Last Updated:
May 5, 2025

Click here to submit your article
રચના પ્રકાર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૮૬

એક હરિજને પૂછયું જે આવો યોગ ન રહે ને કસર રહી જાય તો કેમ થાશે ? તેનો ઉત્તર : જે જેણે આવો યોગ આપયો છે તેના તે જ કસર ટળાવશે. ૨૮૬ read more
0 Views : 85

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૮૭

વરતાલનું ત્રીજું વચનામૃત વંચાવ્‍યું, ને તેમાં ચાર પ્રકારના ભકતના ભેદ કહ્યા છે : તેમાં એક તો દીવા જેવા, બીજા મશાલ જેવા, ત્રીજા વીજળીના અગ્‍નિ જેવા ને ચોથા વડવાનળ અગ્‍નિ જેવા. એ વચનામૃત વંચાવીને બોલ્‍યા :  જે આજ તો સત્‍સંગમાં બહુધા વડવાનળ જેવા છે. ૨૮૭ read more
0 Views : 88

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૮૮

અને ભગવાન ભેગા રહ્યા ને ખોટ રહી ગઇ ! તે શા કારણથી જે સાધુના સમાગમ વિના. ૨૮૮ read more
0 Views : 91

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૮૯

આ ભગવાન જેવા સાધુ છે, પણ તેની પાસે રહેવાતું નથી એ મોટી ખોટ છે. ૨૮૯ read more
0 Views : 87

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૯૦

અને હવે તો મહારાજ સાધુદ્વારે દર્શન આપે છે ને વાતો કરે છે, ને વળી મૂર્તિદ્વારે દર્શન આપે છે. ૨૯૦ read more
0 Views : 95

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૯૧

અને અમે તો કોટિ કલ્‍પ થયા જોઇએ છીએ, પણ પચાસ કોટિ યોજન પૃથ્‍વીમાં આવા સાધુ નથી. ૨૯૧ read more
0 Views : 83

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૯ર

અને મોટા પરોક્ષ થયા પછી આજની પેઠે પોતાના આશ્રિતની ખબર રાખે કે ન રાખે ? એ પ્રશ્નનો ઉત્તર : જે કયાં પરોક્ષ થાય એવા છે ? બાકી આજની પેઠે દેખાય નહિ, ને ખબર ન રાખે તો બ્રહ્માંડની સ્‍થ્‍િાતિ કેમ રહે ? ૨૯૨ read more
0 Views : 94

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૯૩

અને ઇન્‍દ્ર વિશ્વરુપને માર્યો તેની ચાર બ્રહ્માહત્‍યા લાગી : તેમાં એક તો ગુરુની, બીજી ગોરની, ત્રીજી બ્રાહ્મણની ને ચોથી બ્રહ્મવેત્તાની. પછી તેને નારદજી મળ્‍યા. તેણે કહ્યું : જે ‘તારા ભાઇ વામનજી છે તે ભગવાનનો અવતાર છે, માટે તેનો તું આશરો કર.’ પછી ઇન્‍દ્ર વામનજીનો નિશ્વય કર્યો, તેણે કરીને બ્રહ્મહત્‍યા ટળી ગઇ. એટલું વામનજીનો આશરો કરવાથી કામ થયું માટે આશરો મોટી વાત છે. ૨૯૩. read more
0 Views : 87
Powered By Indic IME