પૂર્વછાયો- વળી કહું એક વારતા, સાંભળી છે સુંદર સોય । સામર્થી શ્રીમહારાજની, સાંભળજયો સહુ કોય ।।૧।। સત્સંગ સૂર્ય સમ શોભિયો, અજ્ઞાની ઉલુક થયા અંધ । મુક્ત જક્તમાંહિ જોઇને, બળી ઉઠ્યા માયાના બંધ ।।૨।। તેણે ઉપાધી આદરી, કરે સાધુને સંતાપ । મનસુબો કરે મારવા, એવું પાપીને મન પાપ ।।૩।। સંત ફરે સર્વે દેશમાં, કરવા પ્રભુની વાત । ભેખ અસુર ભેળા થઇ, માંડ્યો અતિ ઉતપાત ।।૪।। ચોપાઇ- ભેખધારી તે દ્વેષ કરે છે, કહે સ્વામીના સાધુ ફરે છે । તેને મરાવી નાખીયે જયારે, થાય આપણને સુખ ત્યારે ।।૫।। માટે સહુ મળીને વિચારીયે, એના મોટા મોટાને મારીયે । મુક્તાનંદ આદિ જે મોટેરા, છે અધિકારી સતસંગ કેરા ।।૬।। મોરથી એનો આણિયે અંત, તો સહુ થાયે આપણે નચિંત । પછી અમદાવાદને માંઇ, સ્વામી મુક્તાનંદ હતા ત્યાંઇ ।।૭।। તેને આપિયું હળાહળ વિષ, પાપીયે પરસાદિને મિષ । તિયાં શ્રીહરિયે કરી સહાય, પ્રસાદી ન મેલી મુખમાંય ।।૮।। પણ ચંદનમાં હતું મૃત, તેતો ર્ચિચયું અંગમાં તુર્ત । અતિ આકરૂં ઝેર છે જેહ, સ્પશેર્ રહે નહિ કેનું દેહ ।।૯।। તેતો ચચ્યુર્ં મુક્તાનંદ તને, તિયાં સહાય કરી ભગવને । મુક્તાનંદને ન આવ્યો આલ, ગઇ ચર્ચનારા કરખાલ ।।૧૦।। જેણે નજર ભરી જોયું એજ, તેનું ક્ષીણ થયું નેણતેજ । એવું હળાહળ વિષ ભારી, તેથી મુક્તને લીધા ઉગારી ।।૧૧।। એમ શ્રીહરિએ કરી સાર, મુક્તાનંદજીની વાલે […]
read more