઃ; દેહ્યાત્મીયવિબોધિનીં તતમતિં  વાણીશિતા મે મુદા, સર્વેશોક્ષરધામનિ  સ્વકવૃતઃ  સંરાજસે ત્વં સદા. 4 દિવ્યાનેકગુ ણૈ કર ત્નસદનં સર્વાદિમીશેશ્વરં ;સચ્ચિત્સૌખ્યમયાકૃતિં તનુધરૈર્વેદૈઃ સ્તુતં સન્નતૈઃ; નૈકબ્રહ્મશિવાદિગીતયશસં યસ્મૈ સુરાદ્યા  બલિં, સામન્તા ઇવ ચક્રવર્તિનમિહ  ધ્યાયેઽર્પયન્તિ પ્રભુમ્. 5 દોહરો:- શ્રીપુરુષોત્તમ પ્રગટ પ્રભુ, ભુવન સકળના ભૂપ, સહજાનંદ   સમર્થ હરિ,   નમો  મહામુનિરૂપ. 1 પ્રમાણિકાવૃત્ત:- નમો   મહામુનીશ્વરં,   અધીશ્વરાધિ   ઇશ્વરમ્; અનેક અંડકારણં,  સુધમર્- ધૂર્વ ધારણમ્ . 2 સદા   સુબોધદાયકં,   નમો   મુનીન્દ્રનાયકમ્; કુપાત્રતાનિકંદનં,    ભજામિ    ભકિતનંદનમ્. 3 અધર્મતા  ઉચ્છેદનં,  ભવાબ્ધિ  ભીતિભેદનમ્; સુશાસ્ત્રરીતિ-શોધનં,   યથાર્થબોધ-બોધનમ્. 4 સુમોક્ષમાગર્મંડનં , ખલત્વપંથખંડનમ્ ; વ્રતાલયે વિરાજિતં,  ભજામિ  પૂર્ણભ્રાજિતમ્. 5 સુભકત-સંઘ  પૂજિતં,  ખગેશ કીર્તિકૂજિતમ્; સદા   સ્વદાસપાલકં,   ભજામિ   ધર્મબાલકમ્. 6 અનંત    સંત    અર્ચિતં,    સુચંદનાદિચર્ચિતમ્; સુપુષ્પહારશોભિતં,    સુગંધ-ભૃંગલોભિતમ્. 7 શિરઃકિરીટધારિણં,   નમામિ   કષ્ટહારિણમ્; મનો ગિરા  ક્રિયા મુદા,  નમામિ સ્વામિનં સદા. 8 અહો  પ્રભુ સ્તુતિ  કરું,  સુ એટલી  ઇચ્છા  ધરું; તવાંઘ્રિ ની  સ્મૃતિ  રહે,  વિહારીલાલજી  કહે. 9 ઉપજાતિવૃત્ત:- રહો સ્મૃતિ અંતરમાં તમારી, અખંડ ઇચ્છા ઉર એ જ ધારી; ચરિત્ર ચાહી […] read more
1 Views : 2806
Powered By Indic IME