Last Updated:
May 5, 2025

Click here to submit your article
આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ
Per Page :

હરિલીલામૃત, કળશ- ૦પ, વિશ્રામ-૧૩

પૂર્વછાયો:- ચાલ્યા પ્રભુ અગત્રાઇ થઇ, આખે પીપળાણે જવા માટ; ઉભા રહ્યા બેય ગામની, તે જુદી પડી જયાં વાટ. 1 ચોપાઈ:- બંને ગામના ભકતસમાજ, સામા આવ્યા તે શ્રીજીને કાજ; બંને મંડળિયો જુદી દિસે, સૌના હૈયામાં હરખ અતિશે. 2 ઘણા તાળ મૃદંગ વગાડે, માંહો માંહી ગુલાલ ઉડાડે; પ્રભુ પ્રથમ અમારે ગામ, આવશે એમ જાણે તમામ. 3 નારાયણ દવે નરસિંહ મેતા, તેઓ પણ એમ જાણતા હતા; સાધુ પાર્ષદ ને બ્રહ્મચારી, તેની સંખ્યા તો ત્રણસેં ધારી. 4 બંને ગામમાં થાય રસોઇ, દાળ ચોખા ચડાવેલા ધોઇ; મળી મંડળિયો જેહ ઠામ, પ્રભુ પૂજીને કીધા પ્રણામ. 5 બંને ગામના એમ ઉચ્ચારે, પ્રભુ ગામ પધારો અમારે; થવા આવી રસોઇ તૈયાર, ઝાઝી તેમાં નથી હવે વાર. 6 સુણી બોલિયા વૃષકુળરાય, બેય ઠેકાણે કેમ અવાય ? પાક કેમ કર્યો બેય ગામ ? તમે સમઝ્યા વગર કર્યું કામ. 7 બેય ગામના બોલિયા ત્યારે, જાણ્યું આવશે ગામ અમારે; એમ સમજી રસોઇ કરાવી, જમો સંતસહિત તમે આવી.8 પછી એકાંતે જૈ ઘનશામ, તેડ્યા મુકતમુનિ મયારામ; કહ્યું આ વાતનું કેમ કરવું ? કિયા ગામમાં પ્રથમ વિચરવું. 9 બોલ્યા તે સમે બેય વિચારી, તમે સમરથ છો સુખકારી; જયારે બ્રહ્માયે વાછરુ હર્યા, તમે સર્વે તણાં રૂપ ધર્યાં. 10 વળી નવલખા પર્વતમાંય, નવ લાખ હતા સિદ્ધ જયાંય; નવ લાખ ધરીને સ્વરૂપ, મળ્યા તેને તમે મુનિભૂપ. 11 એવી રીતે […] read more
0 Views : 1857

હરિલીલામૃત, કળશ- ૦પ, વિશ્રામ-૧ર

પૂર્વછાયો:- ઉત્સવ કરી અન્નકૂટનો, ચાલ્યા લોજ થકી વૃષલાલ; વળી આવ્યા કાલવાણિયે, સંત સહિત દીનદયાળ. 1 ચોપાઈ:- સમૈયો ત્યાં પ્રબોધિની કેરો, કરવાનો છે હરખ ઘણેરો; ગામોગામમાં પત્ર લખાવ્યા, સંત હરિજન સર્વ તેડાવ્યા. 2 આડો દિવસ રહ્યો જયારે એક, ત્યાં તો આવિયા સંઘ અનેક; ભુજ થકી આવ્યા મુકતાનંદ, સાથે સંત ને સત્સંગીવૃન્દ. 3 કાઠિયાવાડ સોરઠકેરા, આવ્યા સંચરી સંઘ ઘણેરા; ઝાલાવાડી તથા ગુજરાતી, આવ્યા તેની સંખ્યા નથી થાતી. 4 દશમી દિને સૌ નરનારી, આવી નિરખિયા દેવ મુરારી; પછી એકાદશીને પ્રભાતે, પ્રભુ નાવા ગયા ભલી ભાતે. 5 સંત સત્સંગી સૌ લઇ સાથ, નાયા જૈ નદીમાં મુનિનાથ; વાટે કીર્તન સંત ઉચારે, પાછા આવિયા એમ ઉતારે. 6 પછી જયાં સભા શ્રેષ્ઠ ભરાઇ, આવ્યા હરબાઇ ને વાલબાઇ; તેની પ્રથમ કહી છે મેં વાત, કરૂં વાત વિશેષ વિખ્યાત.7 આતમાનંદની બેય ચેલી, તજી સંસાર ત્યાગી થયેલી; વાલબાઇ તે કણબી જાતે, હરબાઇ તો કુંભાર નાતે. 8 ધારે અંચળ ભગવાં અંગે, રાખે શિષ્ય ઘણા નિજસંગે; આત્માનંદે તજયો જયારે દેહ, રામાનંદને રહી મળી તેહ. 9 તેનું જ્ઞાન દિલે લીધું ધારી, મત અદ્ધૈત મેલ્યો વિસારી; તોય જ્ઞાન તણું અભિમાન, રહે અંતર માંહી નિદાન. 10 સાથે મંડળી લૈને તે ફરે, નર નારીને ઉપદેશ કરે; પુરુષોની સભા માંહી પેસે, ગાદિ તકિયા નંખાવીને બેસે. 11 હતા જયારે રામાનંદજી તે, ચાલ્યું ત્યાં સુધી તો એવી રીતે; પછી […] read more
0 Views : 2494

હરિલીલામૃત, કળશ- ૦પ, વિશ્રામ-૧૧

પૂર્વછાયો:- ઓગણસાઠની સાલની, આવી દિવાળી ઢુંકડી જયાંય; લોજના હરિજન તેડવા, આવ્યા શ્રીહરિ આગળ ત્યાંય.1 ચોપાઈ:- કાળવાણીમાં કૃષ્ણ બિરાજે, આવ્યા હરિજન તેડવા કાજે; કર જોડીને વાણી ઉચ્ચારી, સુણો અરજ અમારી મુરારી. 2 આદિસ્થાન રામાનંદ કેરું, લોજધામ છે જૂનું ઘણેરું; જેમાં પ્રથમ પધારીને આપ, મુનિ મુકતનો કીધો મેળાપ. 3 ગાદી પામ્યા પછી કોઇ વાર, તમે આવ્યા નથી એહ ઠાર; અન્નકૂટ ત્યાં આવીને કરો, અરજી એટલી ઉર ધરો. 4 સુણી બોલિયા શ્રીમહારાજ, સુણો સૌ સતસંગી સમાજ; કાળવાણીના જે હરિજન, અમે આપ્યું છે તેને વચન. 5 એક આવે પ્રબોધિની જેહ, અહીં કરશું સમૈયો તેહ; માટે શી રીતે અહિંથી જવાય ? મારું વેણ મિથ્યા કેમ થાય ? 6 સતસંગી બોલ્યા સુણી વાણી, પ્રભુ સાંભળો સારંગપાણી; અન્નકૂટ કરો લોજ માંહી, પછી કરજો પ્રબોધિની આંહીં. 7 વાત શ્રીહરિને લાગી સારી, મોકલ્યા સંત ને બ્રહ્મચારી; હતા પ્રથમ રામાનંદ પાસ, સાધુ તે રામચરણદાસ. 8 સાથે બ્રહ્મચારી જયરામ, બેને મોકલિયા લોજગામ; કહ્યું જૈને તમે ત્યાં ઠરજો, અન્નકૂટનો સામાન કરજો. 9 ધનતેરશ આવશે જયારે, અમે ત્યાં આવશું તેહ વારે; સંત સાંભળી ચાલ્યા ઉમંગે, ત્યાંના સતસંગી પણ ગયા સંગે. 10 જૈને સામાન સર્વ કરાવ્યો, ત્યાં તો દ્વાદશીનો દિન આવ્યો; કર્યું પારણું શ્રીઘનશામે, પછી પરવરિયા લોજ ગામે. 11 ધનતેરશ ત્યાં કરી ધીર, પૂજયા ચૌદશે હનુમંત વીર; પૂરી દીપોત્સવે દીપમાળ, રીઝ્યા જનશિર દીનદયાળ. 12 […] read more
0 Views : 1807

હરિલીલામૃત, કળશ- ૦પ, વિશ્રામ- ૧૦

પૂર્વછાયો:- કહે અચિંત્યાનંદજી, તમે સુણો અભેસિંહ ભ્રાત; લીલા કરી માંગરોળમાં, તેની કહું વિશેષે વાત. 1 ચોપાઈ:- રામાનંદસ્વામી હતા જયારે, માંગરોળ વિષે તેહ વારે; બાંધ્યું હતું સદાવ્રત એક, આવતા તીર્થવાસી અનેક. 2 કર્યુંજાતું વેરાગીયે તોફાન, તેથી બંધ કર્યું અન્નદાન; સહજાનંદ સ્વામીયે ધાર્યું, અહીં કરિયે સદાવ્રત સારું. 3 આતમારામ નામે વેરાગી, તેની જગ્યા જથાજોગ્ય લાગી; તેને બોલાવીને કહ્યું ત્યારે, અન્નસત્ર તો કરવું અમારે. 4 તેને યોગ્ય છે જગ્યા તમારી, તમે કામ કરો મન ધારી; ખર્ચ થાશે તે આપશું અમે, તેની ચિંતા ન રાખશો તમે. 5 સાધુ રાખશું ચાર અમારા, બીજા રાખજો સાધુ તમારા; એવી રીતે કહ્યું ઘનશામે, વાત માની તે આતમારામે. 6 ચાર સાધુ મુકયા એહ ઠામ, હવે હું કહું તેહનાં નામ; મુકયા આનંદસ્વામીની પાસ, એક તો રામસેવકદાસ. 7 હરિદાસ અને દેવાદાસ, રાખ્યો ચારેનો ત્યાંજ નિવાસ; પછી માંડ્યું સદાવ્રત દેવા, તીર્થવાસી આવે બહુ લેવા. 8 કૈંક માસ પછી તેહ કામે, કરી ગરબડ આતમારામે; સંત સાથે તો ઇરષા વાધી, અતિ કરવાને માંડી ઉપાધી. 9 આનંદાનંદને હરિદાસે, પછી જગ્યા કરી વાવ્ય પાસે; સાધુ ચારે ગયા ત્યાં રહેવા, માંડ્યું ત્યાંજ સદાવ્રત દેવા. 10 એ જ રીતે વળી બીજે ગામે, અન્નસત્ર કર્યા ઘનશામે; સુણજો અભેસિંહ મહીશ, કથા તે તો પછીથી કહીશ. 11 માંગરોળ તણી વળી વાત, કરું એહ પ્રસંગે પ્રખ્યાત; એક દૂધતળાવડી નામ, તેમાં નાવા ગયા […] read more
0 Views : 3380

હરિલીલામૃત, કળશ- ૦પ, વિશ્રામ- ૦૯

પૂર્વછાયો:- કહે અચિંત્યાનંદજી, ભાવે સુણો અભેસિંહ ભ્રાત; મગનીરામે શું કર્યું, હવે તે હું કહું છું વાત. 1 ચોપાઈ:- ચાલ્યો શ્રીહરિ પાસેથી જયારે, ગયો તરત પોતાને ઉતારે; શુદ્ધ વસ્ત્ર ધર્યાર્ં કરી સ્નાન, બેઠો એકાંતે થૈ સાવધાન. 2 ઘીના દીવા કરી મૌન લીધું, પછી કુંભનું સ્થાપન કીધું; આવાહન એમાં દેવીનું કરી, મંત્ર જપવાને માળીકા ધરી. 3 કરી હોમ કર્યું તરપણ, ત્યાં તો આવી દેવી તતક્ષણ; કેમ સમરી મને કહે દેવી, માગ્ય માગ્ય ઇચ્છા હોય જેવી. 4 મુખે બોલિયો મગનીરામ, કહું છું તે કરો એક કામ; માતા પામ્યો પ્રતાપ તમારો, તેથી જગમાં થયો જય મારો. 5 મોટામોટા મેં સિદ્ધ નમાવ્યા, ઘણા જોગી ચેલા થવા આવ્યા; મંત્રી તંત્રી ગમે તેવો હોય, મને જીતી શકયો નહિ કોય.6 ફર્યો દક્ષિણ પૂરવ દેશ, કર્યો પશ્ચિમ દેશ પ્રવેશ; ઘણા નરપતિના દંડ લીધા, અભિમાની ઘણા વશ કીધા. 7 મહાસાગરનો પામી પાર, હવે ડૂંબું છું ખાડા મોઝાર; માટે માતા સહાયતા કરો, મારા શત્રુ તણો મદ હરો. 8 એક પુરુષ રહે છે આ ઠામ, તેનું સ્વામિનારાયણ નામ; એણે કીધું મારું અપમાન, ધર્યું તે માટે મેં તારું ધ્યાન. 9 મારો કોઇ પરાભવ કરે, તેની લાજ તો તુજને ઠરે; માટે જાઓ માતા હાલહાલ, ધરો વેષ મહા વિકરાળ. 10 એનાં સર્વ મનુષ્યો સહીત, નાંખો સાગર માંહી ખચીત; ત્યારે જીત્યો હું જગમાં જણાઉં, નહિ તો […] read more
1 Views : 2451

હરિલીલામૃત, કળશ- ૦પ, વિશ્રામ- ૦૧

 શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્  ।। શ્રીહરિલીલામૃતમ્ ।। ।।સૌરાષ્ટ્રનામ પંચમકલશપ્રારંભઃ ।। શાર્દૂલવિક્રીડિતવૃત્ત:- વંદૂ જે હરિયે પ્રતાપ નિજનો સૌરાષ્ટ્ર દેશે ઘણો, દેખાડ્યો કરી મગ્નિરામ જનને આશ્રિત પોતા તણો; ધામો શુદ્ધ સમાધિમાં સુજનને દેખાડિયાં દષ્ટિયે, લાખો વિપ્ર જમાડિયા જન સુખી કીધા કૃપા દષ્ટિયે.1 પૂર્વછાયો:- દેહ તજયો રામાનંદજી, થઇ ત્યાર પછી જે વાત; તેહ કથા તમને કહું, ભાવે સુણો અભેસિંહ ભ્રાત.2 ચોપાઈ:- દશ દિવસ સુધી દિલ લાવી, કથા ગીતાની નિત્ય કરાવી; દેશદેશના જનને તેડાવ્યા, કાર્ય ઉપર તે સહુ આવ્યા. 3 દશાહાદિ એકાદશા જેહ, ભદ્રાતટ હરિયે કર્યા તેહ; દ્વાદશાહ ને શ્રવણીશ્રાદ્ધ, કર્યા શાસ્ત્ર પ્રમાણે અબાધ. 4 દીધાં દ્વિજને નાનાવિધ દાન, દીધાં ભાવતાં ભોજનપાન; ધર્મ સ્થાપવા તનુધરી હરિ, માટે વેદવિહિત ક્રિયા કરી. 5 સર્વ જનને શિખવવાને કાજે, કરી સર્વ ક્રિયા મહારાજે; એમ તેરમો દિવસ ગયો, દિન ચૌદમો તે જયારે થયો. 6 સભા સજી બેઠા ઘનશામ, બેઠા હરિજન સંત તમામ; સભામધ્યે સિંહાસન એક, જેનું મૂલ છે મહોર અનેક. 7 બેઠા તે પર શ્રીમહારાજ, બેઠો આગળ સંત સમાજ; ધર્મ આદિક સદ્ગુણ ધારી, સતશાસ્ત્રના અભ્યાસકારી. 8 મુકતાનંદ આદિક મુનિ જેવા, બેઠા આગળ આગળ એવા; ભલા બ્રાહ્મણ શાસ્ત્ર ભણેલા, સભા મોટીમાં માન પામેલાં. 9 એક પડખે સિંહાસન પાસે, બેઠા ઉત્તમ પદવીની આશે; મોટામોટા ગૃહસ્થ ને રાજા, યથાયોગ્ય સભામાં બિરાજયા. 10 દેશદેશથી આવેલા જેહ, બેઠા સંઘના જન સઉ તેહ; લાડકીબાઇ આદિક નારી, […] read more
1 Views : 1690

હરિલીલામૃત, કળશ- ૦પ, વિશ્રામ- ૦ર

પૂર્વછાયો:- સભાજનોને શ્રીહરિ, કહે સાંભળો સ્નેહ સહિત; ધર્મ વિશેષ હવે કહું, ચારે આશ્રમના રુડી રીત. 1 ચોપાઈ:- બ્રહ્મચારી તણા ધર્મ ભાઇ, કહું પ્રથમ સુણો સુખદાઇ; કરે સંધ્યાવંદન ત્રણ કાળ, પૂજે નિત્ય તે કૃષ્ણ કૃપાળ. 2 ગુરુને સેવે અલ્પ આહારી, નખ રોમ તો રાખે વધારી; કેશ કાંસકીયે ન સમારે, મૌંજી દંડ કમંડલું ધારે. 3 મૃગચર્મ રાખે નિજ પાસ, જોડ કોપિન બે બહિર્વાસ; કોટમાં રાખે કંઠી જનોઇ, સર્વ ભોગની ઇચ્છા તે ખોઇ.4 સ્ત્રીની વાત તો કાને ન ધરે, પોતે મુખથી કદાપી ન કરે; સ્ત્રીનો સ્પર્શ કરે નહિ અંગે, કદી બોલે નહી નારી સંગે. 5 સ્ત્રીનું રૂપ જુવે ન કદાપિ, તજે સંકલ્પ તેનો તથાપિ; હોય જયાં સ્ત્રિયોનું ક્રીડાસ્થાન, ત્યાં ન જાય કદી વ્રતવાન.6 કાષ્ઠાદિકની કે ચિત્રની નારી, અડે નિરખે નહીં બ્રહ્મચારી; પણ દેવીની મૂર્તિ જો હોય, નહીં બાધ જુવે અડે તોય. 7 કરે નારી સ્નાનાદિક જયાંય, બ્રહ્મચારી તજે ક્રિયા ત્યાંય; મદ્ય માંસ આદિક સંસર્ગ, ન કરે કદી વર્ણીનો વર્ગ. 8 રોગ વિણ દિને સુવું ન ભાવે, ધન રાખે નહીં ન રખાવે; તજે લોભ ને ક્રોધ ન કરે, તજે સ્વાદ ને માન ન ધરે. 9 કામ ક્રોધ લોભ રસ માન, તજે તે પાંચ છે વ્રતમાન; કહ્યું એવું અચળ વ્રત ધારી, ભાવે વેદ ભણે બ્રહ્મચારી. 10 ભણી વેદ તે શકિત પ્રમાણે, પછી મનને સકામી જો […] read more
0 Views : 1656

હરિલીલામૃત, કળશ- ૦પ, વિશ્રામ- ૦૩

પૂર્વછાયો:- કહે અચિંત્યાનંદજી, સુણો ભૂપતિ સદગુણવાન; શીતળદાસ તણું કહું, પામી પ્રસંગ શુભ આખ્યાન.1 ચોપાઈ:- ઝરણાપરણાના નિવાસી, એક વિપ્ર જગતથી ઉદાસી; ૠષિ એકલશૃંગીના વંશી, જેવા ઇશ્વરના હોય અંશી. 2 અંગે ધારી વેરાગીનો વેશ, ચાલ્યા ફરવાને દેશ વિદેશ; જાણે જોઊં તીરથનાં સ્થાન, મળે કયાંઇ પ્રગટ ભગવાન. 3 જોયા તીર્થમાં સ્થાન અપાર, આવ્યા પશ્ચિમ દેશ મોઝાર; વાત સાંભળી ત્યાં એવી કાન, રામાનંદ છે શ્રીભગવાન. 4 તેનાં દર્શન કરવાને કામ, ચાલી આવ્યા તે ફણેણી ગામ; કહી ત્યાં કોઇયે વાત એહ, રામાનંદ તજી ગયા દેહ. 5 તેને તેર દિવસ જ થયા, ગાદી વર્ણીને સોંપીને ગયા; પછી કરવાને કાંઇ તપાસ, સાધુ આવ્યા તે શ્રીહરિપાસ.6 સાધુ શીતળદાસ છે નામ, કર્યો જઇ પ્રભુપદને પ્રણામ; શ્રીજીયે જાણ્યું સાધુ છે સારો, એને આપ્યો એકાંતે ઉતારો. 7 સાધુ એવા વિચાર તે લાવ્યા, રામાનંદ સ્વધામ સિધાવ્યા; પણ સાધુ છે તેહના ધન્ય, કરું તેને તો પ્રથમ પ્રસન્ન. 8 પછીથી પ્રભુ ખોળવા કામ, જાઉં જૈ ફરીને ચારે ધામ; મહારાજ મને કયાંઇ મળશે, મારા ચિત્તની ચિંતા તો ટળશે. 9 એમ કરતાં વીતી ગઇ રાત, થયું ચૌદમા દિનનું પ્રભાત; શ્રીજી બેઠા સભા સજી જયારે, આવ્યા શીતળદાસ ત્યાં ત્યારે. 10 સભામાં બેશી સાંભળી વાત, જાણ્યા મોટા પુરુષ સાક્ષાત; ચિત્ત ચાલવા કીધો વિચાર, બોલ્યા અંતરજામી તે વાર. 11 કરો ચાલવાનું ચિત્ત કેમ ? કરો કેમ ઉતાવળ એમ ? […] read more
0 Views : 1897
Powered By Indic IME