Last Updated:
May 5, 2025

Click here to submit your article
પદ્ય
Per Page :

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૦ર

પૂર્વછાયો- અનંત લીળા અનંત ચરિત્ર, અનંત સામર્થ્ય સોઇ । અનંત પ્રતાપ અનંત પરચા, કવિજન ન લખે કોઇ ।।૧।। અપાર માહાત્મ્ય અપાર મહિમા, મોટપ્ય અપરમપાર । અપાર ગંભીર અપાર ગરવા, કવિ કોણ કરે નિરધાર ।।૨।। પંખી જેમ પાંખ બળે, ઉડે પાર લેવા આકાશ । સરું તે નાવે શૂન્યનું, નિશ્ચે પામે તન નાશ ।।૩।। એમ ચરિત્ર મહારાજનાં, છે જો અનંત અપાર । કેતાં કેતાં કહેવાય નહિ, એમ નિશ્ચય છે નિરધાર ।।૪।। નર જે ઉત્તર પંથનો, ઇચ્છે આ તને લેવા અંત । પહોંચ્યાની પ્રતિત કરવી, એજ ભોળાઇ અત્યંત ।।૫।। ઉડુગણ કણ ભૂમિતણા, જળકણ જાણે જન । વનપાત ગાતરોમાવળી, ગણે અન્નકણ ખડધન ।।૬।। એહ સર્વે અપારનો પાર, લિયે કવિજન કોઇ । હરિચરિત્રનો પાર હજારૂં, સરું ન લિયે સોઇ ।।૭।। જેનું વર્ણન કરતાં વાણી થાકે, મનન કરતાં મન । ચિંતવન કરતાં ચિત્ત થાકે, એમ નિશ્ચે જાણજયો જન ।।૮।। ચોપાઇ- ધરી હરિકૃષ્ણ અવતાર, કરે લીળા અનંત અપાર । ઉઠે બેસે બોલે જુવે જમે, હાલે ચાલે હરિ હસે રમે ।।૯।। સુવે જાગે માગે કાંઇ જેહ, આવે જાય ઉભા રહે તેહ । ચાલે ચટકે લટકે ચાલ, કરે કરનાં લટકાં લાલ ।।૧૦।। કહે સાંભળે ને લિયે દિયે, કેમ લખાય જે પાય પીયે । પૂજે પૂજાવે પીરસે હાથે, અતિ હેત કરે જન માથે ।।૧૧।। પહેરે પહેરાવે વસ્ત્ર ઘરેણાં, સર્વે ચરિત્ર […] read more
1 Views : 124

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૦૩

પૂર્વછાયો- અનેક લીળા અનેક ચરિત્ર, કરી કર્યો જનનો ઉધ્ધાર । સુંદર નિર્ગુણ મૂરતિ, તેને વંદુ હું વારમવાર ।।૧।। અનેક નામના નામી સ્વામી, સર્વના સુખધામ । અનેક એકની મૂરતિ, અનેક એકનાં નામ ।।૨।। તે પ્રભુ પ્રકટપણે ફરે, કરે જીવનાં કલ્યાણ । મનોહર મૂર્તિ મહારાજની, તેને પ્રણમું જોડી હું પાણ ।।૩।। પુરૂષોત્તમ પૂરણ પોતે, અઢળક ઢળ્યા આવાર । તેનાં ચરિત્ર પવિત્ર અતિ, વળી કહું કરી વિસ્તાર ।।૪।। એક સમે મુનિ સહુ મળી, આવિયા પ્રભુજી પાસ । અતિ હેતે સ્તુતિ કરવા, હઇયે થયા છે હુલાસ ।।૫।। ચોપાઇ- નમો કૃષ્ણ નમો નારાયણ, નમો જીવશ્રેય પરાયણ । નમો બળવંત બહુનામી, નમો અકળ અંતરજામી ।।૬।। નમો સહુ જીવના સુખકારી, નમો દીનબંધુ દુઃખહારી । નમો દાસના ત્રાસ વિનાશ, નમો સહુના આદિ અવિનાશ ।।૭।। નમો પુરૂષોત્તમ સહુપર, નમો અક્ષરધામઆધાર । નમો નિર્ગુણ સગુણ સ્વામી, સર્વે ધામતણા તમે ધામી ।।૮।। નમો અપરમપાર અકળ, નમો સર્વના શ્યામ સબળ । નમો ક્ષર અક્ષર નિયંતા, નમો ગુણપાર ગુણવંતા ।।૯।। નમો અવતારના અવતારી, નમો સંતતણા સુખકારી । નમો દીનના બંધુ દયાળ, નમો ભક્તવત્સલ પ્રતિપાળ ।।૧૦।। નમો કૃપાના સિંધુ કૃપાળુ, નમો દયાના નિધિ દયાળુ । નમો પ્રભુજી પૂરણકામ, નમો સંતતણા સુખધામ ।।૧૧।। નમો ઇશતણા મહાઇશ, નમો ભક્તપતિ જગદીશ । નમો પરમેશ્વર પરબ્રહ્મ, નમો ભવતારણ ત્રિકમ ।।૧૨।। નમો વાસુદેવ વરદેણ, નમો કેશવ કમળનેણ । નમો […] read more
0 Views : 125

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૦૪

રાગ સામેરી- નાથ કહે સહુ સાંભળો, જેણે કરી કહ્યા ભગવાન । આ તને તે નવ કર્યું, અમથું કરો છો અનુમાન ।।૧।। વેદ અમે વાળ્યા નથી, નથી શંખાસુર આદિ મારિયા । જેણે કરી ભગવાન જાણો, તે મત્સ્ય પ્રભુ મોયેર્થિયા ।।૨।। પિઠ્ય ઉપર ગિરી ધરી, નથી મથીયો અમે મેરાણ । ચૌદ રત્ન લીધાં તેતો, કૂર્મ પ્રભુ પ્રમાણ ।।૩।। હિરણ્યાક્ષ હણી પૃથવી, વાળી નથી આ વાર । જે પ્રાક્રમે પ્રભુ કહ્યા, એતો વરાહ અવતાર ।।૪।। હિરણ્યકશિપુ મારીને, કરી જન પ્રહ્લાદની સાર । એહ પ્રતાપે પ્રભુ ખરા, તે તો નૃસિંહ અવતાર ।।૫।। પંડ વધારી ભરી પૃથિવી, બળી છળીને લીધું રાજ । તેહ અમે કિધું નથી, એતો વામનજી મહારાજ ।।૬।। તાતને હેતે હણ્યા ક્ષત્રિ, ફેરી ફરશિ એકવિશ વાર । તે પ્રતાપે પ્રભુ કહોતો, એતો પરશુરામ અવતાર ।।૭।। ખર ડુખર ને કુંભકર્ણ, નથી માર્યો મેં રાવણ રાજ । એતો પ્રભુ રઘુનાથજી, બાંધી પાજ પત્ની કાજ ।।૮।। કાળી નાથી કર ગિરિ ધરી, ઇંદ્રનું માન ઉખાડિયું । બ્રહ્માને મન ભંગ કરી, વિશ્વ માને મુખમાં દેખાડિયું ।।૯।। અઘાસુર બકાસુર કેશી, વત્સ ધેનુકાસુર વૃષભ । વ્યોમાસુર ભૌમાસુર વળી, મુરદાનવ મધુકૈટભ ।।૧૦।। કંસ ને વળી કાલયવન, શંખચૂડ ને શાલવ સહિ । બાણાસુર શિશુપાળ સરખા, જરાસંધ જેવા કહિ ।।૧૧।। દંતવક્રાદિ દુષ્ટ દમ્યા, રમ્યા વ્રજયુવતિ સંગ । એહ પ્રાક્રમે કૃષ્ણ પ્રભુ, તેતો અમે […] read more
0 Views : 173

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૦પ

ચોપાઇ- ત્યારે બોલિયા સરવે સંત, તમે સાંભળો શ્રી ભગવંત । વેદ વાળ્યા મત્સ્ય તન ધારી, શંખાસુરને માર્યો મુરારી ।।૧।। શંખાસુર હતો મહાબળી, પેચ પ્રાક્રમે પૂરણ વળી । તેને કામ ક્રોધે મળી માર્યો, લોભ મોહ આગળ્યે એ હાર્યો ।।૨।। એવા કામ લોભ ને જે ક્રોધ, મહા જબર છે જગજોધ । તેને જીતી કર્યો જેજેકાર, એથી કોણ મોટો અવતાર ।।૩।। ધરી કમઠરૂપ સુજાણ, મથ્યો મંદ્રાચળ તે મેરાણ । દેવ દાનવે નેતરૂં તાણી, બળે વલોયું સમુદ્રપાણી ।।૪।। એવા સુર અસુર બળિયા, તેને પણ કામ ક્રોધે ગળિયા । એવા કામ ક્રોધ લોભ ભારી, સુરાસુર મુક્યા જેણે મારી ।।૫।। તેનો નાશ કર્યોનિરધાર, તેથી કોણ મોટો અવતાર । ધરી વરાહરૂપ મહારાજ, હણ્યો હિરણ્યાક્ષ પૃથવી કાજ ।।૬।। હિરણ્યાક્ષ મહા બળવંત, બહુ પ્રાક્રમી યુધ્ધે અત્યંત । લઇ ગદા ગયો સ્વર્ગલોક, દેખી દેવ પામ્યા બહુ શોક ।।૭।। લાગ્યો ભય ભાગ્યા સહુ સુર, દઇ ડારો ને વળ્યો અસુર । પછી કઇ કાળ સિંધુમાં ફર્યો, લેરી સાથે ગદા યુધ્ધ કર્યો ।।૮।। ત્યાંથી ગયો વરૂણને પાસ, માંહિ દુષ્ટ ને ઉપર દાસ । જોડી હાથ જાચ્યો યુદ્ધ જાણો, તે વરૂણથી નવ અપાણો ।।૯।। એવો મહાબળિયો જોરાણ, તે પણ કામ ક્રોધનો વેચાણ । એવા કામ ક્રોધ લોભ લોંઠા, જેણે સહુને કર્યા પારોંઠા ।।૧૦।। એવા કામાદિ કર્યો સંહાર, એથી કોણ મોટો અવતાર । ધરી નૃહરિરૂપ […] read more
0 Views : 114

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૦૬

ચોપાઇ- હવે સાંભળો સંતની રીત, કહું અતિ પરમ પુનિત । જેને મળ્યા પ્રકટ પ્રમાણ, પુરૂષોત્તમ પરમ સુજાણ ।।૧।। સુખસાગર સુંદરશ્યામ, જેને સુખે સુખી સહુ ધામ । તે પુરૂષોત્તમ જેહના પતિ, તેને ન રહે રંકપણું રતિ ।।૨।। ચૌદ લોકમાં ન લોભે ચિત્ત, કીટબ્રહ્માદિ દેખે અનિત । અંતરમાંહિ અત્યંત વૈરાગ્ય, તન મન સુખ કીધાં ત્યાગ ।।૩।। પંચ વિષયથી ઉતારી પ્રીત, અસત્ય સુખમાં ન આપે ચિત્ત । કામ ક્રોધ નહિ લોભ મોહ, એવા સંત તણો જે સમોહ ।।૪।। તેહ કહે પરસ્પર મળી, જોજયો જીવ ભ્રમાણા છે વળી । મહાદુઃખતણી જેહ ખાણી, તેમાં જઇને પડ્યા સુખ જાણી ।।૫।। એક આશ્ચર્ય વાત છે એહ, દુઃખમાં સુખ મનાણું જેહ । મહા નારી છે નરકનો કૂપ, કેમ સમજાય છે સુખરૂપ ।।૬।। જે જે નર નરકમાં પડે, તેતો સર્વે નારી સંગ વડે । જમપુરીયે જાય છે જીવ, તેતો નારી થકી તતખેવ ।।૭।। જન્મ મરણ સહે દુઃખ અંગે, તેતો નારીતણે પરસંગે । લખચોરાશી તન લહેછે, જેને નારીમાં પ્રીત્ય રહે છે ।।૮।। સુણો વાત કહું એક વળી, બહુ દુઃખ પામ્યા એને મળી । મોટા મોટા થયા મન ભંગ, તેતો નારીનો કરતાં સંગ ।।૯।। દેવ દાનવ મનુષ્ય માત્ર, નારી સ્નેહે કરે જમજાત્ર । પારકી ને પોતાની જે નાર, કાપે તન જેમ તરવાર ।।૧૦।। વિષ વહ્નિ વ્યાળમાં જે ગુણ, તેને પોતાનું પારકું […] read more
0 Views : 137

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૦૭

ચોપાઇ- હવે કહું વ્રત નિરલોભી, જેણે કરી રહ્યા સંત શોભી । જેમ નારીનો નહિ પ્રસંગ, તેમ તજયો છે દ્રવ્યનો સંગ ।।૧।। એવા સંતનો મળે સમાજ, માંહોમાંહિ બોલે મુનિરાજ । જેને મળ્યા પુરૂષોત્તમ રાય, તે તો પૂરણકામ કહેવાય ।।૨।। તેને ન્યૂન ન મનાય મન, લાધ્યું અખૂટ જેને મહાધન । ધુતા ન ધુતે ચોર ન લુંટે, ખાતાં ખરચતાં નવ ખૂટે ।।૩।। એવું મળ્યું મહાધન જેને, તે કેમ ધાશે આ ધાતુ ધનને । જેમાં અનેક રહ્યા અનર્થ, સંચે ત્યાગી તો વણસે અર્થ ।।૪।। ચોરી હિંસા અનૃત અપાર, કામ ક્રોધ ને દંભ ભંડાર । મદ ભેદ ને વૈર વ્યસન, સ્મય સ્પર્ધાદિ છે જીયાં ધન ।।૫।। મદ્ય પાન સ્ત્રિયા સંગ થાય, દ્યૂતવિદ્યા ને વિશ્વાસ જાય । રહ્યાં એટલાં દ્રવ્યમાં મળી, જેમ જળમાં જળજંતુ વળી ।।૬।। દ્રવ્ય કરાવે પાપ અધર્મ, દ્રવ્ય કરાવે વૈર વિકર્મ । દ્રવ્ય કરાવે કપટ છળ, દ્રવ્ય કરાવે કોટિ કકળ ।।૭।। દ્રવ્ય કરાવે દગા દુષ્ટતાઇ, દ્રવ્ય કરાવે કામ કસાઇ । દ્રવ્ય કરાવે ઉચ્ચ ને નીચ, દ્રવ્ય કરાવે પાષંડ પેચ ।।૮।। દ્રવ્ય કરાવે જાતિ વિટાળ, દ્રવ્ય ચડાવે સાચા ને આળ । દ્રવ્ય કરાવે હાલ બેહાલ, દ્રવ્ય કરાવે કૃપણ કંગાલ ।।૯।। દ્રવ્ય કરાવે ચોરી ચાકરી, દ્રવ્ય કરાવે ટેલ્ય આકરી । દ્રવ્ય કરાવે જીવની ઘાત, દ્રવ્ય કરાવે પિંડનો પાત ।।૧૦।। દ્રવ્ય ન્યાય અન્યાય કરાવે, દ્રવ્ય જુઠી […] read more
0 Views : 124

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૦૮

ચોપાઇ- હવે કહું નિરસ્વાદીની રીત, જેણે તજી છે સ્વાદની પ્રીત । સર્વે સ્વાદ જાણી હરિમાંય, મનવૃત્તિ લોભે નહિ ક્યાંય ।।૧।। મહારસનું કીધું છે પાન, તેણે થયા મગન મસ્તાન । સુખ સ્વપ્ને ન ગમે સંસાર, વિષયરસ સમજયા અસાર ।।૨।। મહારસ પીધો જેહ જને, તે ન ચાખે બીજો રસ મને । એ રસ પીધો છે શુકજી આદે, તે તો ન રાચે અન્યને સ્વાદે ।।૩।। એ રસ પીધો છે સનકાદિકે, પીધો નવ યોગેશ્વર નીકે । એ રસ પીધો છે જનક જેવે, જેનું મન ન રહ્યું બીજે પિવે ।।૪।। એ રસ પીધો છે જન પ્રહ્લાદે, મન માન્યું નહિ બીજે સ્વાદે । એ રસ પીધો છે ધ્રુવ અંબરીષે, એ રસ પીધો ગોપી ગુડાકેશે ।।૫।। એ રસ પીધો જન જયદેવે, એ રસ પીધો છે ઉધ્ધવ જેવે । એહ આદિ જે ઋષિરાજન, પીધો મહારસ થયા મગન ।।૬।। જેજે જને હરિરસ પિધો, તેણે સંસારરસ કુચો કીધો । ચૌદ લોકમાં જે રસ રહ્યો, તેતો ઉલટા અન્ન જેવો થયો ।।૭।। તેનું બીજે તે મન ન માને, જે કોઇ પૂરણ મહારસ પાને । એ રસ આજે આપણને મળ્યો, જે કોઇ સર્વે રસથી છે ગળ્યો ।।૮।। નથી અન્ય રસ એહ સમાન, જેવો આપણે કીધો છે પાન । એ રસ વિના રસ જે બીજો, તે તો દુઃખરૂપ માની લેજયો ।।૯।। બીજા રસમાં જેહ […] read more
0 Views : 114

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૦૯

ચોપાઇ- હવે કહું નિઃસ્નેહી જન, સુણો રીત્ય તેની દઇ મન । એક પ્રભુ સાથે પ્રીત જોડી, બીજા જક્ત સહુ સાથે તોડી ।।૧।। પિંડ બ્રહ્માંડમાં નહિ પ્રીત, ચૌદ લોકમાંહિ નહિ ચિત્ત । છે એ નિઃસ્નેહી જનની રીત્ય, પેખે પિંડને પહેલું અનિત્ય ।।૨।। આદિ અંતે મધ્યે જોઇ એહ, પછી કરે તનમાં સનેહ । પેખી પ્રસિદ્ધ પિંડના હાલ, પછી માને જો મનાય માલ ।।૩।। જયારે જુવે વિચારી આ પિંડ, દેખે નખશિખા નરક કુંડ । પરૂ પાચ ને પિયા પ્રસિધ્ધ, વહે લીંટ શેડા બહુવિધ્ધ ।।૪।। કફ થુંક ને લાળ કહેવાય, નિત્ય નિસરે તે મુખમાંય । બહુ બળખા આવે ઓકાર, દિસે દાંત હાડકાંની હાર ।।૫।। મજજા મેદને માંસ રૂધિર, મળ મૂતરે ભર્યું શરીર । હાડપિંજર મઢ્યું છે ચર્મે, માંહિ ભર્યો છે આંતર કર્મે ।।૬।। ભર્યું રૂધિર તે રગરગે, વહે નરક તે નવ મારગે । નખ કેશમાં કૈક વસ્તુ ભલી, ભરી ભેચે માથાની તુંબલી ।।૭।। સ્વેદ શુક્ર શલેષમ આમ, ગુંગા ગિડર આદિ અકામ । એવું પેખીયું પોતાનું પિંડ, ચોખું જાણ્યું ચમારનો કુંડ ।।૮।। પેખી પ્રકટ પિંડમાં એહ, સંતે સમજી મૂક્યો સનેહ । એના સંબંધી જે જગમાંય, તે સાથે કેમ સનેહ થાય ।।૯।। જયાં જયાં ધર્યો જીવે અવતાર, તિયાં કર્યો કુટુંબ પરિવાર । માત તાત ને ભગિની ભાઇ, સુતા સુત દારા ને વેવાઇ ।।૧૦।। તેમાં કોણ અધિક […] read more
0 Views : 113
Powered By Indic IME