Last Updated:
May 5, 2025

Click here to submit your article
રચના પ્રકાર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૩૦

અને પડછાયાને પહોંચાય નહિ. તેમ વિષય તથા સાધનને પણ પહોંચાય નહિ. ને તેનો પાર આવે તેમ નથી, માટે જ્ઞાન થાય ત્‍યારે સુખ થાય છે. ૨૩૦ read more
0 Views : 76

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૩૧

અને આપણે ભગવાનના છઇએ પણ માયાના નથી એમ માનવું, ને આ વાતું તો અનંત સંશયને છેદી નાખે એવી ભગવાન પુરુષોત્તમની છે. ૨૩૧ read more
0 Views : 78

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૩ર

દેહને પોતાનું રુપ માને તો તેમાં બધાંય દુ:ખ રહ્યાં છે. ને દેહને ન માને તો તેમાં દુ:ખ નહિ. ને શાસ્ત્રમાં બહુ પ્રકારના શબ્‍દ છે તે સાંભળીને ભ્રમી જવાય છે, ને માથું ફરી જાય છે ને બ્રહ્મરુપ મટીને દેહરુપ મનાઇ જવાય છે. ને શાસ્ત્રમાં તો બધાય શબ્‍દ સરખા હોય નહિ, બે આમ હોય ને બે આમ હોય પણ એકધારા હોય નહિ. ને જ્ઞાન થયું છે તે કેનું નામ ? જે શાસ્ત્ર સાંભળીને તથા કોઇની વાતે કરીને અંગ ફરી જાય નહિ, તે પાકું જ્ઞાન કહેવાય. ૨૩૨ read more
0 Views : 98

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૩૩

અને ભગવાનને નિર્દોષ સમજવાથી મોક્ષ થઇ રહ્યો છે, ને દોષ ટાળવાનો અભ્‍યાસ કરે તો ટળી જાય, નીકર દેહ રહે ત્‍યાં સુધી દુ:ખ રહે. ને દોષ જણાય છે તે સર્વે તત્‍વના દોષ છે. ૨૩૩ read more
0 Views : 80

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૩૪

અને વ્‍યવહાર છે તે દેહે કરીને કરવો ને મને કરીને જુદા પડવું, ને મન માંહિ ભળવા આવે તો જ્ઞાને કરીને ત્‍યાગ કરવો ૨૩૪. read more
0 Views : 81

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૩પ

કાંતો અષ્‍ટાંગ યોગ ને કાંતો રોગ, તે વિના અંતરનો મેલ જાય નહિ, તે ઉપર એક ભકતનું દ્ષ્‍ટાંત દિધું, જે રોગ આવી ગયો તે પછી સારું થયું. ૨૩૫ read more
0 Views : 99

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૩૬

એક ભકતે પ્રશ્ન પુછયું : જે ‘શૂળીએ ચડાવ્‍યો હોય તો પણ કેમ સમજે તો સંકલ્‍પ ન થાય, જે ભગવાન મુકાવે તો ઠીક, એવી શી સમજણ છે ?’ તેનો ઉત્તર કર્યો: જે એ તો ભગવાનને સર્વકર્તા જાણે : જે ભગવાન વિના બીજા કોઇનું કર્યું થાતું નથી, એમ સમજે તેને સંકલ્‍પ ન થાય ને ધીરજ રહે. ને એમ ન સમજે તે તો થોડાકમાં અકળાઇ જાય ને ધીરજ રહે નહિ. આ લોકમાં મહારાજને પણ વગર વાંકે દુ:ખ આવતાં, તે આ લોક જ એવો છે તેનું રુપ જાણી રાખવું. ૨૩૬ read more
0 Views : 83

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૩૭

અને આટલી વાત તો સો જન્‍મે પણ ન સમજાય, માટે આ વાત સહુ રાખજો, ને બે સારા સાધુ ને ત્રણ સારા હરિભકતની સાથે જીવ બાંધવો તો સત્‍સંગમાંથી ન પડાય ને કદાપિ કામ, લોભ થોડા ઘણાં રહી ગયા હશે તો ફીકર નથી. તે મહારાજે વચનામૃતમાં કહ્યું છે : જે ‘કદાપિ કામ લોભનો સંકલ્‍પ નહિ હોય પણ ભગવાનના ભકતમાં જીવ ન બંધાણો તો શું થયું ? એવાને અભાવે અસુર થાશે.’ માટે સમજવાની વાત તો સારા ભગવાનના ભકતમાં જીવ બાંધવો એટલું જ કરવાનું છે. ને ઝાઝી વાતનું ડોળ કરીએ તેનું તો એ પ્રયોજન છે, જે આ પ્રથા ચલાવવી છે ને નિયમ પળાવવાં એ સારુ કરવી પડે છે. ૨૩૭ read more
0 Views : 104
Powered By Indic IME