Last Updated:
May 5, 2025

Click here to submit your article
રચના પ્રકાર
Per Page :

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૦પ

પૂર્વછાયો:- વર્ણી કહે અભેસિંહજી, સુણો કૃષ્ણકથા ધરી પ્રીત; સાધુઓને હરિ શીખવે,રુડી અષ્ટાંગ યોગની રીત.1 યોગ તણાં આઠ અંગ છે, તેનાં લક્ષણ કહે વૃષલાલ; અભ્યાસ તેનો આદરી, શીખે સાધુજનો તેહ કાળ. 2 યમ નિયમ આસન તથા, પ્રાણાયામ ને પ્રત્યાહાર, ધારણા ધ્યાન સમાધિ છે, અંગ આઠ છે એહ પ્રકાર. 3 ચોપાઈ:- યોગ સાધન કરવાનું ધારે, તેને પાપ કરમથી નિવારે; યોગમાં સ્થિર વૃત્તિ રહે છે, યમ તો તેનું નામ કહે છે. 4 યમના કહું બાર પ્રકાર, સુણો સંતો પૂરો ધરી પ્યાર; અહિંસા તથા સત્ય અસ્તેય, વળી અસંગને લજજા છેય.5 અસંચય અને આસ્તિકપણું, બ્રહ્મચર્ય મુનિવ્રત ગણું; સ્થિરતા ક્ષમા નિર્ભય જેહ, યમ બાર પ્રકારના તેહ. 6 કામ્યધર્મથી વૃત્તિ ઉથાપે, મોક્ષધર્મ વિષે સ્થિર થાપે; તેનું નામ નિયમ નિરધાર, કહું તેનાય બાર પ્રકાર. 7 એક તો બાહ્ય જે શૌચાચાર, બીજો અંતર શૌચ પ્રકાર; જપ તપ હોમ ને શ્રદ્ધા જાણો, અતિથિ તણી પૂજા પ્રમાણો.8 પ્રભુપૂજા ને તીર્થઅટન, વળી પરઉપકાર પાવન; સદા સંતોષ ને ગુરુસેવા, ભેદ બાર નિયમના છે એવા. 9 જોગી જોગની સિદ્ધિને કાજે,જેવી રીતે સુખેથી બિરાજે; એનું નામ તો આસન જાણો, અંગ જોગનું ત્રીજું પ્રમાણો.10 જાણે આસન બહુ જોગાભ્યાસી, તેમાં મુખ્ય ગણાય ચોરાશી; તેમાં પણ મુખ્ય ત્રીશ પ્રકાર, તે વિષે ચૌદ સારમાં સાર. 11 નામ સ્વસ્તિક ગોમુખ એહ, વીરયોગ ને પદ્મ છે તેહ; વળી કુર્કટ કૂર્મ ને […] read more
0 Views : 1722

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૦૬

પૂર્વછાયો:- કહે અચિંત્યાનંદજી, સુણો ભૂપ અભેસિંહ આપ; રામાનંદને હરિ તણો, હવે વર્ણવી કહું છું મેળાપ. 1 ચોપાઈ:- કરી લોજનગરમાં વિરામ, ઘણી લીલા કરી ઘનશ્યામ; કર્યા દિવ્ય ચરિત્ર અનેક, નવ આવે ઉચરતાં છેક. 2 જળઝીલણી દસરા દિવાળી, એ જ રીતે પ્રબોધિની ભાળી; વળી વસંતની જે પંચમી, ફુલદોળ ને રામનવમી. 3 ભીમ એકાદશી કહેવાય,કર્યા એટલા ઉત્સવ ત્યાંય; રામાનંદ સ્વામી નવ આવ્યા, ભુજમાં હરિભકતે રોકાવ્યા. 4 થયા શ્રીહરિ તેથી ઉદાસ, બોલ્યા મુકતાનંદ મુનિ પાસ; વઇશાખનો વાયદો ગયો, સ્વામી કેરો મેળાપ ન થયો. 5 રામાનંદજી આવશે કયારે ? કયારે મેળાપ થાશે અમારે ? સુણી બોલિયા મુકતાનંદ, રહો ઉરમાં ધરી આનંદ. 6 સ્વામી આવશે આજ કે કાલ, ધરો ધીરજ દિલમાં દયાળ; પછી સંવત શતક અઢારે, સાલ છપ્પનમી હતી ત્યારે. 7 જેઠ કૃષ્ણ દશમ દિન ટાણે, રામાનંદ આવ્યા પીપળાણે; જયારે આકાશે ઉગ્યો દિનેશ, ત્યારે ગામમાં કીધો પ્રવેશ. 8 મેતા નરસિંહ દ્વિજ ઉનેવાળ, ઉતર્યા તેને ઘેર દયાળ; એક વિપ્ર કુંવરજી નામ, તેને મોકલિયો લોજ ગામ. 9 કહ્યું સંતનો સર્વ સમાજ, મળી આવજો દર્શન કાજ; જૈને વિપ્રે સમાચાર કહ્યા, સુણી સંત સરવ રાજી થયા. 10 ઉગ્યો ચંદ્રમા પાછલી રાતે, ચાલ્યા સંત સરવ ભલી ભાતે; મળવાની આતુરતા ધરી, સૌએ ઉતાવળી ગતિ કરી. 11 વર્ણીંદ્રનો દુર્બળ દેહ, તેથી થાકી ગયા અતિ તેહ; કહે સંત દ્યો આજ્ઞા અમને, અમે તેડીને ચાલિયે […] read more
0 Views : 1587

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૦૭

પૂર્વછાયો:- ભૂપ કહે વર્ણી સુણો, તમે કથા સુણાવી સાર; રામાનંદ તમે કહ્યા જે, ઉદ્ધવનો અવતાર. 1 ચોપાઈ:- ધર્મ સ્થાપવા ભૂમિ મોઝાર, કયારે આજ્ઞા કરી કરતાર; ઉદ્ધવી સંપ્રદાય ચલાવ્યો, તેનું મૂળ મને સમઝાવો. 2 જૂના શાસ્ત્રમાં જો હોય વાત, સંભળાવો મને સાક્ષાત; વળી ઉદ્ધવે કયાં દેહ ધર્યો ? અને કેને તેણે ગુરુ કર્યો ? 3 જન્મ ધરવાનું કારણ શુંય ? તે તો જાણવા ઇચ્છું છું હુંય; દયાસિંધુ દયા દિલ લાવો, મને તે કથા સર્વ સુણાવો. 4 સુણી એવું બોલ્યા બ્રહ્મચારી, કથા તે સાંભળો મન ધારી; સ્થાપ્યો જે ઉદ્ધવી સંપ્રદાય, મૂળ શ્રીમદ ભાગવતમાંય. 5 અઠાવીશમા દ્વાપર અંતે, બહુ પૃથ્વીને પીડી અસંતે; ભૂપરૂપે થયા ભૂમિભાર, તેણે કીધા અધર્મ અપાર. 6 ધરા ધેનુતણું રૂપ ધરી, ઈંદ્ર બ્રહ્મા પાસે પરવરી; કર્યો પીડાનો બહુ પોકાર, સર્વ દેવે સુણ્યો તેહ વાર. 7 સૌએ કૃષ્ણની પ્રાર્થના કરી, દયાસાગરે દીલમાં ધરી; આપે ઇચ્છ્યા લેવા અવતાર, ભારે ભૂમિનો હરવાને ભાર. 8 ઉપજાતિવૃત્ત:- ભૂમિ તણો ભાર ઉતારવાને, ધરા વિષે ધર્મ પ્રસારવાને; ધર્યાં વસુદેવ થકી શરીર, શ્રીકૃષ્ણને શ્રીબળદેવ વીર. 9 શ્રીઅર્જુને તો કુરુ કુળમાંય, ધર્યો ધરામાં નરદેહ ત્યાંય; તે ત્રણ્ય વીરે અસુરો વિદાર્યા, ભૂમિ તણા ભાર ઘણા ઉતાર્યા. 10 સ્વધામ જાવા હરિયે વિચાર્યું, ત્યારે વળી અંતર એમ ધાર્યું; રહ્યો હજી જાદવ વંશ શેષ, તે ભારને સંહરવો અશેષ. 11 ૠષી તણા શાપ મિષે […] read more
0 Views : 1651

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૦૮

પૂર્વછાયો:- વર્ણી કહે નૃપ સાંભળો, વળી કહું વિશાળાની વાત; દુર્વાસાયે શાપિયા મુનિ, તેહ કહું સાક્ષાત. 1 ચોપાઈ:- નારાયણમુનિ ઉચ્ચરે વાત, મરીચ્યાદિ સુણે સાક્ષાત; થયા વાતમાં સઉ લેલીન, ધર્મ ભકિતયે વાત આધીન. 2 દશા ઉપશમ સહુની થઇ, તનની શુદ્ધિ વિસરી ગઇ; ગિરિ કૈલાસથી એ જ ટાણે, દુરવાસા આવ્યા તે ઠેકાણે. 3 આપે રુદ્રનો અંશ ગણાય, જેનો ક્રોધ વરણવ્યો ન જાય; આવી ઉભા તે સભાની પાસ, દીઠા નહિ કોઇયે દુરવાસ.4 મુનિ ઉભા રહ્યા ઘડીવાર, ન કર્યો કોઇયે સતકાર; ત્યારે જાણિયું એમ નિદાન, આ તો કીધું મારું અપમાન. 5 તેથી કારમો ક્રોધ ચડાવ્યો, જાણે રુદ્ર પ્રલે કાજ આવ્યો; દિસે ક્રોધે ભર્યા લાલ ડોળા, ધિખતા જેવા લોઢાના ગોળા. 6 ભ્રકુટી ભયંકર અથાક, જાણે શંભુનું હોય પિનાક; ડસે હોઠ દિસે વિકરાળ, જાણે કોપિયો સાક્ષાત કાળ. 7 ક્રોધે થરથર ઘ્રુજે શરીર, જાણે ઉછળે સાગરનીર; રોમ ઉભા થયા અંગે એવા, હોય લોહના ગરજા જેવા. 8 જાણે જગતનો કરશે વિનાશ, કાં તો દેશે ત્રિલોકીને ત્રાસ; પછી બોલ્યા ઉંચો કરી સાદ, જેવો પ્રલયના મેઘનો નાદ. 9 તમે સાંભળો મુનિજન સર્વ, તપ વિદ્યાનો તમને છે ગર્વ; ધર્મપણ થયા આજ અધર્મ, મારા મનમાં હું સમજયો છું મર્મ. 10 હું તો ઉભો રહ્યો ઘણી વાર, ન કર્યો કોઇયે સતકાર; ઘણું તમને ચડ્યું અભિમાન, તેથી મારું કર્યું અપમાન. 11 જયા ત્યાં પામો છો […] read more
0 Views : 1518

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૦૯

પૂર્વછાયો:- વર્ણી કહે વસુધાપતિ, કહું રામાનંદની વાત; તીરથ કરવા સંચર્યા, દ્વારાવતિ વિષે વિખ્યાત. 1 ચોપાઈ:- રુડા નિરખીને રણછોડરાય, થયા ત્યાં થકી તેહ વિદાય; ગયા જયાં ગિરિ છે ગિરનાર, કરી જાત્રા તેની સુખકાર. 2 વળી સાંભળી ત્યાં એવી વાત, એક સદ્ગુરુ છે સાક્ષાત; આતમાનંદ તે ગુરુરાજ, ત્રંબા ગામમાં છે એ તો આજ. 3 પછી ત્યાં જઇ તેઓને મળિયા, કાંઇ મનના મનોરથ ફળિયા; મુકતાનંદ તથા જુકતાનંદ, તેના શિષ્ય હતા જનવૃંદ. 4 હરબાઇ અને વાલબાઇ, સતસંગી હતી બહુ ડાઇ; આતમાનંદે વાણી ઉચ્ચારી, તમે કયાંથી આવ્યા બ્રહ્મચારી ? 5 રામશર્મા કહે મહારાજ, આવ્યો દ્વારાવતિ થઇ આજ; ઘણા તીરથ માંહિ હું ફર્યો, કયાંઇ જીવ મારો નવ્ય ઠર્યો. 6 ધારી પ્રભુ મળવાની આશ, થયો સર્વ સ્થળે હું નિરાશ; કયાંઇ સદ્ગુરુ દીઠા ન કોઇ, ઠર્યું અંતર તમને જ જોઇ.7 રુડી દીઠી તમારી મેં રીત, જ્ઞાની ધ્યાની છો પરમ પુનીત; આત્માનંદે મુમુક્ષુ તે જાણી, સતકાર કર્યો ભાવ આણી. 8 રામશર્માને રાખિયા ત્યાંય, મુદ પામ્યા સહુ મનમાંય; પછી દીક્ષા દીધી સુખકંદ, ધર્યું નામ તેનું રામાનંદ. 9 રામાનંદે કહ્યું ગુરુપાસ, મને હરિદર્શનની છે આશ; આત્માનંદ બોલ્યા ગુણવાન, મારી સાથે બેસી ધરો ધ્યાન.10 બેઠા બેય તે ધ્યાન મોઝાર, દીઠું ધ્યાનમાં તેજ અપાર; પછી ધ્યાનથી જાગિયા જયારે, રામાનંદે કહ્યું વળી ત્યારે. 11 દીઠું ધ્યાનમાં તેજ તો ઘણું, રૂપ દીઠું નહિ હરિ તણું; […] read more
0 Views : 1512

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૧૦

પૂર્વછાયો:- કૃષ્ણે મહામંત્ર આપીને, વળી ઉદ્ધવને કહ્યું એમ; ભકિત ભલી પ્રવર્તાવજો, તે ધર્મ સહિત હોય જેમ. 1 ચોપાઈ:- કરો સોરઠમાં જૈ નિવાસ, ઘણા ત્યાં આવશે દૈવી પાસ; ૠષિ શાપથી મુનિયો જેહ, ધરામાં ધર્યા છે નરદેહ. 2 તેઓ પણ ત્યાંજ આવીને મળશે, તમારા સંપ્રદાયમાં ભળશે; વળી હું નરદેહ ધરીશ, આવી સોરઠ માંહિ મળીશ. 3 ઘણાં કરજો વળી અન્નસત્ર, આવી મળશે મુમુક્ષુ તે તત્ર; મારી ભકિત કર્યાનો હંમેશ, તેને આપજો સદ ઉપદેશ. 4 એમ કહી થયા અંતરધાન, રામાનંદ થયા સાવધાન; પછી આનંદથી એક માસ, વંૃદાવન માંહી કીધો નિવાસ.5 આપે મુમુક્ષુને ઉપદેશ, કૃષ્ણભકિત કરાવે વિશેષ; જયારે ધરે શ્રીકૃષ્ણનું ધ્યાન, હરિ આપે છે દર્શનદાન. 6 ફળ પુષ્પ આદિક જે ધરે, તે તો કૃષ્ણ અંગિકાર કરે; પોતે ઉદ્ધવ છે સાક્ષાત, હરિઇચ્છાથી તે જાણી વાત. 7 ભગવાનનાં વચન સંભારી, સતશાસ્ત્રના મત અનુસારી; ઉદ્ધવી સંપ્રદાય ચલાવ્યો, દેશદેશમાં તે પ્રસરાવ્યો. 8 પછી તીર્થ પ્રયાગમાં ગયા, એક પક્ષ તહાં સ્થિર થયા; કરુણાનિધિ કરુણા કીધી, કૈંક દૈવીને દીક્ષા તે દીધી. 9 ધર્મ ભકિત આવી ચડ્યાં ત્યાંય, જાત્રા કરવાને તીરથ માંય; રામાનંદતણી સુણી શિક્ષા, લીધી ભાગવતી ભલી દીક્ષા. 10 ઉદ્ધવી સંપ્રદાયનો સાર, ગુરુયે સમઝાવ્યો તે વાર; કહ્યું દૈવીઓને દીક્ષા દેજો, કૃષ્ણભકિત કર્યાનું કહેજો. 11 ત્યાંથી ચાલિયા શ્રીરામાનંદ,જવા સોરઠ દેશ સ્વચ્છંદ; મહીકાંઠે છે કાનમ દેશ, આવી તે વિષે કીધો પ્રવેશ. 12 ગામ […] read more
0 Views : 1417

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૧૧

પૂર્વછાયો:- રામાનંદ પ્રતાપથી, મુકતાનંદમુનિ ગુણવાન; નિશ્ચળ નિષ્કામી થયા, હવે એનું કહું આખ્યાન.1 ચોપાઈ:- અમરાપર નામે છે ગામ, દેશ સોરઠમાં સુખધામ; વસે ત્યાં હરિજન મુળદાસ, સાધુતાગુણ શુભ જેની પાસ.2 તેની બાળકી જે રાધાબાઇ, બહુ રૂપે ગુણે વખણાઇ; પિતાયે એમ મનમાં વિચાર્યું, મળે વર વિદ્વાન તો સારું. 3 એક વિપ્ર જે આનંદરામ, અમરેલી માંહી તેનું ધામ; જોઇ વિદ્વાન ને ગુણવાન, મૂળદાસે દીધું કન્યાદાન. 4 પછી તેને થયો એક પુત્ર, તેથી તેનું શોભ્યું ઘરસૂત્ર; બહુ બુદ્ધિ ને રૂપ પ્રકાશ, ધર્યું નામ તો મુકુંદદાસ. 5 મહામુકત છે તેહ નિદાન, હરિ ઇચ્છાયે ભૂલ્યા છે જ્ઞાન; તેર વર્ષના તે થયા જયારે, પરણાવ્યા પિતાજીયે ત્યારે. 6 ભણ્યા શાસ્ત્ર ભલાં રુડી રીત, એથી વૈરાગ્ય ઉપજયો ખચીત; ધારી ત્યાગી થવા તણી વાત, થવા દે કેમ માત ને તાત.7 તેનો કરવાને ઉપાય કાંઇ, ફર્યા ગાંડા થઇ ગામમાંઇ; જાણી જોઇ ભૂલ્યા તનભાન, કરાવે તો કરે ખાન પાન. 8 જયાં ત્યાં રખડે દિવસ ને રાત, ઘેર ખોળી લાવે માત તાત; રાતે શેરીયે શેરીયે જાય, જઇ કોઇના આંગણમાંય. 9 ખાટલો પાટલો પડ્યો હોય, વસ્તુ હલકી કે ભારે તોય; તે તો ત્યાંથી ઉપાડી લઇને, મુકે અન્યને આંગણે જૈને. 10 કરે એવી ઘણી તે રંજાડ, લાવે લોક તણી બહુ રાડ; વસ્તુ નિજ ઘરની લેઇ કાંઇ, નાંખી આવે જઇ ગામમાંઇ.11 માત તાતને કાયર કીધાં, મેણાં નારીને […] read more
0 Views : 1437

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૧ર

પૂર્વછાયો:- કહું કથા રામાનંદની, વળી તેણે કર્યા જે કામ; બાંધ્યાં સદાવ્રત બહુ ભલાં, ગણી કહું તે ગામનાં નામ. 1 ચોપાઈ:- ગામ લોજ તથા માંગરોળ, આપે ત્યાં લોટ દાળ ઘી ગોળ; માણાવદર ને અગત્રાઇ, મેઘપર ને ધોરાજી માંઇ. 2 ગામ સાંકળી ને પીપળાણું, જામવાળી ને ભાડેર જાણું; ફણેણી જેતપર સરધાર, સદાવ્રત નવાનગર મોઝાર. 3 કોટડું ગઢડું કારિયાણી, આપે પુષ્કળ ત્યાં અન્ન પાણી; ગામ માણકવાડા મેથાણ, ગુજરાતે જેતલપુર જાણ. 4 અમદાવાદમાં કર્યું જેમ, બીજાં પણ બહું ગામમાં તેમ; રાખ્યા સાધુઓને અન્ન દેવા, આવે તીરથવાસીયો લેવા. 5 આપી અન્નને દે ઉપદેશ, દૈવીને દિલ થાય પ્રવેશ; વસ્તુ નિત્ય અનિત્યનું જ્ઞાન, પામી થાય તે વૈરાગ્યવાન.6 સુણી સ્વામીનો મહિમા વિશેષ, રહે કૈંક તો ત્યાં જ હંમેશ; દીક્ષા વૈષ્ણવી લેવા ચહે છે, સાધુ થૈ સ્વામીપાસ રહે છે.7 અયોધ્યામાં અખાડો છે જેહ, નામે રામગલોલાનો તેહ; રહે વેરાગી તેમાં અનેક, ઉપરી તો મહાંત છે એક. 8 મુખ્ય શિષ્યતો લક્ષ્મણદાસ, તેને દ્વારિકા જાવાની આશ; સાથે વૈરાગી પચાશ લીધા, ઊંટ ઘોડા ગુરુજીયે દીધા. 9 સૌયે હથિયાર પકડ્યાં હાથે, બીજો સામાન બહુ લીધો સાથે; ચાલ્યા દ્વારિકા જાત્રાને કામ, સુણ્યું રસ્તે રામાનંદ નામ. 10 જયાં છે સુંદર સોરઠ દેશ, લોજમાં તે વસે છે વિશેષ; એ છે ઇશ્વરનો અવતાર, તેના સામર્થ્યનો નથી પાર. 11 પર અંતરની વાત જાણે, મન ચંચળ તે સ્થિર આણે; એનો […] read more
0 Views : 1440
Powered By Indic IME