Last Updated:
May 5, 2025

Click here to submit your article
રચના પ્રકાર
Per Page :

ગઢડા અંત્ય ૩ : દયા અને સ્નેહનું

સંવત્ ૧૮૮૩ ના અષાઢ વદિ ૧ પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે વિરાજમાન હતા, અને તે દિવસ ઠક્કર હરજીએ પોતાને ઘેર શ્રીજીમહારાજની પધરામણી કરી ત્‍યારે શ્રીજીમહારાજ ત્‍યાં પધાર્યા. પછી ઉગમણે બાર ઓરડાની ઓસરીયે ઢોલિયા ઉપર ગાદીતકિયા બિછાવીને શ્રીજીમહારાજને વિરાજમાન કર્યા. પછી હરજી ઠક્કરે શ્રીજીમહારાજની કેસરચંદનાદિકે કરીને પૂજા કરી. એવી રીતે શ્રીજીમહારાજ પૂર્વ મુખારવિંદે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. અને કંઠને વિષે મોગરાના પુષ્પના હાર તથા બે ભુજાને વિષે તે પુષ્પના ગજરા તથા પાઘને વિષે તે પુષ્પના તોરા તે અતિશે વિરાજમાન  હતા. અને શ્રીજીમહારાજના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં શ્રીજીમહારાજે સર્વ સંતમંડળને પ્રશ્ર્ન પુછયો જે, ”જે હરિભક્તના હૃદયને  વિષે દયા ને સ્‍નેહ એ બે સ્વાભાવિક રહ્યાં હોય ત્‍યારે સ્‍નેહનું સ્‍વરૂપ તો મધ જેવું છે તે જ્યાં ત્‍યાં ચોટે. અને દયાનો સ્‍વભાવ એવો છે જે જ્યાં ત્‍યાં દયા કરે. ત્‍યારે ભરતજીએ મૃગલા ઉપર દયા કરી તો તે મૃગલીને પેટે જન્‍મ લેવો પડયો. અને જે દયાવાન હોય તેને જે ઉપર દયા આવે તે સંધાથે સ્‍નેહ થયા વિના રહે નહિ. અને એ દયા ને સ્‍નેહ તેને ટાળ્‍યાનો ઉપાય તો આત્‍મજ્ઞાન ને વૈરાગ્‍ય એ બે જ છે. અને વૈરાગ્‍યનું એવું સ્‍વરૂપ છે જે  સર્વે નામરૂપને નાશવંત દેખાડે. […] read more
1 Views : 327

ગઢડા અંત્ય ૪ : બાધિતાનુવૃત્તિનું

સંવત ૧૮૮૩ના શ્રાવણ સુદિ ૩-તૃતીયાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે મેડીની ઓસરી ઉપર ગાદી તકિયા બિછવાવીને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા. અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “ભગવાનનો ભક્ત હોય ને તે જ્ઞાન- વૈરાગ્‍યે યુક્ત હોય ને વિચારને બળે કરીને પોતાને બંધન કરે એવી જે માયિક પદાર્થમાં પ્રીતિ, તેને ટાળી નાખી હોય, તો પણ એ ભક્તને જ્યાં સુધી નિર્વિકલ્‍પ સમાધિ થાય નહિ, ત્‍યાં સુધી બાધિતાનુવૃત્તિ રહી જાય છે. તેણે કરીને વિચારમાં એમ રહે છે જે, ‘રખે મારે મા બાપ, સ્ત્રી, છોકરાં, દ્રવ્‍ય, કુટુંબ, દેહ, ગેહ એમને વિષે પ્રીતિ રહી ગઈ હોય નહિ?” એમ બીતો રહે છે. જેમ કોઈક શૂરવીર પુરૂષ હોય તેણે પોતાના સર્વ શત્રુ મારી નાંખ્‍યા હોય તો પણ તે મરેલા શત્રુ થકી પણ કયારેક બી જાય છે તથા સ્‍વપ્નમાં તે શત્રુને દેખે ત્‍યારે બી જાય છે તેમ તે જ્ઞાની ભક્તને પણ જે જે પદાર્થ અંતરમાંથી જૂઠું કરી નાંખ્‍યું છે ને તેમાંથી પ્રીતિ તોડી નાખી છે તો પણ બાધિતાનુવૃત્તિએ કરીને અંતરમાં માયિક પદાર્થના બંધન થકી બીક લાગે છે અથવા ધનકલત્રાદિક પદાર્થની કોઈક સમે સ્‍મૃતિ થઈ આવે છે ત્‍યારે મનમાં બી જવાય છે જે, ‘રખે મને બંધન કરે!’ એવી […] read more
0 Views : 316

ગઢડા અંત્ય ૫ : માહાત્મ્યે યુક્ત નિર્વિઘ્ન ભકિતનું

સંવત ૧૮૮૩ના ભાદરવા સુદિ ૧૧-એકાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તકિયા ઉપર વિરાજમાન હતા. અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. ને કંઠને વિષે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા અને પાઘને વિષે મોગરાનાં પુષ્પનાં તોરા વિરાજમાન હતા. ને હાથને વિષે મોગરાના પુષ્પના ગજરા વિરાજમાન હતા. ને પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં શ્રીજીમહારાજે કહ્યું જે, “કોઈક પ્રશ્ન પૂછો.” પછી મુકતાનંદસ્વામીએ પૂછયો જે, “હે મહારાજ! ભગવાનની જે ભકિત છે તેમાં કોઈ રીતનું વિઘ્‍ન ન થાય, એવી તે કઈ ભકિત છે ? અને જે ભકિતમાં કાંઈક વિઘ્‍ન થાય છે તે કઈ જાતની ભકિત છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ૨”તૃતીયસ્‍કંધમાં કપિલગીતાને વિષે માતા દેવહૂતિએ કપિલજી પ્રત્‍યે કહ્યું છે જે- “યન્નામધેયશ્રવણાનુકીર્તનાદ્યત્‍પ્રહ્વણાદ્યત્‍સ્‍મરણાદપિ કવચિત્ | શ્વાદોડપિ સદ્ય:સવનાય કલ્‍પતે કથં પુનસ્‍તે ભગવન્નુ દર્શનાત્ ||” “અહો બત શ્વપચોડતો ગરિયાન્ યજ્જિહ્વાગ્રે વર્તતે નામ તુભ્‍યમ્ | તેપુસ્‍તપસ્‍તે જુહુવુ: સસ્‍નુરાર્યા બ્રહ્માનૂચુર્નમ ગૃણન્‍ત્‍િા યે તે ||” એ બે શ્લોકે કરીને જેવું ભગવાનનું માહાત્‍મ્‍ય કહ્યું છે તથા કપિલજીએ માતા દેવહૂતિ પ્રત્‍યે પોતાનું માહાત્‍મ્‍ય કહ્યું છે જે, “મદ્ભયાદ્વાતિ વાતોડયં સૂર્યસ્‍તપતિ મદ્ભયાત્  વર્ષતીન્‍દ્રો દહત્‍યગ્‍ન્‍િા મૃત્‍યુશ્વરતિ મદ્ભયાત્ “ એવી રીતે માહાત્‍મ્‍ય સહિત ભગવાનની ભકિત હોય તેમાં તો કોઈ જાતનું વિઘ્‍ન આવે નહિ અને માહાત્‍મ્‍ય જાણ્‍યા વિના પ્રાકૃત બુદ્ધિએ કરીને જો ભકિત […] read more
0 Views : 315

ગઢડા અંત્ય ૬ : જીવ અને મનની મિત્રતાનું

સંવત્ ૧૮૮૩ ના ભાદરવા વદિ ૫ પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ સર્વ હરિભક્ત ઉપર કૃપાદૃષ્ટિ કરીને બોલતા હવા જે, “ભગવાનનો ભક્ત હોય ને ભગવાનની કથા, કીર્તન, શ્રવણાદિક જે નવધા ભકિત તેને જો હરિભક્ત ઉપર ઈર્ષ્યાએ કરીને કરે તો તે ભકિતએ કરીને ભગવાન અતિશે રાજી થતા નથી; અને ઈર્ષ્યાનો ત્‍યાગ કરીને કેવળ પોતાના કલ્‍યાણને અર્થે ભકિત કરે પણ લોકને દેખાડયા સારૂં ન કરે તો તે ભકિતએ કરીને ભગવાન પ્રસન્ન થાય છે. માટે જેને ભગવાનને રાજી કરવા હોય તેને તો લોક રીઝાવવાને અર્થે તથા કોઈકની ઈર્ષ્યાએ કરીને ભકિત ન કરવી, કેવળ પોતાના કલ્‍યાણને અર્થે જ કરવી. અને ભગવાનની ભકિત કરતાં થકાં કાંઈક પોતાને અપરાધ થઈ જાય તેનો દોષ બીજાને માથે ધરવો નહિ. અને જીવમાત્રનો તો એવો સ્‍વભાવ છે જે જ્યારે કાંઈક પોતામાં વાંક આવે ત્‍યારે એમ બોલે જે, ‘મને બીજે કોઈએ ભુલાવ્‍યો ત્‍યારે મારામાં ભુલ પડી પણ મારામાં કાંઈ વાંક નથી.’ પણ એમ કહેનારો મહામૂખર્ો છે. કેમજે, બીજો તો કોઈક કહેશે જે, ‘તું કુવામાં પડ.’ ત્‍યારે એને કહેવે કરીને શું કુવામાં પડવું ?માટે વાંક તો અવળું કરે તેનો જ છે […] read more
0 Views : 422

ગઢડા અંત્ય ૭ : વજ્રની ખીલીનું

સંવત્ ૧૮૮૩ના ભાદરવા વદી ૬ છઠને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ગાદી તકીયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને કંઠને વિષે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા, ને પાઘને વિષે મોગરાના પુષ્પના તોરા વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ સર્વ હરિભક્ત પ્રત્‍યે બોલ્‍યા જે, “અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ જે, જેને પોતાનું કલ્‍યાણ ઈચ્‍છવું તેને તો ભગવાન ને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી, માટે જેમ પોતાના શરીરને વિષે જીવને આત્‍મબુદ્ધિ વર્તે છે તેવી ભગવાન ને ભગવાનના સંતને વિષે આત્‍મબુદ્ધિ રાખી જોઈએ. અને ભગવાનના ભક્તનો પક્ષ દૃઢ કરીને રાખ્‍યો જોઇએ અને તે પક્ષ રાખતાં થકાં આબરૂ વધો અથવા ધટો, અથવા માન થાઓ કે અપમાન થાઓ, અથવા દેહ જીવો કે મરો, પણ કોઈ રીતે ભગવાન ને ભગવાનના ભક્તનો પક્ષ મુકવો નહિ ને એમનો અભાવ આવવા દેવો નહિ. અને ભગવાનના ભક્ત જેવા દેહ ને દેહનાં સગાંસંબંધીને વહાલાં    રાખવાં નહિ. એવી રીતે જે હરિભક્ત વર્તે તેને અતિ બળવાન એવા જે કામ ક્રોધાદિક શત્રુ તે પણ પરાભવ કરી શકતા નથી. અને જે ભગવાનનું બ્રહ્મપુર ધામ છે તેને વિષે ભગવાન સદાય સાકાર મૂર્તિમાન વિરાજમાન છે, અને  ભગવાનના ભક્ત પણ […] read more
0 Views : 315

ગઢડા અંત્ય ૮ : સદાય સુખિયા રહેવાનું

સંવત્ ૧૮૮૩ના ભાદરવા વદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે મોગરાના પુષ્પના હાર વિરાજમાન હતા, ને પાઘને વિષે મોગરાના પુષ્પના તોરા વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે મુનિમંડળને પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાનનો ભક્ત હોય તેને એવો કયો ઉપાય છે જે જેણે કરીને સદા સુખી રહેવાય ?” પછી મોટા મોટા સાધુ હતા તેણે જેવું જેને સમજાયું તેવો તેણે ઉત્તર કર્યો, પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “એનો ઉત્તર તો એમ છે જે, જે ભગવાનના ભક્તને એક તો દ્રઢ વૈરાગ્‍ય હોય, અને બીજો અતિશે દ્રઢ સ્‍વધર્મ હોય, અને જેણે એ બે સાધને કરીને સર્વે ઈન્‍દ્રિયોને જીતીને પોતાને વશ કર્યાં હોય, અને જેને ભગવાન ને ભગવાનના ભક્તને વિષે અતિશય પ્રીતિ હોય અને જેને ભગવાન ને ભગવાનના ભક્તને વિષે અતિશે મિત્રભાવ વર્તતો હોય, અને જે કોઈ દિવસ ભગવાન કે ભગવાનના ભક્ત થકી ઉદાસ થાય નહિ, અને જે ભગવાન ને ભગવાનના ભક્તને સંગે જ રાજી રહે પણ કોઈ વિમુખ જીવની સોબત ગમે નહિ, એવાં જે હરિભક્તનાં લક્ષણ હોય તે આ લોકને વિષે તથા પરલોકને વિષે સદાય સુખિયો રહે છે. અને […] read more
0 Views : 309

ગઢડા અંત્ય ૯ : જાણપણારૂપ દરવાજાનું

સંવત્ ૧૮૮૩ના આસો શુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પુષ્પના હાર તથા ગજરા વિરાજમાન હતા, અને પાઘ ઉપર પુષ્પના તોરા ઝુકી રહ્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે સર્વે હરિભક્તને કહ્યું જે, “જે અમારા મોટા મોટા પરમહંસ છે તેની જેવી સ્‍થ્‍િાતિ છે ને સમજણ છે તે અમે તમને બાઈ ભાઈ સર્વેને કહીએ, તેને સાંભળીને ૧પછી જેવી રીતે તમે સર્વે વર્તતા હો ને જેવી તમને સ્‍થ્‍િાતિ હોય તેવી રીતે તમે કહી દેખાડજો” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “અમારા મુનિમંડળમાં જે મોટા મોટા સંત છે તેને એમ વર્તે છે જે, પોતાના હૃદયને વિષે જે ૨જાણપણું છે તે ભગવાનના ધામનો દરવાજો છે. તે દરવાજા ઉપર સર્વે સંત ઉભા છે. જેમ રાજાના ચાકર છે, તે રાજાના ઘરને દરવાજે ઉભા રહ્યા થકા કોઈ ચોર ચકારને રાજા પાસે જવા દેતા નથી, અને તે રાજાના ચાકરને એમ હિંમત રહે છે જે, કોઈ રાજા પાસે વિઘ્‍ન કરવા જાય તો તેના કટકા કરી નાખીએ પણ કોઈ રીતે રાજા સુધી પુગવા દઈએ નહિ. એવી રીતે હિંમત સહિત ઢાલ, તરવાર બાંધીને ઉભા રહે છે, તેમ આ સર્વે સંત છે તે જાણપણારૂપ જે […] read more
1 Views : 289

ગઢડા અંત્ય ૧૦ : વૃંદાવન અને કાશીનું

સંવત્ ૧૮૮૩ના આસો વદી ૧૨ દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, ને સર્વે શ્વેત  વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના સત્‍સંગી હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમે શ્રીજી મહારાજ પાસે એક માઘ્‍વી સંપ્રદાયનો વિદ્વાન બ્રાહ્મણ આવ્‍યો. તેને શ્રીજીમહારાજે પુછયું જે, “તમારા સંપ્રદાયના ગ્રંથને વિષે વૃંદાવનને જ ભગવાનનું ધામ કહ્યું છે અને વળી એમ કહ્યું છે જે, ‘મહાપ્રલયમાં પણ વૃન્‍દાવનનો નાશ થતો નથી.’ અને શિવમાગર્ી હોય તે એમ કહે છે જે, ‘મહાપ્રલયમાં કાશીનો નાશ નથી થતો, એ વાર્તા અમારા સમજ્યામાં આવતી નથી, શા માટે જે, મહાપ્રલયમાં તો પૃથ્‍વી આદિક પંચભૂતનો અતિશે પ્રલય થઈ જાય છે ત્‍યારે વૃન્‍દાવન ને કાશી તે કેમ રહેતાં હશે ?” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજે ભાગવતનું પુસ્‍તક મંગાવીને એકાદશસ્‍કંધમાંથી તથા દ્વાદશસ્‍કંધમાંથી ચાર પ્રકારના પ્રલયનો પ્રસંગ હતો તે વાંચી સંભળાવ્‍યો. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “આ ભાગવતનો તથા ગીતાનો મત જોતાં તો જેટલું પ્રકૃતિપુરુષ થકી થયું છે તે મહાપ્રલયમાં કાંઈ રહેતું નથી. અને જો મહાપ્રલયમાં, વૃન્‍દાવન અખંડ રહેતું હોય તો તેના પ્રમાણનો વ્‍યાસજીના ગ્રંથનો શ્લોક તથા વેદની શ્રુતિ તે કહી સંભળાવો. શા માટે જે, વ્‍યાસજીથી બીજા કોઈ મોટા આચાર્ય નથી. અને બીજા તો જે જે આચાર્ય થયા છે તેમણે વ્‍યાસજીના કરેલા ગ્રન્‍થને આશરીને પોત […] read more
0 Views : 285
Powered By Indic IME