Last Updated:
May 5, 2025

Click here to submit your article
પદ્ય
Per Page :

સ્નેહગીતા કડવું:- ર૮

પછી ઊગ્યો અર્ક ને જાતી રહી જામનીજી, ભવન ભવનથી ભેળી થઈ ભામનીજી । નંદ ઘરે નવલો રથ કેનો આવ્યો કામનીજી, અલબેલો આવ્યા જાણી ધામધામનીજી ।।૧।। ઢાળ – ધામધામથી ધાઈ ગોપી, વળી રથ જાણીને રાજનો । ટોળે મળી વળી વનિતા, મેલ્યો ધંધો ઘર કાજનો ।।૨।। આવી જોયું ત્યાં ઊદ્ધવદીઠા, પછી ભેટી તેને ભાવશું ।પછી પ્રેમે કરીને પ્રમદા, પુછે ઊદ્ધવને ઊત્સાવશું ।।૩।। શિયો સંદેશો સુખનો, કૃષ્ણજીએ અમને કા’વિયો । તમને મુકયા તે ન આવ્યા, એવો શિયો અભાવ આવિયો ।।૪।। સાચું કહેજો સમ અમારા, અમે પુછુંછું એ પ્રશ્નને ।  અમ ઊપરે ઊદ્ધવ એણે, કહો કેમ ધાર્યું છે કૃષ્ણને ।।૫।। અહોનિશ ઊદ્ધવ તમે, મોહનશું રહોછો મળી । કોઈ વારે કૃષ્ણજી કહેતા, વ્રજમાં જાશું વળી ।।૬।। ઊદ્ધવ કહેજો અમને, હોય જથારથ જેવું સહિ ।  શિયે વાંકે શ્યામળો, વળી વ્રજમાં આવ્યા નહિ ।।૭।। સ્નેહ છે એને કોણ સાથે, કેની પ્રીત કરી પિયુ વાધિયા ।  કેને વશ થઈ રહ્યા વહાલો, જે અમને તજી તેના થયા ।।૮।। ઊદ્ધવ અમને અલબેલાની, કથા તે સર્વે કહો કથી ।  કોણ કારણ ઊદ્ધવ અમને, મોહને ઊતાર્યાં મનથી ।।૯।। ઊદ્ધવજી હવે ઊચ્ચરો, રખે વા’લે કહ્યું તે વિસારતા ।  નિષ્કુલાનંદના નાથજીની, કરો વિધ વિધ વારતા ।।૧૦।। કડવું ।।૨૮।। read more
0 Views : 144

સ્નેહગીતા પદ:- ૦૭

રાગ સોરઠા – ઊદ્ધવજી હવે ઊચ્ચરો, કરો વા’લાની વાત । જેરે કરો તે જીવાડજો, અમો છીએ અબળાની જાત; ઊદ્ધવજી૦ ।।૧।। સહુ મળી અમે સુણવા, લેવા સુખ શરીર । ઊદ્ધવ અમે છીએ અધિરિયાં, તેને આપજો ધીર; ઊદ્ધવજી૦ ।।૨।। એક વાતે શાન્તિ ઊપજે, એકે ઊઠેછે ઝાળ ।  વિવેકે કહેજો તે વીરા વળી, થઈ દિલનાદયાળ; ઊદ્ધવજી૦ ।।૩।। વલવલુંછું અમે વનિતા, તેતો કૃષ્ણને કાજ ।  નિષ્કુલાનંદનો નાથજી, કયારે મળશે મહારાજ; ઊદ્ધવજી૦ ।।૪।। પદ ।।૭।। read more
0 Views : 131

સ્નેહગીતા કડવું:- ર૯

ઊદ્ધવ કહે વળી સુંદરી સુણો સહુજી, તમે છો હરિને બાઈ વ્હાલી બહુજી । નિશદિન નાથની સાથે બાઈ હું રહુંજી, કહ્યું મને શ્રીકૃષ્ણે તે તમને કહુંજી ।।૧।। ઢાળ – કહ્યું છે બાઈ કૃષ્ણજીએ, કરજો કર જોડી પ્રણામ । વળી વળી શું કહું કૃષ્ણ કહે, મારે સુંદરી સુખધામ ।।૨।। રાત દિવસ રટણ રહેછે, વારંવાર વ્રજ સાથને ।  તમારા પ્રેમની વાત પ્રમદા, નથી વિસરતી નાથને ।।૩।। વળી ઊઠતાં બેસતાં એમ બોલે, શું કરતી હશે વ્રજ સુંદરી । સુતાંસુતાં જાગે જયારે, ત્યારે ગોપી ગોપી ઊઠે કરી ।।૪।। એમ સંભાળે છે શ્યામળો, વળીવળી વ્રજજનને । પ્રાણથકી અધિક અબળા, જણાવોછો જીવનને ।।૫।। ભવ બ્રહ્મા ભજેછે જેને, તેતો ભજેછે બાઈ તમને । તમારી તેની ખબર ખરી, કાંઈ પડતી નથી અમને ।।૬।। કોણ જાણે જે કેમ હશે, વળી નથી કળાતી વારતા, રાત દિવસ હૃદયથી, હરિ તમને નથી વિસારતા ।।૭।। ઊદ્ધવ કહે હું આશ્ચર્ય પામ્યો, શિયાં પુણ્ય તમારાં છે સજની । સુતાં બેઠાં જાગતાં, વ્હાલો વાત કરેછે વળી વ્રજની ।।૮।। બાઈ પ્યારી છો તમે પ્રાણથી, કૃષ્ણે કહ્યું ને હું પણ કહું । હરિ તમારા હેતનો હું, પાર કઇ પેરે લહું ।।૯।। પણ હેત કરી હરિ હૈયાનું, હારદ કહ્યું છે અમને, નિષ્કુલાનંદના નાથનું ગમતું, તે સાંભળોતો કહું તમને ।।૧૦।। કડવું ।।૨૯।। read more
0 Views : 139

સ્નેહગીતા કડવું:- ૩૦

ઊદ્ધવ કહે સુણો સરવે સુંદરીજી, કેવા જાણી કૃષ્ણને કહો તમે પ્રીત કરીજી । સમઝયા વિના સુખ ના’વે જો જાયે મરીજી, જુઠું નથી જુવતી વાત અંતે એ ખરીજી ।।૧।। ઢાળ – ખરી કહું ખોટી નથી, તમે સમઝયાં નહિ કાંઈ સુંદરી । પરાપર જે બ્રહ્મ પૂરણ, તેને તમે જાણિયો જાર કરી ।।૨।। પૃથ્વી જળ ને તેજ વાયુ, વળી વ્યોમ ત્રિગુણ અહંકાર । એહ મળી મહત્તત્ત્વ માયા, એક પુરૂષને આધાર ।।૩।। પુરૂષ રહે પરબ્રહ્મમાંહિ, પરબ્રહ્મ રહે નિરાધાર । તેહ જે શ્રીકૃષ્ણ મૂરતિ, તેને જાણિયો તમે જાર ।।૪।। વળી વિશ્વમાંહિ વ્યાપી રહ્યો, પડ બ્રહ્માંડમાં ભરપૂર ।  કૃષ્ણ વિના તો કોયે નથી, તેને દેખિયો તમેદૂર ।।૫।। હવે એકાગ્ર ચિત આણો, તમે ધરો અંતરે ધ્યાન । બાહ્ય વૃત્તિ મેલો બાઈ, ભીતર છે ભગવાન ।।૬।। મન કૃત્ય મિથ્યા કરીને, અંતર વૃત્તિ વાળીયે ।  તો સાક્ષીરૂપે સરવમાંહિ, વ્યાપક વસ્તુને ભાળિયે ।।૭।। આંખ્ય મીચી જુવો અબળા, તો ધ્યેય ધ્યાતા ધોખો ટળે ।  અણછતાં શું થાઓ ઊભાં, એક વિના અન્ય નવ મળે ।।૮।। વેદ વેદાંત ને સાંખ્યનું, સુંદરી એહ સાર છે ।  એમ સમઝે થાશો સુખિયાં, અંતે તેહ નિરધાર છે ।।૯।। દેહ બુદ્ધિ બાઈદૂર કરી, વળી વિષય વાસના પરહરો । નિષ્કુલાનંદના નાથે કહ્યું, તમે જોગ જુગતે શું આદરો ।।૧૦।। કડવું ।।૩૦।। read more
0 Views : 134

સ્નેહગીતા કડવું:- ૩૧

ઊદ્ધવજી તમે એશું બોલીયુંજી, અમને એ કહ્યું તમે અણતોળિયુંજી । ભાઈ અમને ભામિનીને શીદ પાડોછો ભૂલીયુંજી, છતે કંથે છાર કો’ને કેણે ચોળીયુંજી ।।૧।। ઢાળ – છાર ન ચોળ્યું છતે ધણીએ, એતો વિધવા કેરો વેપાર છે । કંથ વિયોગી અંતર રોગી, તેને ભુંસવી ભલી છાર છે ।।૨।। વળી નર કોઈ નિરભાગી, સુત વિત્તદારાનોદુઃખિયો । તેહ જોગ લઈને જાય જંગલે, થાવાનો કોઈ સ્થળે સુખિયો ।।૩।। વળી ભવવૈભવ જેને હોય વા’લા, તેતો એક બ્રહ્મ કહી ઊચ્ચરે । ભાત્ય ઊભયભ્રષ્ટ થઈને, પછી મનમાન્યા વિષય કરે ।।૪।। વળી ધણી વિના જે ધ્યાન ધરે, તેતો કોઈકનું ઘર ઘાલવા ।  જેમ આંખ્ય મિંચી બેસે બલાઈ, તેતો ઝડપી ઉંદરને ઝાલવા ।।૫।। ડગમગ દિલ ચળ ચિત્તવાળા, જેને પ્રતીતિ નહિ પ્રગટતણી । તેતો વણ કહ્યે વેપાર એહવો, ભાઈ ધાઈને કરશે તેનો ધણી ।।૬।। ઊદ્ધવજી તમે કહ્યું જે અમને, તેમાં સાર નદીઠો કાંઈ શોધતાં ।  અમને કહ્યું એવું જે જ્ઞાન, તમને કેટલું થયું પરમોદતાં ।।૭।। બહુ સાધને સાધ્યું હશે, ઊદ્ધવજી એવું જ્ઞાન ।  આટલા દિવસ આવા વેષનું, કેમ અળગું ન કર્યું અજ્ઞાન ।।૮।। બીજાને તો જોગ ધરાવો, ભાઈ તમે તે ભોગી કેમ રહ્યા ।  અમે કંગાલની ઊપરે, છેક ન થઈએ નિર્દયા ।।૯।। એવા સંદેશા સાટે ઊદ્ધવ, કેમ ના’ણ્યો કૂપ વિષનો ભરી। નિષ્કુલાનંદના નાથનું મોકલ્યું, ખાત અમે ખાંતે કરી ।।૧૦।। કડવું ।।૩૧।। read more
0 Views : 130

સ્નેહગીતા કડવું:- ૩ર

ઊદ્ધવજી અમે જોગ કેમ કરીએજી, અમે કૃષ્ણકામિની કાષાયાંબર કેમ ધરીએજી । તેથકી વીરા મર વિષ ખાઈને મરીએજી, ગજથી ઊતરી કેમ ચડીએ ખરીએજી ।।૧।। ઢાળ – ખરીએ ન બેસાયે કરી તજી, કણ મુકી કુકસ કોણ ગ્રહે । કંચન મુકીને કાદવ કોઈ, લોભાવે પણ નવ લહે ।।૨।। મણિરત્નની માળા મુકી, શંખલાનો શણગાર કોણ કરે ।બાવના ચંદન તજી તનમાં, ભસ્મ કોણ ભુંશી ફરે ।।૩।। અંબર અંગે ઓઢવાં મેલી, વળી કોણ ધરે મૃગચર્મને । ઊત્તમ ક્રિયા મુકી અંગની, કોણ કરે મલિન વળી કર્મને ।।૪।। ખીર ખાંડ ઘૃત ખાવું તજીને, ખાયે કોણ આક ધંતુરા પાન ।   સેજ પલંગને પરહરીને, કોણ સુવે જઈ સ્મશાન ।।૫।। જેહ મુખે અમે પાન ચાવ્યાં, તેહ મુખે આવળ કેમ ચાવશું ।કૃષ્ણ વિના ઊદ્ધવ અમે, બીજું અંતરે કેમ ઠેરાવશું ।।૬।। પ્રીતે પતંગ અંગ પાવકે આપે, મૃગ મરે નિઃશંક થઈ નાદમાં ।  ઊદ્ધવજી સુખ એટલું, શું નહિ જાણિયે શ્યામના સ્વાદમાં ।।૭।। આતો તન મન આપ્યું છે એહને, એક રતિ અમે રાખ્યું નથી ।  શ્રીકૃષ્ણ કૃષ્ણ કે’તાં મરશું, પણ બીજું નહિ થાય અમથી ।।૮।। આ જીહ્વા તો અન્ય ન ઊચ્ચરે, પણ મુવા પછી પારખું કોઈ લેશે ।  નળી ભુંગળી વળી વાંસળી કરે કોય, તોએ કૃષ્ણ કૃષ્ણ એમ બોલશે ।।૯।। અમો અબળાનું અંતર એવું, જેણે ઢાળે ઢળ્યું તેણે ઢળિયું ।  નિષ્કુલાનંદના નાથ સાથે, મન મળિયું […] read more
0 Views : 150

સ્નેહગીતા પદ:- ૦૮

રાગ ગોડી – શ્રી નાથ સાથે મન માનિયું, ઊદ્ધવ એ વિના અમે ન રહેવાયેહો ।  વાલાને વિયોગે વીતે પળ વળી, તેતો જુગ તુલ્ય જાયેહો; શ્રીનાથ૦ ।।૧।। સુતાં બેઠાં સાંભરેછે સલુણો, સુખકારી શ્યામ સદાયેહો । ખાતાં પીતાં ખટકે હૃદયે, અલબેલો અંતરમાંયેહો; શ્રીનાથ૦ ।।૨।। દર્શન વિના જેદલડુંદાઝેછે, તેતો કેને ન કહેવાયેહો ।  રૂવર કોયે ઓષડ ઊસતાદે, શરીર સુખ નવ થાયેહો; શ્રીનાથ૦ ।।૩।। પ્રેમના પાશમાં પાડી ઊદ્ધવ અમને, ઘેરીને માર્યું છે ઘાયેહો ।  નિષ્કુલાનંદના નાથે નથી રાખ્યો, ઊગરવાનો ઊપાયેહો; શ્રીનાથ૦ ।।૪।। પદ ।।૮।। read more
0 Views : 149

સ્નેહગીતા કડવું:- ૩૩

ઊદ્ધવ અમે અંતરે થઈછું જાજરીજી, તેતો શ્યામ સલુણાને સ્નેહે કરીજી । ધીર અંગે અબળા નથી શકતી ધરીજી, અધુરૂં પુરુ કરવા આવિયા તમે ફરીજી ।।૧।। ઢાળ – અધુરૂં પુરુ કરવા કાજે, એ સંદેશો કૃષ્ણે કહાવિયો । કાળજું તો કાપીને ગયા’તા, વળી મારીને પ્રાણ મંગાવિયો ।।૨।। પ્રાણ અમારા લઈને ઊદ્ધવ, અલબેલોજી શું કરશે । અમો અબળાનો અંત આણે, એનું કારજ તે શું સરશે ।।૩।। માશી મલ્લ મામાને માર્યો, એમ આવી મારે મર અમને । પણદૂર રહીને દગા રચેછે, તેતો ઘટતું નથી ત્રિકમને ।।૪।। સ્વારથ વિના શાને માટે, અમ ઊપર એણે આદર્યું ।  અમે અબળાએ ઊદ્ધવ એનું, ભૂંડું તે ભાઈ કહો શું કર્યું ।।૫।। અનેક અપરાધ હોય અબળાના, તોયે નર નથી કોઈ મારતા । ભણી આવ્યા છે ભાઈ બહુ, કેમ એટલું નથી વિચારતા ।।૬।। પારાધી બાંધી મારે પશુને, તેતો માંસ ચર્મને માટ જો ।  એતો અમારૂં અર્થ નહિ આવે, શું મારીને કરશે ખાટ જો ।।૭।। નો’તુંદીઠું નો’તું સાંભળ્યું, જે પ્રીત કરીને પ્રાણ હરવા । ઊદ્ધવજી એવું અલબેલાને, કોણે શીખવ્યું જો કરવા ।।૮।। કેને કહીએ કોણ સાંભળે, જયારે અલબેલે એવું આદર્યું ।  ઊગરવાની અમે આશા મેલી, મરવાનું મન નિશ્ચે કર્યું ।।૯।। અધુરે સુખે મરશું અમે, રે’શે આશા અમારી એહશું ।  નિષ્કુલાનંદના નાથ સાથે, નથી પડવું નોખું સ્નેહશું ।।૧૦।। કડવું ।।૩૩।। read more
0 Views : 146
Powered By Indic IME