Last Updated:
May 5, 2025

Click here to submit your article
પદ્ય
Per Page :

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૪ર

પૂર્વછાયો- અનુપ ઇડર દેશમાં, ધન્ય ધન્ય ટોડલા ગામ । ધન્ય ધન્ય દ્વિજની જાતિને, જયાં ઉપન્યા ભક્ત અકામ ।।૧।। યોગી પૂર્વ જન્મના, જેને વાલા સંગે અતિ વાલ । પ્રભુ સંગાથે પ્રકટ્યા, ખરા ભક્ત નામ ખુશાલ ।।૨।। શમ દમાદિ સાધને, પૂરા તપસી ત્યાગી તન । જાણે યોગ અષ્ટાંગને, પૂરણસિદ્ધ પાવન ।।૩।। બાળપણામાં વાત બીજી, રૂચિ નહિ જેને રંચ । અતિ અભાવ અંગ વરતે, પેખીને વિષય પંચ ।।૪।। ચોપાઇ- એવા ભક્ત તે ખરા ખુશાલ, જેને ન ગમી સંસારી ચાલ્ય । બાળપણામાં રાચ્યાં ભજને, બીજું કાંઇ ગમ્યું નહિ મને ।।૫।। એમ કરતાં થયો સતસંગ, ચડ્યો અતિ ચિત્તે તેનો રંગ । આવી અંગમાં ખરી ખુમારી, ઉતરે નહિ કેની ઉતારી ।।૬।। કરે ધ્યાન મહારાજનું નિત્ય, અતિ પ્રકટ પ્રભુમાં પ્રીત્ય । એમ કરતાં કાંઇક દન, થયો પ્રકાશ પોતાને તન ।।૭।। કોટિકોટિ સૂરજ સમાન, છાયો તેજે જમિ અસમાન । તેમાં કડાકા થયા છે ત્રણ, માન્યું લોકે આવ્યું આજ મરણ ।।૮।। આતો પ્રલય થવાની પેર, એમ કહેવા લાગ્યા ઘેરઘેર । તેહ કડાકા ને તેજ તેહ, ષટ જોજને જણાયું એહ ।।૯।। જોઇ આશ્ચર્ય પામિયાં લોક, વધ્યો આનંદ થયાં અશોક । તે પ્રતાપ શ્રીમહારાજ તણો, શું કહીએ મુખથી ઘણોઘણો ।।૧૦।। વળી એક દિવસની વાત, કહું વર્ણવી વળી વિખ્યાત । કરતા ભજન મહારાજ તણું, તનભાન ભૂલ્યાછે આપણું ।।૧૧।। થઇ નિરાવરણ નિજવૃત્તિ, દીઠા […] read more
0 Views : 129

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૪૩

પૂર્વછાયો- વળી વડોદરા શહેરમાં, પૂર્યા જે પરચા મહારાજ । તે લેખે ન આવે લખતાં, એમ કર્યાં જનનાં કાજ ।।૧।। જણ જણ પ્રત્યે જાુજવા, વળી પરચાનો નહિ પાર । કહ્યા ન જાય કોઇથી, એવા થાય ચમત્કાર ।।૨।। હેત જોઇ હરિજનનાં, પ્રભુજી થયા પ્રસન્ન । નિત્ય પ્રત્યે નરનારીને, આપે દયાનિધિ દર્શન ।।૩।। જેજે રીત્યે જનના, મહારાજે પુર્યા મનોરથ । તેતે કહું સહુ સાંભળો, સ્વામી સહજાનંદની સામર્થ્ય ।।૪।। ચોપાઇ- કહું સામર્થી નાથની હવે, ચડે ખુમારી જેને સાંભળવે । એક ભક્ત બ્રાહ્મણ અકામ, તેનું સદાશિવ એવું નામ ।।૫।। તેની સુતા તે નામ ઉમૈયા, તે ઉપર મહારાજની દયા । થાય ધારણા દેખે છે ધામ, લિયે આવીને તેહનાં નામ ।।૬।। સુરપુર ને કૈલાસ જેહ, વૈકુંઠ વળી ગોલોક તેહ । શ્વેતદ્વિપ ને અક્ષરધામ, એહ આદિ લિયે કઇ નામ ।।૭।। દેખે ધામ ને ધામના પતિ, સહજાનંદ સુખ મૂરતિ । કરે દર્શન તેહનાં નિત્યે, પ્રભુ બોલાવે બાઇને પ્રીત્યે ।।૮।। એક દન કહે એમ નાથ, આજ જમશું અમે તારે હાથ । કરજયો સુંદર રસોઇ સારી, કેળાં રોટલી કાજાુ તૈયારી ।।૯।। પછી ધારણા માંહિથી જાગી, ઉઠી રસોઇ કરવા લાગી । થઇ રુડી રસોઇ તૈયાર, જમ્યા પ્રકટ પ્રાણ આધાર ।।૧૦।। દિઠા ઘરને મનુષ્યે મળી, આવી મૂરતિ એમ ન કળી । જાણ્યું પ્રકટ પ્રમાણ પધાર્યા, આજ જન્મ અમારા સધાર્યા ।।૧૧।। બેઠા દીઠા સૌવે […] read more
0 Views : 134

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૪૪

પૂર્વછાયો – વળી વડોદરા શહેરની, કહું વર્ણવી એક વાત । પૂર્યા પરચા જનને, સહુ જાણે એમ સાક્ષાત ।।૧।। એક એકને અનેક પરચા, આપે છે અવિનાશ । તેણે ખુમારી તનમાં, મન મગન રહે છે દાસ ।।૨।। આ લોકને પરલોકનું, થયું સુલભ સહુને કાજ । દેહ છતાં દુઃખીયા નહિ, તન છૂટ્યે આવે મહારાજ ।।૩।। જોઇ જન એવી રીત્યને, કરે અતિ પ્રિત્યે સત્સંગ । તેણે કરીને તનમાં, ચડે નિત્યે નવલો રંગ ।।૪।। ચોપાઇ- ધન્ય ધન્ય આ સત્સંગ માંય, શ્રીહરિ પોત્યે કરે સહાય । જયાં જયાં સહાય કરી ઘણી સ્વામી, કહું તેતે હવે કરભામી ।।૫।। એક દ્વિજભક્ત રામચન્દ્ર, રૂડો રોગારી જાણે રાજેન્દ્ર । તેણે સમજીને કર્યો સત્સંગ, ભજે સ્વામી શ્રીજીને અભંગ ।।૬।। કરતાં સ્મરણ શ્વાસ ઉશ્વાસ, સુતો અંતર દર્શનની આશ । કહે બહુ વિતિ ગયા દન, નથી થયું મને દરશન ।।૭।। નથી જવાતું મેં તિયાં સુધી, એવો રાખ્યો છે વેવારે રૂંધી । એમ શોચે ઘણું ઘણું મન, હવે ક્યારે થાશે દરશન ।।૮।। એમ સંભારી સુતો ઢોલિયે, કહે નાથ કમાડ ખોલિયે । ઉઠ્યો રામચન્દ્ર સુણી સાદ, પ્રભુ પધાર્યા પામ્યો આહ્લાદ ।।૯।। ઉઠી ઝટ ઉઘાડીયું દ્વાર, આવ્યા હરિ મંદિર મોઝાર । કોટિ કોટિ સૂર્યને સમાન, શોભા કહી ન જાય નિદાન ।।૧૦।। સુખસાગરમય મૂરતિ, દેખી દુઃખ રહ્યું નહિ રતિ । સંગે ઇંદિરા શોભાની ખાણ્ય, કવિ ક્રોડ્યે ન […] read more
0 Views : 108

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૪પ

પૂર્વછાયો- વળી શહેર વડોદરે, કરી જનની જીવને સાર । સંભળાવું સંક્ષેપશું, સહુ સુણજયો નરનાર ।।૧।। સામર્થી પોત્યે શ્રીહરિ, આજ વાવરે છે અપરિમિત । તે કહી ન જાય કોઇથી, છે એવી અલૌકિક રીત ।।૨।। આગે પરચા પૂરીયા, જન હેતે લઇ અવતાર । પણ એ થકી રીત્ય આજની, છે જો અપરમપાર ।।૩।। કહીકહી કહીએ ક્યાં લગી, એક જીભે જશ અપાર । પણ જે આવે મારી જાણ્યમાં, કરૂં કાંઇક તેનો ઉચ્ચાર ।।૪।। ચોપાઇ- એક દ્વિજભક્ત છે દક્ષિણી, કહું વાત હવે તેહ તણી । નારુપંતનાના તેનું નામ, કરે રાજ સમાજનું કામ ।।૫।। એમ કરતાં થયો સતસંગ, ચડ્યો ચિત્તે તેનો અતિ રંગ । વળી એમ સમજયો સુજાણ, મળ્યા પ્રભુ પ્રકટ પ્રમાણ ।।૬।। રહી નહિ ઉધારાની વાત, તેણે કરી રહે રળીયાત । સાચો સમજાણો સતસંગ, ભજે શ્રીહરિ કરી ઉમંગ ।।૭।। કહે સ્વામી સહજાનંદ સત્ય, તેહ વિનાતો તે બીજાું અસત્ય । એવી અંતરમાં ગાંઠ્ય પાડી, ઉખડે નહિ કેની ઉખાડી ।।૮।। એમ કરતાં વીત્યા કાંઇ દન, આવ્યું સંસાર સંબંધિ વિઘન । એનો સુત બાપુ નામ જેહ, થયો મંદ શરીરમાં તેહ ।।૯।। તેને દેખીને તેની જનિતા, કરી અંતરમાં અતિ ચિંતા । મારે પુત્ર એક જ છે એહ, કોઇ રીત્યે રહે એનો દેહ ।।૧૦।। પછી તે સારૂં સમરી દેવી, સુત સારૂં અકળાણી એવી । નાવી દેવી આવ્યા અવિનાશ, થયો કોટિ […] read more
0 Views : 94

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૪૬

પૂર્વછાયો- વળી શહેર વડોદરે, નકી ભક્ત નાથજી નામ । તન ધન ભવન આદિ, આણ્યું હરિને કામ ।।૧।। કામ ક્રોધ ને લોભ મોહ, આવે નહિ કેદિ અંગ । નકી નકોર નિઃસંશે નિશ્ચે, એવો જેને સતસંગ ।।૨।। તેની તરૂણી તેહજ તેવી, અતિ પવિત્ર છે એહ । સમેટી પ્રીત્ય સંસારથી, કર્યો શ્રીહરિમાં સનેહ ।।૩।। અવધિ પોત્યે આવિયો, તેહના તે દેહનો કાળ । આવ્યા તેડવા તેહને, દીનબંધુ દીનદયાળ ।।૪।। ચોપાઇ- આવ્યા તેડવા તેને મહારાજ, સંગે બહુ લઇ મુનિરાજ । લાવ્યા સુંદર સારાં વિમાન, તેડી ચાલ્યા તેને ભગવાન ।।૫।। દિઠું સત્સંગી કુસંગી સહુએ, જોઇ આશ્ચર્ય માનિયું બહુએ । કહે આવુંતો ન દિઠું કયાંઇ, ચાલી વિમાને બેસી આ બાઇ ।।૬।। વળી વાત કહું એક સારી, તેના સુતની છે સુખકારી । તેને ધારણા થાય હમેશ, કરે પ્રભુપાસે તે પ્રવેશ ।।૭।। લાવે પ્રસાદી નિત્ય નવલી, બોર સાકર ખારેક ભલી । વળી શ્રીમુખે જમેલ જેહ, લાવે સોપારી તર્તની તેહ ।।૮।। એવી પ્રસાદી જે બહુ પેર, આપે મહારાજ કરીને મહેર । વળી એક દિવસ દયાળ, જમ્યા પ્રકટ આવીને થાળ ।।૯।। વળી રાયજી નામે છે જન, રહે નાથ ભેળો ભાઇ તન । તેના દેહનો આવિયો કાળ, આવ્યા તેડવા દીનદયાળ ।।૧૦।। ત્યારે નાથજીએ કરી સ્તુતિ, બોલ્યા ત્યારે પ્રભુ પ્રાણપતિ । નહિ તેડી જાયે એને અમે, છો એકલા નાથભક્ત તમે ।।૧૧।। પછી સહુને […] read more
0 Views : 104

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૪૭

પૂર્વછાયો- વળી વડોદરે વાલ્યમે, જેહ કર્યાં જનનાં કાજ । સાંભળજયો સંક્ષેપશું, જેહ જેહ કર્યું મહારાજ ।।૧।। સોની કુળમાં ભક્ત ભલો, ત્રિકમજી તેનું નામ । તેનો સુત દયાળજી, થાય ધારણા દેખે ધામ ।।૨।। એક દિવસ કરી ધારણા, ગયા જીયાં હતા જગદીશ । તિયાં હતા બહુ દેવતા, કરે સ્તવન ક્રોડ્ય તેત્રિશ ।।૩।। તેને મહારાજે પૂછિયું, તમે રાજી હો સહુ દેવ । તો નરનારાયણ મૂરતિ, પધરાવિએ તતખેવ ।।૪।। ચોપાઇ- ત્યારે દેવ કહે બહુ સારૂં, ઘણું ગમતું છે એ અમારૂં । આ ભૂમિના છે એજ ભૂપતિ, તેની ક્યાંય નથી જો મૂરતિ ।।૫।। માટે જરૂર કરવું એ કાજ, એમ બોલિયા સુરસમાજ । તે દયાળજી દેખીને આવ્યો, ત્યાંથી ખબર તે આંહિ લાવ્યો ।।૬।। દિઠા દેવતા સમાધિમાંઇ, તેનાં કહ્યાં નામ રૂપ આંઇ । પામ્યા આશ્ચર્ય સહુ સાંભળી, કહું વાત એની એક વળી ।।૭।। ત્રિકમજી કહે એનો તાત, તું સાંભળજે દયાળજી વાત । માગ્યે માળા તું ધારણામાંહિ, આપે નાથ તો લાવજે આંહિ ।।૮।। બોલ્યા ઇચ્છારામ રણછોડ, નાથ હાથની માળાનો કોડ । મળે પ્રસાદીની ક્યાંથી માળુ, માગ્યે દિયે દયા કરી દ્યાળુ ।।૯।। કહે લાલદાસ રંગનાથ, આલે નાથ માળા તુજ સાથ । તો એ થકી મોટી નહિ વાત, મળે અલૌકિ માળા સાક્ષાત ।।૧૦।। ત્યારે બોલિયા ભગવાનદાસ, નથી ગઉમુખી મુજ પાસ । ક્યાંથી મળે પ્રસાદીની મને, મળે તો લાવ્યે કહું છું […] read more
0 Views : 99

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૪૮

પૂર્વછાયો- વળી વખાણું વડોદરે, હરિજન મનનું હેત । ભાવે ભક્તિ ભલી કરે, સોંપી તન મન ધન સમેત ।।૧।। જોયે ન મળે જક્તમાં, એહ જેવા જન એક । પ્રીત્ય જેની પ્રગટ પ્રભુમાં, ગ્રહિ ન મૂકે ટેક ।।૨।। એવા જન અનેક છે, જેના પૂર્યા હરિએ લાડ । તેની ર્કીિત લખવા, મારા ચિત્તમાં ઘણી ચાડ ।।૩।। બ્રાહ્મણ નાગરી નાત્યમાં, એક મોંઘિબાઇ હરિજન । અચળમતિ મહારાજમાં, કરે ભાવે સહિત ભજન ।।૪।। ચોપાઇ- ભજે ભાવે ભરી ભગવાન, સમજે હરિને સામર્થીવાન । થાય સમાધિ દેખે શ્રીહરિ, અતિ સુખી રહે સુખે કરી ।।૫।। એક દિવસે ધારણામાંઇ, ગઇ હરિ હતા પોત્યે ત્યાંઇ । કર્યું દર્શન દયાળુતણું, તેણે આવ્યું છે આનંદ ઘણું ।।૬।। પછી મોંઘિબાઇ કહે મહારાજ, તમે નાથ છો રાજાધિરાજ । સર્વે અવતાર તમેજ ધર્યા, જાુગોજાુગમાં જન ઉધાર્યા ।।૭।। કેવો લીધો કૃષ્ણ અવતાર, કેવાં ધાર્યાંતાં આયુધ ચાર । વળી અષ્ટ પટરાણી જેહ, જેના સુત સુભગ છે તેહ ।।૮।। એહ સહિત ઇચ્છું દર્શન, દિયો હે પ્રભુ થઈ પ્રસન્ન । પછી હસી બોલ્યા હરિરાય, જોઇ જનમન અભિપ્રાય ।।૯।। ધર્યું કૃષ્ણરૂપ સુખખાણી, સંગે શોભે અષ્ટ પટરાણી । શંખ ચક્ર ગદા પદ્મ ધરી, શોભે સુતસહિત શ્રીહરિ ।।૧૦।। એવાં દીધાં આવીને દર્શન, જોઇ જન થયાં છે મગન । દઇ દર્શન પધાર્યા નાથ, નિર્ખિ થકિત થયો સૌ સાથ ।।૧૧।। કહે આશ્ચર્ય વાત આતો, થયો […] read more
0 Views : 85

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૪૯

પૂર્વછાયો- વળી પરચા વડોદરે, જે પૂર્યા જગજીવન । અતિ અનુપમ વારતા, સાંભળજયો સહુ જન ।।૧।। સતસંગીની જે શ્રીહરિ, આ સમે કરે છે સહાય । અતિ સામર્થી હરિ વાવરે, તે નાવે લખ્યામાંય ।।૨।। પણ ગુણ ગાતાં ગોવિંદના, નથી આવતી મને આળસ । શ્રવણ દઇ સહુ સાંભળો, કહું હરિજનના જશ ।।૩।। ભક્ત એક ભાવિક છે, ખરા તે ખતરી માંઈ । દુર્બળ દાસ દયાળનાં, નામ તેનું શામબાઇ ।।૪।। ચોપાઇ- કહું તેહતણી હવે વાત, કરે ભજન બાઇ દિન રાત્ય । રહે ધારણામાં આઠું જામ, કરતાં થાય નહિ ઘરકામ ।।૫।। જયારે આવે સમાધિથી બાર, કરે ભોજન પાન તે વાર । એહ દેહ રેવાનો ઉપાય, કરે ભોજન હરિ ઈચ્છાય ।।૬।। પણ એમ થયું એક દન, કોણ આપશે વસ્ત્ર ને અન્ન । એવી ચિંતા કરી ચિત્તમાંઇ, બેઠી સમાધિમાં શામબાઇ ।।૭।। કરી ધારણા જાગી છે જયારે, દિઠું સુંદર ભોજન ત્યારે । સારા મોટા રોટા રૂડી દાળ, મુખ આગે મેલી ગયા દ્યાળ ।।૮।। એમ હમેશ હરિ એ રીત્યે, આપે ભોજન બાઇને નિત્યે । એક દિન મણ લોટ લઇ, શાક વૃંતાકનું ગયા દઇ ।।૯।। વળી પૂજવા ચરણારવિંદ, આપી ગયા સ્વામી સહજાનંદ । વળી વસ્ત્ર દીઠાં ફાટાં અંગ, આપ્યાં નવીન સારાં સોરંગ ।।૧૦।। સવેર્ આપ્યું એ સમાધિમાંઇ, લાવી પ્રકટ પ્રમાણ તે આંઇ । દીઠાં પગલાં ને પટ નવાં, જોઈ જન તે […] read more
0 Views : 96
Powered By Indic IME