Last Updated:
May 5, 2025

Click here to submit your article
રચના પ્રકાર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૯૦

અને કોટિ કલ્‍પના પાશ લાગ્‍યા છે, તે હમણાં ભગવાનમાં જોડાવા જઇએ, પણ માયામાં જોડાઇ જવાય છે, ને જ્યારે જ્ઞાન થાશે ત્‍યારે માયામાં જોડાવા જાશું, તોપણ ભગવાનમાં જોડાઇ જવાશે. ને હમણાં તો ઇન્‍દ્રીયો અંત:કરણના ભાવથી મુકાઇને સાધુમાં જોડાવું, ને સાધુ ભગવાનમાં જોડશે, ને પોતાને બળે છૂટવા જાય તેમ વધુ બંધાશે. ૧૯૦ read more
0 Views : 84

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૯૧

અને દેહનો ભાવ ન જણાય એવા તો સ્‍વરુપાનંદ સ્‍વામી ! કેમ જે એ તો દેહમાં વર્તે નહિ ને બીજા ને તો દેહના ભાવ જણાય છે. ૧૯૧ read more
0 Views : 86

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૯ર

પણ એક શબ્‍દે કરીને તો સ્‍વરુપાનંદ સ્‍વામીને જ્ઞાન થાય, ને આપણને તો કરોડ શબ્‍દ પડે ત્‍યારે જ્ઞાન થાય, પણ તરત ન સમજાય. ૧૯૨ read more
0 Views : 84

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૯૩

પૂર્વે મોટા મોટા થયા તેમાં કોઇમાં કોઇ પ્રકારનો દોષ હોય, પણ તે દોષ કહેવાય નહિ, ને તેમાંથી તો જીવ બગડી જાય, ને એવી વાતમાં તો શિવજીના આચરણમાંથી ચિત્રકેતુને સંસ્‍કાર થયા. તે ચકલીનું મોત ઢેફલે. સત્‍સંગની મોટપ તો નિશ્વય વડે છે પણ સાધને કરીને નથી. ૧૯૩. read more
0 Views : 74

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૯૪

આપણું કલ્‍યાણ તો પ્રત્‍યક્ષ ભગવાનને આશરે કરીને છે. ને શાસ્ત્ર પ્રમાણે વર્તવું એ તો બીજાના કલ્‍યાણને અર્થ છે, કેમ જે આપણો ગુણ આવે તેનું પણ કલ્‍યાણ થાય. ૧૯૪ read more
0 Views : 83

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૯પ

કેટલાક ધર્મમાં આકરા હોય, પણ સમજણ થોડી હોય, ને કેટલાક ધર્મમા સામાન્‍ય હોય, તો પણ સમજણ સારી હોય, માટે સમજણ હોય તે વૃદ્ધિ પામે. ૧૯૫ read more
0 Views : 81

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૯૬

અને બ્રહ્મભાવ ને મહિમાની વાત ઝાઝી કહેતા નથી, કેમજે એમાંથી તો માણસ ગાંડા થઇ જાય છે, તે સારુ વર્તમાન ને પુરુષપ્રયત્‍નની વાત કરીએ છીએ, કેમજે અનંત જીવને પ્રભુ ભજાવવા છે માટે. ૧૯૬ read more
0 Views : 81

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૯૭

આપણે જાણીએ છઇએ, જે આપણને ભગવાનમાં હેત છે, પણ આપણા કરતાં તો આપણા ઉપર ભગવાનને અને સાધુને ઝાઝું હેત છે. ૧૯૭ read more
0 Views : 87
Powered By Indic IME