Last Updated:
May 5, 2025

Click here to submit your article
રચના પ્રકાર
Per Page :

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૭

દોહા :- ધન્ય ધન્ય મુકત શિરોમણિ, ભૂલ્ય ભ્રાંતિના ભાંગનાર ।। અજ્ઞાન તમ ટાળવા, સૂરજ સમ નિરધાર ।। ૧ ।। ઘણા દિવસનું ઘરમાં, સંશયનું રહ્યું’તું શૂળ ।। તેહ તરત તમે ટાળિયું, મહા મોટા મોહનું મૂળ ।। ૨ ।। વળી પૂછું છું પ્રીત શું, તમે કહેજયો કૃપાનિધાન ।। અનેક જીવ ઉદ્ધારવા, આવે ભૂમિ પર ભગવાન ।। ૩ ।। કલ્યાણ કરી કોટિ કોટિનાં, પાછા પધારે પોતાને ધામ ।। કેડ્યે રહે તેના કુળના, તેથી સરે કે ન સરે કામ ।। ૪ ।। ચોપાઈ :- પ્રભુ હોય પ્રગટ પ્રમાણ રે, ત્યારે કરે બહુના કલ્યાણ રે ।। જયાં જયાં હરિ ધરે અવતાર રે, કહું સાંભળજયો કરી પ્યાર રે ।। ૫ ।। ખગ મૃગ જળચર માંય રે, ધરે નર દેહ આપ ઇચ્છાય રે ।। વિપ્ર નૃપ જાણો જોગીમાંય રે, થાય પ્રભુજી પ્રગટ ત્યાંય રે ।। ૬ ।। તેના વંશના રહે છે વાંસે રે, ભલા ગુણના ભરેલ ભાસે રે ।। દઢ હોય ધર્મ નીમ માંઈ રે, અયોગ્ય આચરણ ન કરે કાંઈ રે ।। ૭ ।। રૂડી રીતને પાળે પળાવે રે, સંશય શોકના ખાતા વળાવે રે ।। રહે પ્રભુની મરજી પ્રમાણ રે, મેલી મન મમતાની તાણ રે ।। ૮ ।। આપ સ્વારથ સારવા સારુ રે, કદી કરે નહિ મારું તારું રે ।। કામ ક્રોધ વળી લોભ લહી રે, મોહ […] read more
0 Views : 287

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૮

દોહા :- મુકત વચન એવાં સાંભળી, વળી બોલિયા કરી હેત ।। શુદ્ધ મુમુક્ષુ સાંભળ્યે, કહું સર્વે વિગતિ સમેત ।। ૧ ।। પ્રથમ કહું હું પ્રીછવી, પ્રભુ પ્રગટના અવતાર ।। પછી કહું તેના કુળનું, નિશ્ચય કરી નિરધાર ।। ૨ ।। એકે અનેક પ્રકારનાં, સરે નહિ સેવકના કાજ ।। તે સારુ તન જૂજવાં, ધરણિયે ધરે છે મહારાજ ।। ૩ ।। વારિ વસુધા વ્યોમમાં, દુષ્ટે દુઃખી કર્યા હોય દાસ ।। આરતવાનને અરથે, આપે આવે છે અવિનાશ ।। ૪ ।। ચોપાઈ :- એક અવતાર એકને કાજ રે, મહેર કરી લિયે છે મહારાજ રે ।। તેના સર્વે સંકટ ટાળે છે રે, પ્રીતે પૂરણ લાડ પાળે છે રે ।। ૫ ।। હેતે હળીમળી તેહ સાથ રે, નૌતમ સુખ આપે તેને નાથ રે ।। તે તો થાય છે પૂરણ કામ રે, વળી પામે છે પ્રભુનું ધામ રે ।। ૬ ।। એહ વિના હોય હરિદાસ રે, તેનો કષ્ટ કરવો હોય નાશ રે ।। ત્યારે એ તને જતન ન થાય રે, એમ સમજવું મનમાંય રે ।। ૭ ।। જળવાસી કરે કામ જળનું રે, સ્થળવાસી કરે કામ સ્થળનું રે ।। માટે નોખાં નોખાં તન ધરી રે, કામ કરે છે જનનું હરિ રે ।। ૮ ।। જયારે ધરે છે જૂજવા ગાત રે, ત્યારે હોય જૂજવી રીતભાત રે ।। પછી જેવી રીત […] read more
0 Views : 267

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૯

દોહા :- મહામુકત કહે મુમુક્ષુ તને, વણ પૂછ્યે કહું છું વાત ।। કલ્યાણકારીના કુળની, તું સાંભળી લે સાક્ષાત ।। ૧ ।। અલૌકિકપણું નહિ આપમાં, લોકમાં વધારવા લાજ ।। આટાટોપ એહ કારણે, સહુ રાખી રહ્યા ગુરુરાજ ।। ૨ ।। જેણે કરી જાયે નહિ, રહે ગુરુપણું ઘરમાંહિ ।। એવી રીતને અનુસરી, બહુ ઠગ કરે છે ઠગાઈ ।। ૩ ।। જેમ ઉદ્યમ વર્ણ અઢારમાં, સહુ કરે થઈ સાવધાન ।। તેમ ઉદ્યમ ગુરુએ આદર્યો, મન કર્મ વચને નિદાન ।। ૪ ।। ચોપાઈ :- ગુરુવેષ ભજાવવા કાજ રે, રાખે શોભતો સર્વે સમાજ રે ।। સારાં વસ્ત્ર ઘરેણાં વાહન રે, કહું તેની રીત સુણો જન રે ।। ૫ ।। પો’ળા પનાળાં કૈક સુંવાળા રે, બહુ બુટ્ટા ને રંગે રૂપાળાં રે ।। ઝીણાં પોતાં છાપેલ છેડાળાં રે, વાસેલ અત્તરે પાનડિયાળાં રે ।। ૬ ।। એવાં વસ્ત્ર અંગોઅંગ પે’રી રે, ગુરુપણું લડાવે છે લે’રી રે ।। વળી પે’રી ઘરેણાં જો ઘણાં રે, જડેલ હીરા મોતી હેમતણાં રે ।। ૭ ।। વેઢ વીંટી કડા બાંયે બાજુ રે, રૂડા ઘાટવાળાં ઘણાં કાજુ રે ।। બેસી ગજ બાજ સુખપાલે રે, ખોળે લાલ લઈ ગુરુ મા’લે રે ।। ૮ ।। વળી સુંદર મંદિર રહેવા રે, કાચ ઢાળેલ હાંડિયે દીવા રે ।। ખાવા પીવા મળે ખૂબ ખાસુ રે, જેવું ચઉ ચરણને ચોમાસું રે […] read more
0 Views : 257

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૧૦

દોહા :- શ્રીહરિ કહે ધર્મ સાંભળો, ગુરુ ન હોય ઘેરોઘેર ।। ગુરુ તો એક ગોવિંદ છે, બીજી માયા બની બહુપેર ।। ૧ ।। કલ્યાણકારી કલ્યાણ કરી, સારી જાયે અનેકના અર્થ ।। પછવાડે પ્રપંચ રચી, અતિ અજા કરે છે અનર્થ ।। ૨ ।। જેમ નર્તકી નૃત્ય કરી, હરિ લિયે હેવાનનું ધન ।। વેશ લઈ વિધવિધના, કરે પામરને પ્રસન્ન ।। ૩ ।। તેમ માયાયે મનગમતા, વળી લીધા વિશ્વમાંય વેશ ।। એવા ગુરુ શિષ્યની, તમે બીક મ રાખજયો લેશ ।। ૪ ।। ચોપાઈ :- ગુરુ કહ્યે શું થઈ ગયા ગુરુ રે, સુણો ધર્મ તેની વાત કરું રે ।। ગુરુ આ જગમાંય છે ઘણાં રે, તે તો કોળિયા સહુ કાળતણા રે ।। ૫ ।। જે ગુરુથી જમદંડ જાય રે, તે સાંભળો તમે ધર્મરાય રે ।। તે તો હોય પોતે ભગવાન રે, આપે આશ્રિતને અભયદાન રે ।। ૬ ।। સર્વે ધામતણા હોય ધામી રે, વળી અકળ અંતરજામી રે ।। જાણે સહુના મનની વાત રે, જેમ હોય તેમ સાક્ષાત રે ।। ૭ ।। અણુ ચોરી એ આગે ન ચાલે રે, ઊપજતાં ઉત્થાનને ઝાલે રે ।। એથી ન હોય અજાણ્યું જો કાંઈ રે, વળી જકતગુરુ એ કહેવાય રે ।। ૮ ।। હોય પ્રાણનાડી એને હાથ રે, સર્વેશ્વર એ સર્વેના નાથ રે ।। ખેંચે પ્રાણનાડી તો ખેંચાય રે, […] read more
0 Views : 264

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૧૧

દોહા :- મુમુક્ષુ કહે મુકતને, જયારે જમ એ પર કરે રોષ ।। ત્યારે માયાગુરુને મર મારતા, પણ શિષ્યનો શિયો દોષ ।। ૧ ।। કલ્યાણ કરવા કારણે, આવ્યો એવા ગુરુની પાસ ।। તન મન ધન દઈ તેહને, થયા દિલ સાચે એના દાસ ।। ૨ ।। ઓળખી ન શકયા અસત ગુરુ, સમજયા વિના થયા શિષ્ય ।। અજાણ્યા ઉપર એવડી, રાખી ન ઘટે ધર્મને રીસ ।। ૩ ।। એમ કહ્યું કર જોડીને, તમે સાંભળો મારા શ્યામ ।। એ સંશય મારો સમાવિયે, સનેહી સુખના ધામ ।। ૪ ।। ચોપાઈ :- એવું સાંભળી મુકત મહાજન રે, પછી બોલિયા પરમ પાવન રે ।। કહે સાંભળ્ય તું જિજ્ઞાસુ રે, ખરું પ્રશ્ન તેં પૂછિયું ખાસું રે ।। ૫ ।। એનો ઉત્તર આપિયે અમે રે, સાવધાન થઈ સુણો તમે રે ।। હોય જૂઠું સાચું બેઉ જોડ્યે રે, રાત દિવસ બે તડોવડ્યે રે ।। ૬ ।। હોય બક તિયાં હંસ હોય રે, જયાં કાગ ત્યાં કોયલ શું નો’ય રે ।। હોય ચોર તિયાં શાહુકાર રે, હોય રવિ ત્યાં રાકેશ ત્યાર રે ।। ૭ ।। હોય પાપી ત્યાં પુણ્યવાન રે, હોય મૃત્યુ ત્યાં અમૃતપાન રે ।। હોય સાચું ત્યાં ખોટું ખરું રે, તેનું કહેતાં કહેતાં નાવે સરું રે ।। ૮ ।। તેમ સત્ય અસત્ય ગુરુ છે રે, તે પણ ખોટું મા […] read more
0 Views : 196

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૧૨

દોહા :- મુમુક્ષુ કહે મહામુકતને, સંશય રહ્યો નથી રતીભાર ।। તમે કહ્યું તેમજ છે, એમાં નથી ફેર લગાર ।। ૧ ।। દુષ્ટ મળ્યે દુઃખ ઉપજે, શુદ્ધ સંત મળ્યે સુખ થાય ।। ખરા ખરું એ ખોટું નથી, તેને કૂડું કેમ કે’વાય ।। ૨ ।। વળી હરિ હરિજન મળ્યા વિના, કહ્યું કે દી’ ન હોય કલ્યાણ ।। એ પણ સર્વે સત્ય છે, નક્કા નક્કી વાત નિર્વાણ ।। ૩ ।। પણ હરિ ને હરિના જનની, કરી જોઈએ કેટલી સેવ ।। જેણે કરી શ્રેય શિષ્યનું, થાય એવો પૂછું છું ભેવ ।। ૪ ।। ચોપાઈ :- પ્રભુ પ્રગટ મળે પોતે જયારે રે,ખોટ્ય ખામી રહે નહિ ત્યારે રે ।। જેનાં દર્શન દુર્લભ બહુ રે, નર અમર માને છે સહુ રે ।। ૫ ।। જોગી જતિ તપસી સંન્યાસી રે,સહુ પ્રભુ દર્શનના પ્યાસી રે ।। હરિ હર અજ અમરેશ રે, પ્રભુ મળવા ઇચ્છે અહોનિશ રે ।। ૬ ।। તોય પ્રગટ નથી પામતા રે, રહે છે સદાય શીશ નામતા રે ।। એવી વાત એ છે દુર્ઘટ રે, તે તો પ્રભુ મળ્યા પ્રગટ રે ।। ૭ ।। પછી પ્રભુને કરવા પ્રસન્ન રે, શું શું કરે જિજ્ઞાસુ જન રે ।। કે’જયો એટલું કૃપા કરીને રે, કેમ રાજી કરે એ હરિને રે ।। ૮ ।। કેવી કરે પ્રભુજીની ભકત રે,જેણે કરીને પામે […] read more
0 Views : 187

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૧૩

દોહા :- જિજ્ઞાસુ તુને મેં જાણિયો, ખરા ખપવાળો નિરધાર ।। જે જે તેં પૂછ્યું તે પણ, છે સર્વે સારનું સાર ।। ૧ ।। પ્રગટ પ્રભુને પામિયા, તે કૃતાર્થ કે’વાય ।। સર્વે કારજ સારિયાં, જાણજયો આ જગમાંય ।। ૨ ।। પછી જુવે પ્રભુ પ્રગટનું, ઘણું ગમતું જેમ હોય ।। તેવી રીતે તત્પર થઈ, કરે સદા નિરંતર સોય ।। ૩ ।। મેલી ગમતું નિજ મનનું, રહે હરિઆજ્ઞા અનુસાર ।। સાચો મુમુક્ષુ એ માનવો, નિશ્ચય કરી નિરધાર ।। ૪ ।। ચોપાઈ :- જેના હરિપરાયણ પ્રાણ રે, નથી રહી જેને કોઈ તાણ રે ।। ધ્વજપટ કયુર્ં નિજ તન રે, વાયુ સમ હરિનું વચન રે ।। ૫ ।। જેમ વાળે તેમ જન વળે રે, મેલી મમત અંગ સઘળે રે ।। રહ્યા અતિ આજ્ઞા અનુસાર રે, કરી નિશ્ચય મને નિરધાર રે ।। ૬ ।। એવા શુદ્ધ સેવક સુજાણ રે, પ્રભુ પ્રગટના પ્રમાણ રે ।। બીજા સહુથી થઈ નિરાશ રે, થયા શ્રી ઘનશ્યામના દાસ રે ।। ૭ ।। સદા જોઈ રહ્યા હરિ સામું રે, ગમતું હરિનું કરવા છે હામું રે ।। એવા સંત સદા શિરોમણિ રે, કહું રીત સુણો તેહ તણિ રે ।। ૮ ।। કરે ભકત સદા નિષ્કામ રે, ચતુરધાનું ન પૂછે નામ રે ।। માને મન કર્મ વચને વચન રે, રાખે એકાગ્રે હરિમાં મન રે […] read more
0 Views : 222

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૧૪

દોહા :- એવું સુણી મુમુક્ષુ કહે, તમો સાંભળો મુકત મહારાજ ।। પૂછું છું વળી પ્રશ્નને, મારો સંશય સમાવા કાજ ।। ૧ ।। કલ્યાણ કરવા કારણે, કરે અતિ ઉત્તમ ઉપાય ।। શ્રુતિ પુરાણમાં સાંભળી, વળી કરે એમ સદાય ।। ૨ ।। પ્રગટ હરિ હોય નહિ, હોય નહિ તેના મળેલ ।। સાજ સમાજ સરવે, રહી જાય તેનો રળેલ ।। ૩ ।। પાછળ પ્રભુજી પ્રગટે, આવે એનું કયુર્ં કાંઈ અર્થ ।। તે સા’ય કરે કાંઈ શ્રેયમાં, કે વણ સા’યે જાય વ્યર્થ ।। ૪ ।। જે જે કરે એ કલ્યાણ કાજ રે, તે તે કહું સાંભળો મહારાજ રે ।। મેળ્યાં અન્ન ધન કયાર્ં ધામ રે, વસન ભૂષણ આવે કેડ્યે કામ રે ।। ૫ ।। વાસન વાહન ખાટ્ય પાટલા રે, ગાદી તકિયા ઓછાડ ગાદલાં રે ।। વાવ્ય કૂવા તલાવડી ક્ષેત્ર રે, આવે અર્થ પ્રભુને એ પવિત્ર રે ।। ૬ ।। પર્વ સદાવ્રત વૃક્ષછાંઈ રે, પ્રભુ બેસે ધર્મશાળા માંઈ રે ।। ગાય ગવા મહિષી ગજ બાજ રે, હોય રથ પાલખી સમાજ રે ।। ૭ ।। વાંસે આવે એ અર્થે હરિને રે, થાય સારું એનું તેણે કરીને રે ।। વળી આપી હોય મહિષી ગાય રે, તેનાં દહીં દૂધ ઘી જમાય રે ।। ૮ ।। આપનારને એ આપ્યા તણું રે, શ્રેય કે’જયો સમજાવી ઘણું રે ।। વળી અસ્થ […] read more
0 Views : 211
Powered By Indic IME