પૂર્વછાયો :- શ્રીહરિ રહી સિરપુર વિષે, મતવાદીનું હર્યુ અભિમાન; સિદ્ધવલ્લભ ભૂપાળને, તહાં આપ્યું પોતાનું જ્ઞાન.1 ચોપાઈ :- નદીતટ કર્યુંઆસન જઇને, બેઠા ધ્યાન ધરી સ્વસ્થ થૈને; નદીમાં આવ્યું પાણીનું પુર, તોય આસન નવ કર્યુ દૂર.2 જન જાણે તે તો બુડી ગયા, પણ શ્રીહરિ અવિચળ રહ્યા; હતો સેવક ગોપાળદાસ, ટાળ્યો તેહનો અભિચારત્રાસ.3 ગજ કાળપુરુષનું દાન, એક વિપ્રે લીધું તેહ સ્થાન; હરિશરણે તે બ્રાહ્મણ આવ્યો, તેને પાપથી કૃષ્ણે મુકાવ્યો.4 રહ્યા ત્યાં હરિ ચાતુરમાસ, પછી ત્યાં થકી કીધો પ્રવાસ; કેટલાએક સિદ્ધ ઉમંગે, ચાલ્યા શ્રીઘનશામને સંગે.5 આવી પર્વત વન તણી ઝાડી, રહે તેમાં અઘોરી અનાડી; તે તો માણસને ખાઇ જાય, પણ કૃષ્ણને દેખી પળાય.6 પછી જઇ પરશુરામકુંડ, નાજાયા નાથ ને સિદ્ધનું ઝુંડ; ત્યાંથી પૂર્વના વનમાં સિધાવ્યા, દેવી કામાક્ષી છે તહાં આવ્યા.7 તેની પાસે વસે એક ગામ, તેના બાગમાં કીધો વિરામ; ગામમાં એક વિપ્ર છે વામી, સર્વ જાદુગરોનો તે સ્વામી.8 કૈક જોગી જતીને હરાવ્યા, કૈક પંડિત દ્વિજને ડરાવ્યા; તેનું નામ પ્રસિદ્ધ પિબેક, જેણે જીતેલા સિદ્ધ અનેક.9 તેને શ્રીહરિએ જીતી લીધો, પછી શિષ્ય પોતા તણો કીધો; સર્વે સિદ્ધને વીદાય કરી, ત્યાંથી એકલા ચાલિયા હરી.10 નામે નવલખો પર્વત જેહ, હરિએ દીઠો દૂરથી તેહ; જેમાં કળિયુગ ન કરે પ્રવેશ, એવો એ છે પવિત્ર પ્રદેશ.11 જેમાં જોગી વસે નવ લક્ષ, કરે ફળ જળ પત્રનો ભક્ષ; તપ જ્ઞાન ને વૈરાગ્યવંત, સત્યવાદી […]
read more