Last Updated:
May 5, 2025

Click here to submit your article
પદ્ય
Per Page :

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૩૪

પૂર્વછાયો- વળી વળી શું હું વર્ણવું, ભાઇ પરચાનો નહિ પાર । દુઃખ પડે જયારે દાસને, ત્યારે તર્ત કરે હરિ વાર ।।૧।। વિપત પડ્યે નહિ વેગળા, રહે ભક્ત ભેળા ભગવાન । તેણે મગન મનમાં, હંમેશે રહે હરિજન ।।૨।। અંગે ખુમારી ન ઉતરે, શ્રીહરિની સામર્થી જોઇ । નરનારી નિર્ભય રહે, મન ભય ન માને કોઇ ।।૩।। દેહછતાં દુઃખિયા નહિ, મુવા પછી જાવું બ્રહ્મમોલ । પેખી પ્રતાપ એ નાથનો, તેણે અંગે સુખ અતોલ ।।૪।। ચોપાઇ- એક પરચો કહું અનુપ, સારો સુણ્યા જેવો સુખરૂપ । હરિ હતા તે હાલાર દેશ, ત્યાંથી કર્યો કચ્છે પરવેશ ।।૫।। એક સેવક સંગે લઇને, ચાલ્યા રણની વાટે વઇને । મારગમાં ચાલતાં મહારાજ, કર્યાં કંઇક જનનાં કાજ ।।૬।। એક વિપ્ર દારિદરી દીન, અન્ન વસ્ત્રે કરી અતિ ખીન્ન । તેને આપિયાં વસ્ત્ર ઉતારી, પેંડા પાક ને સુખડી સારી ।।૭।। કાપી દરિદ્ર એનું દયાળ, ચાલ્યા ત્યાંથી જન પ્રતિપાળ । વાટે ચાલતાં ન કરે વેલ, અતિ ત્યાગી અંગે અલબેલ ।।૮।। આવ્યા સમુદ્ર સમીપે શ્યામ, પડી સાંજ રહેવા નહિ ઠામ । લાગી પ્યાસ ને પીડાણા પ્રાણ, સુક્યો કંઠ ન બોલાય વાણ ।।૯।। લાગ્યા કાંટા ને કાંકરા વળી, અતિ થાકમાં પડિયા ઢળી । એહ માંહિલું ન ગણ્યું દુઃખ, ચાલો ચાલશું કહે શ્રીમુખ ।।૧૦।। એમ કહી ઉઠ્યા અવિનાશ, એક સેવક છે પોતા પાસ । તેતો પામિયો […] read more
0 Views : 97

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૩પ

પૂર્વછાયો- વળી કહું એક વારતા, સાંભળી છે સુંદર સોય । સામર્થી શ્રીમહારાજની, સાંભળજયો સહુ કોય ।।૧।। સત્સંગ સૂર્ય સમ શોભિયો, અજ્ઞાની ઉલુક થયા અંધ । મુક્ત જક્તમાંહિ જોઇને, બળી ઉઠ્યા માયાના બંધ ।।૨।। તેણે ઉપાધી આદરી, કરે સાધુને સંતાપ । મનસુબો કરે મારવા, એવું પાપીને મન પાપ ।।૩।। સંત ફરે સર્વે દેશમાં, કરવા પ્રભુની વાત । ભેખ અસુર ભેળા થઇ, માંડ્યો અતિ ઉતપાત ।।૪।। ચોપાઇ- ભેખધારી તે દ્વેષ કરે છે, કહે સ્વામીના સાધુ ફરે છે । તેને મરાવી નાખીયે જયારે, થાય આપણને સુખ ત્યારે ।।૫।। માટે સહુ મળીને વિચારીયે, એના મોટા મોટાને મારીયે । મુક્તાનંદ આદિ જે મોટેરા, છે અધિકારી સતસંગ કેરા ।।૬।। મોરથી એનો આણિયે અંત, તો સહુ થાયે આપણે નચિંત । પછી અમદાવાદને માંઇ, સ્વામી મુક્તાનંદ હતા ત્યાંઇ ।।૭।। તેને આપિયું હળાહળ વિષ, પાપીયે પરસાદિને મિષ । તિયાં શ્રીહરિયે કરી સહાય, પ્રસાદી ન મેલી મુખમાંય ।।૮।। પણ ચંદનમાં હતું મૃત, તેતો ર્ચિચયું અંગમાં તુર્ત । અતિ આકરૂં ઝેર છે જેહ, સ્પશેર્ રહે નહિ કેનું દેહ ।।૯।। તેતો ચચ્યુર્ં મુક્તાનંદ તને, તિયાં સહાય કરી ભગવને । મુક્તાનંદને ન આવ્યો આલ, ગઇ ચર્ચનારા કરખાલ ।।૧૦।। જેણે નજર ભરી જોયું એજ, તેનું ક્ષીણ થયું નેણતેજ । એવું હળાહળ વિષ ભારી, તેથી મુક્તને લીધા ઉગારી ।।૧૧।। એમ શ્રીહરિએ કરી સાર, મુક્તાનંદજીની વાલે […] read more
0 Views : 146

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૩૬

પૂર્વછાયો- વળી કહું એક વારતા, સુણો તે સર્વે જન । ભિડ્ય પડે જયારે ભક્તને, ત્યારે ભય હરે ભગવન ।।૧।। કરે સહાય હરિ કષ્ટમાં, નિજસેવકની નરવીર । વસમી વેળાએ વાલ્યમો, સુખ આપે શ્યામ સુધીર ।।૨।। સુખકારી દુઃખહારી, ધારી ટેક એ ધર્યની । દાસના અવિનાશ ત્રાસ, વિનાશન રીત ઘરની ।।૩।। જીયાંજીયાં નિજજનની, જગજીવને કરી જતન । સુણાવું કંઇ સંક્ષેપે, સાંભળજયો સહુ જન ।।૪।। ચોપાઇ- એક વિપ્ર વાંકાનેર ગામ, હરિભક્ત નામ જીવરામ । પાળે નિજધરમ આચાર, કરે નિર્વાહ સારૂં વેપાર ।।૫।। એમ કરી કરે ગુજરાણ, ભજે પ્રભુ પ્રકટ પ્રમાણ । પાળે પળે જેટલું વચન, કરે સ્વામી શ્રીજીનું ભજન ।।૬।। એકવાર કણ લેવા કાજે, ગયો સિંધ દેશ બેસી ઝાઝે । વોરી ચોખા ને ભરીયું વાણ, વળ્યો સિંધથી દ્વિજ સુજાણ ।।૭।। મળ્યા વાટમાં વળતા ચોર, મહાપાપી અધર્મી અઘોર । આડા આવીને રોકિયું ઝાઝ, માલ મિલકત લુંટવા કાજ ।।૮।। બેડી સાથે બેડી બાંધી લીધી, કરી હાકલ ને હલાં કીધી । જયારે ચોર નાવે આવી ચડ્યા, ત્યારે ખેવટ પાણીમાં પડ્યા ।।૯।। રહ્યો જીવરામ એક જેહ, તર્ત ઝાલી લીધો ચોરે તેહ । બાંધ્યા પાછા વાળીને બે હાથ, માર્યા માથામાં છરા છો સાત ।।૧૦।। પછી જીવતો જળમાં નાખી, બેડી હાંકિગયા ઘેર આખી । પડ્યો જીવરામ જળમાંય, તરે તન જીવ નવ જાય ।।૧૧।। પછી વિપરે કર્યો વિચાર, પડ્યું દુઃખ તે […] read more
0 Views : 115

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૩૭

પૂર્વછાયો- વળી કહું એક વારતા, હરિજનની કરી હેત । સાંભળતાં સુખ ઉપજે, વળી તરે કુટુંબ સમેત ।।૧।। સુંદર જશ સતસંગીનો, જે સુણશે વારમવાર । પરિશ્રમ વિના પામશે, આ ભવસાગરનો પાર ।।૨।। કહેશે કથા કોડે કરી, વળી સુણશે થઇ સાવધાન । તેના મનોરથ પૂરશે, પ્રકટ શ્રીભગવાન ।।૩।। એવી કારણિક છે કથા, સત્ય માનજયો સહુ કોય । હવે જશ હરિજનના, સંભળાવું વળી સોય ।।૪।। ચોપાઇ- એક ભક્ત ભાવિક છે ભલો, રહે કુંડાલ્યે નામ છે કલો । કરે કૃષિ કણબીનું કર્મ, પાળે સતસંગના જે ધર્મ ।।૫।। ભજે પ્રભુ પ્રકટ પ્રમાણ, સ્વામી સહજાનંદ સુખખાણ । આવે સંત સ્વામીના જે ઘેર, કરે સેવા તેની સારીપેર ।।૬।। સાચો સમજાણો સતસંગ, તેનો ચડ્યો અંગમાંહિ રંગ । વળી કરે કેફ ભરી વાત, સ્વામી પ્રભુ પોત્યે છે સાક્ષાત ।।૭।। બીજે શીદ રહ્યા છો બંધાઇ, સહુ આવો સતસંગમાંઇ । એવી વાત કલાની સાંભળી, એના ભાઇ બીજા ઉઠ્યા બળી ।।૮।। કહે ખેતવાડી ખેંચી લિયો, નાત્યમાંહિ બેસવા મ દિયો । સત્સંગ એનો દિયો મુકાવી, પછી દીન થઇ નમશે આવી ।।૯।। પછી કુસંગીયે એમ કીધું, ખેતવાડી એનું ખેંચી લીધું । ત્યારે કલો ગયો દરબાર, કર્યો ત્યાં જઇ પોતે પોકાર ।।૧૦।। પણ લોંઠે લાંચ ભરી તિયાં, તેણે કરી રાયે ન કર્યો નિયા । કહે કલો વાત ચિત્ત ધરો, મારો ધર્મન્યાય કોઇ કરો ।।૧૧।। ત્યારે […] read more
0 Views : 140

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૩૮

પૂર્વછાયો- એક સાંભરી સારી વારતા, સતસંગીને સુખદેણ । વીતિ તે નથી વખાણતો, કહું દીઠી જે મારે નેણ ।।૧।। ધન્યધન્ય સતસંગીને, જેના પુણ્યનો નહિ પાર । ધન્યધન્ય શ્રીમહારાજને, જેણે આપ્યા પરચા અપાર ।।૨।। જોઇ પરચા જનના, જે નહિ માને નરનાર । તેજ અભાગી તન છતાં, મરી જાશે જમને દ્વાર ।।૩।। એ જન જાણે આસ્તિકી, જેને સાચું મનાણું મન । કહું હવે ર્કીિત કથી, હરિ હરિજનની પાવન ।।૪।। ચોપાઇ- ધન્યધન્ય જેતલપુર ગામ, વાલે જેને કયુર્ં નિજધામ । તેમાં મરે પાપી નરનાર, તે પણ ન જાય જમને દ્વાર ।।૫।। તેમાં પરચા આપ્યા વાલે બહુ, જાણે છે જન ગામના સહુ । મોટા મોટા કર્યા જયાં જગન, ખુટ્યાં નહિ ગોળ ઘૃત અન્ન ।।૬।। એમાં પરચા આપ્યા પળેપળે, તેતો કેમ લખાય કાગળે । પણ કહું છું એક બે વાત, હરિભક્તતણી વિખ્યાત ।।૭।। એક દ્વિજ ભક્ત દયારામ, પ્રભુ પધારિયા તેને ધામ । આવ્યા પંખાળી ઘોડિયે ચડી, હૈયે હારને હાથમાં છડી ।।૮।। જોઇ જન થયો રળિયાત, અહો આ સઇ આશ્ચર્ય વાત । અતિપ્રેમમાંઇ લાગ્યો પાય, ઢાળી ઢોલીયો બેસાર્યા ત્યાંય ।।૯।। નિયુર્ં ઘોડીને નીલેરૂં ઘાસ, ઉભો હાથ જોડી આગે દાસ । આપો આગન્યા કરાવું થાળ, દયા કરીને જમો દયાળ ।।૧૦।। મારી બોન છે બીજે ભવન, કહું તેને કરે દરશન । કહે નાથ આવ્યા છાના અમે, ઝાઝું જાહેર ન કરો […] read more
0 Views : 109

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૩૯

પૂર્વછાયો- આશ્ચર્ય વાત છે અતિ ઘણી, કહેતાં આવે અતિ આનંદ । ભક્તની ભીડ્ય ભાંગવા, છે સમર્થ સહજાનંદ ।।૧।। જળે સ્થળે જવાળાથકી, જે કરી જનની જતન । ભાખું તે હવે ભાવશું, સહુ સાંભળજયો દઇ મન ।।૨।। લૌકિકમાં અલૌકિકની, વળી વર્ણવીને કહું વાત । હરિ હરિજનના, જે સુજશ છે સાક્ષાત ।।૩।। સાંભળતાં સંકટ ટળે, વળી કહેતાં કલિમળ જાય । ર્દિદ સંભારે જે દર્દમાં, તેની શ્રીહરિ કરે સહાય ।।૪।। ચોપાઇ- એક રુડું રાજાુલું છે ગામ, તિયાં સોનીભક્ત નાગ નામ । ખરો વિશવાસી જન જાણો, સાચો ભક્ત પ્રભુનો પ્રમાણો ।।૫।। એ ેક સ્વામીનો સત્ય આધાર, બીજા કોઇનો ન ગણે ભાર । સાચા સંત તે સ્વામીના સાધુ, બીજા અસંત બગડેલ બાધુ ।।૬।। એમ ઓળખી સત્ય અસત્ય, ભજે સ્વામીને ન ચળે મત્ય । એક દિવસ ઉદ્યમકાજે, ગયો વિદેશ બેસીને ઝાઝે ।।૭।। કરી કાજ વળ્યો બેસી વાણે, કળ વકળ કાંઇ ન જાણે । બેઠો વાણકિનારે બફોમ, પડ્યો પાણીમાં ન રહી વ્યોમ ।।૮।। તન સ્થૂળ ને ન જાણે તરી, ગયું દૂર વાણ વેગ કરી । અતિકષ્ટ આવિયો અલેખે, જીવવાની તો રીત્ય ન દેખે ।।૯।। પછી સંભાર્યા સોનીએ સ્વામી, આવો આ સમે અંતરજામી । હવે નથી ઇચ્છા મારે અન્ય, નાથ આવી તજાવિયે તન ।।૧૦।। જયારે દાસ બોલ્યો દીન વાણી, ત્યારે આવિયા સારંગપાણી । હેઠ્યે આવી નાથ હાથે દીધો, જળથી […] read more
0 Views : 106

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૪૦

પૂર્વછાયો- સામર્થી શ્રીમહારાજની, વળી સાંભળજયો સહુ જન । સુંદર પરચા સાંભર્યા, જે પૂર્યા શ્રી ભગવન ।।૧।। ડંઢાવ્ય દેશમાં ર્નાિદપુરે, દ્વિજ તિતારામ નામ । ભક્ત એક મહારાજનો, બીજાું વિમુખ સઘળું ગામ ।।૨।। વિમુખ મુખથી એમ વદે, આ ભક્તિ બીજા ભેદની । આવશે વિમાન તેડવા, તમે માનજયો વાણી વેદની ।।૩।। પરધન પરત્રિયા પરહરી, પરહરિયાં બીજાં નામ । સ્વામિનારાયણ નામને, સમરે છે આઠું જામ ।।૪।। ચોપાઇ- બોલે ખળતાએ મુખ મીઠું, આવું ભજન તો ક્યાંઇ ન દીઠું । આતો ભક્ત છે મોટોજ બહુ, એની રાખજયો ખબર સહુ ।।૫।। એને આવશે લેવા વિમાન, પધારશે પોતે ભગવાન । માટે સાવધાન સહુ રહેજયો, જેને મળે તે બીજાને કહેજયો ।।૬।। રખે રહિ જાઇએ દર્શન વિના, રહેજયો સચેત રાત્ય ને દિના । એક કયે હું જાઇશ સાથ, ઝાલી વિમાન ડાંડિયો હાથ ।।૭।। એમ બોલે ખળાઇમાં બહુ, બાળ જોબન ને વૃદ્ધ સહુ । એમ કહેતાં વીત્યા કાંઇ દન, તજયું કાળેકરી તિતે તન ।।૮।। આવ્યાં તેડવા તેને વિમાન, ઘણા સંત ભેળા ભગવાન । કોટિકોટિ સૂર્યને સમાન, શોભે અલૌકિક તે વિમાન ।।૯।। તેના તેજમાં ઢંકાણું ગામ, પામ્યા આશ્ચર્ય પુરુષ ને વામ । સહુ કહે મારા ઘર માથે, હાંક્યો રથ તે તિતાને નાથે ।।૧૦।। ભાઇયો આપણે કરતાં ખળાઇ, આતો કુડું પડ્યું નહિ કાંઇ । ગયું વિમાન તિતાને ઘેર, તેડિ ચાલ્યા તેને રૂડિપેર ।।૧૧।। […] read more
0 Views : 95

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૪૧

પૂર્વછાયો- વળી પરચા વર્ણવી, કહું હું કાંઇક તેહ । હરિ હરિજનના જશ, કહેતાં તે વાધે સનેહ ।।૧।। દંઢાવ્ય દેશમાં રાજપુરે, કણબી ભક્ત જેકર્ણ । સર્વે કુટુંબ સહિત પોત્યે, સ્વામી શ્રીજીને શર્ણ ।।૨।। તેને મહારાજે મોરથી, વર્ષ આગમ જણવી વાત । આજ થકી દ્વાદશ માસે, પિંડ થાશે તારૂં પાત ।।૩।। તેને એકાદશ માસ વીત્યા, વળી આવી કહ્યું અવિનાશ । ચેતવું હોય તો ચેતજયે, રહ્યો મૃત્યુ આડો એક માસ ।।૪।। ચોપાઇ- પછી જેકરણે સતસંગી તેડી, કહી પોતાની વાત નિવેડી । ભાઇઓ આ તન પામશે નાશ, તેહ આડો રહ્યો એક માસ ।।૫।। માટે મંદિર સંત ઉતરવા, કાલ્યથકી આદરીએ કરવા । ત્યારે સતસંગી કહે સારૂં, અમને કહ્યું એ ન કહેવું બારૂં ।।૬।। પછી મંદિર સુંદર કરાવ્યું, ત્યાંતો મૃત્યુ તે નજીક આવ્યું । ત્યારે પત્ની પોતાનીને કહ્યું, મારે મરવા આડું નવ રહ્યું ।।૭।। માટે મોર થકી તું તો ચાલ્ય, કેડ્યે હું પણ આવું છું કાલ્ય । પછી બેઠી તે કરવા ભજન, આવ્યા નાથ તેડ્યે તજયું તન ।।૮।। તેને દેન દઇ ઘેર આવ્યા, પછી મોટા મોટાને બોલાવ્યા । ભાઇઓ જુવો પ્રભુનો પ્રતાપ, આતો વાત મોટી છે અમાપ ।।૯।। મને આવ્યાં છે લેવા વિમાન, બહુ સંત ભેળા ભગવાન । મારે જાવું છે કાલ્યે જરૂર, આવ્યું નજીક નથી એ દૂર ।।૧૦।। માટે સુત એક લઇ સંગે, જાઇશ બ્રહ્મમહોલ […] read more
0 Views : 105
Powered By Indic IME