સંવત્ ૧૮૮૫ના પોષ શુદિ ૨ બીજને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં મેડીને આગળ ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને રાત્રિને સમે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે શુકમુનિને પ્રશ્ર્ન પુછયો જે, “બે સત્સંગી છે, તેની અવસ્થા વીશ વીશ વરસની છે. તથા બેયને નિશ્વય, હેત, ભકિત, વૈરાગ્ય, ધર્મ તે બરોબર છે. તેમાંથી એકને તો પ્રારબ્ધયોગે કરીને પરણીને સ્ત્રી મળી, ને એકને ન મળી ને સાંખ્યયોગી રહ્યો ને એને પણ પરણ્યાની તો ઈચ્છા હતી, પણ મળી નહિ, ત્યારે એ બે જણને તીવ્રવૈરાગ્ય તો પ્રથમથી જ ન હતો; માટે વિષયભોગમાં બેયને તીક્ષ્ણ વૃત્તિ હતી. તે તીક્ષ્ણ વૃત્તિ ઓછી તે એ ગૃહસ્થ થયો તેની થાય કે સાંખ્યયોગીની થાય તે કહો અને વેદતો એમ કહે છે જે તીવ્ર વૈરાગ્ય હોય તેને બ્રહ્મચર્યપણા થકી જ સન્યાસ કરવો, ને જેને મંદ વૈરાગ્ય હોય તેને વિષય ભોગની તીક્ષ્ણતા ટાળ્યાને અર્થે ગૃહસ્થાશ્રમ કરવો ને પછી વાનપ્રસ્થ થવું ને પછી સન્યાસ કરવો.’ માટે વિચારીને ઉત્તર કરજ્યો.” પછી શુકમુનિએ એનો ઉત્તર કરવા માંડયો પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજે એનો ઉત્તર કર્યો જે, “એ ગૃહસ્થાશ્રમી સારો ને બીજો જે સાંખ્યયોગી તે ભૂંડો કેમજે એને તીવ્ર વૈરાગ્ય નથી. માટે એણે વિષયને તુચ્છ ને અસત્ય જાણ્યા નથી તેમ […]
read more