Last Updated:
May 5, 2025

Click here to submit your article
રચના પ્રકાર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૪૬

આ વાતોના કરનારા દુર્લભ છે. મનુષ્ય દેહ દુર્લભ છે ને દેહે સાજું રહેવું તે પણ દુર્લભ છે, એ ત્રણ વાત દુર્લભ છે તે માટે ભજન કરી લેજો. ૨૪૬ read more
0 Views : 76

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૪૭

દત્તાત્રેય બે જીવનું કલ્‍યાણ કર્યું, કપિલે એક જીવનું કલ્‍યાણ કર્યું ને ઋષભદેવે સો જીવનું કલ્‍યાણ કર્યું, ને આજ સાધુ કહે : કે ‘અમે દૈવી જીવનું કલ્‍યાણ કરીએ, પણ આસુરીનું કલ્‍યાણ અમારાથી ન થાય.’ ત્‍યારે ભગવાન કહે: ‘આસુરીનું કલ્‍યાણ અમે કરશું’ તે મુંઝોસૂરુ, માનભા, જોબનપગી ને તખોપગી એ તો પાપના પર્વત કહેવાય, એને તો ભગવાન સત્‍સંગ કરાવે, પણ એ સાધુથી વળે નહી. ૨૪૭ read more
0 Views : 81

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૪૮

અને દશ હજાર સૂર્યનું તેજ સુદર્શન ચક્રમાં છે, તેનો દીવા જેટલો પ્રકાશ થાય એટલું ઘાટું માયાનું તમ છે, તેનો છાંટો જીવમાં નાખ્‍યો છે એ સુષુપ્‍તિ અવસ્‍થા છે, તેને ટાળવા સારુ મહારાજનો અવતાર છે. ૨૪૮ read more
0 Views : 87

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૪૯

અને જેનું કર્યું થાય છે તે તો જાણીએ કાંઇ જાણતાં જ નથી, ને વચમાંથી બીજા કેટલાક મનસૂબા કરે છે. ૨૪૯ read more
0 Views : 79

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨પ૦

અને કોટિ કલ્‍પ થયા વિષય ભોગવ્‍યા છે તેનો પાસ લાગ્‍યો છે, તેને ટાળવાનું કારણ શિક્ષાપત્રીમાં ‘નિજાત્‍માનમ્ બ્રહ્મરુપં’ એ શ્લોક લખ્‍યો છે. ૨૫૦ read more
0 Views : 88

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨પ૧

શાસ્ત્રમાં ભગવાનને સમદર્શી કહ્યા છે તે ખરું નથી, ભગવાન તો ભકતના છે પણ અભકતના નથી, માટે સમદર્શી નથી. ૨૫૧ read more
0 Views : 92

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨પર

ભગવાન પોતાના ભકતમાં રહે છે તે પણ પાત્ર પ્રમાણે રહે છે તે જેમ જેમ મોટા ભગવદી તેમ તેમ તેમાં વિશેષપણે રહે છે. ૩૫૨ read more
0 Views : 83

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨પ૩

ભગવાન શૂળીનું દુ:ખ કાંટે મટાડે છે, એમ કરે તે કેમ જણાય ? એનો ઉત્તર : જે એ જેવું તો આપણે કેટલુંક થાતું હશે, ને બ્રહ્માંડમાં પણ થાય, તે તપાસી જુએ તો જણાય, જે કાળ માંથી સુકાળ કર્યો ને કેટલાક ઉપદ્રવ ટાળી નાખે છે. ૨૫૩ read more
0 Views : 96
Powered By Indic IME